Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રણજીતસાગર ડેમ પર જોખમી મજા માણતા લોકોઃ સુરક્ષાનો અભાવ

દુર્ઘટના કા ડર હૈ, પહરેદાર કિધર હૈ?

                                                                                                                                                                                                      

જામનગરનો રણજીતસાગર ડેમ ચોમાસામાં ઓવરફ્લો થાય એટલે રજાઓમાં સહેલાણીઓની પહેલી પસંદ બની જાય છે, પરંતુ ભીડમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને કે સેલ્ફી અને ફોટોગ્રાફીના ચક્કરમાં કોઈ જીવલેણ અકસ્માત ન બને એ માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી લોકો સુરક્ષિત અંતરેથી ડેમના સૌંદર્યનો નજારો માણી શકે. આ વર્ષે પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયા પછી તંત્ર દ્વારા એક-બે દિવસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ હવે એ કયાંય દેખાતો ન હોય, એવા દૃશ્યો સામે આવ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં રવિવારની રજામાં ડેમના ધોધની મજા માણતા લોકો નજરે ચડે છે ત્યારે આ તસ્વીર અકસ્માતની સંભાવનાઓને પણ ઉજાગર કરે છે. પરિવાર સાથે રજાઓમાં જળાશયો પર ફરવા જતા લોકોને પણ સાવધાની રાખવા અનુરોધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh