Advertisement
Author: નોબત સમાચાર

ભાજપના પ્રતિનિધિઓએ મતદારો તથા બીએલઓની સમસ્યા નિવારવા કરી રજૂઆત

ખંભાળિયામાં યોજાયેલી જિલ્લા કક્ષાની બેઠકમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: રાજ્ય સરકાર દ્વારા હાલમાં ચાલતા એસ.આઈ.આર. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સ્તરની મહત્ત્વની બેઠક જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજપૂત ખંભાળિયા પ્રાંત-અધિકારી કે.કે. કરમટા ઉપસ્થિત રહ્યા હતા તથા જિલ્લાના તમામ મામલતદારો વચ્યુઅલ રીતે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લાના મતદાર યાદી સુધારણા  કાર્યક્રમના ઈન્ચાર્જ રસીકભાઈ નકુમ, ખંભાળિયા ભાજપ શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતા વગેરે જોડાયા હતાં.

આ બેઠકમાં કાર્યકરો તથા આગેવાનો દ્વારા મતદાર યાદી સંબંધિત લોકોને તેમજ બીએલઓને થતી મુશ્કેલી અને સમસ્યાઓ અંગે જિલ્લા કલેકટરને માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા સમસ્યાનું નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh