Advertisement
Author: નોબત સમાચાર

ખેલ મહાકુંભ-૨૦૨૪ના વિજેતાઓને આજ દિન સુધી પુરસ્કાર મળ્યા નથી!

જનતાદળ (યુ)ના પ્રમુખની રજુઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: એક તરફ ગુજરાત સરકાર આગામી વરસોમાં અમદાવાદ (ગુજરાત)માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અબજો રૂપિયાના ખર્ચે કરવા જઈ રહી છે ત્યારે બીજીતરફ ગુજરાત સરકાર દ્વારા જ આયોજીત ખેલ મહાકુંભના વર્ષ-૨૦૨૪ના વિજેતા ખેલાડીઓને આજ દિવસ સુધી સરકારે જાહેર કરેલ રોકડ પુરસ્કાર મળ્યા નથી.

આ પ્રશ્ને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા જનતાદળ (યુનાઈટેડ)ના પ્રમુખ મયુરભાઈ માડમે જામનગરના ડીએસઓને આવેદનપત્ર પાઠવી વ્હેલી તકે ખેલાડીઓના પુરસ્કારની રકમ તેમના ખાતામાં જમા કરવા માંગણી કરી છે. તેમણે આ આવેદનપત્ર વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે પણ રજુ કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh