Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના દબાણ હટાવની કામગીરી યથાવતઃ હજુ કેટલાક ગેરકાયદે બાંધકામો તંત્રના રડારમાં

કામગીરી યથાવત રાખવાનો તંત્રનો નિર્ધારઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૩: દ્વારકાના ચરકલા રોડ પર ગઈકાલે રૂ.૧૮ કરોડની સરકારી જમીન પર થયેલા બાંધકામને હટાવવામાં આવ્યા પછી આ કામગીરી આજે પણ યથાવત રાખવામાં આવી છે. દ્વારકા કોરીડોરના ભાગરૂપે શરૂ કરાયેલી દબાણ હટાવ કામગીરીમાં અત્યાર સુધીમાં રૂ.૩૦૦ કરોડથી વધુની જગ્યા પરના દબાણો હટાવી દેવાયા છે.

દ્વારકા શહેરમાં ચરકલા રોડ પર આવેલી ૬૬૫૨ ચોરસ ફૂટ સરકારી જગ્યામાં ખડકાઈ ગયેલા ૩૯ ઓરડા, ૭ દુકાન સહિતના બાંધકામો ગઈકાલે તંત્રએ જમીનદોસ્ત કર્યા પછી આજે પણ ગેરકાયદે દબાણ હટાવની કામગીરી તંત્ર દ્વારા યથાવત રાખવામાં આવી છે.

છેલ્લા છ મહિનામાં અંદાજે રૂ.૩૦૦ કરોડની સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા છે તેમ પ્રાંત અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે. તે પછી આ કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવશે. તેમ જણાવી પ્રાંત અધિકારીએ ઉમેર્યું છે કે, દ્વારકા કોરીડોરના ભાગરૂપે આ કામગીરી કરાઈ રહી છે તેને કોઈપણ ભોગે રોકવામાં આવશે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh