Advertisement
Author: નોબત સમાચાર

આઈશ્રી સોનલમાં એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

'છોટી કાશી'-જામનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: આઈશ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા નવરાત્રિ મહોત્સવ તા. ૨૨-૯-૨૫ થી થા. ૧-૧૦-૨૫ દરમ્યાન દરરોજ રાત્રે ૯ વાગ્યાથી આઈશ્રી સોનલધામ, ઉદ્યોગનગર (શંકર ટેકરી), જામનગરમાં યોજવામાં આવ્યો છે. ચારણ સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.

નવરાત્રિ દરમ્યાન ચારણ સમાજના યુવાન દ્વારા મણીયારો રાસ તથા બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે.

ચારણ સમાજના રાણાભાઈ ગઢવી, ભોજાભાઈ ગઢવી, મહેશભાઈ ગઢવી, માણશુરભાઈ ગઢવી સહિતના કલાકારો દુહા-છંદ તથા ગરબાની રમઝટ બોલાવશે. પ્રજાજનોને આ પરંપરાગત નવરાત્રિ નિહાળવા ટ્રસ્ટના પ્રમુખ દેવિદાનભાઈ ગઢવીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh