Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાની પતિ, સસરા તથા નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસની કરાઈ ફરિયાદ

મહિલા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક પરિણીતાએ પતિ, સસરા, નણંદ સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના ૧૩ વર્ષ દરમિયાન એક વખત પતિએ આ પરિણીતાને પુત્ર સાથે ઘરમાંથી કાઢી પણ મૂક્યા પછી ગાળો ભાંડી મારકૂટની રાવ કરવામાં આવી છે.

જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા જલ્પાબેન મનસુખભાઈ મારવણીયા નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૨માં પટેલ કોલોનીની શેરી નં.૮માં રહેતા ભાવિનભાઈ ચંદુભાઈ ભેંસદડીયા સાથે થયા પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી.

લગ્નના થોડા દિવસ પછીથી પતિ ભાવિન, સસરા ચંદુભાઈ લીંબાભાઈ ભેંસદડીયા, નણંદ પૂર્વીબેન સંદીપભાઈ ચનીયારાએ નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂ કરી ત્રાસ વર્તાવ્યો હતો. જ્યારે પતિએ મારકૂટ કરી જલ્પાબેનને પુત્ર સાથે ઘરમાંથી પહેરેલા કપડે અગાઉ કાઢી મુક્યા હતા. તે પછી ભાવિનભાઈ પત્નીને છોડીને ચાલ્યા ગયા હતા. ત્રાસ આપતા પતિને સસરા તથા નણંદ પણ સાથ આપતા હોવાથી કંટાળેલા જલ્પાબેને આખરે ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh