Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના નવાણિયા ગામમાં ૧૧૭૦ પશુઓનું નિદાન-સારવાર કરાઈ

જિલ્લા પશુપાલન વિભાગની ટીમ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર જિલ્લાના નવાણિયા ગામના તમામ પશુપાલકો માટે જિલ્લા પશુપાલન વિભાગ, રિલાયન્સ ફાઉન્ડેશન પશુચિકિત્સાલય અને પશુ દવાખાના લાલપુરના સંયુક્ત ઉપક્રમે પશુ આરોગ્ય મેળા અંતર્ગત પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગામના અનેક પશુપાલકો પોતાના બીમાર પશુઓને સારવાર માટે લાવ્યા હતા.

કેમ્પ દરમ્યાન ગાય, ભેંસ, બળદ, ઘેટાં અને બકરાંના વિવિધ રોગોનું નિદાન કરી પશુપાલન વિભાગની ટીમ દ્વારા જરૂ.રી સારવાર આપવામાં આવી હતી. તેમજ પ્રજનન સમસ્યા ધરાવતા પશુઓની તપાસ કરી જરૂ.રી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘેટાં-બકરાંઓ સ્વસ્થ રહે અને ઉત્પાદન ક્ષમતા વધે તે માટે કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને પશુ આરોગ્ય, સ્વચ્છતા, નિયમિત રસીકરણ અને પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સારવાર કરાયેલા પશુઓમાં ૨૨ ગાય, ૩ વાછરડા, ૧૦૪ ભેંસ, ૧૦ ભેંસના બચ્ચા, ૧૦ બળદ, ૧ સાંઢ, ૯૦૦ ઘેટાં તથા ૧૨૨ બકરીઓ એમ કુલ ૧૧૭૦ પશુઓની સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં પશુપાલકો પોતાના પશુઓના રોગોના સારવાર અને નિદાન માટે ઉપસ્થિત રહૃાા હતા.

આ કાર્યક્રમમાં નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.તેજસ શુક્લ સહીત પશુપાલન વિભાગની ટીમ તથા  રિલાયન્સ ફાઉન્ડેશન પશુચિકિત્સાલય અને પશુ દવાખાના લાલપુરના કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh