Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૧: દ્વારકા જિલ્લામાં ડી.એ.પી. ખાતાની અછતને લીધે ખેડૂતોની કતારો લાગતી હતી. તે પછી હવે યુરિયા ખાતર માટે પણ કતારો લાગવા માંડી છે, જેથી ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે.
હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની જરૂરત છે, ત્યારે આ ખાતરની તીવ્ર માગ હોય, ખાતર ના મળતા તથા અછત સર્જાતા વહેલી સવારથી ખેડૂતો ખાતર મેળવવા માટે કતારો ઠંડીના સમયમાં લગાવે છે. સરકાર દ્વારા ખેડૂતોની માગ મુજબ જથ્થો ફાળવીને ખેડૂતોની પરેશાની હલ થાય તે માટે તુરંત યોગ્ય કરવા માગ ઊઠી છે. ચોમાસું પાક માવઠાને લીધે નબળો ગયો હોય, હવે શિયાળુ પાક માટે ખેડૂત ખૂબ તૈયારી કરી રહ્યો છે, જ્યારે ખાતરની અછત પાક માટે નુક્સાનરૂપ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial