Advertisement
Author: નોબત સમાચાર

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા સાંસદની રજૂઆત

જામનગર સંસદીય વિસ્તારમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ જામનગર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો તથા મોરબી જિલ્લાના આમરણ ચોવીસી વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાનીનું યોગ્ય અને તાકીદે વળતર આપવા સંસદસભ્ય પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલા કમોસમી ભારે વરસાદની સાથે ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના આમરણ (ચોવીસી) વિસ્તારમાં ગત નવરાત્રી સમયે અને તાજેતરમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પલળી જઈ નિષ્ફળ ગયેલ છે તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ ખૂબજ નુકસાન થયેલ છે. આ કમોસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયેલ છે, જેનાથી ખેડૂતોને ખૂબજ નુકસાની થયેલ છે.

આ સંસદીય મતવિસ્તાર માં રાજ્યનો સૌથી વધુ લાંબો દરીયાકાંઠો આવેલ છે એ આ વિસ્તારમાં મુખ્ય પાક મગફળી અને કપાસ છે. તદુપરાંત અન્ય પાકોને પણ માહે સપ્ટેમ્બર-૨૦૨૫ તેમજ ચાલુ માસમાં તા. ૨૫-૧૦-૨૫થી આવેલ સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયેલ છે તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોય અને પશુઓ માટેના સુકા ઘાસચારા પણ પલળીને નાશ પામેલ છે, જેના કારણે ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયેલ છે. હાલના કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાની અંગેનો સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાક નુકસાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh