નગરથી નેશન સુધી ન્યાયતંત્રમાં દૃઢ વિશ્વાસ... ...પણ...?!

                                                                                                                                                                                                      

આપણાં દેશમાં આઝાદી મળી તે પછી બંધારણીય સંસ્થાઓ, સરકારી તપાસ એજન્સીઓ તથા બંધારણીય પદો પર બિરાજતા હોદ્દેદારો તદ્દન નિષ્પક્ષ, લોકલક્ષી અને બંધારણને અનુરૂપ સ્વાયત્ત હશે, તેવી વિભાવના સાથે બંધારણના ઘડવૈયાઓએ બંધારણનું ઘડતર કર્યું હતું, અને જરૂર પડયે મૂળભૂત બાબતો તથા મૌલિક અધિકારો સિવાય બંધારણમાં સુધારા-વધારા કરવાની સત્તા પણ સંસદને આપી હતી, તથા તેની બંધારણીય સમીક્ષા કરવાની સત્તા સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચોને આપી હતી...આઝાદી મળી તેને સાડા સાત દાયકાથી વધુ સમય થઈ ગયો, તે દરમ્યાન બંધારણમાં ૧૨૫થી વધુ સુધારાઓ સંસદે બંધારણીય જોગવાઈઓ મુજબ કર્યા, તે પૈકી કેટલાક સુધારા વિવાદાસ્પદ રહ્યા અને કેટલાક બંધારણીય સુધારાઓ સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચ સુધી પણ પહોંચ્યા...આઝાદી મળી તે પછી રાજનૈતિક મૂલ્યો, પક્ષ-વિપક્ષ વચ્ચેનું સાંમજસ્ય અને પરસ્પર આદરની પરંપરાઓ સુદૃઢ બની હતી, પરંતુ હવે ધીમે ધીમે તેના પર સંકુચિત રાજનીતિ અને સ્થાપિત હિતો પ્રભાવી બની રહ્યા હોય તેમ જણાય છે. એક તરફ બંધારણીય સંસ્થાઓ પર સત્તાધારીપક્ષનો પ્રભાવ વધી રહ્યો હોવાના આક્ષેપો થાય છે, તો બીજી તરફ વિપક્ષ તમામ બંધારણીય સંસ્થાઓ તથા એજન્સીઓ પર રાજનૈતિક દૃષ્ટિએ ખોટા પ્રહારો કરી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ તમામ અનિચ્છનિય અને બિનજરૂરી વિવાદો વચ્ચે લોકોને દેશના ન્યાયતંત્ર પર ભરોસો છે અને સર્વોચ્ચ અદાલત તથા હાઈ કોર્ટના કેટલાક નિર્ણયો દૂરગામી અને લોકતંત્રની તંદુરસ્તી વધારનારા પૂરવાર થઈ રહ્યા છે, જેના કારણે આપણાં દેશનું લોકતંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મજબૂત અને વિશ્વસનિય છાપ ઊભી કરી રહ્યું છે.

જો કે, હવે આપણાં દેશમાં ન્યાયતંત્ર પર પણ સવાલો ઉઠે તેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. તાજેતરમાં એન.સી.આર.ટી.ના પુસ્તકોમાંથી ન્યાયતંત્ર પર ભ્રષ્ટાચારનું પ્રકરણ હટાવાયુ, તે મુદ્દે સોશ્યલ મીડિયામાં થયેલી ટિપ્પણીઓના મુદ્દે દેશના સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી અને ચીફ જસ્ટીસના વડપણવાળી સુપ્રિમ કોર્ટની બેન્ચે જે વેબસાઈટ્સના માધ્યમથી આવી ટિપ્પણીઓ કરનારાઓની ઓળખ કરીને કેન્દ્ર સરકારને કડક પગલા લેવા સૂચવ્યુ અને કહ્યું કે આ પ્રકારના પરિબળો જો દેશની બહાર હશે, તો પણ તેને છોડીશું નહીં. સી.જે.આઈ.એ કહ્યું કે જ્યુડિશ્નરીમાં ખામીઓ હોય, તેની ટીકા થાય, તેના તેઓ વિરોધી નથી. આવી આલોચના નક્કર તથ્યો પર આધારિત અને દુર્ભાવનાઓથી પ્રેરિત હોવી ન જોઈએ, તેવો સારાંશ સુપ્રિમ કોર્ટની ટિપ્પણીઓમાંથી નીકળે છે.

સામાન્ય રીતે અદાલતો નક્કર તથ્યો, બંધારણ, નિયમ-કાયદા અને પૂરાવા-આધારો-દસ્તાવેજોના આધારે જ નિર્ણયો લેતી હોય છે, પરંતુ ૧૩ વર્ષથી કોમામાં રહેલા ૩૧ વર્ષના યુવાનને ઈચ્છામૃત્યુની મંજુરી આપીને સર્વોચ્ચ અદાલતે એક સંવેદનશીલ  અને ભાવનાત્મક ફેંસલો પણ સંભળાવ્યો છે.

ગઈકાલથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧, જે એન.આઈ. એકટ તરીકે ઓળખાય છે, તેને લઈને આપેલો ફેંસલો દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પંજાબ અને હરિયાણા એવા રાજ્યો છે, જેની રાજધાની ચંદીગઢ છે, જે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, અને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ રાજધાની ચંદીગઢમાં છે, જે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ તરીકે ઓળખાય છે. આ હાઈકોર્ટે એન.આઈ. એકટ હેઠળ આવતા ચેક રિટર્નના એવા કેસો તથા તેની અપીલોને પહેલા મેડિયેશન માટે મોકલવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે કહ્યું કે એન.આઈ.એકટના તમામ કેસો સીજેએમ અથવા જેએમએફસી જેવી ટ્રાયલ કોર્ટો દ્વારા મેડિયેશન માટે ન મોકલ્યા હોય, તેવા કેસો મધ્યસ્થતા માટે મોકલવા જ જોઈએ. અદાલતે એમ પણ કહ્યું કે ચેક બાઉન્સના કેસો સામાન્ય રીતે એક પ્રકારના ખાનગી વ્યવહારો છે, જેમાં સ્ટેટ (રાજ્ય) ને પક્ષકાર બનાવી ન શકાય. પંજાબ-હરિયાણા કોર્ટનો આ નિર્દેશ ગઈકાલથી ટોક-ઓફ ધ નેશન બન્યો છે, અને માત્ર કાનૂની ક્ષેત્રે જ નહીં, પબ્લિકમાં પણ આ નિર્દેશોની તરફેણમાં અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.

આ ઉપરાંત કાનૂની ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રમાં પણ દિલ્હીની ટ્રાયલ કોર્ટે જેેને શરાબ કૌભાંડ કેસમાં નિર્દોષ છોડી મૂકયા હતા, તે કેજરીવાલ, સિસોદીયા સહિત ૨૩ આરોપીઓ તરફથી દિલ્હીની હાઈ કોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર વિશ્વાસ નહીં હોવાનું જણાવીને સીબીઆઈએ કરેલી અપીલની સુંનાવણી કોઈ અન્ય 'નિષ્પક્ષ' બેન્ચ કરે તેવી માંગણી કરી છે, તેની પણ દેશવ્યાપી ચર્ચા થઈ રહી છે, "આપ"ના એક નેતાએ કોઈ ચોક્કસ જજને ભાજપ સાથે શું સંબંધ છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો હોવાની ચર્ચા મીડિયામાં થઈ રહી છે...ગત તા. ૨૭ ફેબ્રુઆરીના દિવસે ટ્રાયલ કોર્ટે શરાબ કૌભાંડમાં કેજરીવાલ-સિસોદીયા સહિતના આરોપીઓને નિર્દોષ છોડી દીધા પછી સીબીઆઈને અપીલમાં રાહત મળી અને હવે પછીની સુનાવણી હાઈકોર્ટમાં ૧૬મી માર્ચે થવાની છે, ત્યારે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ આરોપીઓ તરફથી કરાયેલી માંગણીનો મુદ્દો ઘણી બધી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બન્યો છે, કારણ કે આ પ્રકારની માંગણી પણ ન્યાયતંત્રની તટસ્થતા સામે સવાલ ઉઠાવે છે અને ચીફ જસ્ટિસનો કોઈપણ નિર્ણય ન્યાયતંત્રની વિશ્વસનિયતા અને તટસ્થતા અંગે થયેલા આક્ષેપોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ દર્શાવનારો હશે, જોઈએ, હવે શું થાય છે તે...

ગુજરાત વિધાનસભામાં હાલારના એક ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના જવાબમાં જામનગરની એક સ્કૂલને કરાયેલા દંડની વિગતો અપાઈ હોવાનો મુદ્દો હાલારમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને ફી વધારા અંગેનો આ મુદ્દો પણ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હોવાની વાતો વહેતી થયા પછી એક તરફ ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉઘરાવાતી તોતીંગ ફી, બીજી તરફ રાજ્ય સરકારની ફી નિર્ધારણ સિસ્ટમ અને ત્રીજી તરફ વાલીઓ-વિદ્યાર્થીઓના હિત તથા શાળા સંચાલકોની વિટંબણાઓ અંગે પણ ભિન્ન-ભિન્ન પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે, જોઈએ, હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પડોશી દેશોને એફડીઆઈ માટે છૂટછાટનો નિર્ણય...

                                                                                                                                                                                                      

ગઈકાલે એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારત સરકારે પડોશી દેશોને ૧૦૦% સીધુ વિદેશી રોકાણ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ)ની છૂટ આપી છે, અને આ નિર્ણય મોદી સરકારની કેબિનેટમાં લેવાયો છે, ત્યારે ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું. સ્વદેશી અને લોકલ ફોર વોકલના નારા સાથે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાના સરકાર સમર્થક સંગઠનો-નેતાઓના "અભિયાનો" નું શું થયું ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા હતા. જો કે, સરકારના પ્રવક્તા મંત્રીએ કેબિનેટમાં લેવાયેલા ૬ મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં આ મુદ્દાને બહુુ સ્પર્શ્યો નહીં હોવાથી સસ્પેન્સ પણ સર્જાયું હતું.

સત્તાવાર સમાચારો મુજબ સરકારના પ્રવક્તા અને માહિતી-પ્રસારણ વિભાગના કેન્દ્રીય મંત્રીએ આપેલી માહિતી મુજબ ગઈકાલે કેબિનેટમાં દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વેને જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડતી ગ્રીન ફિલ્ડ સડક માટે રૂ।. ૩૬૩૦ કરોડ, પ.બંગાળ અને ઝારખંડમાં બે નવી મલ્ટી ટ્રેકિંગ રેલવે પરિયોજનાઓ, જલજીવન ૨.૦ પ્રોજેકટ, બદનાવર-થાંદલા-તિમરવાની નેશનલ હાઈ-વેને ફોરલેન કરવાનો પ્રોજેક્ટ અને તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો આપવાની મંજુરી અપાઈ હોવાની જાહેરાત થઈ હતી, આ ઉપરાંત પ્રવર્તમાન સંજોગોમાં રાંધણગેસ તથા પેટ્રોલિયમ ચીજ-વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા તથા સંગ્રહખોરી-કાળાબજાર પર અંકુશ રાખવા માટે શ્રેણીબદ્ધ કદમ ઉઠાવવાના નિર્ણયની ચર્ચા પણ થઈ હતી.

જો કે, તે પછી એફડીઆઈનો મુદ્દો ટોક ઓફ ધ નેશન બની ગયો અને મીડિયા હાઉસ તથા ઈન્ડસ્ટ્રિયલ એકમોથી લઈને રાજકીય અને બિઝનેસ ક્ષેત્રોમાં પણ આ મુદ્દે ચર્ચા થવા લાગી હતી. તે પછી એવી ચોખવટ થઈ હતી કે ભારત સાથે જે દેશોની સરહદો જોડાયેલી છે, તે દેશો માટે એફડીઆઈ માટે વર્ષ ૨૦૨૦માં જે એફડીઆઈ માટે જે પ્રતિબંધો મૂકાયા છે, તે હળવા કરાવ્યા છે, પરંતુ તદૃન હટાવી લેવાયા નથી, મતલબ કે આ પડોશી દેશોને ૧૦૦% એફડીઆઈની છૂટના જે અહેવાલો આવ્યા હતા, તેમાં એવી ચોખવટ થઈ હતી કે ભારત સરકારે દેશના સરહદી પડોશી દેશો દ્વારા ભારતમાં થતા એફડીઆઈ માટે કેટલીક ઘણી મોટી પણ શરતી છૂટછાટો આપી છે, પરંતુ સંપૂર્ણ છૂટછાટ અપાઈ નથી.

તે પછી એવા વિગતવાર અહેવાલો આવ્યા કે વર્ષ ૨૦૨૦માં લાગુ કરાયેલી પોલિસી (પ્રેસનોટ-૩) જોગવાઈઓમાં સુધારા-વધારા કરાયા છે. હવે પડોશી દેશોના શેરધારકો ધરાવતી કંપનીઓ ૧૦% સુધીનું પ્રત્યક્ષ મૂડી રોકાણ ભારત સરકારની મંજૂરી વિના કરી શકે છે... એવું પણ કહેવાયુ કે આ નીતિ હેઠળ ભારત સાથે સરહદો ધરાવતા ચીન,બાંગલાદેશ, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન માટે આ છૂટછાટ અપાઈ છે., એવું પણ ચર્ચાયુ કે ઈલેકટ્રોનિકસ, કેપિટલ ગૂડ્સ સહિતના પસંદગીના મેન્યુફેક્ચરીંગ માટે ૬૦ દિવસમાં એપ્રુવલ મળી જાય, તેવું મિકેનિઝમ ઊભું કરાયુ છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન આ અંગે જે પ્રતિબંધો લગાવાયા હતા, તેમાં જ ઘણી રાહત મળી હોવાના પ્રત્યાઘાતોની સાથે સાથે એવા પણ અહેવાલો છે કે આ પ્રકારે છૂટછાટનો લાભ મેળવીને વિદેશી કંપનીઓ કે રોકાણકારો દ્વારા કરાયેલા મૂડી રોકાણ છતાં મોટા ભાગનો અંકુશ, નિયમન અને સંચાલન ભારતીય નાગરિકો પાસે જ રહેશે, તેથી ગભરાવા જેવું નથી.

આ પ્રકારની પોલિસી બદલાયેલા વૈશ્વિક સમિકરણોને અનુરૂપ છે અને ટ્રમ્પ ફેઈમ લોકતાંત્રિક મહાસત્તાની દાદાગીરીને કાઉન્ટર કરવા માટે જરૂર હતી. "નેશન ફર્સ્ટ" ને સુસંગત આ નિર્ણય જરૂરી સેઈફગાર્ડઝ સાથે લેવાયો છે, તેથી આ રણનીતિ "પરફેકટ" છે, તેવા પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે અને ઘણાં લોકો આ પ્રકારની રણનીતિને પગ પર કૂહાડો મારવા જેવી ગણાવી રહ્યા છે. ખાસ કરીને યુનોમાં હંમેશાં ભારત વિરોધી વલણ અપનાવતા રહેતા તથા સરહદે અવારનવાર છમકલા કરતા ચીનને તો આ પ્રકારની છૂટછાટ મળવી જ નહીં જોઈએ, તેવા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.

એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ છૂટછાટો ભારત સરકારે સેફટી માટે મજબૂત સેઈફ ગાર્ડઝ રાખ્યા છે. સંવેદનશીલ સેકટરોમાં એફડીઆઈ (૧૦%)ની મંજુરી અથવા છૂટછાટ ત્યારે જ મળવાપાત્ર થશે, જેયારે જે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તેના પૂરેપૂરા કંટ્રોલ સાથે મહત્તમ શેરહોલ્ડરો ભારતીય નાગરિકો જ હોય, મતલબ કે ભારતીય શેર હોલ્ડરોનું જ હિત પ્રાયોરિટીમાં રહી શકે, તેવો પ્રબંધ કરાયો છે.

એક સમયે ચીનની તમામ ચીજોનો બહિષ્કાર કરાઈ રહ્યો હતો અને ચીનની કેટલીક સોશ્યલ મીડિયા એપ્સ અને ઓનલાઈન પ્રવૃત્તિઓ પર ધડાધડ પ્રતિબંધો પણ લગાવાઈ રહ્યા હતા, જ્યારે આજે વૈશ્વિક સમીકરણો બદલાઈ રહ્યા હોવાથી હળવેકથી છૂટછાટો અપાઈ રહી છે, તેથી જ કહેવાયુ છે ને કે "સમય સમય બલવાન હૈ...નહીં પુરૂષ બલવાન..."

આ વર્ષ ૨૦૨૦ની એક પ્રેસનોટ સ્વરૂપની પોલિસીમાં કરાયેલા સુધારા-વધારા અંગે ગઈકાલે તત્કાળ કોઈ પ્રત્યાઘાતો આવ્યા નહીં, કારણ કે હળવેકથી અપાયેલી છૂટછાટો (ઢીલ) ની જાહેરાત પણ "હળવેક" થી જ કરાઈ છે, જેથી તેનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ કોઈ ચોક્કસ પ્રત્યાઘાતો અર્થશાસ્ત્રીઓ અને વિદેશનીતિ જાણકારો આપી શક્યા હતા. જો કે, કેટલાક વિપક્ષી નેતાઓએ એવી આલોચના કરી હતી કે મોદી સરકારની કોઈ નીતિરીતિ સ્થિર રહેતી નથી. કેટલાક પ્રત્યાઘાતો એવા પણ આવ્યા કે આપણાં દેશમાં આતંકવાદીઓ મોકલતા પાકિસ્તાનને આ પ્રકારની છૂટ ન આપવી જોઈએ. પડોશી દેશ બાંગલાદેશની ભારત વિરોધી નીતિ પણ નવી સરકાર આવ્યા પછી પણ હિન્દુઓ પર હૂમલા થતા હોય તો તેના પર પણ આ છૂટછાટ તથા ઈંધણનો જંગી જથ્થો આપવાની શું જરૂર છે ? જોઈએ, હવે સરકાર આ મુદ્દે શું જવાબ આપે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દીકરો એક કુળ તારે, દીકરી બે કુળ તારે, ન્યાય ક્ષેત્રે મહિલા સશક્તિકરણ... કયોં કી સાસ ભી કભી બહુ થી...

                                                                                                                                                                                                      

આઠમી માર્ચે જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં મહિલા વિકાસ ફિવરની ઉજવણી થઈ, અને માત્ર ફોર્માલીટી ખાતર કે પરંપરા નિભાવવાના બદલે આ વર્ષે સરકારી વિભાગો જ નહીં, પરંતુ દેશભરની મહિલા સંસ્થાઓ, એનજીઓઝ, શાળા-કોલેજો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સુરક્ષાદળો અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રથી માંડીને રાજકીય પક્ષો દ્વારા પણ આ ઉજવણી થઈ, તેમાં પણ ન્યાયતંત્ર દ્વારા થયેલી વિવિધ ઉજવણીઓએ પણ સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ, અને ન્યાયક્ષેત્રે મહિલાઓની સહભાગિતા વધારવાના થઈ રહેલા પ્રયાસોની પણ વિશેષ ચર્ચાઓ થઈ.

મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુપ્રિમ કોર્ટમાં "ઈન્ડિયન વિમેન ઈન લો"ના વિષય પર એક સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં સી.જે.આઈ. સૂર્યકાન્ત અને જસ્ટિસ નાગરત્નાએ જે કાંઈ કહ્યું અને ઉપયોગી સૂચનો કર્યા, તેની દેશવ્યાપી ચર્ચા થઈ રહી છે. આ સૂચનો ખરેખર ઘણાં જ ઉપયોગી અને મહિલા દિવસની ઉજવણીને સુસંગત હતા.

આ સંમેલન દરમ્યાન મહિલાઓ માટે ૩૦ ટકા અનામત, વર્ક લાઈફ બેલેન્સ અને પ્રમોશનની માંગ પણ ઉઠી, અને કાનૂની વ્યવસ્થામાં મહિલાઓ સામેના પડકારો, સમાનતા તથા ભવિષ્યની વાતો થઈ. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને સુપ્રિમ કોર્ટના મહિલા જસ્ટિસ સહિતના વક્તાઓએ સૂચવેલા મુદ્દાઓ એક પ્રકારે સાંકેતિક પણ છે અને કાંઈક અંશે વ્યંગાત્મક પણ છે.

આ સંમેલનમાં દેશભરમાંથી મહિલા જજો તથા મહિલા વકીલોએ ઉત્સાહપૂર્વક અને જાગૃતિપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના અભિપ્રાયો સ્પષ્ટ ભાષામાં અને એકદમ નિડરતા અને સચોટથી રજૂ કર્યા હતા.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જ કાંઈ કહ્યું તે કાનૂન ક્ષેત્રે કાર્યરત મહિલાઓ માટે પ્રેરણાત્મક પણ હતુ અને હજુ પણ ઉદૃેશ્યો પૂરા થયા નહીં હોવાની સ્વીકૃતિ પણ હતી. સી.જે.આઈ. સૂર્યકાન્તે કહ્યું કે એક સદી પહેલા અંગ્રેજોના શાસનકાળ વખતે મહિલાઓને કાયદાની પ્રેકટીસ કરવાની છૂટ પણ હતી નહીં. અત્યારે કાનૂની ક્ષેત્રે મહિલાઓની વધી રહેલી ભાગીદારીની વાત કરતા તેઓએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં કાયદાના ક્ષેત્રે મહિલાઓની બહાદુરી અને નિષ્ઠાને બીરદાવવા જ જોઈએ, સાથે સાથે તેઓએ સંસ્થાનોમાં મહિલાઓની સમાન ભાગીદારીની સફર હજૂ અધુરી જ છે.

સી.જે.આઈ. સૂર્યકાન્તના અભિપ્રાયોનો નિચોડ એવો નીકળે છે કે કાયદાના ક્ષેત્રે અજાણતામાં એવો માહોલ બની ગયો છે કે જે મહિલાઓ પર જાણે અદૃશ્ય બોજ લાદે છે, જેમાં વારંવાર પુછાતા સવાલો, દિવસ-રાત કામ અને પરિવારની ઉમ્મીદો સામેલ છે.

કાનૂની ક્ષેત્રે મહિલાઓની સહભાગિતા વધારવાના અવરિત પ્રયાસોની જરૂર જણાવતા તેઓએ કહ્યું કે માત્ર મહિલા ધારાશાસ્ત્રીઓની સંખ્યા જ નહીં, પરંતુ મહિલા જજોની સંખ્યા પણ વધવી જરૂરી છે. તેઓએ કહ્યું કે અદાલતોની બેન્ચમાં સામેલ પ્રત્યેક મહિલા જજ એક મોટો સંદેશ આપે છે અને નારી સશક્તિકરણ પ્રતિપાદિત થાય છે. તેઓએ હાઈકોર્ટના કોલેજિયનને પણ અનુરોધ કર્યો કે તેઓ સુપ્રિમકોર્ટમાં પ્રેકટિસ કરતી મહિલા વકીલોના એવા નામો પર પણ વિચાર કરે, જેઓને તેઓની સાથે જોડાયેલા રાજયોમાં જજના સ્વરૂપમાં પ્રમોશન આપી શકાય.

આ સંમેલનમાં મહિલા જજ જસ્ટિસ નાગરત્નાએ દૃષ્ટાંતો સાથે કહ્યું કે રાજ્ય સરકારોના વિવિધ વિભાગોની પેનલોમાં કમ-સે-કમ ૩૦ ટકા મહિલા વકીલો હોવી જ જોઈએ. જસ્ટિસ નાગરત્નાએ કોેલજિસ્ટના ટાઈમટેબલ અંગે પણ હાઈકોર્ટને મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેણીએ જુસ્સાભેર કહ્યું કે અમે અમારા હક્કો માત્ર મહિલા હોવાના આધારે જ નહીં, પરંતુ અમારી કાબેલિયત અને નિષ્ઠાના આધારે અમારા હક્કો માંગીએ છીએ.

આ સંમેલનમાં અપાયેલી માહિતી મુજબ અત્યારે જિલ્લા કક્ષાએ ન્યાયિક ક્ષેત્રે કાનૂની મહિલા અધિકારીઓની સંખ્યા ૩૫ ટકાથી વધુ છે, જે એક મોટા બદલાવનો હકારાત્મક સંદેશ છે. મીડિયા ડિબેટીંગ તથા અહેવાલો મુજબ આ સંમેલન પછી તેના દેશવ્યાપી પ્રતિભાવો અને પ્રત્યાઘાતો પણ ઘણાં જ સકારાત્મક અને પ્રેરણાત્મક છે.

સુપ્રિમકોર્ટના આ સંમેલન પછી બાર એસોસિએશનો અને બાર કાઉન્સીલોથી આગળ વધીને હાઈકોર્ટો અને સુપ્રિમ કોર્ટો સહિત અદાલતોમાં પણ મહિલા સભ્યો (જજો)ની સહભાગિતા વધે, તેના પર ભાર મૂકાયો, જે દેશભરની ન્યાયવાંચ્છુ કરોડો મહિલા પક્ષકારો માટે પણ એક પ્રેરક અને આશાવાદી પહેલ છે.

ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ "પ્રક્રિયામાં ઝડપ લાવવા" પર આધારિત હતી, તો આ વર્ષે "અધિકાર અને ન્યાયની સાથે સાથે પ્રત્યેક બાલિકા અને મહિલાના સશક્તિકરણ માટે વાસ્તવિક કાર્યવાહી" ના વિષય પર આખી દુનિયામાં ઉજવણી થઈ હતી, અને આ થીમમાં સમાવિષ્ટ "ન્યાય" ના ક્ષેત્રે મહિલાઓની સહભાગિતા વધારવાની જે નેમ વ્યક્ત થઈ રહી છે, તેનું અસલ કારણ આ વખતે આ વિષય પર સર્વક્ષેત્રિય જનમત પણ ઊભો થયો છે, તેમાં છુપાયેલું છે.

આ વર્ષે મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય વૈશ્વિક વિષય "ગિવ ટૂ ગેન" હતો, જે પરસ્પર સહયોગ અને સંસાધનોની ઉપલબ્ધિ તથા મહિલા સશક્તિકરણના માધ્યમથી સંપૂર્ણ સમાજના વિકાસનો અવસર સૂચવે છે. આમ પણ ગુજરાતીમાં કહેવત છે કે દીકરો એક કુળ તારે પણ દીકરી બે કુળ તારે...!

એક તરફ મહિલા દિવસ ઉજવાયો, તો બીજી તરફ ઈરાનની મહિલા ફૂટબોલ ટીમ વિદેશની ધરતી પર અટવાઈ પડી અને તેની સ્વદેશ પરત જવાનો મુદ્દો પણ વિવિધ દેશો માટે પડકાર બની ગયો, જે સૂચવે છે કે મહિલા સશક્તિકરણના વૈશ્વિક ઉદ્દેશ્યમાં હજુ ઘણાં પડાવ આવવાના બાકી છે.

જામનગરની જેમ રાજકોટમાં પણ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી સરકાર વિરોધી પ્રદર્શનો કરતી રહે છે. યોગાનુયોગ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પછીના દિવસોમાં વિવિધ મુદ્દે મહિલાઓ સરકાર સામે આંદોલનો કે દેખાવો કરી રહી છે. રાજકોટમાં તો મહિલા કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવીને ગેસ અને શાકભાજીના વધેલા ભાવો સામે ગેસના બાટલા સાથે પ્રદર્શનો થયા અને જાહેરમાં ચૂલો સળગાવીને તેના પર રસોઈ બનાવી.

ગેસના ભાવના વધારા સામે વિરોધ પ્રદર્શન દરમ્યાન ભૂતકાળમાં યુપીએના શાસન સમયે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવવધારા સામે અવારનવાર પ્રદર્શનો કરતા હતા, તે સ્મૃતિ ઈરાની અત્યારે ક્યાં છે ? તેવા સુત્રોચ્ચાર સાથે તેણીની તસ્વીરો દેખાડાઈ, અને તે પછી સોશ્યલ મીડિયામાં કોમેન્ટો પણ થઈ, એવો વ્યંગ પણ થયો કે ક્યોં કી સાસ ભી કભી બહુ થી...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હોળી પછી ફરી દિવાળી... ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત... બીસીસીઆઈ નવી પહેલ કરશે ?

                                                                                                                                                                                                      

ગઈકાલે રાત્રે જામનગરમાં ફટાકડા ફૂટવા લાગ્યા અને દિવાળી જેવો માહોલ ઊભો થયો. હાલાર અને ગુજરાત સહિત આખો દેશ અને જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરે છે, તે વિશ્વભરના વિસ્તારોમાં ખુશીનો માહોલ હતો અને જોરદાર ઉજવણીઓ થઈ રહી હતી, કારણ કે ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શાનદાર જીત થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦ ફાઈનલ મેચમાં દશેરાના દિવસે ઘોડા ખૂબ દોડયા અને ૧૪૦ કરોડ દેશવાસીઓના દિલ જીતી લીધા. ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત ચેમ્પિયન બની. ટીમ ઈન્ડિયામાં સામેલ ત્રણેય ગુજ્જુ ખેલાડીઓએ પણ આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને ખાસ કરીને બૂમરાહ અને અક્ષર પટેલે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. સંજુ સેમસન અને ઈશાન કિશન સહિત તમામ ખેલાડીઓએ મજબૂત ટીમવર્કથી પોતાની તમામ તાકાત ઝીંકી દીધી. મેન ઓફ ધ મેચ જાહેર થયેલા બૂમરાહ ઉપરાંત આખી ટીમે પૂરા એફર્ટથી મેચ જીતી લીધી.

આ વિજયની ઉજવણી રાતભર ચાલી. દેશભરમાં ફટાકડા ફૂટ્યા, મીઠાઈઓ વહેચાઈ અને પાર્ટીઓ યોજાઈ. ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ તમામ દેશવાસીઓ અને દુનિયાભરમાં પથરાયેલા ભારતીયોએ વિજયોત્સવ મનાવ્યો. ટી-૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં ટૂર્નામેન્ટની યજમાન ટીમે પોતાના જ દેશમાં આ વર્લ્ડ કપ જીત્યો હોય, તેવી આ પ્રથમ ઘટના છે અને ત્રીજી વખત ચેમ્પિયન થયા પછી ભારતીય ટીમનો જુસ્સો તો વધ્યો જ હશે, પરંતુ ક્રિકેટ રસિયાઓમાં પણ આ વિજયનો રોમાંચની ઉત્તેજના ફેલાઈ હતી.

આ વિજય અસાધારણ હતો. જે ટીમ દક્ષિણ આફ્રિકા સામે સુપર એઈટમાં જ હારી ગઈ હોય અને એ જ દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ફાઈનલ સુધી પહોંચી હોય, તે ન્યુઝીલેન્ડની ટીમને ૯૬ રને હરાવીને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનેલી ભારતીય ટીમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા ગણાય.

ફાઈનલ મેચ પહેલા ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટન તથા અન્ય ખેલાડીઓ જે રીતે માઈન્ડ ગેઈમ રમી રહ્યા હોય, તેવા નિવેદનો આપી રહ્યા હતા અને ન.મો. સ્ટેડિયમમાં લાખો ભારતીયોના દિલ તોડીને પોતાની ટીમના વિજયની ડંફાસો મારી રહ્યા હતા, તેઓ ફાઈનલમાં પૂરી ૨૦ ઓવર પણ રમી શક્યા નહીં, અને ૧૯ ઓવરમાં ઓલઆઉટ થઈ ગયા, તે પૂરવાર કરે છે કે તેઓ ઓવર કોન્ફીડન્સમાં હાર્યા અને ભારતીય ટીમ પૂરેપૂરા પ્લાનીંગ અને ટીમવર્ક તથા હાર્ડવર્કના કારણે જીતી ગઈ. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલીંગ કરી, તે પણ કદાચ તેનો ઓવર કોન્ફીડન્સ જ હતો. સેમિ ફાયનલમાં પણ ઈંગ્લેન્ડ બેટીંગ સામે ટોસ હાર્યા પછી ભારતીય ટીમે પહેલા બેટીંગ કરીને ૨૫૦થી વધુ રન કર્યા હતા અને ભારતીય ટીમ એકતરફી રીતે જીતી જશે, તેવું લાગતુ હતું, પરંતુ ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી અને એક તબક્કે ભારતીય ટીમના જંગી જુમલાને ઓળંગી જશે, તેવું લાગતુ હતું, પરંતુ અંતે ભારતીય ટીમ માંડ માંડ જીતી હતી અને ફાઈનલમાં પહોંચી હતી. આ કારણે જ જ્યારે ભારતીય ટીમનો સ્કોર ૨૫૦થી વધુ નોંધાવ્યો હોવા છતાં ભારતીય ટીમના ચાહકોને આશંકા હતી કે ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતશે ?

તે પછી ભારતીય ટીમનું બેટીંગ શરૂ થયું ત્યારે આ ટૂર્નામેન્ટમાં છેલ્લી ચાર-પાંચ મેચોથી નિષ્ફળ જઈ રહેલો ઓપનર અભિષેક શર્મા પણ ચાલ્યો અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયેલા સંજુ સેમસને જંગી સ્કોર ખડકવામાં મુખ્ય ભૂમિકા નિભાવી. તે પછી ઈશાન કિશને પણ ફટકાબાજી કરી. ટીમ ઈન્ડિયાનો કપ્તાન સૂર્યકુમાર યાદવ બેટીંગમાં નિષ્ફળ રહ્યો પણ તેની કેપ્ટનશીપ તથા કોચ ગૌતમ ગંભીરની માર્ગદર્શક ભૂમિકાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. ખેલાડીઓને કોચીંગ, સપોર્ટીંગ અને ફિટનેસ મો ટીમ ઈન્ડિયાની સાથે રહેલી આખી સપોર્ટીંગ ટીમ તથા મેનેજમેન્ટ પણ આ વિજયના યશભાગી ગણાય, તદૃુપરાંત ટીમ ઈન્ડિયાના દેશ અને વિશ્વવ્યાપી ચાહકોના મેન્ટલી સપોર્ટને પણ યાદ કરવો જ પડે.

આજે જયારે ક્રિકેટની રમત આપણાં દેશના નાગરિકોની મનપસંદ રમતો પૈકીની એક રમત ગણાવા લાગી છે, અને રાજાશાહીના સમયમાં જામનગરના રાજવી જામ રણજીતસિંહે સ્વયં ક્રિકેટ રમીને તથા ક્રિકેટની રમતમાં આપણા પ્રદેશને પ્રોત્સાહન મળે, તેવા પ્રયાસો કરીને આ ખેલને લોકપ્રિય બનાવ્યો, તેની બુનિયાદ પર આજે બીસીસીઆઈ વિશ્વની સૌથી ધનાઢય ખેલ સંસ્થા બની ગયું છે, ત્યારે હવે બીસીસીઆઈની ફરજ પણ એ છે કે આપણા દેશની અન્ય મૂળભૂત રમતોને વધુ પ્રોત્સાહિત કરે અને મહિલા ક્રિકેટ ટીમ તથા ડોમેસ્ટીક ક્રિકેટને ઉત્તેજન આપ્યા પછી હવે અન્ય રમત-ગમતમાં પણ યોગદાન આપે, ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના કૌશલ્યવાન ખેલાડીઓને ક્રિકેટ સહિત તમામ રમત-ગમતોમાં આગળ વધવા માટે કોઈ પૂરક સંસ્થા ચલાવે.

ટી-૨૦ વર્લ્ડ કપ પૂરો થયા પછી હવે ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચો શરૂ થશે, અને ફરીથી દેશભરમાં ક્રિકેટ ફિવર ફેલાશે. બીસીસીઆઈ અને ક્રિકેટરો ભલે આ પ્રકારની ટૂર્નામેન્ટોના માધ્યમથી કરોડો-અબજો રૂપિયા કમાતા હોય, પરંતુ સમાજ અને દેશ પ્રત્યેની નૈતિક ફરજો પણ વધુ દિલ ખોલીને બજાવવી જ જોઈએ, અને આ માટે બીસીસીઆઈની કમાણીના અમુક ટકાના રેગ્યુલર ફંડીંગ સાથે કોઈ એવી સ્વતંત્ર સંસ્થા ઊભી કરીને છેક ગ્રામ્ય વિસ્તારો સુધીના તથા તમામ વયજૂથના ખેલાડીઓને જરૂરી તાલીમ, સાધનો અને સુવિધાઓ મળી રહે, તેવો કોઈક કોન્સેપ્ટ વિચારવો જોઈએ, અમદાવાદની મેચ જોવા આવેલા બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને આઈસીસીના વર્તમાન ચેરમેન જય શાહ અને તેમના પિતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ કોન્સેપ્ટ સંદર્ભે પહેલ કરી શકે છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સિંહને કોણ કહેવા જાય કે તેનું મોઢું ગંધાય છે ?...

                                                                                                                                                                                                      

ગઈકાલે દેશમાં વિવિધાસભર કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે અને જામનગર સહિત ગુજરાતમાં પણ કેટલાક સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોએ ધ્યાન ખેંચ્યુ હતું, તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા પડાપડી કરી રહ્યાં હતાં, અને પેટ્રોલ-ડીઝલ પંપો પર લોકોની ભીડ જામી હતી. લોકો વાહનોમાં ફૂલટેન્ક ઈંધણ ભરાવવા ઉપરાંત વધારાનું પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યાં હતાં, અને ઈંધણનો સાવચેતી ખાતર થોડો સંગ્રહ કરવાનું વલણ જોવા મળી રહ્યું હતું. બીજી તરફ રાંધણ ગેસના ભાવમાં પણ રાતોરાત ૬૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા ગરીબ-મધ્યમવર્ગના પરિવારો સુધી યુદ્ધની માઠી અસરો પહોંચી છે.

આવું થવાનું કારણ લંબાઈ રહેલું અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ અને તેની સાથે સંકળાયેલા કેટલાક ઘટનાક્રમોમાં છુપાયેલું છે. અમેરિકા વધુને વધુ આક્રમક બની રહ્યું છે અને ઈઝરાયલ આગમાં ઘી હોમી રહ્યું હોય, તેમ લેબનોન અને હિઝબુલ્લા પર હૂમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. ઈરાનનું હજારો કિલો મીટર દૂર શ્રીલંકા પાસે પહોંચેલુ જહાજ અમેરિકાએ ફૂંકી માર્યા પછી તંગદિલી વધી જ રહી હતી અને ઈરાને હોર્મુઝની ખાડીમાંથી અમેરિકા, યુરોપ, સમર્થક દેશોના તેલવાહક જહાજો પર પ્રતિબંધ ફરમાવ્યા તેથી ભારતમાં પણ ક્રૂડ ઓઈલની તંગી ઊભી થશે તથા પેટ્રોલ-ડીઝલના ભાવો ઘણાં જ વધી જશે, તેવી આશંકાઓ ઉઠ્યા પછી મોંઘવારી ફાટી નીકળશે, તેવી વાતો વહેતી થઈ ગઈ હતી, તો ખાનગી કંપનીઓએ ગેસના ભાવ વધારવાના સંકેતો આપ્યા હતાં.

હવે પછી તરેહ-તરેહની અફવાઓ ઉડી રહી હતી. તેથી લોકોમાં ગભરાટ પણ ફેલાયો હતો. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ અફવાઓ ફેલાવા લાગી હતી, અને લોકો ડ્રમ, પીપ, કેરબા અને બેરલ લઈને નાના-મોટા તમામ સ્થળોએ ડીઝલ ખરીદવા ઉમટી પડતા ડીઝલની કૃત્રિમ તંગી સર્જાઈ હતી. ઘણાં પેટ્રોલપંપો પર "ડીઝલ નથી" ના બોર્ડ લાગ્યા અને વાહનોની કતારો લાગી, ત્યારે દાયકાઓ જૂના લાયસન્સરાજના સમયે ખડા થતા દૃશ્યો ઘણાં વડીલોને યાદ આવી ગયા હતાં.

તે પછી કેટલાક જિલ્લાઓમાં જિલ્લા તંત્રોએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે, જિલ્લાના દરેક પેટ્રોલપંપ પર ઈંધણનો ૫ૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ અફવાઓના કારણે લોકો મોટા પાયે સંગ્રહ કરવા લાગ્યા હોવાથી અછત જેવી કામચલાઉ સ્થિતિ દેખાઈ રહી છે. વાસ્તવમાં ખેતી, વાહનો તથા મશીનો માટે જરૂરી ડીઝલનો પૂરતો જથ્થો હોવાથી લોકોએ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાઈને ખોટી રીતે સંગ્રહ કરવાની જરૂર નથી, કારણ કે તેમ કરવાથી લેભાગુ તત્ત્વો તેનો ગેરફાયદો ઉઠાવતા હોય છે.

ગઈકાલથી જ તંત્રો ઉપરાંત કેટલાક મીડિયા હાઉસ તથા સોશ્યલ મીડિયા દ્વારા પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને લાઈનો લગાવીને બીનજરૂરી ખરીદી કરવાની કે ડીઝલ-પેટ્રોલનો પુરવઠો સંગ્રહીત કરવાની જરૂર નથી, તેવી અપીલ કરવામાં આવી રહી હતી, તો પાછલા બારણે ઘરેલું અને કોમર્શિયલ એમ બન્ને પ્રકારના ગેસના ભાવોમાં વધારો ઝીંકી દેવાયો હતો.

આ યુદ્ધ લાંબુ ચાલે, અને પુરવઠો ખૂટી જાય, તેવા સંજોગોને પહોંચી વળવાના ઉપાયો થઈ રહ્યાં હતાં, તેવામાં હોર્મુઝની ખાડીમાંથી તેલ જહાજોને ઉડાવી દેવાની જે દેશોને ઈરાને ચીમકી આપી હતી, તે યાદીમાં ભારતનું નામ નહીં હોવાથી ભારતને રાહત થઈ હતી, તો બીજી તરફ અમેરિકાએ એક મહિના માટે રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવાની ભારતીય કંપનીઓને છૂટ આપી દેતા ભારતની ચિંતા મોટા ભાગે ટળી ગઈ છે અને યુદ્ધ વધુ ચાલે, તો પણ ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો જથ્થો જળવાઈ રહેશે, તેવા દાવાઓ પણ થઈ રહ્યાં છે. જો કે, કામચલાઉ ભાવ વધારા માટે લોકોએ પણ તૈયાર રહેવું પડશે, તેવું લાગે છે.

બીજી તરફ આ આંતરરાષ્ટ્રીય સંકટ અને ટ્રમ્પની તૂમાખીની આડઅસરોના કારણે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ ઉથલપાથલ મચી ગઈ છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની છૂટ કે પ્રતિબંધ આપનાર ટ્રમ્પ કોણ...? વડાપ્રધાન મોદી આ મુદ્દે કેમ ચૂપ છે...? વિગેરે...

રાહુલ ગાંધીએ મોદી સરકારની વિદેશનીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, "આ એક વ્યક્તિના ભ્રષ્ટાચાર અને શોષણનું પરિણામ છે...!"

રાહુલ ગાંધીએ "કોમ્પ્રોમાઈઝડ પી.એમ." જેવા શબ્દ પ્રયોગો સાથે કહ્યું હતું કે, "અમેરિકા આપણે ક્યાંથી તેલ (ક્રૂડ) ખરીદવું તે કેવી રીતે નક્કી કરી શકે...? રશિયા કે ઈરાન પૈકી ભારત કોની પાસેથી ક્રૂડ (તેલ) ખરીદશે, કે નહીં ખરીદે, તેનો ફેંસલો અમેરિકા કરશે, પણ આપણા વડાપ્રધાન ફેંસલો નહીં કરે"...

આ પહેલા કોંગ્રેસ પક્ષે આ મુદ્દે ટીકા કરી હતી કે, આ "અમેરિકી બ્લેક મેઈલીંગ" ક્યાં સુધી ચાલશે ? રશિયાએ પણ મિત્રતા હોવા છતાં ભારતને હવે ડિસ્કાઉન્ટ નહીં, પણ પ્રિમિયર ભાવે ક્રૂડ આપવાની વાત કરી છે.

આ તરફ ટ્રમ્પની તૂમાખી એટલી વધી ગઈ છે કે, તેઓ દુનિયાના કોઈપણ નીતિ-નિયમો કે કાયદા-કાનૂનને માનવા તૈયાર નથી. કોઈ ટચૂકડા દેશના રાષ્ટ્રપતિને તેમની પત્ની સાથે તેમના જ દેશમાંથી ઉઠાવી લાવીને જેલમાં પૂરી દેવા અને ઈરાનના સુપ્રિમ લીડરને મારી નાંખ્યા પછી તેના ઉત્તરાધિકારી તરીકે તેના પુત્રની તાજપોશીને નકારવા જેવા ટ્રમ્પના કદમ અન્ય દેશોના સાર્વભૌમત્વ અને અસ્મિતાને ખંડિત કરનારા છે, અને વિશ્વ સમુદાય તેની સાથે સમંત નહીં હોય, તો પણ પોતાની શક્તિઓનો દૂરઉપયોગ કરી રહેલા આ લોકતાંત્રિક તાનાશાહને કોણ અટકાવી શકે...? સિંહ (ટ્રમ્પ) ને કોણ કહેવા જાય કે, 'તેનું મોઢું ગંધાય છે...?'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જો જીતા વોહી સિકંદર... હાલારની આ અનિચ્છિનિય ઘટનાઓમાંથી બોધપાઠ લઈએ...

                                                                                                                                                                                                      

ગઈકાલે ટી-૨૦ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે દિલધડક મુકાબલો જામ્યો હતો અને ભારતે ૨૫૩ રનનો જંગી સ્કોર ખડો કરી દીધા પછી એવું લાગતું હતું કે ભારત સરળતાથી જીતી જશે, પરંતુ ઈંગ્લેન્ડના બેટધરોએ એવી આક્રમક રમત રમી કે છેલ્લે ભલભલાના હૃદયની ધડકનો તેજ થઈ જાય, તેવો રોમાંચ જામ્યો હતો.

જો કે, છેલ્લે ભારતીય બોલરોએ વાપસી કરીને ઈંગ્લેન્ડની ટીમને ૨૪૭ રને ઓલ આઉટ કરીને મેચ જીતી લીધી હતી. તેથી એવું કહી શકાય કે જો જીતા વોહી સિકંદર...

હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે ત્યારે ભારતને હરાવનાર દ.આફ્રિકાની ટીમને જે ટીમે પરાજય આપ્યો હતો, તે ન્યુઝીલેન્ડની મજબૂત ટીમ સામે ભારતનો મુકાબલો થવાનો છે. જો કે, ભારતની ટીમ પણ અત્યારે સમોવડી ગણાય છે, બસ, દશેરાના દિવસે ઘોડા દોડવા જોઈએ...

આ સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના ગુજરાતના ખેલાડીઓ બુમરાહ, હાર્દિક અને અક્ષરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી જે ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે.

હાલારમાં વન-ડે ક્રિકેટના મેચની જેટલી ચર્ચા થઈ રહી છે, એટલી જ ચર્ચા યાત્રાધામ દ્વારકામાં ઉજવાયેલા ફૂલડોલ ઉત્સવ અને તેને સંલગ્ન ઘટનાક્રમોની થઈ રહી છે. યાત્રાધામ દ્વારકામાં "પોલીસ" લખેલી થાર કારને અસલી પોલીસે આંતરીને ડુપ્લીકેટ પોલીસને પકડી લીધા અને તેઓએ કોઈ રોકટોક વગર હરી ફરી શકે તેવા હેતુથી "પોલીસ" લખીને કારમાં પ્રવાસ કર્યો હોવાની કેફિયત આપી હોવાની વાતો વહેતી થયા પછી લોકોમાં કુતૂહુલ સાથે સસ્પેન્સ જાગ્યું હતું અને ફરી એક વખત "ડુપ્લીકેટ" અને "નકલી"ની ચર્ચા શરૂ થઈ ગઈ હતી, તથા સોશ્યલ મીડિયામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તથા ગુજરાતમાં ગુન્હાખોરીની વધી રહેલી હિંમત અંગે વિવિધ કોમેન્ટો પણ થવા લાગી હતી.

આ ઘટનાની સાથે સાથે યાત્રાધામ દ્વારકા જેવા પવિત્ર સ્થળે શેરડીના રસમાં કાંઈક પીવડાવીને પહેલી માર્ચે કોઈ અજાણ્યા યુવાનોએ જામજોધપુરના તરસાઈથી પગપાળા દ્વારકા પહોંચેલા બે વડીલોને શેરડીના રસમાં કાંઈક પીવડાવીને બેભાન કરી દીધા અને તેની પાસે રહેલી હજારો રૂપિયાની રોકડ રકમ તથા સોનાના કિંમતી આભૂષણોની લૂંટ ચલાવી હોવાની ઘટનાએ તો માત્ર હાલાર નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં સનસનાટી ફેલાવી દીધી હતી., આ ઘટનાએ એવી શીખ પણ આપી હતી કે કોઈ અજાણ્યા લોકો જ્યારે કાંઈ ખાવા-પીવા કે તેની સાથે ક્યાંય જવાની ઓફર કરે ત્યારે સતર્ક થઈ જવું અને તેનાથી પીછો છોડાવી લેવો જ હિતાવહ રહે છે.

સિક્કાની બીજી બાજુની જેમ પોલીસતંત્ર દ્વારા કેટલાક લોકોને માનવતાભરી મદદ કરવામાં આવી, પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા પણ સેવા કેમ્પોના માધ્યમથી  યાત્રિકો-પદયાત્રીઓની મદદ કરવામાં આવી, તથા એકંદરે સુરક્ષિત અને સલામતીભરી દર્શન તથા અન્ય વ્યવસ્થાઓ ફૂલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રાધામોમાં જાળવી શકાઈ, તેની પણ નોંધ લેવી જ જોઈએ.

બીજી દૃષ્ટિએ એવું પણ કહી શકાય કે ભલાભોળા વયોવૃદ્ધ પદયાત્રીઓને ભોળવીને અને તેને કોઈ ઘેન ચડે તેવું પીણું પીવડાવીને તેને લૂંટી લેનાર દુષ્ટો જેટલા જ દોષિત એ લોકો પણ છે, જેઓ પદયાત્રીઓ સહિત દૂર-સુદુરથી દ્વારકા દર્શનાર્થે આવેલા યાત્રિકો-ભાવિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને નફાખોરી દ્વારા તેઓને લૂંટતા હોય, પવિત્ર યાત્રાસ્થળોમાં આવતા પરિવારો, પદયાત્રીઓ, દર્શનાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બેફામ નફાખોરી કરવી એ પણ ઉઘાડી લૂંટ જ ગણાય, અને તેના પર નિયંત્રણ રાખી નહીં શકતા તંત્રો અને શાસકો પણ તેના માટે જવાબદાર જ ગણાય ને ?

આ વખતે ધૂળેટીના પર્વે ગુજરાતમાં ડૂબી જવાથી ૨૫થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલોએ ગમગીની ફેલાવી જ હતી, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પણ એક ગમખ્વાર સમાચાર આવ્યા, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ-કલ્યાણપુરના કબીરનગરમાં ધૂળેટીમાં રંગે રમ્યા પછી તળાવમાં નહાવા ગયેલા કિશોરના ગમખ્વાર મૃત્યુના સમાચારે બધાને હચમચાવી દીધા હતા. આ ઘટના આપણા બધા માટે બોધપાઠરૂપ છે અને ખાસ કરીને વાર-તહેવારે કે કોઈપણ પ્રસંગે નદી-તળાવ-ચેકડેમ કે જળાશયોમાં બાળકો-કિશોરો કે યુવાનો જ નહીં, કોઈપણ વયજૂથના લોકો નહાવા જાય કે વહેણ પસાર કરવા જાય, ત્યારે ખૂબ જ સતર્ક રહે અને બિનજરૂરી સાહસ ન કરે, તે અત્યંત જરૂરી છે, અને આ માટે સમાજ, સરકાર અને પંચાયતી સંસ્થાઓએ વિસ્તૃત જનજાગૃતિ ફેલાવવી જોઈએ, થા આવી ઘટનાઓ બનતી જ અટકે તેવા સ્થાનિક તથા સર્વવ્યાપી પ્રબંધો પણ કરવા જોઈએ.

ટૂંકમાં યાત્રાધામોમાં દર્શન, પર્યટન અને પ્રકૃતિનો આનંદ મનભરીને માણીએ, પરંતુ તેમ કરવા જતા આપણાં કે આપણાં સ્વજનો કે કોઈપણ લોકોના જીવનું જોખમ ઊભું થાય, કોઈ છેતરી કે ભરમાવી જાય કે લૂંટી જાય, તેની સામે અત્યંત સાવધ રહેવું પડે, અને આવી ઘટનાઓ અટકાવવા સર્વવ્યાપી, સચોટ પ્રયાસો સતત ચાલતા જ રહેવા જોઈએ.

દ્વારકા મંડળના જ એક ગામે એક આવકારદાયક નિર્ણય લીધો અને ધાર્મિક કે પ્રાસંગિક ક્રિયાઓ દરમ્યાન પશુબલિ ચડાવવાની અયોગ્ય અને ક્રૂર પ્રથાને તિલાંજલી આપી, તે પછી આ જ પ્રકારના સંકલ્પો ગામેગામથી લેવાશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે, ત્યારે એક નવી આશાનો સંચાર પણ થયો છે...વેલડન..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હોળી-ધૂળેટીની ઉમંગભેર ઉજવણી વચ્ચે ગમખ્વાર ઘટનાઓ તંત્રો-સમાજ-સરકાર જાગે... સબકો સન્મતિ દે ભગવાન...

                                                                                                                                                                                                      

હાલારમાં ગઈકાલે ધૂળેટીનું પર્વ ખૂબ આનંદપૂર્વક અને પરંપરાગત રીતે ઉજવાઈ ગયું. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો, અને ડાકોર-દ્વારકા સહિતના ભગવાન શ્રીકૃષ્ણના યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી, તો ગામેગામ હોળી-ધૂળેટીનો તહેવાર ઘણાં જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આનંદપૂર્વક ઉજવાયો, જો કે, ગુજરાતમાં કેટલીક ગમખ્વાર ઘટનાઓ બની, જે એક પ્રકારનું સોશ્યલ એલર્ટ પણ આપે છે.

જામનગર શહેર, યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા સહિતના હાલારના બંને જિલ્લાઓમાંથી હોળી-ધૂળેટીપર્વની ઉજવણીની સાથે સાથે કેટલાક માનવીય, સામાજિક અને પ્રેરણાત્મક સેવાકાર્યોના પણ અહેવાલો આવ્યા અને ફૂલડોલ ઉત્સવ જેવા પ્રસંગે લાખો યાત્રિકો ઉમટયા હોવા છતાં એકંદરે વ્યવસ્થાઓ અને સુરક્ષા-સલામતી જળવાઈ રહી હતી, તે માટે તંત્રો અને સંસ્થાઓની સાથે સાથે સ્થાનિકો અને જનતા તથા ખાસ કરીને ભાવભક્તિથી દૂર-દૂરથી પગપાળા તથા અન્ય રીતે આવેલા લાખો યાત્રિકો-દર્શનાર્થીઓની સ્વયં-શિસ્ત તથા સૌજન્યતાને પણ બીરદાવવી જ પડે.

બીજી તરફ કેટલાક લેભાગુ પરિબળોએ જુદી જુદી સેવાઓ, વ્યવસ્થાઓ, પરિવહન, નિવાસ-ભોજન અને અલ્પાહારથી માંડીને ઓનલાઈન સેેવાઓ તથા કેટલાક સ્થળે તો પૂજા સામગ્રી, પ્રસાદ સામગ્રી તથા ભગવાન શ્રીકૃષ્ણને લગતી ચીજવસ્તુઓના વેંચાણમાં પણ નફાખોરી થઈ હોવાની ફરિયાદો કેટલાક યાત્રાસ્થળોમાંથી ઉઠતી હતી, તો કેટલાક સેવાભાવી લોકો તથા સંસ્થાઓ કેટલીક સેવાઓ તથા સામગ્રી રાહતદરે કે નિઃશુલ્ક પૂરી પાડતા તથા અટવાયેલા યાત્રિકોને મદદરૂપ થઈ રહેલા પણ જોવા મળ્યા હતા. એકંદરે સમગ્ર ઉજવણીઓ ઉમંગભેર અને શાંતિપૂર્વક સંપન્ન થયા હતા. જો કે, આ અનુભવો પરથી બોધપાઠ લઈને તંત્રો-સંસ્થાઓ, વ્યવસ્થાપકો-સમાજ અને સરકાર દ્વારા પણ આગામી તહેવારોમાં જરૂરી સુધારા-વધારા તથા વિશેષ કાળજી રાખવામાં આવશે, તેવી આશા રાખીએ.

સિક્કાની બીજી બાજુની જેમ ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળે ગમખ્વાર ઘટનાઓ પણ બની હતી. જેથી ચંદ્રમાની રોશનીમાં કલંક (કાલિમા) જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં ડૂબી જવાથી ૨૫થી વધુ લોકોના જીવ ગયા હોવાના અહેવાલો ઘણાં જ ગમખ્વાર છે અને ધૂળેટીની ઉજવણીનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો, તેના કારણે રાજ્યમાં થઈ રહેલી ધૂળેટીના રંગમાં ભંગ પડયો.

ગઈકાલે અમરેલીમાં નદીમાં તણાઈ જવાથી એક, સુરતની કીમ નદીમાં નહાતી વખતે ડૂબી જવાથી ત્રણ, કડી(થોળ) પક્ષી અભ્યારણ્ય નજીક તળાવમાં ડૂબી જવાથી એક, મહેસાણાના મોટી દાઉ નજીક જળાશયમાં ડૂબી જવાથી બે, કોઠંબા ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ, અમદાવાદ શહેરના જુદા જુદા જળાશયોમાં ડૂબી જવાથી ચાર, બારડોલીમાં નદીમાં નહાવા જતા ડૂબી જવાથી ચાર અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા સ્થળે ચેકડેમ અને તળાવમાં ડૂબી જવાથી ત્રણ વ્યક્તિઓનો જીવ ગયો. આ ગમખ્વાર ઘટનાઓ પછી હોળી-ધૂળેટી પર્વે રંગે રમીને નહાવા જતા કે પછી નદી-તળાવોમાં જુદી જુદી રમતો રમવા કે પછી બેધ્યાનપણે નહાવા પડવા કે જળમાર્ગો પાર કરવા સામે હવે આપણે બધાએ સ્વયં પણ જાગૃતિ રાખવાની ખાસ જરૂર હોય તેમ નથી લાગતું ?

દ્વારકાની ગોમતી નદીમાં પણ સંગમ સ્થળે કે ઉંડાણમાં નહાવા કે સમુદ્રસ્નાન કરવા જતા ઘણું જ સાવચેત રહેવું પડે તેમ છે, કારણ કે આ સ્થળે ગોમતી નદી સીધી દરિયામાં મળતી હોવાથી દરિયાની ભરતી-ઓટની સીધી અસર નદીમાં થતી હોવાથી તથા ગોમતી નદીની રેતી ક્યારેક વધુ તણાઈ જતાં નદી ક્યાં ઊંડી હશે અને ક્યાં છીછરી હશે તેની ખબર નહીં પડતી હોવાથી ગોમતી સ્નાન કરતી વખતે પણ ઘણું જ ધ્યાન આપવું પડે તેમ છે.

ધૂળેટીનો ઉત્સવ, ગણેશોત્સવ તથા અન્ય ઉત્સવો સમયે નદી, તળાવ, જળાશયોમાં સ્નાન કરવાની પરંપરાઓ હોવાની જાણ બધાને હોવાથી સરકાર, સમાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા તેના તંત્રોએ પણ આ બાબતે સુરક્ષા તથા ચેતવણીની સુદૃઢ વ્યવસ્થાઓ સાથે જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, કારણ કે, આ પ્રકારની ઘટનાઓમાં જેમણે સ્વજનોને ગુમાવ્યા હોય, તેઓની આખી જિંદગી પણ ગમખ્વાર યાદોમાં જ વિતતી હોય છે. સબકો સન્મતિ દે ભગવાન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ન્યાય અને યુદ્ધના ક્ષેત્રે એ.આઈ.નો ઉપયોગ... કેટલો ઉપયોગી, કેટલો જોખમી...? 'સુપ્રિમ' વોર્નિંગની ચોમેર ચર્ચા...

                                                                                                                                                                                                      

ગઈકાલે હૂતાશણી પર્વે હોલિકાદહનના કાર્યક્રમ ઠેર ઠેર યોજાયા અને આવતીકાલે ધૂળેટીનો રંગોત્સવ ઉજવાશે. હોલિકા દહનની સાથે હોળીના અગ્નિમાં નફરત, દુશ્મનાવટ, વ્યસનો, ક્રોધ, જીદ, દુર્ગુણો અને દુર્ભાવનાઓ હોમી દેવાની કામના કરવામાં આવતી હોય છે અને સૌના જીવનમાં સદાચાર, સંસ્કારો, શાંતિ-સમૃદ્ધિ અને સદ્ભાવના સાથે સદ્ગુણોના સ્વરૂ:પમાં રંગો ભળી જતા જિંદગી નિજાનંદ તથા "સર્વજન સુખાય, સર્વજન હિતાય"ની ભાવનાઓથી રંગાઈ જાય, તેવી શુભકામનાઓ આજે આપણાં સૌના મનમાં ઉદ્ભવવી જ જોઈએ.

અત્યારે વિશ્વમાં ચાલી રહેલી યુદ્ધની જ્વાળા પણ ઝડપથી સમી જાય અને અમેરિકા, ઈરાન, ઈઝરાયલ તથા રશિયા અને યુક્રેનના યુદ્ધો ખતમ થઈ જાય, તેવી આશા તો વિશ્વભરમાં રખાઈ રહી હશે, પરંતુ આજે સવાર સુધીના ઘટનાક્રમો જોતાં હાલ તુરંત આ યુદ્ધ તત્કાળ થંભે તેવું લાગી રહ્યું નથી, પરંતુ તેનાથી વિપરીત વિશ્વના ઘણાં દેશો આ યુદ્ધમાં ઈરાન અને ઈઝરાયલ-અમેરિકાની તરફેણ અને વિરોધ કરી રહ્યા છે, તે જોતા આ યુદ્ધ ક્યાંક વિશ્વયુદ્ધમાં તો પલટી નહીં જાય ને ? તેવી આશંકાઓ પણ વધુને વધુ મજબૂત બની રહી છે. આ યુદ્ધમાં ઈસ્લામિક દેશો પણ બે ભાગમાં વહેચાઈ ગયા છે અને તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂ:પે વિશ્વમાં જુદા જુદા સ્વરૂ:પમાં સક્રિય ખતરનાક આતંકવાદી સંગઠનો પણ જોડાઈ રહ્યા હોવાથી આ યુદ્ધ વધુ વિનાશક અને વ્યાપ બનશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ યુદ્ધમાં અદ્યતન ટેકનોલોજી, નવી રણનીતિઓ તથા દુશ્મનને હંફાવવાની તદ્ન નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવાઈ રહી હોવાથી ઈરાન-અમેરિકા-ઈઝરાયલનું આ યુદ્ધ તકનીકી પરીક્ષણો અને પ્રયોગોનો અવસર પણ બની રહ્યું હોય તેમ જણાય છે.

ઈરાને અમેરિકાના મિત્ર દેશોમાં આવેલા અમેરિકન સ્થળો પર વિનાશક હૂમલાઓ કર્યા પછી હવે અમેરિકા જરૂ:ર પડયે સેનાને મેદાનમાં ઉતારવાની વાતો પણ કરવા લાગ્યું છે, જેથી આ યુદ્ધ અત્યાર સુધી હવાઈ હૂમલાઓ સુધી મર્યાદિત હતું, તે હવે જમીની યુદ્ધ તથા દરિયાઈ ક્ષેત્રે સામસામે આવીને પ્રત્યક્ષ લડાઈમાં પરિવર્તિત થઈ રહેલું જોવા મળે છે, અને હવે તેમાં એ.આઈ. અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

તાજેતરના અહેવાલો મુજબ ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને કરાયેલા હૂમલાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)નો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના સમાચારો પછી એક નવી જ પ્રકારની ચર્ચા થઈ રહી છે. દુશ્મનોને  હંફાવવા ભૂતકાળમાં રાસાયણિક હથિયારો, જૈવિક હથિયારો અને પાણીમાં ઝેર ભેળવીને કે હવાને ઝેરીલી બનાવીને ગુંગળાવનારો ગેસ ફેલાવીને તથા આગ લગાડીને કે પછી દુશ્મન દેશોમાં જતી નદીઓમાં અચાનક જ પાણી છોડીને શત્રુની સેનાને મહાત કરવાના પ્રયાસો થતા રહ્યા છે, અને તેમાં હમણાંથી સોશ્યલ મીડિયા વોર તથા ઈન્ટરનેટના માધ્યમથી લોકોમાં ગભરાટ, પરસ્પર નફરત કે વેરઝેર ફેલાવવાના ખતરનાક, અનિચ્છનિય તથા અનૈતિક નુસ્ખાઓ ઉમેરાયા છે. હવે તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રયોગ થતાં આ વિષયને આજની તારીખે ગ્લોબલ ટોકીંગ, ડિબેટીંગ અને ડિસ્કશનનો મુદ્દો બન્યા છે.

તાજેતરના અમેરિકન હૂમલાઓમાં અમેરિકાની સેનાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટુલ્સનો ભરપૂર ઉપયોગ કરવાના અહેવાલો છે, તેમાં પણ યુદ્ધના વિવિધ ઓપરેશનોનું પ્લાનિંગ, રણનીતિ અને સ્પોટ ડિસીશન તથા લોકેશન કેપ્ચરીંગ, ડેટા કલેકશન અને એનાલિસિસના સંયોજન સાથે યુદ્ધના ઓપરેશનમાં એ.આઈ.નો ભરપૂર ઉપયોગ કર્યો હોવાના અહેવાલો પછી એવો સવાલ ઉઠી રહ્યો છે કે આ પ્રયોગને કેટલો વિશ્વસનિય ગણાય ? જો આ પ્રયોગ ખરાઈ કર્યા વિના જ થતો રહે તો તે ક્યાંક, પોતાના પગ પર જ કૂહાડો મારવા જેવું તો નહીં હોય ને ? આ પ્રકારની નવીનતમ રણનીતિ જો ઓનલાઈન જ લિક થઈ જાય તો ? વગેરે સવાલોની ઝડી પણ વરસી રહી છે, અને આ પ્રયોગ ભવિષ્યમાં વિશ્વશાંતિ, વૈશ્વિક સુરક્ષા અને પ્લેનેટ (પૃથ્વી)ની સલામતી માટે જ ખતરો તો નહીં બની જાય ને ? તેવી શંકાઓના જવાબ કદાચ કોઈ પાસે નથી.

અત્યારે ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ડ્રોન દ્વારા ખેંચેલી તસ્વીરો કે રેકોર્ડ કરાયેલી વીડિયો, ઈન્ટરસેટર કરેલી ઓડિયો ક્લિપ, સેટેલાઈટના માધ્યમથી મેળવેલી તસ્વીરો, જમીન હીલચાલની માહિતી, સિગ્નલ ઈન્ટેલિજન્સ, સિક્રેટ ઈન્ટેલિજન્સ, ગૂપ્તચર રિપોર્ટસ, ન્યુઝ એન્ડ મીડિયા એનાલિસીસ તથા ભૌગોલિક-હિસ્ટોરિકલ તથા પ્રાકૃતિક સ્થિતિઓના ડેટા એકત્રિત કરીને તેનું ગહન વિશ્લેષણ કરીને (દેશી ભાષામાં વલોવીને) તેમાંથી ગણતરીની ક્ષણોમાં જ પેટર્ન પકડીને  પ્લાનિંગ સૂચવવાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શક્તિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય માનવી માટે આટલો બધો ડેટા એકત્રિત કરી, તેને સમજીને તેમાંથી કોઈ પ્લાનિંગ ખૂબજ ઝડપથી કરવું અત્યંત કપરૃં ગણાય, જે એ.આઈ. થોડી ક્ષણોમાં જ કરી આપતું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. એ.આઈ. દ્વારા આ બધા વિશ્લેષણ પછી ગણતરીના સમયમાં હવે પછીના સંભવિત પ્રતિકાર તથા સમય-સંજોગો-સ્થિતિને ધ્યાને રાખીને આપણા હવે પછીના ટાર્ગેટ્સ પણ નક્કી કરી આપે છે, તેથી જ અમેરિકાએ ઈરાનના સુપ્રિમ લીડરને સટીક રીતે ટાર્ગેટ બનાવીને ખતમ કર્યા હોવાની જોરદાર ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ એ.આઈ.નો ઉપયોગ કરીને યુદ્ધમાં ઉઠાવેલા બધા જ કદમ સફળ થઈ રહ્યા છે ખરા ? તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે, અને એ.આઈ.ના દર્શાવેલા તમામ વિકલ્પો કેટલા સફળ થયા અને કેટલા નિષ્ફળ રહ્યા, તેનો હિસાબ-કિતાબ તો ભવિષ્યમાં થશે, પરંતુ આ પ્રયોગ કયાંક સેલ્ફ ગોલ કરવા જેવો તો નહીં નિવડે ને ? તેવી આશંકાઓ પણ ઉઠી રહી છે. એન્થ્રોપિકના ક્લાઉડ મોડેલનો ઉપયોગ શસ્ત્રો ચલાવવામાં નહીં પરંતુ યુદ્ધની રણનીતિ માટે પણ અલ્ગોરિધમની ભૂમિકા પ્રભાવી બની રહી હોય તેમ જણાય છે. જો કે, હજુ વ્યાપાર ક્ષેત્રે અંતિમ નિર્ણયો એ.આઈ. નહીં, પરંતુ માનવી જ લેતો હોવાથી થોડા સેઈફ ગાર્ડ છે, પરંતુ સ્પોટ ડિસિસનના સમયે એ.આઈ.નો કેટલો ભરોસો કરવો, તે હજુ વિશ્વસનીય ઢબે નકકી થઈ શકતું નથી, તેમ છતાં અમેરિકન અને ઈઝરાયલે આ પ્રયોગ કેટલો કર્યો અને કેટલો સફળ રહ્યો, તેની ખબર યુદ્ધ વિરામ પછી વિસ્તૃત રીતે પડશે અને તે પછી નક્કી થશે કે એ.આઈ.નો પ્રયોગ કેટલો વિશ્વસનીય અને સચોટ છે.

આ ઈન્ટેલિજન્સનો આર્ટિફિશિયલ અવતાર કેટલો વિશ્વસનીય છે, અને અંતિમ નિર્ણય લેવાનું માનવીએ હાથમાં રાખવા જેવું છે, તેવો કોન્સેપ્ટ એટલા માટે પસંદ કરાઈ રહ્યો છે કે કેટલાક સિમ્યુલેશનમાં એ.આઈ. એ યુદ્ધમાં પરંપરાગત શસ્ત્રોના બદલે પરમાણુ હથિયારોના ઉપયોગની ભલામણ કરી દીધી હતી. જો માનવી અંતિમ નિર્ણય લેતો ન હોય તો પરમાણુ યુદ્ધના જ મંડાણ થઈ જાય ને ?

પરમાણુ શસ્ત્રોના ઉપયોગથી કેટલો સંહાર થાય, કેટલો વિનાશ થાય અને આપણી પૃથ્વી ખતરામાં પડી જાય, તેવી સંવેદનાસભર વિચારણા માનવી જ કરી શકે, એ.આઈ.નું મશીન તો માત્ર શસ્ત્રોની ઘાતકતા અને સંહારક શક્તિની જ ગણતરી કરી શકે, તેથી એ.આઈ. નો ઉપયોગ ઘણો જ સમજપૂર્વક કરવો પડે તેમ છે.

આ કારણે જ કદાચ આપણાં દેશની સર્વોચ્ચ અદાલતે વકીલો તથા ન્યાયધીશોને એ.આઈ.ના ઉપયોગ સામે ચેતવ્યા છે, સુપ્રિમકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ જજ પોતાના ચૂકાદામાં એ.આઈ. દ્વારા જનરેટ કરાયેલા ખોટા કેસ અથવા કાયદાનો સંદર્ભ ટાંકે છે, તો તેને માત્ર કાનૂની ભૂલ નહીં, પરંતુ જે-તે જજની ગેરરીતિ જ ગણવામાં આવશે. એવું કહેવાય છે કે આ પ્રકારના કડક નિર્દેશો સુપ્રિમકોર્ટે એટલા માટે આપ્યા કે એક ટ્રાયલ કોર્ટે એ.આઈ. જનરેટેડ કેટલાક એવા ચૂકાદાઓ ટાંક્યાં હતા, જે અસ્તીત્વમાં જ નહોતા...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

યુદ્ધોની વૈશ્વિક માઠી અસરો વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ? કૌન સચ્ચા...કૌન જુઠા ? વિશ્વ ત્રણ ભાગમાં વહેચાયુ...

                                                                                                                                                                                                      

દુનિયામાં યુદ્ધનો માહોલ છવાયો છે અને ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસરો ભારત સહિત આખી દુનિયામાં થવાની છે. ભારતના એક તેલવાહક જહાજ પર પણ હૂમલો થયો છે. ઈરાનમાં ભારતે જેમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે, તે ચાબહીરમાં પણ નુકસાન થયુ છે. આ ઉપરાંત યુદ્ધના કારણે ઈરાને જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય ઠેકાણાં છે, ત્યાં ત્યાં ઈરાને હૂમલા કર્યા છે, તેની અસરો ટી-૨૦ના વર્લ્ડકપની મેચ પર પણ પડી છે.

આ યુદ્ધના કારણે મિડલ ઈરાનના દેશમાં ભારે તંગદિલી છે, અને દુબઈ, અબુધાબી સહિતના દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર ઈરાનના હૂમલાઓના કારણે ટી-૨૦ના વર્લ્ડકપમાં રમી રહેલી ઝિમ્બાબ્વેની ટીમ અટવાઈ પડી હતી. દ.આફ્રિકા સાથેની મેચ રમવા રોકાયેલા ખેલાડીઓ અચાનક કેટલાક એરપોર્ટ બંધ કરી દેવાતા અટવાઈ ગયા હતા. બીજી તરફ બાંગલાદેશનો એક દિગ્ગજ ક્રિકેટર મક્કામાં ફસાઈ ગયો હોવાના અહેવાલો છે. બીજી તરફ અબુધાબીમાં પણ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની એક મેચમાં પણ ખલેલ પડી અને વન-ડે મેચ પડતી મૂકાઈ.

આ યુદ્ધનો તત્કાળ અંત નહીં આવે તો સપ્લાય ચેઈનને માઠી અસર પહોંચતા વૈશ્વિક પરિવહન ખોરવાઈ જતા દુનિયાભરમાં આવશ્યક ચીજવસ્તુઓ તથા રો-મટિરિયલ્સની તંગી ઊભી થશે, તથા ખાસ કરીને ક્રૂડ, ખનિજ, ગેસ અને જીવનજરૂરી માલ-સામાનની સપ્લાય ચેઈન ખોરવાઈ જતા મોંઘવારી ફાટી નીકળશે તથા પ્રોડકશન, ખરીદ-વેચાણ તથા પરિવહનને ઘણી જ મોટી વિપરીત અસર ઊભી થઈ શકે છે.

અમેરિકા અને ઈઝરાયલના સુપ્રિમ લીડર ખેમનાઈને ખતમ કર્યા, તેનો વિશ્વભરમાં વિરોધ ઉઠયો છે, તથા પડોશી દેશ પાકિસ્તાન અને પીઓકેમાં અમેરિકા વિરોધી પ્રદર્શનો કરી રહેલા પોતાના જ દેશના નાગરિકો પર પાક.સરકારે ગોળીબાર કરાવતા કેટલાક પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા, તેથી એક અલગ જ પ્રકારનો આક્રોશ ઊભો થયો છે.

ઈરાનમાં પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. ખેમનાઈના રૂઢીચૂસ્ત શાસનથી મૂક્તિ માંગતી યુવાજનતા (જેનઝેડ) ખુશ છે અને ઘણાં સ્થળે ખેમનાઈના ખાતમા પછી ખુશી પણ મનાવાઈ રહી હતી, તો બીજી તરફ આ ખુશી મનાવી રહેલા લોકો પર આડેધડ ગોળીબાર કરતા બાઈકસવારો પણ જોવા મળ્યા હતા. ઈરાનમાં સુપ્રિમ લીડર અને ઘણાં બધા સૈન્ય અફસરો તથા સરકારના મંત્રી તથા અન્ય રાજનૈતિક હોદ્દેદારો, અડવાઈઝર્સ વગેરે ઈઝરાયલ-અમેરિકાના હૂમલામાં માર્યા ગયા પછી પણ ઈરાને કેટલાક ઈસ્લામિક સ્ટેટ (મુસ્લિમ શાસન હોય તેવા રાજ્યોમાં) આવેલા અમેરિકી ઠેકાણાઓ પર હૂમલા કર્યા હોવાથી તે દેશ પણ ઈરાનથી નારાજ જણાય છે.

ગઈકાલે ટ્રમ્પે ઈરાનની નવી નેતાગીરી વાતચીત માટે તૈયાર હોવાની વાત કરી અને સાથે સાથે મોડું થઈ ગયું હોવાની ટકોર પણ કરી, તેથી ગઈકાલે રાત્રિ સુધી એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહ્યા, તો બીજી તરફ ભીષણ હૂમલાઓ પણ થતા રહ્યા.

આખું વિશ્વ ઇચ્છે છે કે માત્ર ઈરાન-અમેરિકા-ઇઝરાયલનું હાલનું યુદ્ધ જ નહીં, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ ખતમ થઈ જાય, કારણ કે આ યુદ્ધો આખી દુનિયાની માત્ર ઈકોનોમિ કે બિઝનેસ જ નહીં,  પરંતુ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પરિવહન તથા જનજીવનને પણ છિન્ન-ભિન્ન કરી રહ્યા છે.

અત્યારે જ ક્રૂડના બેરલના ભાવો વધ્યા છે, જે યુદ્ધ લંબાય તો વધુ ભડકે બળે, જેથી તમામ વસ્તુઓ મોંઘી થશે.

વૈશ્વિક રાજનીતિ, યુદ્ધો તથા મીડલ ઈસ્ટના કૂટનૈતિક જાણકારો પણ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. એક વર્ગ એવો છે કે જે ઈરાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, અને ટ્રમ્પની દાદાગીરી તથા ઈઝરાયલની આક્રમકતાની ટીકા કરે છે. બીજો વર્ગ એવો છે કે જે રૂઢીચૂસ્ત પ્રવર્તમાન ઈરાન સરકાર દ્વારા હિઝબુલ્લાહ, હમાસ અને હુતી જેવા કહેવાતા આતંકી સંગઠનોને પ્રોત્સાહન અપાતુ રહ્યું હોવાથી ઈરાન-આતંકવાદ પ્રેરક દેશ બની રહ્યો હોવાના અમેરિકા અને ઈઝરાયલના તર્કની તરફેણ કરે છે તથા ઈરાનના પરમાણુ શક્તિ બનવાના મનસુબાઓનો સખ્ત વિરોધ કરે છે.

ઈરાને બહેરીન, કતાર, કૂવૈત એન યુએઈમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર હૂમલા કર્યા. ગઈકાલે પણ દુબઈ, દોહા અને પનામામાં વિસ્ફોટો સંભળાતા રહ્યા, પામ જુબેરાહ અને બુર્જ અલ અરબ સહિતની ખ્યાતનામ ઈમારતો તથા અસ્કયામતોને નુકસાન થયું તે પછી દુબઈનું એરપોર્ટ પણ બંધ કરી દેવાતા સંખ્યાબંધ પ્રવાસીઓ રઝળી પડયા છે, જેમાં ઘણાં બધા ગુજરાતીઓ છે.

એ પછી યુએઈના પોલિટિકલ એડવાઈઝર અનવર ગહગાશે ઈરાનને વોર્નિંગ આપી અને પડોશીઓને નુકસાન નહીં પહોંચાડવાની અપીલ સાથે સમજદારીપૂર્વક નિર્ણયો અને એકશન લેવાની સલાહ પણ આપી. ખાડીના દેશો સામે ઈરાનની આક્રમકતાને વખોડતા તેમણે કહ્યું કે ઈરાન અત્યારે એક નાજુક પરિસ્થિતિમાં છે અને એકલું-અટુલું પડી ગયું છે. ઈરાને એ સમજવું જોઈએ કે તેમનું આ યુદ્ધ અમેરિકા-ઈઝરાયલની સાથે સાથે પડોશી દેશો સાથે તણાવ પણ વધારી રહ્યું છે, કારણ કે ઈરાન પડોશી દેશો પર પણ અંધાધૂંધ હૂમલા કરી રહ્યું છે.

રશિયા અને ચીનની આલોચના પછી ટ્રમ્પ-નેતન્યાહુ સામે પણ એક વ્યૂહાત્મક પડકાર ઊભો થયો છે અને આ બંને શક્તિશાળી નેતાઓનો પોત-પોતાના દેશમાં જ વિરોધ વકરી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે, ઈરાની એરફોર્સ દ્વારા કુદર્શિતાન તથા પર્શિયન ગલ્ફના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હૂમલો કર્યા પછી ઢગલાબંધ દેશોએ ઈરાનને સમજપૂર્વક કામ લેવાની તથા અમેરિકા-ઈઝરાયલને પણ યુદ્ધ ખતમ કરીને શાંતિપર્વક વાટાઘાટો કરવાની અપીલો કરી છે.અત્યારે વિશ્વના દેશો ત્રણ ભાગમાં વહેંચાઈ રહ્યા છે, જે પૈકી બંને તરફ ઝુકાવ ધરાવતા દેશો ઉપરાંત ઘણાં ભારત જેવા તટસ્થ દેશો પણ છે. જો કે, આમ છતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ શરૂ થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેજરીવાલ ઈઝ બેક... હૂ બેકીંગ બીજેપી ? ડીપ સસ્પેન્સ... જસ્ટ વેઈટ એન્ડ વોચ...

                                                                                                                                                                                                      

ગઈકાલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ અને મનિષ સિસોદીયાને નિર્દોષ ઠરાવીને સીબીઆઈની ઝાટકણી કાઢી, તે પછી સ્વાભાવિક રીતે જ "આપ"ના નેતાઓ ગેલમાં છે, કાર્યકરો જોશમાં છે અને ભાજપના નેતાઓ બેકફૂટ પર જણાય છે. જો કે, કેજરીવાલે પ્રથમ જ પ્રત્યાઘાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસની પણ ટીકા કરતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમઆદમી પાર્ટી કોંગ્રેસ કે ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાવાના બદલે હવે બેવડા જોરથી એકલા હાથે ચૂંટણીઓ લડવાની નીતિ અપનાવશે. "આપ" દેશભરમાં "છુટકારા"ની ઉજવણી કરી રહ્યું છેે, તો જામનગરમાં પણ આમઆદમી પાર્ટીએ કિસાન બચાવ યાત્રા આજે કાઢી છે.

ભાજપના નેતાઓએ હજુ "આપ"ના પાપ ધોવાયા નથી અને બીજા ઘણાં કેસો બાકી છે, તથા સીબીઆઈએ અપીલ કરી હોવાથી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો આપ્યા, તો અન્ના હજારે એ ન્યાયતંત્રના ફેંસલાને માથે ચડાવવાની વાત કરી છે, તો બીજી તરફ કેજરીવાલે "કોંગ્રેસને શરમ ન આવતી ?" તેવા શબ્દપ્રયોગો કરવા પડયા, તેની પાછળનું ઘેરું રહસ્ય પણ ચર્ચાના ચાકડે ચડ્યું છે.

હકીકતે કેજરીવાલ અને મનિષ સિસોદીયા નિર્દોષ છુટયા પછી કોંગ્રેસના પ્રવક્તાએ આને ભાજપની ઊંડી ચાલ ગણાવી હતી અને કોંગ્રેસ મૂક્ત ભારતની નીતિ ધરાવતા ભાજપે "આપ" ને આગળ કરીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર રચ્યું હોવાનો અંદેશો પણ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત કેજરીવાલ અને સિસોદીયાએ નીચલી અદાલતે નિર્દોષ ઠરાવ્યા પછી હજુ હાઈકોર્ટ અને તે પછી સુપ્રિમકોર્ટ સુધી કાનૂની લડત ચાલવાની છે, તેથી આમઆદમી પાર્ટીએ બહુ હરખાવા જેવું નથી, તેવા નિવેદનો પણ આવ્યા હતા, તેથી વિવિધ અટકળો વહેતી થઈ હતી.

વાસ્તવમાં પંજાબમાં અત્યારે "આપ" ની સરકાર છે, અને ત્યાં ભાજપનું પહેલેથી જ બહુ વર્ચસ્વ નથી, અને તેની સાથે દાયકાઓ સુધી ગઠબંધનમાં રહેનાર અકાલીદલ પણ નબળુ પડી ગયું હોવાનું મનાય છે. આ કારણે આગામી ચૂંટણીમાં પંજાબ વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી મળે, તેવા સંજોગો હોવાથી કોંગ્રેસ આમઆદમી પાર્ટી સાથે ગઠબંધન કરે, તેમ જણાતુ નથી. બીજીતરફ ગુજરાતમાં તાજેતરના કોઈ સર્વેક્ષણમાં પણ ભાજપના વળતા પાણી થાય કે ભાજપની સત્તા ચાલી જાય, તેવી સંભાવનાઓ ઊભી થાય કે ન થાય, તો પણ ગુજરાતમાં આમઆદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાના કારણે વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પાછળ છોડીને આમઆદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બની શકે તેમ હોવાના તારણો નીકળ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. હવે જયારે કેજરીવાલ અને મનિષ સિસોદીયાને નીચલી અદાલતે નિર્દોષ છોડયા પછી સ્વાભાવિક રીતે જ આમઆદમી પાર્ટીની લોકપ્રિયતા પહેલા કરતા વધી શકે છે, અને પંજાબ તથા ગુજરાતમાં આમઆદમી પાર્ટીને ફાયદો થઈ શકે તેમ છે, આ કારણે જ કોંગ્રેસ એવી આશંકા રાખી રહી હશે કે ભાજપે જ આમઆદમી પાર્ટીને ઉત્તેજન આપવા સીબીઆઈ દ્વારા નબળા પૂરવા રજૂ કરીને કેજરીવાલ એન્ડ કાું. ને નિર્દોષ છોડાવ્યા હશે. જો કે, આવું થાય, તે સરળતાથી ગળે ઉતરે તેવું નથી, પરંતુ એવરીથીંગ ઈઝ પોસિબલ ઈન વોર એન્ડ પોલિટિક્સ !

ગઈકાલથી જ ભાજપ અને "આપ" તથા કોંગ્રેસના નેતાઓના નિવેદનોની ભરમાર વચ્ચે સીબીઆઈએ રાઉઝ એવન્યૂ કોર્ટના ફેંસલા સામે હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા આદરી દીધી હતી અને "આપ"ના નેતાઓની આ ખુશી અલ્પજીવી નિવડશે અને નીચલી અદાલતે નજરઅંદાજ કરેલા તથ્યો, પૂરાવાઓ તથા નાશ કરી દેવાયેલા પૂરાવાઓને લક્ષ્યમાં લઈને હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લેશે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, તેવા દાવાઓ થઈ રહ્યા હતા. અને કેજરીવાલના વકીલે પણ આ ફેંસલો કેજરીવાલ સરકારની શરાબનીતિની યથાર્થતા અંગે હતો, તથા અપીલ કરવાનો સૌને અધિકાર છે, તેવું કહ્યા પછી હવે દડો હાઈકોર્ટના મેદાનમાં પડવાનો છે, તે નક્કી છે.

જો કે, હાઈકોર્ટે પણ જો રાઉઝ એવન્યુ કોર્ટનો જ ફેંસલો બહાલ રાખ્યો અને સીબીઆઈ સામે જ સવાલો ઉઠ્યા તો ભાજપ સરકાર અને તેના તંત્રવાહકોની કેવી હાલત થશે ? તેની રાજકીય અસરો કેટલી પડશે અને તેનો રાજકીય ફાયદો "આપ" ને કેટલો થશે ? તે તો ઓપન સિક્રેટ જ છે ને ?ૃ

તેનાથી વિપરીત જો હાઈકોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટનો ફેંસલો પલટાવ્યો, અને ફરીથી કેજરીવાલ અને મનિષ સિસોદીયા સહિતના આ કેસના આરોપીઓને દોષિત ઠરાવ્યા કે કેસ ફરીથી ચલાવવા નીચલી અદાલતને આદેશ આપ્યો, તો "આપ" ના નેતાઓ માટે આ ખુશી ટૂંકા ગાળાની રહેશે. જો કે, તેવું થવાની સંભાવના ઓછી ગણાવાઈ રહી છે.

સામાન્ય રીતે અપીલ થયા પછી ઉપલી અદાલત આખો કેસ ફરીથી ચલાવતી હોતી નથી કે નવા પૂરાવા લેવાતા નથી, પરંતુ જો નીચલી અદાલતે કોઈ મહત્ત્વપૂર્ણ પૂરાવા કે તથ્યો ધ્યાને લીધા જ ન હોય, તો તેના પર સુનાવણી થઈ શકે છે. જોઈએ, હવે શું થાય છે તે... જસ્ટ વેઈટ એન્ડ વોચ...

ભારતીય જનતા પક્ષ માટે રાઉઝ એવન્યુ કોર્ટનો ચૂકાદો એટલા માટે ઝટકા સમાન છે કે કેજરીવાલ અને તેના અન્ય નેતાઓની લોકપ્રિયતા શરાબ કૌભાંડ, મની લોન્ડ્રીંગ કેસ, શિશમહેલ તથા અન્ય કથિત કૌભાંડોના કારણે ઘટી હતી, અને હવે જો તેને ક્લિનચીટ મળે, તો દિલ્હી સ્ટેટના સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ ફરીથી હાંસિયામાં ધકેલાઈ શકે તેમ હોવાનું ઘણાં વિશ્લેષકો માને છે.

ગઈકાલે ભાજપને અકળાવે તેવા એક બીજા સમાચાર પણ આવ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ ફરીથી પ્રગટ થયા અને કહ્યું કે તેમણે ક્યારેય એવું કહ્યું જ નથી કે તેઓ બીમાર હતા. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન કહ્યું કે તેમણે ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે આપ્યું હતુ...આ નિવેદન પછી તેઓના રાજીનામા પાછળના કારણો અંગે થતી અટકળોનો તો અંત આવ્યો, પરંતુ આ કાર્યક્રમ માટે કરેલા પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના પૂર્વ સાંસદ રામસિંહ કસવાની મુલાકાત લેતા ક્યાંક તેઓ કોંગ્રેસ તરફ ઢળી રહ્યા તો નથી ને ? તેવા સવાલો ઉઠવા લાગ્યા હતા, તો કોઈએ ધનખડ "યોગ્ય" સમયે ખેલ નાખશે, તેવી અટકળો કરતા સંકેતો આપ્યા હતા કે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેજરીવાલ-સિસોદિયાની હોળી સુધરી, તહેવારો અને પરીક્ષાઓ વચ્ચે ચૂંટણીના પડઘમ... કોના માટે છે સીધા ચઢાણ...?

                                                                                                                                                                                                      

હુતાશણીના તહેવારો આવી રહ્યા છે, અને દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના દર્શને જવા પદયાત્રીઓનો પ્રવાહ વહી રહ્યો છે. પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર કેમ્પો ઊભા થયા છે, અને સેવાની પણ સરવાણી વહી રહી છે, અને આ દૃશ્યો આપણી સંસ્કૃતિ અને સંસ્કારની મૂળભૂત બુનિયાદનો પરિચય આપે છે. આટલા મોટા જનસમૂહને લક્ષ્યમાં લઈને યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા સહિતના યાત્રાસ્થળો પર તંત્રો પણ કામે લાગી ગયા છે. પોલીસતંત્ર પણ રોજ-બ-રોજ વધી રહેલા યાત્રિકો અને પદયાત્રી સંઘોની સમીક્ષા કરીને સુરક્ષા પ્લાન અપડેટ કરતા રહે છે. જ્યારે વહીવટીતંત્ર યાત્રિકોની સુવિધાઓ માટે જરૂરી ગોઠવણો કરી રહ્યા છે. રેલવે તંત્ર અને એસ.ટી.તંત્ર પણ મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની ટ્રીપો ગોઠવી રહ્યા છે. આ પ્રકારની અત્યારે જોવા મળતી સ્થિતિ એક સુંદર ચિત્ર ઊભું કરે છે, અને એકંદરે તહેવારોનો ઉમંગ તથા ભક્તિનો રંગ હાલારમાં હિલોળે ચડયો હોય તેમ જણાય છે.

અત્યારે જુના અનુભવોને ધ્યાને લઈને ભલે ચૂસ્ત-દૂરસ્ત પ્રબંધો કર્યા હોય, તેમ છતાં તંત્રોએ ગાફેલ રહેવા જેવું નથી અને ખાસ કરીને ભાગદોડ, આગજની કે અનિચ્છનિય બનાવો કે દુર્ઘટના થતી જ અટકાવવાના ઉપાયોની રોજેરોજ સમીક્ષાઓ કરીને સુરક્ષા, સલામતિ અને યાત્રિકોને સંબંધિત વ્યવસ્થાઓ અપડેટ કરતી રહેવી પડે તેમ છે. ખાસ કરીને પરિવહનની વ્યવસ્થાઓમાં તકસાધુઓ સામાન્ય રીતે લેવાતા ટિકિટભાડા કરતા અનેકગણાં ભાડા વસુલે કે મુસાફરોને ખીચોખીચ ઘેટા-બકરાની જેમ ભરીને સુરક્ષા પર જોખમ ઊભું કરે, તો તેની સામે યાત્રિકો-મુસાફરોને તરત જ રક્ષણ મળે, તેવી ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ પણ ઊભી કરવી જોઈએ.

જો કે, આ વર્ષે હુતાશણી પર્વની ઉજવણીને "ગ્રહણ" લાગશે, પરંતુ જ્યાં દેખાવાનું નથી, ત્યાં તેની અસરો નહીં થાય, પરંતુ ફાગણ સુદ પૂર્ણિમા તથા તેના બીજા દિવસે દર્શન તથા ઉજવણીના કાર્યક્રમમાં થોડા ફેરફારો થશે. વિષ્ણુ ભગવાન, શ્રીકૃષ્ણના મંદિરો તથા વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો-પાવન સ્થળોમાં ફૂલડોલ ઉત્સવ તો ઉજવાશે જ, પરંતુ સમય અંગે ભિન્ન-ભિન્ન અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે, પરંતુ સેંકડો કિલોમીટર સુધીનું અંતર કાપીને પગપાળા દ્વારકા આવતા પદયાત્રીઓને ચંદ્રગ્રહણને કારણે નિરાશ નહીં થવું પડે.

જો હોળી પ્રાગટ્ય બીજી માર્ચે થાય, તો પણ ત્રીજી માર્ચે ગ્રહણના કારણે ધૂળેટી ચોથી માર્ચે ઉજવાશે, તેવી સંભાવનાઓના કારણે આ વખત હોળી અને ધૂળેટીનો ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે, તેવું કહેવાય છે, જોઈએ શું થાય છે તે...

આ વખતે પણ હોળી-ધૂળેટીના તહેવારો બોર્ડની પરીક્ષાઓની વચ્ચે જ આવ્યા છે, તેથી હોળી-ધૂળેટી ઉત્સવની ઉજવણી પર પરીક્ષાની અસરો પડશે, પરંતુ પરીક્ષાર્થીઓ પર આ તહેવારોની ઉજવણીની કોઈ અસર ન થાય, અને પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા આપી શકે, તે જોવાની જવાબદારી તંત્રો ઉપરાંત આપણી બધાની સહીયારી છે, તે ભૂલવું ન જોઈએ, અને જવાબદારી માત્ર સરકાર પર જ ઢોળી નહીં શકાય. ખરૃં ને ?

એક તરફ છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં હુતાશણી અને ધૂળેટીના તહેવારોની રંગત જામવા લાગી છે. બજારોમાં લોકો આ પાવન પર્વની ઉજવણી માટેની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે, અને રંગ ઉડાડવાની પીચકારીઓ તથા જુદા જુદા રંગોની ખરીદી માટે લોકો ધીમે ધીમે માર્કેટમાં નીકળી રહ્યા છે, તો બીજી તરફ આ વર્ષે હુતાશણી પર્વના રંગમાં રાજનીતિનો રંગ પણ ભળવા જઈ રહ્યો છે, કારણ કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણીતંત્ર દ્વારા વોર્ડવાર ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂકો થયા પછી હવે ચૂંટણી લક્ષી રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. બીજી તરફ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલ, સિસોદિયા અને તમામ ૨૩ આરોપીઓને શરાબ કૌભાંડમાં નિર્દોષ છોડી મૂક્યા પછી મોદી સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. જોઈએ, હવે સીબીઆઈ અપીલ કરે છે કે નહીં. આ અહેવાલોના કારણે હોળીના રંગોમાં રાજનીતિનો ઘેરો રંગ ઉમેરાયો છે અને કેજરીવાલ તથા તેની ટીમની હોળી સુધરી ગઈ છે.

આ તરફ જામનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની કામગીરી અંગે જુદા જુદા વિશ્લેષણો થઈ રહ્યા છે, અને વિપક્ષોને એન્ટી-ઈન્કમ્બન્સીનો ફાયદો કેટલો થશે, અને શાસકપક્ષ ત્રિપલ એન્જિનના શાસનની ઉપલબ્ધિઓ વર્ણવીને મતદારોને કેટલા રિઝવી શકશે, તે તો હજુ કહી શકાય તેમ નથી, પરંતુ ભારતીય જનતાપક્ષ અને કોંગ્રેસનો આંતરિક ખેંચતાણનો ફાયદો લેવા આમઆદમી પાર્ટી શતરંજ બિછાવી રહી છે, તે સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ ભાજપ ત્રિપલ એન્જિનની સિદ્ધિઓ વર્ણવે છે, તે બૂમરેંગ સમાન પૂરવાર થાય અને કેન્દ્ર-રાજ્ય પ્રત્યેની એન્ટી-ઈન્કમ્બન્સી પણ જો ભાજપને નડે અને તેમાં આંતરિક અસંતોષ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ-નેતાઓની નારાજગીનો ઉમેરો થાય, તો ભાજપને સત્તા જાળવી રાખવી અઘરી પણ પડી શકે છે.

આવું થવાની સંભાવનાઓ એટલા માટે પણ વર્તાય છે કે દાયકાઓથી શાસનમાં હોવા છતાં કેટલીક મૂળભૂત સમસ્યાઓ પણ ભાજપના શાસકો ઉકેલી શક્યા નથી, તો શહેરની ચોતરફ વિસ્તરેલા વિસ્તારો સહિત નગરની ઘણી બુનિયાદી અપેક્ષાઓ પણ પૂરેપૂરી સંતોષી શકાઈ નથી. જો કે, વિપક્ષી વર્તુળોમાં પણ હુંસાતુંસી વર્તાતી હોવાથી જનમત કઈ તરફ ઝુકશે, તે અત્યારથી તો કહી શકાય તેમ નથી, પરંતુ એટલું જરૂર કહી શકાય કે આ વખતે જામ્યુકોની ચૂંટણી જીતવી એ ત્રણેય મુખ્ય પક્ષો માટે સીધા ચઢાણ તો છે જ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાત વિધાનસભામાં ગુંજ્યા ડ્રગ્સ-ગૌમાંસના મુદ્દા... પરિપત્ર કે પરપોટો ?

                                                                                                                                                                                                      

થોડા દિવસો પહેલા દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદજીએ રૂપેણ બંદર પરથી ગૌમાંસ પકડાય, તે સંદર્ભે નિવેદન આપ્યું હતું અને દોષિતો સામે અત્યંત કડક કાનૂની કદમ ઉઠાવવાની જોરદાર માંગ ઉઠાવી હતી. દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામમાં ગૌમાંસની હેરાફેરી થતી હોવાના મુદ્દે હિન્દુ સંગઠનોએ પણ નારાજગી વ્યકત કરીને આ સંદર્ભે વધુ કડક કદમ ઉઠાવવાની માંગણી કરી હતી. ગુજરાતમાં ગાય માતાના રક્ષણ માટે રાજ્ય સરકાર નક્કર કદમ ઉઠાવે, તેવી માંગણી પણ પડઘાઈ હતી. તે પછી રાજ્યભરમાં ગૌમાંસ, ગૌહત્યા અને ગાયોના સંરક્ષણની જરૂર હોય જેવા મુદ્દાઓ ચર્ચાતા રહ્યા પછી હવે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો છે.

ગૌમાંસના મુદ્દે ગઈકાલે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તનાતની પણ થઈ હતી.

હકીકતે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યુ હતું કે બે વર્ષમાં મહીસાગર અને અમરેલી જિલ્લાઓમાંથી ૧૯૫૭ કિલો ગૌમાંસ પકડાયુ હતું અને ૩૧ આરોપીઓની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરી હતી. ગૌવંશના મુદ્દે કોંગી ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે જો ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો ગુજરાત સરકાર આપશે, તો કોંગ્રેસ તેને ટેકો આપશે. રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યુ હતું કે ગૌવંશ મામલે ૨૨૯ ગૂન્હા દાખલ કરાયા છે, અને ૧૮૦ લોકોને તડીપાર કરાયા છે. બે વર્ષમાં ૧૦ ગૌવંશને (કતલખાને જતા) છોડાવ્યા છે.

વિધાનસભામાં ગુંજેલો બીજો મુદ્દો રાજ્ય સરકારને (દારૂબંધી હોવા છતાં) વિદેશી દારૂના વેચાણના કારણે રૂ।. એક અબજથી વધુની આવક થઈ છે. અમદાવાદ-ગાંધીનગરની ૩૨ હોટલ્સને વિદેશી દારૂના વેચાણની મંજુરી આપવામાં આવી છે. ઈમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ આપ્યો હતો, જ્યારે ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દે રાજ્યનું ગૃહખાતુ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે સરકાર સતર્ક છે, અને કચ્છમાં જ્યાંથી ડ્રગ્સ પકડાયુ હતું, ત્યાં અત્યારે પોલીસ સ્ટેશન બનાવી દેવાયુ છે, વિગેરે...

ધારાસભ્યોના પ્રશ્નો તથા સરકારના જવાબોમાંથી એવું તારણ કાઢી શકાય કે ગુજરાતમાં "કડક" દારૂબંધી હોવા છતાં માત્ર ગેરકાયદેસર જ નહીં, પરંતુ કાયદેસર  રીતે પરમીટો ઉપર પણ વિદેશી દારૂ વેચાય છે, અને પીવાય છે. ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સનો મુદ્દો સરકારના મંત્રી કે નાયબ મુખ્યમંત્રી એકાદ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરીને હળવાશથી લઈ લે, તે ઠીક નથી. જનપ્રત્યાઘાતો મુજબ ડ્રગ્સ, દારૂ અને ગૌમાંસના મુદ્દે રાજ્ય સરકાર જોઈએ તેટલી ગંભીર જણાતી નથી. બીજી નોંધપાત્ર બાબત એ પણ છે કે ગુજરાતમાં ગૌમાતાને રાજ્યમાતા બનાવવાની રાજ્ય સરકાર તૈયારી બતાવે તો કોંગ્રેસ સમર્થન આપશે, તેવો દાવો પણ કરાતો હોવાથી જો ગૌમાતાને આ જ રીતે રાષ્ટ્રીય સન્માન મળે કે રાષ્ટ્રીય પવિત્ર પશુધન કે એવું કોઈ બિરૂદ અપાય, કે જેથી તેની સુરક્ષા કરવી અને રાષ્ટ્રીય અને બંધારણીય ફરજ બની જાય, તેવી સંભાવનાઓ વધી ગઈ છે. જો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની જેમ રાષ્ટ્રીય નેતાઓ આ મુદ્દે કેવા પ્રત્યાઘાતો આપે છે, તે જોવાનું રહે છે.

ભાજપ માટે કેટલાક જિલ્લાઓમાં મુશ્કેલી ઊભી થતી દેખાય છે. કોઈ શહેરમાં સ્મશાનમાં બેસીને ભાજપના જ બીજા નેતાઓ પર આક્ષેપોનો મારો ચલાવાય છે, તો જામનગર જેવા શહેરોમાં તાજેતરમાં નિમાયેલા કેટલાક હોદ્દેદારો પ્રત્યે અસંતોષ તથા સંનિષ્ઠ કાર્યકરો, નેતાઓની નારાજગીનો મદ્દો ચર્ચામાં છે, તેવામાં ડ્રગ્સ, ગૌમાંસ, ગૌવંશ જેવા મુદ્દાઓને કારણે વિધાનસભામાં તોતીંગ બહુમતી ધરાવતી સરકાર પણ મુંઝવણ કે ગૂંચવણમાં હોય તેવો આભાસ થાય છે. આ કારણે જ રાજ્ય સરકારે પાઠવેલા શિક્ષકોની કામગીરીને સાંકળતા પરિપત્રને લઈને પણ આશંકાઓ વ્યક્ત થવા લાગી છે.

એક તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પઠાવાઈ રહી છે, તેમ જ વિદ્યાર્થીઓને એકાદ પેપર નબળુ જાય કે પરીક્ષા બરાબર ન જાય, તો પણ નાસીપાસ કે હતાશ નહીં થવા તથા પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પરીક્ષા આપવાની સલાહ અપાઈ રહી છે, અને તે ૧૦૦ ટકા  સાચી અને જરૂરી છે, તો બીજી તરફ સરકારે પાઠવેલા પરિપત્રમાં જ શિક્ષકોના વર્તુળોને શ્રદ્ધા કે વિશ્વાસ જણાતા નથી, તેથી એ મુદ્દો પણ બે દિવસથી રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

હકીકતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે એક પરિપત્ર પાઠવીને પ્રાથમિક શિક્ષકોને કેટલાક અપવાદ સિવાય બિન શૈક્ષણિક કામગીરીમાંથી મૂક્તિ આપી દીધી, તે પછી પણ શિક્ષકોને હજુ પણ કોઈને કોઈ બહાને બિનશૈક્ષણિક કામગીરીમાં જોતરવામાં આવશે, તેવી આશંકાઓ શિક્ષણજગતમાં ઉભરી રહી છે.

જો કે, શિક્ષક સંઘોએ આ નિર્ણયને આવકાર્યો છે, કારણ કે ઘણાં સમયથી શિક્ષકસંઘો આ માટે રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ આ પરિપત્ર પરપોટાનીફ જેમ ફૂટીને નિરર્થક બની જશે અને કોઈને કોઈ રીતે કે પછી પરોક્ષ રીતે ભરમાવી કે દબાણ ઊભું કરીને પણ શિક્ષકો પાસે રાજકીય મેળાવડાઓને રાષ્ટ્રીય કાર્યક્રમનું સ્વરૂપ આપીને શિક્ષકો પાસેથી બિન શૈક્ષણિક કામગીરી કરાવતી રહેશે, તેવી આશંકાઓ પણ ઉઠી રહી છે, જેનું સ્પષ્ટ નિવારણ કરવા દરેક જિલ્લાકક્ષાએ સક્ષમ અધિકારી કે કલેકટરો દ્વારા સરકારે ચોખવટ કરવી જોઈએ, તેવો જનમત અવગણવા જેવો નથી.

વિરોધપક્ષના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં ભલે ઓછી હોય, પરંતુ લોકોની વચ્ચે જઈને આ થોડાક ધારાસભ્યો સરકારને ઢગલાબંધ મુદ્દે ઘેરી રહ્યા છે. આમઆદમી પાર્ટીએ તો કેટલાક દૃષ્ટાંતો સાથે ભાજપ સરકાર "આપ"ના નેતાઓ પર હુમલા કરતા દોષિતોને છાવરવાનો આક્ષેપ લગાવ્યો છે, અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ આપી દીધી છે...જોઈએ...હવે શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગ્રામ સુવિધાઓ અને શહેરીકરણ... સમસ્યાને અવસરમાં બદલીએ... વાસ્તવમાં

                                                                                                                                                                                                      

ગુજરાતના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા ૫૬૦૦ કરોડની જોગવાઈ કરી છે, અને ખેડૂતોને ખેતીના ઓજારો, સાધન-સામગ્રી ખરીદવા માટે સબસીડીની ફાળવણી માટે પણ રૂ।. ૧૫૫૦ કરોડથી વધુની વ્યવસ્થા પણ બજેટમાં કરી છે. તદુપરાંત મહિલાઓની સ્વરોજગારી માટે પણ ફાળવણી થઈ છે, તે જોતાં રાજ્ય સરકારનો અભિગમ ગામડાઓ તથા ગ્રામવાસીઓને સમૃદ્ધ અને સશક્ત બનાવવાનો લાગે, તો બીજી તરફ રાજ્ય સરકારે આ જ બજેટમાં રાજ્યમાં પાંચ નવા સેટેલાઈટ ટાઉનના વિકાસની જાહેરાત પણ કરી છે, તેથી સવાલ એ ઉઠે છે કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસ પર વધુ ભાર મૂકી રહી છે કે પછી શહેરીકરણની તરફેણ કરી રહી છે ?

એક તરફ વિરોધપક્ષો રાજ્ય સરકાર પર ગામડાઓના ભોગે રાજ્ય સરકાર શહેરીકરણને પ્રોત્સાહિત કરવાના આક્ષેપો કરી રહ્યા છે, તો તેની સામે ભાજપ એવો સવાલ ઉઠાવી રહ્યું છે કે વિપક્ષોને શહેરીજનોની સુવિધાઓ વધે, તેમાં શું વાંધો છે ? શહેરી વિસ્તારોમાં રહેતા લોકો શું ગુજરાતના રહેવાસી અને ભારતના નાગરિક નથી ?

પક્ષ-વિપક્ષના આરોપો-પ્રત્યારોપો વચ્ચે જનતાના મિશ્ર પ્રતિભાવોનો નીચોડ એવો નીકળે છે કે શહેરનો વિકાસ થાય, તેમાં કોઈ પણ ગુજરાતી કે ગુજરાત નિવાસીને વાંધો હોઈ જ શકે નહીં, પરંતુ ગામડાઓના ભોગે કે ગ્રામ્ય વિસ્તારોની અવગણના કરીને માત્ર શહેરી વિકાસ તરફ જ વધુ ધ્યાન અપાઈ રહ્યું હોય તો તે યોગ્ય નથી.

ગુજરાતના બજેટમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે કોઈ ભેદભાવ રખાયો નથી અને સમતોલ ફાળવણી થઈ છે, તેવા દાવા સાથે કેટલાક આંકડાઓ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે, અને વીબી-જીરામ-જી યોજના માટે થયેલી રૂ।. ૧૫૦૦ કરોડની ફાળવણી પણ ગ્રામીણ વિસ્તારોને કેન્દ્રમાં રાખીને થઈ હોવાનો તર્ક અપાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અઢી હજાર જેટલી નવી બસો ખરીદી રહી હોય, અને તેમાંથી ૧૦૦૦ જેટલી બસો આદિવાસી વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મૂકવાની જાહેરાત પણ રાજ્ય સરકારની સમતોલ વિકાસની નીતિ દર્શાવતી હોવાની દલીલો થઈ રહી છે.

ગુજરાત સરકારે અત્યાર સુધીના સૌથી મોટા રૂ।. ૪.૦૮ લાખ કરોડથી વધુ રકમના બજેટમાં જે જોગવાઈઓ કરી છે, તે પૈકી કેટલીક જોગવાઈઓ ગ્રામલક્ષી છે, કેટલીક શહેરલક્ષી છે, તો ઘણી બધી જોગવાઈઓ ગામડાઓ, શહેરો તથા દુર્ગમ વિસ્તારો, ટાપુઓ અને પહાડી વિસ્તારો સહિતના તમામ વિસ્તારોને આવરી લીધી હોવાનું તારણ પ્રસ્તૂત થયેલા આંકડાઓ પરથી નીકળે છે, અને રાજ્ય સરકાર અને તેના તંત્રો પણ આ જ પ્રકારનો દાવો કરી રહ્યા છે, પરંતુ જેવી જાહેરાતો થઈ છે, તે જ પ્રકારની ફાળવણી, અમલીકરણ અને અનુસરણ થશે, તેવી આશા રાખીએ.

રાજ્યમાં ગામડાઓ ભાંગી રહ્યા છે, અને શહેરો પર ભારણ વધી રહ્યું છે, તેવી ચર્ચા તો વર્ષોથી થતી જ રહી છે, ગામડાઓમાંથી રોજગારી માટે એક તરફ યુવાવર્ગ શહેરોમાં આવી રહ્યો છે, તો દીકરા-દીકરીને વરાવવા-પરણાવવા કે ભણાવવા ગામડા છોડીને શહેરોમાં મકાનો બનાવીને કે ભાડાથી રહેવા જતા ગ્રામીણોની સંખ્યા પણ કૂદકે-ભૂસકે વધી રહી છે. ઉદ્યોગિકરણ પણ શહેરીકરણનું એક પ્રોત્સાહક પરિબળ છે. ઘણાં બધા સંયુક્ત પરિવારો હવે વિભક્ત પરિવારોમાં બદલાઈ રહ્યા હોવાથી પણ શહેરો તરફની દોટ વધી રહી છે. આમ, શહેરીકરણ વધી રહ્યું હોવાથી રાજ્ય સરકાર શહેરીજનો માટે વધુ જોગવાઈઓ કરે, તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ ગામડાઓને ભાંગતા અટકાવવા ગામડાઓમાં જ શહેરો જેવી સુવિધાઓ તથા રોજગારીની તકો વધારવા પર પણ એટલો જ ભાર મૂકીને વાસ્તવમાં સમતોલ વિકાસ થાય, તે ઈચ્છનિય છે.

પ્રવાસન વિકાસનો પણ શહેરીકરણ તથા ગ્રામવિકાસમાં સિંહફાળો છે, જામનગર જેવા શહેરોમાં ઔદ્યોગિકરણ ઉપરાંત પ્રવાસન વિકાસના કારણે પણ જનસંખ્યા અને વસવાટી વિસ્તારો વધ્યા છે, તો આ જ પ્રકારના કારણોસર ઓખામંડળ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિકાસ પણ થયો છે. પ્રવાસન વિકાસને વેગ, સડકોના આધુનિકરણ અને વિસ્તૃતિકરણ, રેલવે સુવિધાઓ તથા હવાઈ યાત્રાઓની સુવિધાઓમાં વધારાની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીઓને અનુરૂપ સુવિધાઓના વિસ્તણના કારણે મળી રહ્યો છે, તો સિક્કાની બીજી બાજુની જેમ શહેરીકરણ તથા ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ વધારવાના અભિગમની સિક્કાની બીજી બાજુ પણ છે. તેથી જ ગામડાઓના ભોગે શહેરીકરણને ઉત્તેજન મળે નહીં, તેવો આગ્રહ સેવવામાં આવતો હોય છે.

જો કે, ઔદ્યોગિકરણ તથા શહેરની વિકાસ તથા ગામડાાઓને શહેરો જેવા બનાવવાની દોટમાં જલ-વાયુ અને ભૂમિ પ્રદુષણ અને ક્ષારયુક્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતી લાયક જમીનની ફળદ્રુપતા ઘટી રહી હોવાની સમસ્યાઓ પણ વધી રહી છે. આ સમસ્યાઓના ઉકેલ માટે સરકારી યોજનાઓ તથા તંત્રોના પ્રયાસોને વ્યાપક જનસહયોગની જરૂર રહે છે, તેવી જ રીતે ભ્રષ્ટાચારીઓ અને સ્થાપિત હિતો સામે સચેત રહેવાની  પણ જરૂર રહે છે. ઘણાં લોકો શહેરો જેવી સગવડોની લ્હાયમાં ગામડાઓ તેની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ઓળખ, સૌજન્યતા, સુંદરતા તથા શુદ્ધ હવા-પાણી પણ ગુમાવી રહ્યા હોવાનો વસવસો પણ વ્યક્ત કરતા હોય છે, અને તેમાં તથ્ય પણ છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરીને બોર્ડ દ્વારા રૂ।. બે કરોડનું એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઈલ વાહન ફાળવાયુ છે અને આ વાહન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરતુ રહેશે અને પ્રદુષણ માપતુ રહેશે. રાજ્યના બજેટમાં કરાયેલી પ્રદુષણ નિવારણની જોગવાઈ વિશે ભલે બહુ ચર્ચા થતી નહીં હોય, પરંતુ અમદાવાદ સહિત રાજ્યના શહેરો તથા ઈન્ડસ્ટ્રીયલ ઝોન્સમાં વધી રહેલુ હવાઈ પ્રદુષણ, નદી-તળાવો, દરિયામાં જળ પ્રદુષણ અને ભૂમિ સંરક્ષણના બદલે જમીનના ક્ષારોની વૃદ્ધિની સમસ્યાઓનો ઉકેલ તો લાવવો જ પડે તેમ છે, અને તેના માટે માત્ર મોબાઈલ વાનથી નહીં ચાલે, પ્રબળ અને જનલક્ષી રાજકીય ઈચ્છાશક્તિ (પોલિટિકલ વીલપાવર)ની પણ જરૂર પડવાની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

યાત્રા સ્થળો પર નફાખોરી અને ઈજારાશાહી, કડક નિયમ-કાયદાની જરૂર...

                                                                                                                                                                                                      

એવા અહેવાલો આવ્યા છે કે યાત્રાધામ પાવાગઢમાં વિકેન્ડમાં યાત્રિકોનો ધસારો વધી જતો હોવાથી ત્યાંના વહીવટીતંત્રે દર રવિવારે તળેટીથી આગળ જવા માટે ભારે ટ્રાફિકને પહોંચી વળવા વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે, અને માચી સુધી જવા માટે માત્ર એસ.ટી. બસો, એમ્બ્યુલન્સો, સરકારી વાહનો તથા પાવાગઢ ગામની ટેકસી પાસીંગ ગાડીઓ જ પ્રવેશ કરી શકશે અને અવર-જવર કરી શકશે. આ ઉપરાંત પશુઓ કે પશુઓ જોડીને માલ-સામાનનું વહન કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે, એટલે કે ઘોડા, ઘોડાગાડી, બળદ કે બળદગાડી દ્વારા માલ-સામાનનું વહન કે ગાય, ભેંસ વગેરે પશુઓને દોરીને લઈ જવા પર માચીથી દુધિયા તળાવ સુધીના રસ્તે પ્રતિબંધ મૂકાયો છે.

આ ઉપરાંત ત્યાંના વહીવટીતંત્રે ખાનગી પાર્કિંગ સ્થળો પર પણ પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દરો કરતા વધુ ચાર્જ વસુલવો નહીં, એટલું જ નહીં, ખાનગી જમીન કે પોતાની જમીન કે સંકુલમાં પાર્કિંગ કરવા દેવા માટે પણ જમીનના કબજેદારોએ પૂર્વ પરવાનગી લેવાની રહેશે. અત્યારે મર્યાદિત સમયગાળા માટે બહાર પડાયેલા નોટિફિકેશનની મુદ્દત વધી પણ શકે તેમ હોવાથી આ પ્રકારના પ્રતિબંધો કાયમી ધોરણે લાગુ પડે અને સ્થાનિકોને પણ પરેશાની ન થાય અને યાત્રિકોને પણ સરળતા અને સુગમતા વધે, તે પ્રકારના નિયમનો તથા નિયંત્રણો રાજ્યના દરેક યાત્રાધામોમાં અલગ-અલગ સ્થાનિક સંજોગો, જરૂરિયાતો અને ભૌગોલિક સ્થિતિને અનુરૂપ ઘડાય, તે જરૂરી છે.

હુતાશણીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે દ્વારકા અને નજીકના બેટ દ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાજી સહિતના પાવન યાત્રાસ્થળો પર પણ આ પ્રકારના પ્રબંધો તથા પ્રતિબંધો મર્યાદિત સમય માટે લગાવાશે અને તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ થશે, પરંતુ આ તમામ પ્રબંધો-વ્યવસ્થાઓ તથા વૈકલ્પિક સુવિધાઓનો પૂરતો પ્રચાર-પ્રસાર નહીં થતો હોવાથી તહેવારો કે ઉજવણીઓના દિવસોમાં યાત્રિકો અટવાતા હોય છે અને નફાખોરી તથા ઉઘાડી લૂંટનો ભોગ બનતા હોય છે.

આમ પણ સરકારી કાર્યક્રમો, સિદ્ધિઓ તથા મહત્ત્વપૂર્ણ દિવસોના સંદર્ભે સરકાર દ્વારા વિજ્ઞાપનો અપાતા જ હોય છે, ત્યારે મહત્ત્વના પર્વો, તહેવારો દરમ્યાન પબ્લિક માટે કરાયેલી વ્યવસ્થાઓ તથા દ્વારકા જેવા મોટા યાત્રાધામોમાં કાયમી ધોરણે કરાયેલી વ્યવસ્થાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે માત્ર માહિતીખાતા દ્વારા પ્રેસનોટોના બદલે વ્યાપક પ્રચાર-પ્રસાર થાય, તેવી રીતે અખબારી માધ્યમોથી જાહેરાતો તથા સ્થાનિક કક્ષાએ યાત્રાધામના શહેરો-ગામો-સંકુલોમાં ઠેર-ઠેર પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઊભી કરીને સતત માર્ગદર્શક એનાઉન્સીંગ થતું રહેવુ જરૂરી છે. આવું કરવાથી અજાણ્યા યાત્રિકો લોકલ નફાખોરીનો ભોગ બનતા અટકશે, અને લેભાગૂ તત્ત્વો ઉઘાડી લૂંટ નહીં કરી શકે. રાજ્યના કેટલાક યાત્રાધામોમાં આ પ્રકારની પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, પરંતુ તે માત્ર મુખ્ય મંદિરની આસપાસ જ હોવાથી યાત્રિકોને સંપૂર્ણ અને સમયોચિત માહિતી પહોંચતી જ નથી અને તેઓ મજબૂરીમાં "લૂંટાતા" હોય છે, અને આ સ્થિતિ "ઓપન સિક્રેટ" છે, અને સૌ કોઈ જાણે જ છે.

યાત્રાધામોમાં મુખ્ય મંદિરોની નજીક યાત્રિકે પોતાના મોબાઈલ, સામાન, કેમેરા વગેરે રાખી શકે, અને પરત મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ હોય છે અને સમયાંતરે તેનું નવીનીકરણ કે વિસ્તૃતિકરણ થતું રહેતુ હોય છે, પરંતુ તેની જાણ બહારથી આવતા યાત્રિકોને હોતી નથી અને રેલવે સ્ટેશન, બસડેપો કે અન્ય વાહનોમાંથી ઉતરે કે પોતાના વાહનો નિયત કરેલા પાર્કિંગમાં મૂકે તે પછી છેક મંદિર સુધીના માર્ગે તગડી રકમ વસુલીને આ ચીજવસ્તુઓ સાચવતા ખાનગી સ્ટોલ અને શોપ ઊભા કરીને ત્યાં સતત એનાઉન્સીંગ થતું હોવાથી મોટાભાગના લોકો લૂંટાતા હોય છે, અને વહીવટીતંત્ર, મંદિર સમિતિઓ કે પંચાયત-પાલિકાઓ દ્વારા નિઃશુલ્ક કાયમી સુવિધાઓ સુધી પહોંચી શકતા નથી. આથી સર્વવ્યાપી સતત એનાઉન્સીંગ ઉપરાંત આ પ્રકારના મોબાઈલ કે થેલાદીઠ રૂ।. ૧૦૦ કે તેથી વધુ તગડી રકમ વસુલી અને યાત્રિકોની મજબૂરી તથા પૂરી માહિતીની અજ્ઞાનતાનો લાભ ઉઠાવતા લેભાગૂ ધંધાર્થીઓ પર "લગામ" લગાવવી જોઈએ.

યાત્રાધામોમાં પાર્કિંગ, અમાનતી સામાનઘર, નિવાસ, ભોજન, અલ્પાહાર તથા બૂટ-ચપ્પલ સાચવવા વગેરે સુવિધાઓ માટે ઘણાં સ્થળે ખૂલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવાતી હોય છે, અને યાત્રિકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવાતો હોય છે. બૂટ-ચપ્પલ સાચવવા માટે પણ મોટા ભાગના યાત્રાસ્થળોમાં નિઃશુલ્ક સુવિધાઓ હોય છે, પરંતુ માહિતી અને માર્ગદર્શન તથા સતત એનાઉન્સીંગ, ઠેર-ઠેર માર્ગદર્શક બોર્ડના અભાવે યાત્રિકો કાં તો આવી સગવડ આપતા ખાનગી લેભાગૂઓનો ભોગ બનતા હોય છે, અથવા તો ગમે ત્યાં બૂટ-ચપ્પલ ઉતાર્યા પછી તેની ચોરીનો ભોગ બનતા હોય છે તેથી યાત્રાધામો અને મેળાઓ, મેળાવડાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ હોવા છતાં યાત્રિકો લૂંટાતા હોય તો તેના પર અંકુશ લાવવાના બહુલક્ષી કદમ ઉઠાવવા જ પડે તેમ છે.

હમણાંથી ખિસ્સાકાતરૂ ઉપરાંત રસ્તા પર હાથમાંથી મોબાઈલ ઝુંટવી જતી તથા ભીડમાં ઘુસીને લોકોએ પહેલા આભૂષણોની ચીલઝડપ કરવાની પ્રવૃત્તિઓ ચલાવતી ગેંગોનો પ્રકોપ વધ્યો છે અને યાત્રાધામો, મેળાઓ, અને ધાર્મિક-સામાજિક પ્રસંગોમાં સ્વયં શૂટેડ-બૂટેડ થઈને સજ્જન-સન્નારી હોય તેવા પહેરવેશમાં ઘૂસી જઈને લોકોની કિંમતી ચીજવસ્તુઓ ચોરીને કે સેરવીને ભાગી જવાની નવી મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે, જેની સામે તંત્રોએ વધુ ચોકસાઈ, અદ્યતન ટેકનોલોજી આધારિત નિરીક્ષણ અને ઘટના પછી ભોગ બનનારની મદદ માટે ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ ઊભી કરવાની જરૂર પણ વધી ગઈ છે.

તંત્રો દ્વારા થતી વ્યવસ્થાઓની જાણ જન-જન સુધી પહોંચે તેવી કાયમી સિસ્ટમ ઊભી કરવા ઉપરાંત યાત્રાસ્થળોમાં નફાખોરી કે ઈજારાશાહી ઊભી કરીને યાત્રિકોને બહાર લૂંટતા પરિબળોને કડકમાં કડક સજા થાય તેવો કોઈ કાયદો પણ ગુજરાત વિધાનસભાએ ઘડવો જોઈએ, અને આવા ગોરખધંધા ચાલતા હોય, ત્યાંના સ્થાનિક જવાબદાર તંત્રો તથા સંસ્થાઓની જવાબદારી નક્કી કરીને તેઓને પણ દંડ-સજા થાય, તેવો કડક કાયદો જરૂરી છે, કારણ કે અત્યારે આવા નિંભર પરિબળોને કાયદાનો ડર જ રહ્યો નથી.

બેટ દ્વારકાનો સુદર્શન બ્રિજ જેટલો વિખ્યાત બન્યો છે, તેટલીજ કૂખ્યાત ત્યાંની પાર્કિંગ વ્યવસ્થા તથા અન્ય મૂળભૂત વ્યવસ્થાઓ બની રહી છે. યાત્રિકોને "ધરાર" લૂંટાવું જ પડે તેવી ઈજારાશાહી નાગેશ્વર, દ્વારકા, બેટ દ્વારકામાં ઊભી થઈ છે અને પ્રસાદની સામગ્રી, ચા-નાસ્તો, રિક્ષા, ભોજન અને નિવાસથી માંડીને ચીજવસ્તુઓ કે બૂટ-ચપ્પલ સાચવવા માટે પણ યાત્રિકોની લૂંટ ચાલી રહી હોય ત્યારે કડક નિયમ-કાયદા અત્યંત આવશ્યક બન્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પાછલા બારણેથી દારૂબંધી હળવી કરવા કે તદ્દન હટાવી લેવાના પ્રયાસો ? ભાજપની હિલચાલ કે વ્યૂહ ?

                                                                                                                                                                                                      

ગુજરાતમાં દારૂબંધી વર્ષ ૧૯૬૦થી જ લાગુ પડી ગઈ હતી. વર્ષ ૧૯૬૦માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત છુટુ પડયુ અને સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારથી જ રાજ્યમાં દારૂબંધી (નશાબંધી) લાગુ પડી હતી.

હકીકતે ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દારૂબંધીના પ્રખર હિમાયતી હતા, તેથી તેઓના સન્માનમાં ગુજરાત રાજયની રચનાથી જ દારૂબંધી લાગુ પડી ગઈ હતી. બૃહદ મુંબઈ રાજ્યમાં પ્રોહીબિશન એકટ-૧૯૪૯ અમલમાં હતો, અને તેમાં ઘણાં કડક સુધારા થયા હતા. વર્ષ ૧૯૬૦માં તેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો બન્યા, તે પછી મહારાષ્ટ્રમાં તો વિદેશી દારૂનું વેચાણ તથા ઉત્પાદનની છૂટછાટ મળી પરંતુ ગુજરાતે ગાંધીજીના માનમાં સ્થાપના થતાં જ સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી દીધી હતી અને આજ પર્યંત દારૂબંધી છે. જો કે, આરોગ્યના હેતુઓ માટે, મિલ્ટ્રીમેનો માટે અને વિદેશી મહેમાનો માટે વખતોવખત છૂટછાટ અપાતી રહી છે અને એ માટે અલાયદી પરમીટ (પરમીશન) લેવી પડે છે., પરંતુ ગુજરાતમાં દેશી કે વિદેશી દારૂનું સેવન, વેચાણ, હેરફેર, સંગ્રહ, ઉત્પાદન કે તદ્વિષયક માર્કેટીંગ કરવાની સખ્ત મનાઈ છે, એટલું જ નહીં, દારૂ બનાવવાનો કાચો માલ, મોલાસીસ, નવસાર, રસાયણો કે સાધનો પકડાય તો પણ વર્ષ ૧૯૬૦નો પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

જો કે, ગાંધીનગરના ગિફ્ટસિટીમાં પરમીટના આધારે દારૂના વેચાણ અને સેવનની છૂટ અપાઈ છે, અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પરમીટ ધરાવતા લોકોને વેચાણ માટેના પરવાના પણ અપાયા છે. જો કે, ત્યાં પણ ૨૧ વર્ષની ઉંમરથી નીચેની વયના લોકોને દારૂના સેવનની છૂટ નથી.

આ તો કાનૂની દૃષ્ટિએ રાજ્યમાં 'કડક' દારૂબંધીની વાત થઈ, પરંતુ હકીકતે રાજ્યમાં દારૂબંધી કેટલી કડક છે અને જેટલો જંગી જથ્થો પકડાય છે, તેનાથી  અનેકગણો વધુ દારૂનો જથ્થો પીવાય છે, જેમાં મોટા પ્રમાણમાં ઉત્પાદિત થતા દેશી દારૂ તથા મોટા પ્રમાણમાં ઘુસાડાતો વિદેશી દારૂ હોય છે. આ જંગી જથ્થો એક સમાંતર માર્કેટ ધરાવે છે, જે તદૃન ગેરકાયદે હોવા છતાં સિસ્ટોમેટિક રીતે ખૂલ્લેઆમ ધમધમી રહી છે. આવું કેમ થઈ રહ્યું છે એ પણ ઓપન સિક્રેટ જ છે ને ?

ગુજરાતની જેમ જ બિહારમાં એપ્રિલ ૨૦૧૬માં તે સમયની મહાગઠબંધન સરકારે સંપૂર્ણ દારૂબંધી લાગૂ કરી હતી. મહાગઠબંધનમાં જનતાદળ યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતાદળ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સામેલ હતા. તે સમયે તેજસ્વી યાદવ, નીતિશકુમારના સમર્થનમાં હતા, અને નીતિશકુમારે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન તે સમયે મહિલાઓને સંપૂર્ણ દારૂબંધીનું વચન આપ્યું હતું અને તેનું પાલન કરીને સંપૂર્ણ દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાતની જેમ જ બિહારમાં દારૂબંધી સફળ થઈ રહી નહીં હોવાની ચર્ચાઓ પણ અવારનવાર થતી રહે છે, અને તેમાં તથ્ય પણ છે.

બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ થઈ, તેને એપ્રિલમાં દસ વર્ષ પૂરા થશે. આ સમયે દારૂબંધીના કાયદાની પુનઃ સમીક્ષા કરવાની માંગણી બિહારમાં જોરશોરથી ઉઠી રહી છે. બિહારની વિધાનસભામાં સૌથી વધુ ચર્ચા પણ દારૂબંધીની જ થઈ રહી છે. એવું કહેવાય છે કે નીતિશકુમારની જીદના કારણે બિહારમાં દારૂબંધી લાગુ કરી દીધા પછી એક તરફ તો ગુજરાતની જેમ જ બિહારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પીવાય છે અને પકડાય છે, અને દારૂબંધી નિષ્ફળ ગઈ છે તો બીજી તરફ આ નીતિના કારણે બિહાર સરકારના ખજાનાને ફટકો પડી રહ્યો છે., બિહારમાં દારૂબંધી લાગૂ નહોતી, તે સમયે સરકારને શરાબ પરના શુલ્કમાંથી જે મબલખ આવક થતી હતી, તે સદંતર બંધ થઈ ગઈ છે, અને તે ભ્રષ્ટાચારીઓ તથા બૂટલેગરોના હાથમાં જઈ રહી હોવાની વાતો પણ થઈ રહી છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે બિહારની વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના પ્રમુખ મૂકેશ સહનીએ એવો આક્ષેપ લગાવ્યો છે કે ભાજપ સ્વયં બિહારમાંથી શરાબબંધી ખતમ કરવા ઈચ્છે છે, પરંતુ તે બીજાના ખભે રાખીને બંદુક ફોડવા માટે જુદી જુદી પદ્ધતિથી શરાબબંધી સામે સવાલો અન્ય લોકો, સંગઠનો કે પાર્ટીઓ દ્વારા ઉઠે તેવું પરસેટશન ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમણે એવો સણસણતો સવાલ ઉઠાવ્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની અસ્વસ્થાનો ગેરલાભ ભાજપ ઉઠાવી રહ્યો છે, અને બિહારના શાસન પર ભાજપ પ્રભાવી બની રહ્યો છે. ટૂંકમાં પાછલા બારણેથી ભાજપ જ બિહારમાં દારૂબંધી હળવી કે ખતમ થઈ જાય, તેવી ચાલ ચાલી રહ્યું છે.

બિહારમાં કોંગ્રેસના એક ધારાસભ્યે તો તમામ ધારાસભ્યો તથા અધિકારીઓના બ્લડ ટેસ્ટની માંગણી ઉઠાવી દીધી, તો રાજકીય પક્ષો એકબીજા પર આરોપો-પ્રતિઆરોપો કરી રહ્યા હતા. બિહારના કેબિનેટ મંત્રી અશોક ચૌધરીએ વર્ષ ૨૦૧૬થી આજ સુધી પકડાયેલી શરાબના આંકડા આપ્યા, તો અન્ય માદક દ્રવ્યો પણ પકડાયા હોવાથી ડ્રગ્સની બદી પણ વધી રહી હોવાના આક્ષેપો થયા, અને ઉડતા પંજાબની જેમ ઉડતા બિહારની વાતો પણ થવા લાગી છે.

તેજસ્વી યાદવ પણ અવારનવાર શરાબબંધીના કારણે બિહારની સરકારની તિજોરીનો અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું  જણાવે છે અને કહે છે કે શરાબબંધીના ગેરકાયદે દારૂના કારોબારની ૪૦ હજાર કરોડ રૂપિયાની સમાંતર ઈકોનોમી રાજ્યમાં ચાલી રહી છે.

ગુજરાતમાં વર્ષ ૧૯૬૦ થી સંપૂર્ણ શરાબબંધી છે અને બિહારમાં વર્ષ ૨૦૧૬થી શરાબબંધી લાગુ કરાઈ છે. પરંતુ બંને રાજ્યોમાં દારૂની હેરફેર, વેચાણ, સંગ્રહ, સેવન અને ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થયા જ નથી, અને તેથી જ આ પોલિસીની ફેર વિચારણાની માંગણી ઉઠતી રહે છે. ગુજરાતમાં તો ગાંધીના રાજયમાં દારૂબંધી સંપૂર્ણપણે હટાવવી શક્ય નથી, પરંતુ બિહારમાં આ મુદ્દો લગભગ તમામ રાજકીય પક્ષોમાં મૂક સહમતિ હોવાની ગુસપુસ થતી રહે છે, પરંતુ કોઈ ખુલીને દારૂબંધી તદૃન હટાવી લેવાની માંગણી ઉઠાવી રહ્યું નથી. આ સંજોગોમાં બિહાર ભાજપ પણ આ દારૂબંધી હટાવવાની તરફેણમાં હોય તો પણ બિહારના જ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા પછી આ પ્રકારની બૂમરેંગ પૂરવાર થઈ શકે તેમ હોવાથી ભાજપ પાછલા બારણેથી શરાબબંધી હળવી કરવાની ફિરાકમાં હોવાના આક્ષેપો થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બદલતા સમીકરણો... પલટાતી માનસિકતા... સમય સમય બલવાન હૈ... નહીં માનવ બલવાન...

                                                                                                                                                                                                      

"સમય સમય બલવાન હૈ નહીં પુરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ વહી બાણ..." જેવી પંક્તિઓમાંથી એક નક્કર વાસ્તવિકતા પ્રગટે છે. ખરેખર, સમય બલવાન પણ છે અને ઔષધ પણ છે. જિંદગીની કડવી સ્મૃતિઓ તથા દિલ પર લાગેલા ઝખમોને સમયનો મલમ જ હળવા કરી શકે છે. કોઈ પણ વિપરીત સંજોગો, ગેરસમજ, ગુસ્સા કે મજબૂરીના કારણે બગડેલા સંબંધો પણ સમય જતા સુધરી જતા હોય છે, તો દુઃખના ડુંગર પણ સમય જતા હટી જતા હોય છે, સમય એવું ઔષધ છે, જે જૂના દર્દોને મટાડીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે, એવી જ રીતે આ જ સમયમાં એટલી તાકાત પણ છે, જે ભલભલા તાનાશાહોને પણ તબાહ કરી શકે છે અને હરામખોરોને હણી પણ શકે છે. એક સમયે સર્વ સત્તાધીશ કે સર્વાધિક બુદ્ધિશાળી ગણતા લોકો પણ એ જ સમયની થપાટો પડયા પછી સત્તાવિહોણા-લાચાર અને પાગલ કે બુદ્ધુ બની જતા હોવાના ઘણાં દૃષ્ટાંતો ઈતિહાસમાં મોજુદ છે.

ગુજરાતના ભૂતકાળમાં ઘણાં દિગ્ગજો આજે અતિતના અંધકારમાં અટવાઈ રહ્યા છે, તો હાલારના ઘણાં મોટા માથાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

 દુનિયામાં પણ હિટલર, ઈદી અમીન, નેપોલિયન જેવા તાનાશાહો તથા સદામ હુશેન જેવા શક્તિશાળી સરમુખત્યારોનો અંજામ કેવો આવ્યો હતો, તેની કથાઓ તવારીખમાં લખાઈ ગયેલી છે અને તેના વિષે આપણે બાળપણથી જ ભણતા પણ આવ્યા છીએ. આ દૃષ્ટાંતોના કારણે જ "સમય સમય બલવાન હૈ" અને "એક દિન બીક જાયેગા માટી કે મોલ" જેવી પંક્તિઓ વધુ ને વધુ પ્રચલીત બની રહી છે.

ટ્રમ્પના ટેરિફે આખી દુનિયામાં ઉથલ-પાથલ મચાવી દીધી અને વ્યાપારનો ટ્રમ્પે હથિયારની જેમ ઉપયોગ કર્યો. વિશ્વની સૌથી જૂની (અર્વાચીન યુગની) લોકશાહી ધરાવતા અમેરિકાની ચાર વર્ષ પહેલા જે થોડી ઘણી ઈજ્જત અને આદર હતા. તે ટ્રમ્પે હવે તદ્દન ડુબાડી દીધા છે. માત્ર સમૃદ્ધિ, સૈન્ય તાકાત કે વૈશ્વિક નિયમોને નેવે મૂકવાની એકતરફી મન્સુફી દેખાડીને દુનિયાનું દિલ જીતી શકાતુ નથી કે દુનિયાને દબાવીને મહાન બની શકાતુ નથી. હવે ટ્રમ્પને તેમના જ દેશની સર્વોચ્ચ અદાલતે લપડાક લગાવી અને ટ્રમ્પની ટેરિફ નીતિને ગેરકાયદે ઠરાવી દીધી ત્યારે યાદ આવી ગયું કે ખરેખર "સમય" જ બલવાન છે, ટ્રમ્પ નહીં, પરંતુ ટ્રમ્પ સર્વોચ્ચ અદાલતનું માનવા પણ તૈયાર નથી, હવે શું ?

અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે કટોકટીની કલમોનો ઉપયોગ કરીને ટ્રમ્પે ટેરિફ વધાર્યા છે, પરંતુ આ સત્તા ફક્ત અમેરિકાની કોંગ્રેસ (સંસદ) ને જ છે, અમેરિકાના રાષ્ટ્રપતિને આ સત્તા જ નથી, એટલે કે ટ્રમ્પના ટેરિફને સંબંધિત તમામ નિર્ણયો ગેરબંધારણીય હતા. પરંતુ મોડી રાત્રે ટ્રમ્પે ગઈકાલે જ સુપ્રિમ કોર્ટના ફેંસલાને ઠુકરાવીને આખી દુનિયા પર વધુ ૧૦ ટકા ટેરિફની જાહેરાત કરી દીધી !

જો કે, અમેરિકાના બંધારણ અને ત્યાંની સંસદની પ્રણાલિકાઓ મુજબ હવે પછી શું થાય છે અને ટ્રમ્પે ગઈરાત્રે પ્રેસ કોન્ફરન્સમાં નનૈયો ભણ્યા પછી સર્વોચ્ચ અદાલતનો આ ચૂકાદો ટ્રમ્પ માટે બાહય થાય છે કે પછી હજુ કોઈ નવું ગતકડું નીકળે છે, તે તો હવે જ ખબર પડશે, પરંતુ એ હકીકત છે કે અત્યારે તો અમેરિકાના તૂંડમિજાજી રાષ્ટ્રપતિ ટ્રમ્પની હેંકડી તો વહેલી મોડી નીકળી જ જશે, પરંતુ અત્યારે તો ટેરિફાતંક ઝઝુંબી જ રહ્યો છે.

બીજી તરફ ટ્રમ્પ હવે ચીનની મુલાકાતે જવાના છે. જ્યારે ટ્રમ્પે ભારત પર પણ ૫૦ ટકા ટેરિફ ઝીંક્યો હતો અને દુનિયાના ઘણાં દેશો પર ટ્રમ્પના ટેરિફનો આતંક છવાયો હતો, ત્યારે પુતિન, જીનપીંગ અને પી.એમ. મોદીની ત્રિપુટીએ ચીનમાં એક કાર્યક્રમમાં સંયુક્ત રીતે હાવભાવ દેખાડ્યા, તે પછી ટ્રમ્પને પણ અંદાજ આવી ગયો હશે કે આ ત્રણેય દેશો જો એકજૂથ થઈ જાય અને યુરોપ તથા અન્ય દેશો સાથે વ્યાપારિક તથા સામરિક અને કૂટનૈતિક સંબંધો વધી જાય, તો જગતના જમાદારને પણ હંફાવી શકે છે...

ગઈકાલે રાત્રે પોતાના દેશની જ સર્વોચ્ચ અદાલતની અવગણના કરીને મનસ્વીપણુ દેખાડનાર ટ્રમ્પની હરકતોની જેમ જ તેઓના નિર્ણયો પણ બદલતા રહે છે અને શાહબાજ જેવા વડાપ્રધાનોની વ્યંગાત્મક ઢબે બેઈજ્જતિ પણ તેઓ કરતા રહે છે, તેથી ચીનની મુલાકાત પછી કોથળામાંથી બિલાડૂ નીકળે છે કે પછી ચીનનો ચિંટિયો તેને પરેશાન કરે છે, તે જોવાનું રહે છે. જો કે, ટ્રમ્પ-જીનપીંગની મુલાકાત પહેલા અને પછી પણ ભારતે ચેતવા જેવું ખરૃં, જો કે, ગઈરાત્રે ટ્રમ્પે ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ બદલાવ નહીં થાય, તેમ પણ કહ્યું છે. અને આનો અર્થ એવો પણ થાય કે ભારત પર ૧૮ ટકા ટેરિફ ચાલુ જ રહેશે.

"સમય સમય બલવાન હૈ"ની બીજી બાજુ તાજુ દૃષ્ટાંત શેખ હસીના અને તારિક રહેમાન છે. દાયકાઓ સુધી બાંગલાદેશ પર એકચક્રી શાસન કરનાર શેખ હસીના અત્યારે ભારતમાં રાજ્યાશ્રય લઈ રહ્યા છે, અને તેની પાર્ટીને અવામી લીગને તો ચૂંટણી લડવાનો પણ અધિકાર અપાયો નહોતો, અને તેણીના ઘોર વિરોધી ખાલિદા જીયાના પુત્ર તારિક રહેમાન દાયકાઓ સુધી દેશથી દૂર રહ્યા પછી હવે બાંગલાદેશના વડાપ્રધાન બની ગયા છે. તારિક રહેમાન અને તેની સરકાર ભારત સાથેના બદલાતા વલણો પણ "સમય સમય બલવાન હૈ" ની જ દેણ છે ને ?

બીજી તરફ એ આઈ સમિટ દરમ્યાન વિવિધ દેશો સાથે ભારતની વાટાઘાટો તથા કેટલાક કરારોની વચ્ચે અમેરિકાના ભારતમાં રાજદૂત સર્જીયો ગોરે સંકેત આપ્યા છે કે ટ્રમ્પ હવે ભારતના પ્રવાસે આવવાની ઈચ્છા પણ ધરાવે છે. બીજી તરફ ઈરાન સાથે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે.

આ બધા ઘટનાક્રમો વિશ્વના ઝડપભેર બદલાતા સમીકરણો અને ટ્રમ્પ સહિતના વિશ્વના શક્તિશાળી ગણાતા નેતાઓની બદલતી માનસિકતા જોતા માનવું જ પડે કે "સમય સમય બલવાન હૈ...નહીં માનવ બલવાન..."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણાં દેશમાં સગીરો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ ? સંભાવનાઓ અને આશંકાઓ

                                                                                                                                                                                                      

જામનગરમાં અન્ડરબ્રિજ નજીકના સોસાયટી વિસ્તારમાં વિકાસનું કામ પૂરૃં કર્યા વિના ગાયબ થયેલા ઈજારેદાર સામે મહિલાઓએ માનવસાંકળ રચી અને તંત્રમાં દોડધામ મચી ગઈ. તે પછી આ ઘટનાને સોશ્યલ મીડિયા તથા પ્રેસ મીડિયામાં વ્યાપક પ્રસિદ્ધિ પણ મળી, આ જ પ્રકારે અત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો બનાવીને લોકોની સમસ્યાઓ, ગુણવત્તા વગરના કામો અને ગંદકી-ઉકરડા વગેરેની વાસ્તવિકતા લોકો સ્વયં ઉજાગર કરી શકે છે, જે સોશ્યલ મીડિયાનો સદુપયોગ ગણી શકાય.

આ જ રીતે શિક્ષણ, આરોગ્ય, જનકલ્યાણ, યોજનાકીય પ્રચાર, જનલક્ષી સંચાર-પ્રચાર અને જનજાગૃતિ માટે સોશ્યલ મીડિયાનો સદુપયોગ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે, અને મનોરંજન, સમાચાર, સંદેશા વ્યવહાર તથા વિવિધ ઉજવણીઓ માટે પણ સોશ્યલ મીડિયાનો વ્યાપક સદુપયોગ પણ વધી રહ્યો છે, તેથી સોશ્યલ મીડિયાની માત્ર નકારાત્મક બાબતોનો જ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરીને આ નવતર મીડિયા પર માછલાં ધોનારા પરિબળો સામે સજાગ રહેવું જરૂરી છે, પરંતુ તેઓ પણ તદ્દન ખોટા નથી. તેથી સંયોજીત અને તટસ્થ રીતે આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારવું જ જોઈએ ને ?

થોડો સમય પહેલા ત્રણ કિશોરીઓએ કોરિયન વીડિયો ગેઈમ્સના ચક્કરમાં પોતાનો જ જીવ લઈ લીધો અને આત્મહત્યા કરી લીધી હતી, તે પછી આપણાં દેશમાં બાળકો અથવા સગીરવયના કિશોર-કિશોરીઓ માટે સોશ્યલ મીડિયા અને વીડિયો ગેઈમ્સ તથા ઓનલાઈન ગેમ્બલીંગ વગેરે પર હકીકતમાં ચૂસ્ત પ્રતિબંધ લાદવાની જરૂર હોવાની જોરદાર માંગણી પણ ઉઠી હતી, અને ધીમે ધીમે આ અંગે જનમત પણ ઘડાઈ રહ્યો હતો, પરંતુ રાજનૈતિક મુદ્દાઓમાં અટવાયેલા રાજનેતાઓએ સંસદ અને રાજયોની વિધાનસભામાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો નહીં, અને લોકોની વચ્ચેજ ચર્ચાતો રહી ગયો હતો.

જો કે, ગઈકાલથી આપણાં દેશમાં સગીર વયજૂથ માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની વાત ફરીથી જોરશોરથી થવા લાગી છે, અને આ અભિપ્રાય એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાંથી ઉભરીને આવ્યો છે. અને હવે આ મુદ્દો કેન્દ્ર સરકારના ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક પ્રેસ-મીડિયા સુધી પડઘાઈ ચૂક્યો છે, તેથી બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં પણ આ મુદ્દો ગુંજવાનો છે, અને આ કારણે રાજનેતાઓ અને બ્યુરોક્રેટસ માટે પણ આ અંગે કોઈ નક્કર કદમ ઉઠાવવું અનિવાર્ય બની જવાનું છે.

બન્યું છે એવું કે દિલ્હીમાં "ઈન્ડિયા એઆઈ સમિટ" દરમ્યાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સની જેમ ભારતમાં પણ બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી હતી અને તેના દેશવ્યાપી તથા વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પણ પડયા હતા.

મેક્રોને કહ્યું હતું કે ફ્રાન્સે ૧૫ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પહેલાં સ્પેન, ગ્રીસ સહિતના યુરોપિયન દેશો પણ સામેલ થયા છે, ત્યારે ભારત પણ તેમાં જોડાઈ જાય, તે બાળરક્ષણ માટે ખૂબ જ સારું ગણાશે. બાળકોનું સોશ્યલ મીડિયાની ખતરનાક અને નકારાત્મક બાજુ સામે રક્ષણ કરવું કે માત્ર કાયદો ઘડવાની વાત નથી, પરંતુ સભ્યતાની પણ વાત છે.

ઓસ્ટ્રેલિયા પછી ફ્રાન્સ અને કેટલાક યુરોપિયન દેશો પણ આ પહેલમાં જોડાતા હોય અને તેમાં જો ભારત જેવો બહોળી કિશોર વયની જનસંખ્યા ધરાવતો દેશ પણ જોડાય જાય, તો સોશ્યલ મીડિયાના માધ્યમથી અબજો રૂપિયાની કમાણી કરતી વિશ્વકક્ષાની કંપનીઓ પર પણ પ્રેસર આવશે. મેક્રોને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છેે કે વિશ્વની સૌથી વધુ યુવાવર્ગની જનસંખ્યા ધરાવતા ભારત જેવા વિશાળ દેશમાં જો ક્રાંતિકારી ફેરફાર થશે, તો તેની અસર વિશ્વભરમાં પડશે જે સગીર વય જૂથના હિતમાં હશે, અને પી.એમ. મોદી પણ સમર્થન આપશે.

નવી દિલ્હીના ભારત મંડપમમાં ગઈકાલે ઈન્ડિયા એ.આઈ. સમિટનું ઉદ્ઘાટન થયું, તેનું થીમ પણ એ.આઈ.નો ઉપયોગ સર્વજન હિતાય, સર્વજન સુખાય કરવાનું રાખવામાં આવ્યું છે, ત્યારે દેશભરના કરોડો સગીરોના હિતાર્થે સોશ્યલ મીડિયા પર વાજબી અંકુશ મુકવામાં આવે કે ઈન્ટરનેટ જેવી અદ્યતન ટેકનોલોજીનો દુરૂપયોગ અટકાવવા માટે કડક નિયમો બનાવવા પડે કે કાયદો ઘડવો પડે, તો તેમાં પાછીપાની કરવી જોઈએ નહીં, અને શાસને સોશ્યલ મીડિયા ક્ષેત્રના સ્થાપિત હિતો ગમે તેટલા તાકતવર હોય, તો પણ તેના દબાણમાં આવવું જોઈએ નહીં, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.

જો કે, ભારત જેવા વિશાળ દેશમાં ઈન્ટરનેટ કે સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ થતો અટકાવવા કે સગીર વયજૂથ માટે સોશ્યલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો શક્ય છે ખરો ! તેવો પ્રયોગ કેટલો સફળ થાય ? શું આ પ્રકારના પ્રતિબંધોથી સગીર વયજુથ એ જ સોશ્યલ મીડિયાના સદુપયોગથી વંચિત રહી નહીં જાય ? આ પ્રકારની આશંકાઓ પણ ઉઠી રહી છે, જ્યાર આ પ્રકારનું કદમ નહીં ઉઠાવાય તો સગીર વયજૂથ પર બરબાદીના માર્ગે જવાનો ખતરો પણ મંડરાતો રહેશે, તે પણ હકીકત છે, તેથી આ મુદ્દે સંસદ, વિધાનસભાઓ તથા લોકમંચો-જાહેર પ્લેટફોર્મ પર પણ વ્યાપક ચર્ચાઓ કરીને કોઈપણ યોગ્ય નિર્ણય તો સગીર વયજૂથના હિતાર્થે કેન્દ્ર સરકારે લેવો જ પડે તેમ છે, તે નક્કર હકીકત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કોને કેવું લાગ્યું જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્યનું બજેટ ?

                                                                                                                                                                                                      

ગઈકાલે એક તરફ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું, તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ જામ્યુકોના સંકુલમાં જનરલ બોર્ડમાં રૂ।. ૧૮૫૪ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. આ બંને બજેટના પ્રતિભાવો અને વિશ્લેષણો ગઈકાલથી જ પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયા તથા રાજકીય વર્તુળોમાં પડઘાવા લાગ્યા હતા.

નાણામંત્રીએ વર્ષ ૨૦૨૬-૨૭માં કરેલી ફાળવણીઓ અને જાહેરાતોની વિસ્તૃત વિગતો હવે સૌ કોઈની સામે આવી ગઈ છે, અને તેનું ઊંડુ અધ્યયન પણ થઈ રહ્યું છે., ખાસ કરીને સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની જાહેરાત, સોમનાથ અને અંબાજીમાં અદ્યતન બસપોર્ટ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે, પોરબંદર સહિત પાંચ શહેરોના એરપોર્ટનો વિકાસ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામોનું ડેવલપમેન્ટ, દ્વારકા, કચ્છનો માતાનો મઢ, ગીરનાર, અંબાજી તથા ડાકોરમાં ધાર્મિક મેળાઓ માટે વિશેષ જોગવાઈ, સોમનાથ અને શીવરાજપુર બીચના વિકાસનો ઉલ્લેખ, વિસાવાડા, પોરબંદરનો સ્થાનિક વિકાસ હિરાસર સહિત રાજ્યના પાંચ શહેરોને સેટેલાઈટ ટાઉન બનાવવાની યોજના, રાજકોટ સહિત ચાર શહેરોમાં આઈ હબની સ્થાપના, જામનગર સહિત ત્રણ શહેરોમાં આઈ.વી.એફ.ની સગવડ વગેરે જોગવાઈઓ અને જાહેરાતો ધ્યાન ખેંચે તેવી છે.

વિરોધપક્ષના પ્રતિભાવો સ્વાભાવિક રીતે જ ટીકાત્મક હોય છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બજેટમાં ખેડૂતોને અપાતી વીજસહાયમાં કાપ મૂકાયો હોવાનું જણાવી સરદાર સરોવર યોજનાનું ફંડીંગ પણ ઘટાડી દેવાયો હોવાની આલોચના કરી હતી. તો આમઆદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કૂપોષણ નિવારવાના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. ગોપાલ ઈટાલિયાએ પણ શિક્ષકોની ઘટ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓના અભાવના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વિપક્ષી તેના અમિત ચાવડા સહિતના નેતાઓએ બજેટને ચૂંટણીલક્ષી ગણાવીને સરકારે ગામડાઓને અન્યાય કરીને આગામી પાલિકા-મહાપાલિકાઓની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને શહેરોને વધુ ફાળવણી કરવાની ટકોર સાથે કહ્યું હતું કે રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં બજેટમાં રૂ।. ૭ હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે, જયારે ગ્રામ્ય વિસ્તારો માટે માત્ર રૂ।. ૬૯ કરોડનો વધારો સૂચવાયો છે, જે ગામડાઓ સાથે દેખીતો અન્યાય છે. ગરીબોના કાચા મકાનોને પાકા બનાવવા બજેટમાં કોઈ વધારો થયો નથી. ખેડૂત વીજ સહાય યોજનામાં રૂ।. ૧૨૮૯ કરોડનો ઘટાડો કરાયો છે. સ્વચ્છ ભારત અભિયાન માટેની જોગવાઈઓમાં પણ રૂ।. ૧૩૧ કરોડનો ઘટાડો કરાયો છે.

બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા કરવેરા નાખ્યા નથી, તેમ જણાવી બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રખાયુ હોવાનો દાવો કર્યો હતો તથા હાઈસ્પીડ કોરિડોર, આદિવાસી વિસ્તાર વિકાસ, વિકસિત ગુજરાત-૨૦૪૭ વગેરેનો આંકડાકીય વિગતો સાથે ઉલ્લેખ કરીને નાણામંત્રી કનુભાઈ દેસાઈની પીઠ થાબડી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પત્રકાર પરિષદ યોજીને ગત વર્ષ કરતા ૩૭,૮૦૩ કરોડ રૂપિયાના વધારા સાથે રજૂ થયેલા રૂ।. ૪.૦૮ લાખ કરોડના બજેટની વિસ્તૃત વિગતો આપી હતી.

ગુજરાતના મોટા ભાગના શહેરોના ઉદ્યોગજગત તથા શાસકપક્ષના નેતાઓ અને બુદ્ધિજીવીઓના હકારાત્મક પ્રતિભાવો આવ્યા છે, તો ખેડૂતવર્ગ અને જેન-ઝેડમાંથી મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેકસની અપેક્ષા સંતોષાઈ નહીં હોવાના પ્રત્યાઘાતો પણ પડયા હતા. હીરા ઉદ્યોગના ક્ષેત્રોના મુદ્દે લોકો નારાજ થયા હોવાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી, અને નાના વેપારીઓ માટે બજેટમાં કોઈ જોગવાઈ નહીં હોવાના પ્રત્યાઘાતો પડયા હતા. હીરા ઉદ્યોગની લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રે સહાયની જાહેરાતની અપેક્ષા સંતોષાઈ નહીં હોવાની નારાજગી પણ તદ્વિષયક પ્રત્યાઘાતોમાં પડઘાઈ હતી.

એક તરફ ગુજરાતના બજેટને લઈને વિવિધ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા હતા, તો બીજી તરફ ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પ્રગટેલા દસ માથાવાળા રાવણ તથા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે જનરલ બોર્ડમાં રજૂ થયેલા બજેટની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ વિપક્ષોએ વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા અને સૂચનો પણ કર્યા હતા. તે પહેલા સભાગૃહ પાસે ધરણા, સુત્રોચ્ચાર, પ્રદર્શન કરીને શાસકપક્ષ દ્વારા ૪૦ ટકાનો ભ્રષ્ટાચાર ચલાવાઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. બજેટમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચોક્કસ જગ્યા નક્કી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારવાની સાથે સાથે ફેરિયાઓની રોજીરોટી છીનવાઈ ન જાય, તેવો ઉપાય કરવાનો "નોબત" દ્વારા અત્રેથી કરાયેલા સૂચનો પ્રતિઘોષ સંભળાયો હતો, અને મહાનગરપાલિકાના રિઝર્વ-પ્લોટોમાં ફેરિયાઓને જગ્યાની ફાળવણી ઉપરાંત ઓવરબ્રિજની નીચે ફૂડઝોન તથા ગેઈમ ઝોન બનાવવાની જાહેરાત પણ થઈ હતી.

ઓવર બ્રિજની નીચે ફૂડઝોન, પાર્કિંગ અને ગેઈમ ઝોન બનાવવાની વાતો એ પહેલા પણ થઈ હતી, પરંતુ કોઈ કારણે તેમાં પ્રગતિ થઈ હોય તેમ જણાતું નથી. જો કે, ભાવબાંધણા ઉપરાંત પણ ઓવરબ્રિજની નીચે જ કોઈપણ પ્રવૃત્તિઓ થાય, તો તેમાં શોટ સરકીટ, આગ-દુર્ઘટના કે અન્ય જોખમો ઊભા ન થાય, તેની કાળજી રાખવા તથા સેઈફગાર્ડ નક્કી કરવા પણ વિચારવું પડે તેમ છે.

ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થયા પછી એક તરફ બજેટનો વિસ્તૃત અભ્યાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગયા વર્ષના બજેટ સાથે તુલના કરવામાં આવી રહી છે, અને રાજ્ય સરકારે ભૂતકાળમાં કરેલી જાહેરાતો પૈકી કેટલી વાસ્તવમાં અમલી બની અને કેટલી વિસરાઈ ગઈ તેની ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે, તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકાના ગત વર્ષના બજેટ તથા તે પછી કરાયેલી જાહેરાતો અને કરાયેલા વાયદાઓમાંથી કેટલા અમલી બન્યા અને કેટલા વિસરાઈ ગયા, તેની સમીક્ષા પણ થઈ રહી છે.

કેન્દ્રીય બજેટમાં જ રેલવે બજેટ રજૂ થઈ જતું હોવાથી પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી કેટલીક જાહેરાતોમાં હાલાર અને સૌરાષ્ટ્રની રેલવેને લગતી કેટલી માંગણીઓ સંતોષાઈ છે, તે બિલોરી કાચ લઈને જોવું પડે તેમ હોવાના પ્રત્યાઘાતો સાથે દ્વારકાથી મથુરા થઈને હરિદ્વારની ટ્રેનો અંગે ભૂતકાળમાં તત્કાલિન રેલવે રાજ્યમંત્રી દ્વારા કરાયેલા વાયદાઓનું શું થયું ? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.

એકંદરે આ ત્રણેય બજેટોમાં રજૂ થયેલી આંકડાઓની ભરમારની ટીકા-ટિપ્પણી સાથે સાથે કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતોની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ડ્રગ્સ માફિયાઓને ડામવા શ્રીલંકા ફેઈમ કડક પગલાં ઉઠાવો હર્ષભાઈ... દારૂબંધી અને નશાબંધી ક્યારે સાર્થક થશે ?

                                                                                                                                                                                                      

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શરાબીઓ ઝુમતા જોવા મળી રહ્યા છે, તેવી જ રીતે નશાબંધી હોવા છતાં ડ્રગ્સના વ્યસનીઓ પકડાતા રહે છે. ગુજરાતમાં લાંબો દરિયા કિનારો હોવાથી આ રસ્તે ડ્રગ્સ ઘુસાડવાનો કોન્સેપ્ટ ડ્રગ્સ માફિયાઓને જૂના સ્મગલીંગના દરિયાઈ માર્ગોમાંથી મળ્યો હશે, પરંતુ હવે ડ્રગ્સ માટે ગુજરાત કદાચ ગેટ વે ઓફ ઈન્ડિયા બની ગયું છે, અને ગુજરાતમાં પણ ડ્રગ્સના પેડલર્સ અને એજન્ટો ઉપરાંત વ્યસનીઓ પણ વધી રહ્યા હોવાના સંકેતો મળતા રહે છે.

ગઈકાલે જ અહેવાલો આવ્યા હતા કે પોરબંદરના દરિયામાંથી કરોડોની કિંમતનું ૨૦૦ કિલો ડ્રગ્સ પકડાયું છે. આ પહેલાં પણ એપ્રિલમાં પોરબંદરથી લગભગ ૨૦૦ કિ.મી. દૂર એક બોટને આંતરીને પુછપરછ કરાતા ડ્રગ્સ તસ્કરો દરિયામાં જથ્થો ફેંકીને ભાગ્યા હતા, જેની કિંમત લગભગ ૧૮૦૦ કરોડ થતી હતી. વર્ષ ૨૦૨૪માં પણ ૮૬ કિલો ડ્રગ્સ પકડાયું હતું, જેની કિંમત રૂ।. ૬૦૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી. તે પહેલાં આ વિસ્તારમાંથી જ અંદાજે ૨૦૦૦ કરોડની ૩૩૦૦ કિલો ડ્રગ્સ ઝડપાઈ હતી.

તાજેતરમાં જ એસઓજીએ ખાવડી નજીકથી એક હોટલમાંથી લગભગ ૮૩ લાખની હેરોઈન સાથે ચાર શખ્સોને દબોચ્યા હતા. તે પહેલા સપ્ટેમ્બર ૨૦૨૪માં જોડિયા તાલુકામાંથી રૂ।. ૨૫ લાખની કિંમતનું ૪૯૮ ગ્રામ ડ્રગ્સ, અને ઓકટોબરમાં દરિયાકાંઠેથી બે લાખથી વધુ કિંમતનું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું હતું.

વર્ષ ૨૦૨૪માં દ્વારકા જિલ્લામાં બિનવારસુ ડ્રગ્સનો સીલસીલો ચાલ્યો હતો, અને દરિયાકાંઠેથી જૂન ૨૦૨૪માં ૩૨ કિલો અફઘાની ડ્રગ્સ મળી આવ્યુ હતું, જેની કિંમત લગભગ રૂ।. ૧૬ કરોડની થવા જતી હતી. એટીએસ દ્વારા સલાયામાંથી ૧૨૦ કિલો હેરોઈન પકડાયેલું, જેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હતા. મે ૨૦૨૩માં પણ ખંભાળીયામાંથી દોઢ લાખના ડ્રગ્સ સાથે મુંબઈનો સપ્લાયર ઝડપાયો હતો.

વર્ષ ૨૦૨૦થી વર્ષ ૨૦૨૫ દરમ્યાન ગુજરાતમાંથી લગભગ ૧.૩૦ લાખ કિલોથી વધુ નશીલા પદાર્થો ઝડપાયા છે, જેમાં ૭૧,૪૮૭ કિલો ગાંજો, ૫૬,૪૭૭ કિલો અફીણ, ૨૦૪૭ કિલો સિન્થેટિક ડ્રગ્સ અને ૨૦૪ કિલો કોકેઈનનો સમાવેશ થાય છે. ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની ગયું તેના કારણોની ચર્ચા પણ અવારનવાર થતી રહે છે.

શ્રીલંકામાં વર્ષ ૨૦૧૯માં રાજકીય ઉથલપાથલ થઈ અને મૈત્રીપાલ સિરિસેના ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા, પછી ડ્રગ્સ માફિયાઓ અને તસ્કરો પર તવાઈ બોલાવી અને ડ્રગ્સના ગૂન્હામાં ઝડપાયેલા ચાર આરોપીઓને ફાંસીએ ચડાવાયા, શ્રીલંકામાંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ ઓસ્ટ્રેલિયા ખંડ તથા યુરોપના દેશોમાં ડ્રગ્સનો જથ્થો મોકલતા હતા. પરંતુ ત્યાંના કાયદા કડક થઈ જતા ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારા પર પડી, ત્યાંથી ભૂતકાળમાં મોટા પાયે દાણચોરી થતી હતી. અને તે પણ ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં થઈને  કેટલાક રાજ્યોમાં થોડો જથ્થો મોકલે, પરંતુ મોટા ભાગનો જથ્થો બીજી બોટોમાં ભરીને લાઓસ, જામનગર, ઉઝબેકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અને યુરોપના દેશો તરફ મોકલવાની ડ્રગ્સ માફિયાઓની આખી આંતરરાષ્ટ્રીય સરકીટ કામ કરી રહી હોવાનું કહેવાય છે.ં

ભૂતકાળમાં હાલારના સલાયા અને ઓખા તથા કચ્છના માંડવી સહિતના સૌરાષ્ટ્રના બંદરે સોનુ, ઈલેકટ્રોનિક સામાન અને અદ્યતન ઘડિયાળો વગેરેની દાણચોરી થતી હતી અને પોરબંદરના ગોસાબારામાં આરડીએકસ તથા હથિયારોની ખેપ પણ ઉતરી હતી, અને જેનો ઉપયોગ મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટીંગ માટે થયો હતો. હવે આ જ રૂટ પર ડ્રગ્સની હેરાફેરી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને કેટલાક નવા સ્થળો પણ ડ્રગ્સ માફિયાઓ તથા તસ્કરોએ શોધી કાઢ્યા હોય, તેમ લાગે છે. લાંબા દરિયા કાંઠો, હજારો બોટો, સેંકડો નાના વહાણો તથા મોટા જહાજોની વિશાળ મહાસાગરમાં દેખરેખ કરવી એ પડકારરૂપ કામગીરી કોસ્ટગાર્ડ, નૌકાદળ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ કરી રહી છે.

એવું કહેવાય છે કે અફીણનું સર્વાધિક ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે, અને ગુજરાતના દરિયાકાંઠેથી પકડાતા ડ્રગ્સના જથ્થાઓમાં અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન તથા ઈરાન પણ સંડોવાયેલા હોવાના સંકેતો તથા કેટલાક પૂરાવાઓ પણ મળતા હોય છે. યુનોના એક રિપોર્ટ મુજબ દુનિયામાં થતા કુલ ઉત્પાદનમાં અફઘાનિસ્તાનના અફીણ ઉત્પાદનનો હિસ્સો ૮૦ ટકા જેટલો હોય છે, અને અફીણના જુદા જુદા બાય-પ્રોડક્ટસ આખી દુનિયામાં મોકલાય છે. અફીણનો મહત્તમ જથ્થો ગુજરાતના દરિયાઈ માર્ગે વિશ્વના દેશોમાં મોકલવાની નવી સાયકલ શરૂ થઈ હોય કે સરકીટ ગોઠવાઈ હોય, તો તેના છાંટા ગુજરાતના યુવાધન પર પડયા વિના રહેવાના નથી, તે પણ હકીકત છે.

જો કે, અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી નશીલા પદાર્થોની દાણચોરી ઉપરાંત ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવાની મોડસ ઓપરેન્ડી પણ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૦માં ભરૂચ જિલ્લા સી ગામમાંથી એફેડ્રિન ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી, અને વર્ષ ૨૦૨૦માં સુરતના કડોદરામાંથી પણ ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી, તેના બીજા વર્ષે જ વલસાડના ડુંગરીમાંથી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું હતું. વર્ષ ૨૦૨૨માં ભરૂચના પાનોલીમાંથી ૧૩૮૩ કરોડના જુદા જુદા ડ્રગ્સ પકડાયા હતા. તે પછી સાવલીના મોકસીન કેમિકલ ફેકટરીમાં ઉત્પાદિત થતા ડ્રગ્સનું કૌભાંડ ઝડપાયુ હતુુ, અને આ ડ્રગ્સની કિેંમત પણ એક હજાર કરોડથી વધુની હતી. ગુજરાતમાં જુદા જુદા સ્થળે ડ્રગ્સના ઉત્પાદન તથા હેરાફેરીના આ કિસ્સાઓ પછી "ઉડતા ગુજરાત"ના વ્યંગ સાથે આલોચનાઓ પણ થઈ હતી.

એક તરફ ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ આખી દુનિયાને સપ્લાય કરવાની "સિસ્ટમ" ગોઠવાઈ હોવાની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ રાજ્યમાં ડ્રગ્સ એડિકટસ વધી રહ્યા હોવાની ચિંતાજનક આશંકાઓ પણ ધીમે ધીમે વાસ્તવિકતામાં ફેરવાઈ રહી હોય તેમ જણાય છે, ત્યારે ગૃહમંત્રી-કમ-નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકા ફેઈમ કડક કદમ ઉઠાવીને આ ખતરનાક ડ્રગ્સ સરકીટને તોડી પાડે અને રાજ્યની યુવાપેઢીને ડ્રગ્સના રાક્ષસથી બચાવે, તેવું ઈચ્છીએ.

ગુજરાતમાં દારૂબંધી અને નશાબંધીની સફળતા માટે સરકાર,સમાજ અને સંતોએ સહિયારા પ્રયાસો કરવા પડે તેમ છે, કારણ કે આ ઉધઈ જેવી બદી સરળતાથી ખતમ થાય તેમ નથી, આ માટે રાજ્ય સરકારે જ પહેલ કરવી પડે તેમ છે. અને "વાસ્તવિક" પ્રયાસો કરવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગર જિલ્લાના નવા પ્રભારી સચિવ નિમાયા... હવે, નગર અને જિલ્લાની સાશ્વત સમસ્યાઓ ઉકેલાશે ખરી ?

                                                                                                                                                                                                      

ગુજરાત સરકારે જામનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વિજય ખરાડીની નિમણૂક કરી છે, તેઓ જામનગરમાં આ પહેલા મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે, તે સમયે શહેરના ઈન્ફ્રાસ્ટ્રકચરની સુધારણા અને સમસ્યાઓના નિવારણ માટે કેટલાક નોંધપાત્ર કામો કર્યા હતા, અને તેમની અનુભવી તથા વહીવટી કુશળતાનો લાભ આખા જિલ્લાને મળશે, અને પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સાથે મળીને જામનગર શહેર તથા જિલ્લાની દાયકાઓથી ચાલતી રહેલી જીદ્દી સમસ્યાઓ ઉકેલશે, એટલું જ નહીં, શહેર અને જિલ્લાની જનતાઓની અપેક્ષાઓ સંતોષવા માટે જિલ્લા તંત્ર અને રાજ્ય-કેન્દ્ર સરકાર વચ્ચે કડીરૂપ કામ કરશે, તેવી આશા રાખીએ...

જો કે, જામનગર શહેરની કેટલીક નવી સમસ્યાઓનો નિવેડો લાવવા અત્યારે જે હિલચાલ થઈ રહી છે, તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધીના કેટલાક વિભાગોના સંકલનની જરૂર પડવાની હોવાથી તેમાં પણ ખરાડીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તેઓ આખા જિલ્લાના પ્રભારી હોવાથી જિલ્લાના મુખ્યમથક એવા જામનગરની સમસ્યાઆો અને સુવિધાઓમાં પણ લક્ષ્ય આપશે અને ભૂતકાળમાં શહેરમાં જે રીતે સુધારા-વધારા કરાવ્યા હતા, તેવી જ રીતે જિલ્લાના પ્રભારી તરીકે પણ સમગ્ર જિલ્લામાં સરકાર સાથેના સંકલનની જરૂર હોય ત્યાં કડીરૂપ ભૂમિકા પણ બજાવશે અને શહેર તથા જિલ્લા તંત્રના પથદર્શક પણ બનશે, તેવી નગરજનોને અપેક્ષા છે.

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારના ડિમોલીશનના મુદ્દે તો સંસદસભ્ય પૂનમબેન માડમે હાલ તુરત ડિમોલીશન નહીં થાય, અને રેલવેતંત્ર માત્ર જરૂર પૂરતા ડિમોલીશન માટે પણ રેલવેની જમીન પર જ હોય તેવા દબાણોને ત્યાં રહેતા લોકોને પૂરતી મુદ્દત આપીને હટાવવાની નોટિસ સંબંધિત કાયદા-કલમની સંદર્ભ સાથે આપે, તે પ્રકારની તંત્ર સાથે થયેલી વાતચીતની વિગતો બહાર આવ્યા પછી હાલ તુરત એ મામલો ઠંડો પડયો હોય, તેવું લાગે છે, પરંતુ આ તમામ બાબતે માત્ર જામનગર નહીં, પરંતુ આખા સંસદીય મત-વિસ્તારમાં આ જ પ્રકારની કાળજી રેલવે તંત્ર રાખશે, તેવી જે વાત થઈ રહી છે, તેના ફોલો-અપમાં પણ સ્વાભાવિક રીતે જ જિલ્લા તંત્ર, મ્યુનિ.કમિશનરની સાથે સાથે ગાંધીનગર દિલ્હી સુધી સંબંધિત મંત્રાલયો સાથે સંકલન કરવાની કડીરૂપ કામગીરી પણ પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ અંગત રસ લઈને નિભાવશે, તેવી હાલારના નગરજનો અપેક્ષા રાખી રહ્યા છે.

જામનગરની ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોરનો ત્રાસ, કરડતા રખડુ કૂતરા, નહીંવત પાર્કિંગ સુવિધા, સ્ટ્રીટ વેન્ડર્સ માટે વોર્ડવાર ચોક્કસ સ્થળો નક્કી કરીને તેની ટ્રાન્સપરન્ટ અને ઝડપી ફાળવણી, શહેરમાં જે જાહેર સંકુલો, ચોકડીઓ કે સર્કલો પાસે ટ્રાફિક વધી ગયો છે અને અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યાં કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટ્રાફિક પોઈન્ટ, ચોકીઓ અને પેટ્રોલીંગ વધારવા તથા માત્ર ટ્રાફિક મદદનીશો (સહાયકો)થી કામ ચલાવવાના બદલે નાના-મોટા દરેક સ્થળે ટ્રાફિક સહાયકોની સાથે જવાબદાર ટ્રાફિક કોન્સ્ટેબલો-અધિકારીઓ નિમવા સહિતના પડકારો છે, જેમાં, ભલે આખા જિલ્લા માટે નિમાયા હોય, પરંતુ જિલ્લાના મુખ્યમથકમાં ભૂતકાળમાં કરેલી કામગીરી તથા અનુભવના આધારે કડીરૂપ ભૂમિકા ખરાડી સાહેબ અદા કરશે, તેવી આશા પણ સ્વાભાવિક રીતે જ નગરજનો રાખી રહ્યા છે.

જામનગરના હનુમાન ટેકરી આજુબાજુ ડિમોલીશનનો મુદ્દો તો હાલ તુરત સ્થગિત થયો છે અને તેનો દડો સાંસદ, જિલ્લાતંત્ર અને રેલવે વિભાગના મેદાનમાં છે, પરંતુ એક નવી ઉદ્ભવેલી સંભવિત સમસ્યા સામે પણ અત્યારથી જનતામાંથી જે વિરોધ ઉઠી રહ્યો છે, તેને પણ અવગણવા જેવો નથી, કારણ કે એ સંભવિત સમસ્યા સાથે તો સેંકડો શ્રદ્ધાળુઓની ભાવના અને સંવેદનાઓ સંકળાયેલ છે.

બન્યું છે એવું કે જામનગરની મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યું અને તેમાં સરકારી રોડ પર બાલા હનુમાન મંદિરનો ગેઈટ ઊભો કરવાની વાત થઈ. કોઈપણ મંદિરનો સુશોભિત ગેઈટ ઊભો થાય, તેની સામે કોઈને વાંધો જ હોય નહીં, પરંતુ આ ગેઈટ ઊભો કરવા જતા કોઈ અન્ય મંદિર કે નગરજનોની સુવિધા ખુંચવાઈ જાય નહીં, તે જોવાની જવાબદારી પણ સંલગ્ન સંસ્થાઓ અને મ્યુનિ. તંત્રની જ ગણાય, અને આ કિસ્સામાં પણ બાલા હનુમાનજી મંદિરની નજીકમાં આવેલા સત્યનારાયણ મંદિરની અવર-જવરની સુવિધા અવરોધાય અને બાલા હનુમાન માટે સરકારી અથવા મહાનગરપાલિકાની જમીનમાં ગેઈટ ઊભો થાય, તો સત્યનારાયણ મંદિર તરફ જતી ચાલ બંધ થઈ જાય તેમ હોવાની રજૂઆત પહેલા એ મંદિરના મુખ્યાજીએ લેખિતમાં કરી હતી. તે પછી ૧૦૮ જેટલા શ્રદ્ધાળુઓએ પણ આ મંદિરો પાસે આવેલા પુસ્તકાલયથી સત્યનારાયણ મંદિર સુધીનો રસ્તો તદ્દન ખુલ્લો રાખવાની લેખિત રજૂઆતો કરી છે.

ઉલ્લેખનિય છે કે મહાનગરપાલિકાના બજેટ પછી અપાયેલી વિગતો મુજબ બાલા હનુમાન મંદિર પાસે સ્વચ્છતા જળવાય અને ભિક્ષાવૃત્તિ કરતા લોકોનો જમાવડો થતો અટકે તેવો હેતુ જાહેર કરીને બાલા હનુમાનનો દરવાજો મનપાની સરકારી જમીન પર ઊભો કરવાનું જણાવાયું હતુ, અને ત્યાં ટૂ-વે તથા ગાર્ડન જેવી સુવીધા ઊભી કરવાનું જાહેર કરાયું હતું.

તે પછી સત્યનારાયણ મંદિરના ભાવિકો, મુખ્યાજી તથા તેની આજુબાજુના રહીશો વગેરેએ રજૂઆત કરી હતી કે આ પ્રકારની કાર્યવાહી અમલી બનશે તો સત્યનારાયણ મંદિર તરફ જવાની ચાલ સદંતર બંધ થઈ જશે, આ અંગે હવે ૧૦૮ વૈષ્ણવોએ ઈન્ડિવિઝયુલ (વ્યક્તિગત રીતે) પણ અરજીઓ કરીને આ પ્રકારે સત્યનારાયણ મંદિરની અવર-જવરની સુવિધા કે ચાલ બંધ થઈ જાય, તેવો પ્રોજેકટ પડતો મૂકવા અને લાયબ્રેરીથી સત્યનારાયણ મંદિરનો માર્ગ તદ્દન ખુલ્લો રાખવાની માંગણી કરી છે. આ મુદ્દે મ્યુનિ. તંત્ર પણ સંવેદના સભર રીતે સહાનુભૂતિપૂર્વક વિચારી રહ્યું હોવાના સંકેતો પણ મળી રહ્યા છે. તો બીજી તરફ વૈષ્ણવોની આ રજૂઆતો ધ્યાને નહીં લેવાય, તો અદાલતના દ્વાર ખખડાવવાની તૈયારી પણ હોવાની થતી ચર્ચા વચ્ચે વૈષ્ણવોને આ મુદ્દે પણ ખરાડી સાહેબના જૂના અનુભવો કામ લાગશે, તેવી આશા જાગી છે. જોઈએ, શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગરવા ગુજરાતીઓનો દબદબો... મહાશિવરાત્રિનો મહા વિજય સાથે મહાસંગમ... હર હર મહાદેવ...

                                                                                                                                                                                                      

આપણું ગરવુ ગુજરાત માત્ર વ્યાપાર, ઉદ્યોગ જ નહીં, પરંતુ કલા, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજી માટે પણ ગ્લોબલ ગરિમા ધરાવે છે. અને પ્રાચીન કાળ સુધી અર્વાચીન યુગ સુધીના ઈતિહાસમાં પણ ગુજરાતના નરબંકાઓ તથા નારીરત્નોની સુવર્ણ અક્ષરે નોંધ લેવાઈ છે...આકાશથી પાતાળ સુધી અને ગામડાથી ગ્લોબ સુધી ગુજરાતનો ડંકો વાગે છે. જેમાં ખેલજગતનું ક્ષેત્ર પણ બાકાત નથી. ગઈકાલે ભારત-પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડકપની લીગ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય થયો તેમાં પણ ગુજરાતના ત્રણ બોલરોનો પણ સિંહફાળો રહ્યો છે. ઈશાન કિશનની ધૂંવાધાર બેટીંગથી ભારતીય ટીમ ૧૭૫ રન સુધી પહોંચી શકી હતી, પરંતુ પાકિસ્તાનને પૂરા સવાસો રન પણ થવા દીધા નહીં, તેમાં હાર્દિક પંડયા, જસપ્રીત બૂમરાહ અને અક્ષર પટેલ જેવા ત્રણ ગુજ્જુ ક્રિકેટરો સહિત તમામ છ બોલરોનો ફાળો રહ્યો હતો. બોલરોએ એવો તરખાટ મચાવ્યો હતો કે પાકિસ્તાનના બેટધરો ઘુંટણીએ પડી ગયા હતા અને ૧૦ ઓવર પછી તો ધીમે ધીમે મેચ એક તરફી જ થઈ ગઈ હતી. અને અંતે ભારતનો મોટી લીડથી વિજય થયો હતો. જેના વધામણાં જામનગર અને ગુજરાત સહિત દેશભરના ક્રિકેટ રસિયાઓએ કર્યા હતા.

કોઈપણ ટૂર્નામેન્ટમાં ફાયનલ મેચ કરતા યે વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન વચ્ચેની લીગ મેચમાં પણ હોય છે, તેમાં પણ ઓપરેશન સિંદૂર પછી આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમોના કારણે પાકિસ્તાન સાથે તટસ્થ સ્થળે મેચ રમવા છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાક.ના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા નથી અને પાકિસ્તાનની સરકારના આતંકવાદીઓનું પાલન-પોષણ કરવાની મનોવૃત્તિનો વિરોધ પ્રતિકાત્મક રીતે દર્શાવે છે. જો કે, ભારત અત્યાર સુધીની નવ મેચોમાંથી વર્તમાન ટી-૨૦ વર્લ્ડકપમાં જ આઠ લીગ મેચો જીત્યું છે, જયારે પાકિસ્તાન એકાદ મેચ  જ જીત્યું છે, જો કે, જ્યારે દેશની ટીમ રમતી હોય, ત્યારે કોઈપણ ખેલાડી કોઈ પ્રાન્ત કે વિસ્તારનો નહીં, પણ આખા દેશનો જ કહેવાય. પરંતુ જ્યારે ગુજરાતના કોઈપણ ખેલાડી દેશનું ગૌરવ વધારે, ત્યારે ગરવા ગુજરાતીઓની છાતી પણ ગજ ગજ ફૂલે જ ને ?

ગુજરાતીઓ સામાન્ય રીતે તો વ્યાપારી ગણાય છે અને વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે પણ અત્યારે ગ્લોબલ ઈન્ડસ્ટ્રાલિસ્ટોની અગ્રીમ હરોળમાં પણ ગુજરાતી ઉદ્યોગપતિઓ તથા બિઝનેસમેનો આજે પણ છે, અને ભૂતકાળમાં પણ હતા. તે ઉપરાંત કનૈયાલાલથી માણેકલાલ મુનશી જેવા નવલકથાકાર, સાહિત્યકાર, ઈતિહાસવિદ્દ, શિક્ષણવિદ્દ અને સ્વાતંત્ર્ય સેનાની તથા આઝાદી પહેલા અને પછી દેશના દિગ્ગજ નેતા તેમજ બંધારણસભાના સભ્ય હોય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, તે બધા ગરિમામય દિગ્ગજ ગુજરાતી દેશભક્ત નેતાઓ જ હતા ને ?

ગુજરાતીઓનો દબદબો ખેલના મેદાનથી દિલ્હી અને વોશિંગ્ટન જ નહીં, વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલો છે અને ગુજરાતની ગ્લોબલ ઈમેજ પણ ગૌરવવંતી છે, જેને જાળવી રાખવાની જવાબદારી પણ બધા ગુજરાતીઓની જ છે ને ?

સિક્કાની બીજી બાજુ પણ છે. દેશના કેટલાક કૂખ્યાત દાણચોરો પણ ગુજરાતમાંથી પાક્યા હતા અને દેશવ્યાપી કે આંતરરાષ્ટ્રીય કક્ષાના કેટલાક ગેરકાનૂની ગોરખધંધા તથા મસમોટા કૌભાંડોમાં પણ કેટલાક કૂખ્યાત લોકો ગુજરાત સાથે સંકળાયેલા હતા. અર્થનીતિ હોય કે રાજનીતિ હોય, દેશનું ક્ષેત્ર હોય કે વૈશ્વિક કાર્યક્ષેત્ર હોય, ગરિમામય ઝળહળતી સિદ્ધિઓ કે ખ્યાતિ મેળવનાર ગુજરાતીઓનું ગૌરવગાન હંમેશાં થતું રહ્યું છે, પરંતુ તેમાં ચંદ્રમામાં દેખાતી કાલિમા જેવા ગોરખધંધા કરનારાઓ ઝાંખપ લગાડતા રહ્યા છે.

પ્રેસ મીડિયામાં હમણાંથી એનસીઆરબીની "ક્રાઈમ ઈન ઈન્ડિયા" નામની પુસ્તિકાની ચર્ચા થઈ રહી છે અને તેમાં રાજ્યવાર ગુનાખોરીના વિવરણ સાથે વર્ષોથી વિવિધ આંકડાઓ અપાતા હોય છે. તે ઉપરાંત રાજ્યના ગૃહવિભાગમાં પણ રાજ્યમાં ક્રાઈમની સ્થિતિ તથા તેના નિયંત્રણની સમીક્ષાઓ થતી રહેતી હોય છે. ગુજરાતમાં નોંધાતો ક્રાઈમ અને હકીકતે થતી ગુનાખોરીની ચર્ચા અલગથી કરવા જેવી છે, પરંતુ રાજ્યમાં હમણાંથી સાયબર-ક્રાઈમની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક જણાય છે, તે ઉપરાંત દગાખોરી, વિશ્વાસઘાત તથા ખંડણીખોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જે આપણા ગરવા ગુજરાતના સંસ્કાર કે સંસ્કૃતિને અનુરૂપ તો નથી જ, પરંતુ આપણા દેશની ગરિમા માટે પણ લાંછનરૂપ જ ગણાય. આ અંગે તમામ ગુજરાતીઓએ જાગવું જ પડે તેમ છે, જેનું નેતૃત્વ દિગ્ગજ ગુજરાતીઓએ કરવું જ જોઈએ.

ગઈકાલે એક તરફ મહાશિવરાત્રિની ઉજવણીનો અનેરો ઉત્સાહ હતો તો બીજી તરફ પાકિસ્તાન સામે ભારતની ટીમે ટી-૨૦ વર્લ્ડકપની લીગ મેચમાં મેળવેલા વિજયનો આનંદ પણ છલકાઈ રહ્યો હતો. આ કારણે જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમા ખુશીનો માહોલ હતો, અને આ માહોલની વચ્ચે દેશ-દુનિયાની પ્રવર્તમાન સ્થિતિની ચર્ચાઓ તથા ઉદ્ભવતી લોકલાગણીઓ જે રીતે પડઘાતી હતી, તે જોતાં એવું લાગતું હતું કે ગરવા ગુજરાતીઓ વિજયાનંદ અને ઉત્સવોની ઉત્સાહથી ઉજવણીઓને પણ માણી શકે છે, અને સાંપ્રત સમયની વિટંબણાઓ, સમસ્યાઓ તથા મુશ્કેલીઓને પચાવી પણ જાણે છે, જે જામનગરમાં કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ, તેની સામે થયેલો ઉહાપોહ અને આજની સાંસદબેનની તંત્રવાહકો-હિતધારકો સાથેની સૂચિત મિટિંગ સહિતના ઘટનાક્રમોમાંથી ફલિત થાય છે.

મહાશિવરાત્રિના દિવસે મહાવિજયના પ્રતિભાવો સાથે પાકિસ્તાન સામેના વિજયના વધામણાં કરવામાં સાધુ-સંતોનો એક વર્ગ પણ સામેલ થયો હતો, જે વિશેષતા હતી. નગરમાં મહાશિવરાત્રિના પર્વે થોડી વિટંબણા તથા ઘટનાક્રમ ટોક ઓફ ધ ટાઉન બન્યો, તો આજે બધાની નજર હનુમાન ટેકરી વિસ્તારના સૂચિત ડિમોલિશનના મુદ્દે યોજાનારી મોટી મિટિંગ પર હોવાથી તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

મહાશિવરાત્રિ અને ક્રિકેટ જંગના થયેલા વિજયની ઉજવણી પછી હવે આજથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના સત્રના કારણે તથા રાજયના બજેટના અનુસંધાને થતી ચર્ચા પણ થઈ રહી છે, તો, મહાશિવરાત્રિના પર્વની ઉજવણીનો નાદ હજુ પણ બધાના કાનોમાં ગુંજી રહ્યો હશે. શિવજી સૌને સદ્બુદ્ધિ, સમજણ અને શક્તિ આપે, અને જે કાંઈ વિટંબણાઓ અને વિવાદો છે, તે શાંતિપૂર્વક ઉકેલાઈ જાય, તેવું ઈચ્છીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બહુ હરખાવા જેવું યે નથી, અને બહુ અકળાવા જેવું યે નથી જસ્ટ...વેઈટ એન્ડ વોચ...

                                                                                                                                                                                                      

આપણી દરેકની જિંદગીમાં ઘણાં એવા પ્રસંગો આવતા હોય છે કે તેમાં હસવુ, રડવુ, દુઃખી થવું કે આનંદિત થવું, હરખાવું કે ગભરાવું, તેની ગુંચવણો ઊભી થઈ જતી હોય છે. દૃષ્ટાંત તરીકે દીકરી સાસરે જાય, ત્યારે માતા-પિતા પરિવારને વિદાયનું દુઃખ થતુ હોય છે, તો પુત્રીને સારા ઘરે વળાવ્યા પછી તેનો સંસાર સુખી થાય, તેવી શુભકામનાઓ સાથે મનોમન આનંદ પણ થતો હોય છે. પરિવારમાં વહુ કે દીકરીને સારા દિવસો રહ્યા હોય, તો સ્વાભાવિક રીતે જ પરિવાર ખુશખુશાલ થઈ જતો હોય છે, તો પ્રસૂતિ થતાં સુધી માતા અને ગર્ભસ્થ શિશુની સારસંભાળ અને આરોગ્યના જતનને લઈને ચિંતા પણ થતી હોય છે.

કોઈ નોકરી શોધતા શિક્ષિત યુવક કે યુવતીને ઈન્ટરવ્યૂ કોલ આવે, તો ખુશીનો પાર રહેતો નથી. પરંતુ તેની સાથે જ ઈન્ટરવ્યૂ પાસ કરવાનું ટેન્શન પણ સહજપણે જ અનુભવાતુ હોય છે. આ જ થિયરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિને પણ લાગુ પડે છે., અને કેટલાક ઘટનાક્રમો એવા હોય છે, જેમાં "થોભો અને રાહ જુઓ"ની નીતિ પણ અપનાવાતી હોય છે.

હમણાંથી ટ્રમ્પ ટેરિફની વિશ્વકક્ષાએ કાયમી ધોરણે ચર્ચા થતી રહે છે અને ટ્રમ્પનું મગજ ક્યારે ફરે અને ક્યારે શું કરશે કે બોલશે તેનો કોઈનેય અંદાજ હોતો નથી. ટ્રમ્પ સાથે ટ્રેડ ડીલ થઈ તેની શાસકપક્ષો વાહવાહી કરી રહ્યા અને વિપક્ષો આલોચના કરી રહ્યા છે, તટસ્થ વૈશ્વિક રાજકીય ક્ષેત્રના વિશ્લેષકો કહે છે કે હજુ કાંઈ કહી શકાય નહીં, અને આ ટ્રેડ ડીલથી ભારતે બહુ હરખાવા જેવું નથી કારણ કે અમેરિકાએ "ફૂદડી" વાળી જે ઓપન સિક્રેટ જેવી શરતો રાખી છે, તેની કેવી રીતે હકારાત્મક કે નકારાત્મક અસરો થાય છે, તેની વાટ જોવી પડે તેમ છે, જેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...

બીજી તરફ આ ટ્રેડ ડીલને લઈને બહુ ગભરાવા જેવું પણ નથી, કારણ કે ટ્રમ્પે ૫૦ ટકા જેટલો ઊંચો ટેરિફ ઝીંકી દીધો હતો, તેમાં તો ઘણી જ મોટી રાહત થઈ છે. જો કે, ફેકટ લિસ્ટ જાહેર થયા પછી ચિત્ર થોડું-ઘણું સાફ જરૂર થયું છે, છતાં જાણકારો અને તટસ્થ તજજ્ઞો માને છે કે હજુ તો શરૂઆત છે, અને હાલમાં કોઈ ચોક્કસ અભિપ્રાય પર પહોંચવું યોગ્ય ગણાય નહીં, જસ્ટ વેઈટ એન્ડ વોચ...

ગઈકાલે આપણા પડોશી દેશ બાંગલાદેશની સંસદની સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યા અને બીએનપીને બમ્પર વિજય મળ્યો. આ સાથે જ બાંગલાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મરહુમ ખાલીદા જીયાના પુત્ર તારિક રહેમાનને ત્યાંની જનતાએ બાંગલાદેશની હાલક-ડોલક સ્થિતિને સંભાળવાની તક આપી અને સાથે સાથે જુલાઈ ચાર્ટરની તરફેણમાં ત્યાંનો જનમત હોવાથી હવે ત્યાંનુ બંધારણ સુધરશે, તથા વડાપ્રધાન કરતા ત્યાંના રાષ્ટ્રપતિ પાસે વધુ સત્તાઓ હશે, તેથી જ બાંગલાદેશના રાજકીય ભવિષ્ય અંગે અત્યારથી તો માત્ર અટકળો જ થઈ શકે છે, અને વૈશ્વિક રાજનીતિમાં તજજ્ઞો કહે છે કે જમાતનો પરાજય થયો, તે બાંગલાદેશ અને પડોશી દેશો માટે રાહતરૂપ ગણાય, બાકી તો "નિવડે વખાણ થાય" એટલે કે "જસ્ટ વેઈટ એન્ડ વોચ..."

આપણાં દેશના પ્રેસ-મીડિયામાં તો મિશ્ર પ્રત્યાઘાતો પડયા છે અને તારિક રહેમાન વડાપ્રધાન થાય, તો ભારત સાથે બહુ ગાઢ સંબંધો નહીં રાખે, પણ તદ્દન સંબંધો બગાડશે પણ નહીં, તેવા તારણો નીકળી રહ્યા છે, પરંતુ વિદેશના પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં ભિન્ન-ભિન્ન અભિપ્રાયો ચર્ચાઈ રહ્યા છે, જેને પણ લક્ષ્યમાં લેવા જોઈએ.

બ્લૂમબર્ગના અભિપ્રાય મુજબ શેખ હસીનાને કેન્દ્રમાં રાખીને જ ભારતે બાંગલાદેશ સાથે રાજનૈતિક અને રણનૈતિક સંબંધો વિકસાવ્યા, તેને એક ગંભીર ભૂલ ગણવામાં આવી રહી છે. જો કે, બ્લૂમબર્ગે પણ એવો જ અભિપ્રાય આપ્યો છે કે બાંગલાદેશમાં જે નવી સરકાર હશે, તે તદ્દન ભારત વિરોધી પણ નહીં હોય, અને એકદમ ચીન તરફી પણ નહીં હોય, હવે તારિક રહેમાનનું વલણ કેવુું રહે છે, તે જોવાનું રહે છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના ભારતના તટસ્થ વિશ્લેષકોના તારણો એવા છે કે બાંગલાદેશમાં તારિક રહેમાનની સરકાર આવે, તેમા ભારતે બહુ હરખાવા જેવું નથી, કારણ કે ભારતે મરહૂમ ખાલીદા જીયાના ઘોરવિરોધી શેખ હસીનાને રાજ્યાશ્રય પણ આપ્યો છે, અને છેલ્લા ઘણાં વર્ષોથી ભારતની બાંગલાદેશ સંદર્ભે વિદેશનીતિ પણ શેખ હસીનાની આજુબાજુ જ કેન્દ્રીત હતી, તેથી બીએનપીના નેતાઓ એટલી સરળતાથી ભારત સાથે સંબંધો ગાઢ બનાવવા ઉત્સુક નહીં હોય, બીજી તરફ એટલું બધું ગુંચવાઈ જવા કે આશંકિત થવાની પણ જરૂર નથી, કારણ કે બાંગલાદેશ ઘણી રીતે ભારત પર નિર્ભર છે, અને ભૌગોલિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે સદીઓ જુના પબ્લિક-ટુ-પબ્લિક કોન્સેપ્ટ હોવાથી બાંગલાદેશની કોઈપણ સરકાર હોય, તો પણ ભારત સાથે ખુલ્લી દુશ્મની તો રાખી શકે તેમ જ નથી, તેથી ભારત-બાંગલાદેશના સંબંધો કેવા હશે, તે નવી સરકારના વલણ પર આધાર રાખશે, જેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...

ટાઈમ મેગેઝિન, ધ ગાર્ડિયન, વૈશ્વિક થિન્ક ટેન્કની સોશ્યલ મીડિયા પર આવેલી પ્રતિક્રિયાઓ બીબીસી અને  અન્ય વિદેશી ચેનલો-અખબારોમાં તારિક રહેમાનની નેતૃત્વ ક્ષમતા, ભારતની રણનીતિ તથા શેખ-જીયા પરિવારો વચ્ચેના પરંપરાગત તંગ સંબંધો વગેરેને સાંકળીને જે અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે, તેનો નીચોડ પણ એવો જ નીકળે છે કે હજુ ભારતે હરખાવા કે અકળાવા જેવું નથી, બાંગલાદેશમાં નવી સરકાર રચાય, રાષ્ટ્રપતિની સત્તાઓ વધે કે વડાપ્રધાનનું વર્ચસ્વ વધે, તે પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે, ત્યાં સુધી "જસ્ટ વેઈટ એન્ડ વોચ..."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્વજનની પીઠમાં જ ખંજર? હળહળતો કળીયુગ...! 'કાયદેસર'નો વિશ્વાસઘાત...!!

                                                                                                                                                                                                      

આપણી સંસ્કૃતિમાં વિશ્વાસઘાતને મોટું પાપ માનવામાં આવ્યું છે અને 'વિશ્વાસે વહાણ ચાલે'ની વિભાવના પણ પ્રચલિત છે, પરંતુ અત્યારે હળહળતો કળીયુગ આવ્યો છે. ઘણાં એવા બનાવો બને છે, જેમાં માલ-મિલકત કે ભાયુભાગના વિવાદમાં મારામારી, હિંસા કે હત્યાઓ કરી નાખવામાં આવે છે. આપણાં જ દેશમાં સત્કાર્યો માટે મોટી સખાવતો કે જમીનો દાન કરનારા લોકો પણ છે, અને સંપત્તિ અને જમીનો પડાવી લેનારા નિર્દય લોકો પણ છે.

જમીન-મિલકતના ઝઘડા કે સંઘર્ષ તો પ્રત્યક્ષ હોય છે, અને તે સરાજાહેર તથા દુનિયા જોઈ શકે, તેવી રીતે ખુલ્લેઆમ થતા હોય છે, પરંતુ ઘણાં કિસ્સાઓ એવા બને છે, જેમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને, છેતરપિંડીથી કે પછી વિશ્વાસ મૂકીને સોંપેલા નાણાકીય વહીવટના અધિકારો અથવા પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરીને પોતાના જ સ્વજન, કુટુંબીજન, સ્નેહીજન કે શેઠિયા, માલિકો કે નોકરીદાતા પેઢી-કંપની સાથે ફ્રોડ આચરવામાં આવે છે, અને સ્થાવર કે જંગમ મિલકતો કે જંગી રકમ પચાવી પાડવાના કાવત્રા રચાતા હોય છે.

આપણી સંસ્કૃતિમાં બહેનની રક્ષા માટે કે બહેનની માલ-મિલકતની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને અડિખમ રક્ષક બનતા ભાઈઓના ઘણાં દૃષ્ટાંતો છે, અને જીવના જોખમે ભગિનિના રક્ષક ભાઈઓ, પોતાના ભાઈ-ભાંડુના હિતો માટે ગમે તેવો ત્યાગ કરવા તત્પર રહેતા ભાંડરણાઓ અને માતા-પિતા કે વડીલોના આદર-સન્માન માટે હંમેશાં તત્પર રહેતા સંતાનોના ઘણાં પ્રેરક દૃષ્ટાંતો મોજુદ છે, અને ઈતિહાસના પાને સૂવર્ણ અક્ષરે લખાયેલા છે, પરંતુ હવે બદલાતા સમય સાથે આ બધી જ પારિવારિક ભાવનાઓ સાથે સાંસ્કૃતિક મૂલ્યો પણ ખતમ થવા લાગ્યા છે. હવે તો પીઠમાં છૂરી ભોંકીને હત્યા જેવી ગણી શકાય તેવી છેતરપિંડીઓ પણ થવા લાગી છે, જે મિલકતની તકરારો કરતાયે વધુ ભયંકર અને શરમજનક હોય છે.

અત્યારે વડીલો અને વૃદ્ધોની અજ્ઞાનતા, અલ્પશિક્ષણ કે અતિશય વિશ્વાસનો ફાયદો ઊઠાવીને કે પછી તેને પ્રતાદિત કરીને કે દબાવીને સહીઓ કરાવીને જમીન-મિલકત પચાવી લેતા સંતાનો કે પરિવારજનોના દૃષ્ટાંતો વધી રહ્યા છે, તો કોઈ બહેને મૂકેલા વિશ્વાસનો ઘાત કરીને. ભાઈ કે બહેન દ્વારા જમીન-મિલકત પડાવી લેવાના કિસ્સા પણ છાપે ચડી રહ્યા છે, તે જોતા આને હળહળતા કળીયુગની અસર ગણવી કે બદલાતી માનસિક્તાઓ અને ભૌતિકવાદની ગ્લોબલ ઈફેક્ટ ગણવી તે સમજાતું નથી.

આવી છેતરપિંડી કે વિશ્વાસઘાત માત્ર પરિવારજનો કે સંતાનો જ કરે છે, તેવું નથી, હવે તો મિત્રો અને બિઝનેસ પાર્ટનરોથી આગળ વધીને કેટલીક વિશ્વસનિય ગણાતી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા જેનામાં વિશ્વાસ મૂકીને અત્યારે ડિજિટલ વિનિમયની સિસ્ટમો વિકસી રહી છે, તે બેન્કીંગ ક્ષેત્રો પણ એવી યુક્તિઓ અજમાવી રહી છે, જેને 'કાયદેસરનો વિશ્વાસઘાત' જ કહી શકાય.

છેલ્લા બે દિવસથી જે વિષય ટોક ઓફ ધ નેશન બન્યો છે, તે છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કેટલાક રિફોર્મ્સ માટે થઈ રહેલી કવાયત...

સોશિયલ મીડિયા અને પ્રેસ-મીડિયામાં આ મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. કસ્ટમરોને ખોટી લાલચ આપીને અથવા કોઈ લોન કે પ્રોસિઝરની મંજુરી માટે ફરજિયાત ગણાવીને, સિનિયર સિટીઝનોની એફ.ડી. સાથે લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાનને ફરજિયાત કે ફાયદાકારક ગણાવીને, જોખમી રોકાણો કે મ્યુચ્યુઅલ ફંડની સુરક્ષાના નામે, બેંક લોકર માટે કે સરળ સર્વિસના નામે કેટલીક બેંકો લિન્ક્ડ ઈન્સ્યોરન્સ એટલે કે વીમો વેંચે છે, જેને બેન્કીંગ લીગલ ભાષામાં મસ સેલીંગ કહે છે. આ પ્રકારે કસ્ટમરોનો વિશ્વાસ જીતીને અથવા ખોટી-સાચી લાલચોમાં ભરમાવીને તેઓની સહીઓ મેળવીને કેટલીક બેંકો એવા લેખિત કરાર કરાવી લ્યે છે, જેમાં ઊંચા પ્રિમિયરવાળો વીમો (ઈન્સ્યોરન્સ) સંકળાયેલો હોય છે, અને કેટલાક તોતિંગ ફંડની ચાર્જીસ વસૂલવાની જોગવાઈઓ પણ હોય છે, જ્યારે આ પ્રકારની મીસ સેલીંગની ફરિયાદ આવે કે પકડાય છે, ત્યારે કસ્ટમરની લેખિત સહી લીધી છે, સંમતિ લીધી છે અથવા કસ્ટમરે સ્વયં કરાર કર્યો છે, વિગેરે બહાના કરીને બેંકો જવાબદારીમાંથી છટકી જતી હોય છે.

રિઝર્વ બેંક હવે આ નિયમોને કડક બનાવીને કે નવા નિયમો ઘડીને આ રીતે મીસ સેલીંગની બેફામ અને 'કાયદેસરની છેતરપિંડી' અટકાવવાની કવાયત હાથ ધરી હોવાનું કહેવાય છે.

સરળ ભાષામાં કહીએ તો બેંકોમાંથી કોઈપણ સર્વિસ કે યોજનાકીય લાભો અથવા બચત કે રોકાણ કરવાની પ્રક્રિયા સાથે સાંકળીને મોંઘીદાટ વીમા પોલિસીઓ વેંચવાની બદી કાયદેસર ગણાવીને કેટલીક બેન્કીંગ સંસ્થાઓ દ્વારા જ ચાલી રહી છે, અને તેના માટે બેંકોના એજન્ટો, બેંકકર્મીઓ તથા 'બેંક તમારા આંગણે' જેવા સોહામણા ટાઈટલ્સ હેઠળ હોમ સર્વિસ આપવાના દાવાઓ હેઠળ કાર્યરત ફિલ્ડના બેન્કીંગ કર્મચારીઓને તગડું કમિશન આપવામાં આવતું હોય છે, જેની સામે સામાન્ય જનતા (કસ્ટમર્સ) ને રક્ષણ આપવા રિઝર્વ બેંક કડક કાનૂનો તૈયાર કરી રહી હોય તો તે આવકારદાયક પણ છે અને અનિવાર્ય પણ છે.

નવા નિયમોમાં મીસ સેલીંગની ચોક્કસ વ્યાખ્યા કરીને તેના પર સંપૂર્ણ અંકુશની જગવાઈઓ થશે, અને આ માટે વીમા પોલિસીના વેંચાણમાં કોઈપણ બેંકકર્મી કે એજન્ટ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા ન હોય, લોન કે લોકર માટે વીમો કે કોઈપણ પ્રોડક્ટ્સ ખરીદવાનું દબાણ ન થાય, થર્ડ પાર્ટી (વીમા કંપનીઓ વિગેરે) દ્વારા બેંકર્મીઓ કે એજન્ટોને કમિશન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે, ગ્રાહકોની સહીઓ કરાવીને થતી છેતરપિંડી પણ નાબૂદ થાય, અને લોકોનો બેન્કીંગ ક્ષેત્ર પરનો ભરોસો (ગુડ ફેઈથ) જળવાઈ રહે, તે માટેના વૈધાનિક ઉપાયો થતા હોય તેવા સુધારા (રિફોર્મ્સ) રિઝર્વ બેંક લાવી રહી હોય, તો તેને વ્યાપક જનસમર્થન મળશે, તે નક્કી છે.

મોદી સરકાર અને શાસક પક્ષો ઘણી વખત બેન્કીંગ સેવાઓના લાભો જનધન ખાતાઓ તથા બેન્કીંગ સેવાઓ છેક ગ્રામ્ય વિસ્તારો સહિત જન-સામાન્ય સુધી પહોંચાડ્યા હોવાના દાવાઓ કરતા રહે છે, તો બીજી બાજુ એ જ બેન્કીંગ ક્ષેત્રમાં કેટલીક બેંકોમાં 'ધરાર' વીમા પોલિસી જેવા પ્રોડક્ટ્સ વેંચવાને જ પ્રાધાન્ય અપાઈ રહ્યું હોવાથી સામાન્ય જનતાને એ બેંકોમાં ભેદભાવનું ભોગ બનવું પડે છે અને વીમા પ્રોડક્ટ્સ નહીં ખરીદતા કસ્ટમરોને હેરાનગતિ કે ઉપેક્ષાનો ભોગ બનવું પડે છે. આમાંથી મુક્તિ મળે અને બેન્કીંગ સેક્ટરની કેટલીક સંસ્થાઓ દ્વારા થતો આ 'કાયદેસરનો વિશ્વાસઘાત' નાબૂદ થાય, તેવું ઈચ્છીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્ટ્રીટ વેન્ડર્સ એસ્ટાબ્લિશમેન્ટ અને વાહન પાર્કિંગ સુવિધાનો અભાવ... શું કોઈ કાયમી ઉકેલ નથી ?

                                                                                                                                                                                                      

જામનગરમાં અવાર-નવાર રેંકડી-પાથરણાવાળાને ટ્રાફિકને અડચણરૂપ કે લોકોની અવર-જવરમાં અવરોધરૂપ થાય, ત્યારે તેઓને હટાવવાની ઝુંબેશો ચલાવવામાં આવે છે, અને તેવી જ રીતે અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થતી હોય છે, આવી ઝુંબેશો છતાં આ સમસ્યા જેમની તેમ જ રહે છે અને ફરીથી થોડા દિવસોમાં એવી જ સ્થિતિ ઊભી થઈ જતા પુનઃ ઝુંબેશ ચલાવવામાં આવે છે, અને ઘણાં સમયથી આ પ્રકારની સાયકલ ચાલતી જ રહી છે અને તેનાં કારણોનું પોષ્ટમોર્ટમ થતું રહ્યું છે. આ સમસ્યાને માત્ર ટ્રાફિક વ્યવસ્થા, દબાણ કે કાયદો-વ્યવસ્થાની જાળવણીની દૃષ્ટિ જ સમજવાના બદલે તેની પાછળની સ્ટ્રીટ વેન્ડર્સની મજબૂરી પણ સમજવી પડે અને તંત્રોની કમજોરી પણ સમજવી પડે તેમ છે, તો સ્ટ્રીટ વેન્ડર્સે પણ નિયમ-કાયદાનું પાલન કરીને જન-સામાન્યને અનુકૂળ થવું જોઈએ.

આ સમસ્યા ફરી ફરીને ઊભી થવા પાછળ ફૂટપાથો અને માર્ગો પર આડેધડ રેંકડીઓ, પથારાઓ કે કાચી કેબિનો ખડકીને તંત્રોને નહીં ગણકારતા અને નિયમ-કાયદાઓની અગવણના કરતા કેટલાક વ્યવસાયિકોના કારણે તમામ નિયમ-કાયદાનું પાલન કરતા તથા જાહેર વ્યવસ્થાઓનું ધ્યાન રાખીને પોતાનું પેટીયું રળતા મહત્તમ  સામાન્ય સ્ટ્રીટ વેન્ડર્સને પણ અવારનવાર થતી કાર્યવાહીનું ભોગ બનવું પડે તેમ છે, જેથી સુકા ભેગું લીલું પણ બળતું હોવા જેવી સ્થિતિ ઊભી થઈ રહી હોવાના મંતવ્યો પણ વ્યક્ત થતાં રહેતા હોય છે.

કોઈ બીજાના ધંધા-વ્યવસાયને નુકસાન થાય, જાહેર વ્યવસ્થાઓ ખોરવાય કે લોકોને મુશ્કેલી પડે, તેવી રીતે સ્ટ્રીટ વેન્ડર્સને મનસ્વી રીતે વ્યવસાય કરવાની છૂટ આપી શકાય નહીં, તેવી જ રીતે આ પ્રકારના માત્ર કારણો બતાવીને કોઈની રોજગારી ખોટી રીતે છીનવાઈ જાય, તેવી સ્થિતિ પણ સ્વીકાર્ય ગણાય નહીં. આ કારણે અવાર-નવાર જુદા જુદા શહેરોમાં સ્ટ્રીટ વેન્ડર્સ એકટ-૨૦૧૪નો વાસ્તવિક અને ચૂસ્ત અમલ થાય, તેવી માંગણી ઉઠતી રહે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સ્ટ્રીટ વેન્ડર્સના હક્કોના રક્ષણ તથા તેઓની રોજગારીને આરક્ષિત કરવા તથા વ્યવસાયોના સમતુલન માટેના પણ નિયમ-કાયદા ઘડાયેલા છે, જેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો ઘણાં વિવાદો ઉકલી જાય તેમ છે.

વર્ષ ૧૦૧૪ના સ્ટ્રીટ વેન્ડર્સ એકટ અંગેની જાણકારી કદાચ બહુ ઓછા લોકોને હશે, અને તે પછી વર્ષ ૨૦૨૨ના મોેડેલ સ્ટ્રીટ વેન્ડર્સ અધિનિયમ અથવા આજીવિકા સંરક્ષણ ઔર સ્ટ્રીટ વેડીંગ અધિનિયમ દ્વારા લારી-ગલ્લા-પથારાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે સામાજિક સુરક્ષાના કરાયેલા પ્રબંધોની ચર્ચા પણ બહુ ઓછી થાય છે. આ કાનૂનો સ્ટ્રીટ વેન્ડર્સને નિયમોને આધિન રહીને તેઓની આજીવિકા ચલાવવાનો અધિકાર આપે છે. આ મોડેલ અધિનિયમમાં "વેડીંગ ઝોન્સ"ની વ્યાખ્યા, લાયસન્સીંગ તથા સ્ટ્રીટ વેન્ડર્સનો સર્વે કરવા, અસંગઠિત વિક્રેતાઓને નિયમિત કરવા તથા લાયસન્સના હસ્તાંતર તથા સોશ્યલ ડિફેન્સ સહિતની વિસ્તૃત અને સ્પષ્ટ જોગવાઈઓ છે, અને સ્ટ્રીટ વેન્ડર્સના અધિકારો તથા કર્તવ્યો-નિયમોનું પણ સ્પષ્ટ વર્ણન છે.

સ્ટ્રીટ વેન્ડર્સ માટે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ રૂ।. ૧૦ થી ૫૦ હજારની લોનની જોગવાઈ પણ કરવામાં આવી હોવાનો દાવો કરાય છે, જેમાં રાહતદરે વ્યાજ વસુલવામાં આવે છે.

ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર્સના હિતોના રક્ષણ તથા વ્યવસ્થાપન માટે આ એકટની જોગવાઈ હેઠળ શહેરોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના વગેરે કરવા ઉપરાંત સર્વેક્ષણ, સર્ટિફિકેશનની જોગવાઈઓ થઈ અને વર્ષ ૨૦૨૧-૨૨માં જાહેર રસ્તાઓ પર બિન-શાકાહારી પદાર્થો પર અંકુશ લગાવાયો, જેને અદાલતની મહોર લાગી. તે ઉપરાંત નો-વેન્ડિંગ ઝોન પણ નક્કી કરવાની જોગવાઈઓ થઈ હોવાના અહેવાલો સૂચવે છે કે ઉભયપક્ષે સમતુલન અત્યંત જરૂરી છે.

આ તમામ નિયમ-કાયદા-જોગવાઈઓનો વાસ્તવમાં હાલાર સહિતના રાજ્યના તમામ શહેરોમાં યોગ્ય અમલ થાય છે ખરો ? સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચોક્કસ સ્થળો નક્કી કરીને અથવા તેઓની આજીવિકા પણ ચાલે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તેવા કોઈ નક્કર પ્રયાસો થયા છે ખરા ? તેવા સવાલોના જવાબ મળતા હોતા નથી.

શહેરોમાં અત્યારે જાહેરમાર્ગ, ફૂટપાથો તથા શેરી-મહોલ્લાઓમાં પણ બંને તરફ હરોળબંધ વાહનો પાર્ક કરેલા જોવા મળતા હોય છે. આ કારણે વાહનોની અવર-જવર માટેની જગ્યા સીમિત થઈ જાય છે. તાજેતરમાં પટેલ કોલોની વિસ્તારમાં જ્યાં રિક્ષા અને મોટરસાયકલની ટક્કર થઈ અને રિક્ષા પલટી મારી ગઈ, તે સ્થળ હોય કે અન્ય નાના-મોટા અકસ્માતો થતા હોય, તેમાં ટ્રાફિક સેન્સનો અભાવ, બેફિકરાઈથી દોડાવાતા વાહનો તથા વધતા જતા ટ્રાફિક સામે સાંકડા થતા જતા માર્ગો ઉપરાંત જાહેર માર્ગો પર આડેધડ કરાતા પાર્કિંગને પણ જવાબદાર ગણી શકાય.

અત્યારે ઝડપી યુગમાં વાહનો પણ જીવન-જરૂરિયાતના સાધનો બન્યા છે અને દ્વિચક્રી ત્રિચક્રી વાહનો તથા ફોરવ્હીલની સંખ્યા અનેકગણી વધી રહી છે, ત્યારે શહેરોમાં પબ્લિક પાર્કિંગની એસ્ટાબ્લિશ વ્યવસ્થાઓાનો સદંતર અભાવ છે, તેથી ના છૂટકે લોકોને વાહનો સડકો પર પાર્ક કરવા પડી રહ્યા છે. ઘણી સોસાયટીઓ, શોપીંગ મોલ્સ, હોટલ-ગેસ્ટ હાઉસમાં પાર્કિંગની વ્યવસ્થા ઘણી જ સીમિત હોય છે, અથવા કોઈ વ્યવસ્થા જ હોતી નથી, તેથી પ્રસંગોપાત ત્યાં અવારનવાર થતા સામૂહિક વાહન પાર્કિંગના કારણે નવી જ સમસ્યા ઊભી થતી હોય છે. નવી સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, ટાઉનશીપ કે હોટલ-સમાજવાડીઓ, ગેસ્ટ હાઉસ, શોપીંગ મોલ્સ, સુપર માર્કેટસ કે શોપીંગ કોમ્પ્લેકસ માટે તો પાર્કિંગની પૂરતી વ્યવસ્થાઓ હોય તો જ બાંધકામની મંજુરી આપવાની જોગવાઈઓનો કદાચ અમલ શરૂ થયો હશે, પરંતુ દાયકાઓથી થયેલા બાંધકામોનું શું ? તે પ્રશ્નનો જવાબ પણ કોઈ પાસે હોતો નથી.

જો સર્વેક્ષણ કરવામાં આવે તો જાહેર માર્ગો કે સર્કલો, સંકુલો પર થતા વાહન પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા અડચણરૂપ સ્થાયી સ્વરૂપે રોકાતી જગ્યા ઉપરાંત દુકાનો, રેસ્ટોરન્ટો અને શોપીંગ મોલ્સ દ્વારા ફૂટપાથ કે માર્ગો પર ખડકાતી વેચાણ માટેની વસ્તુઓ, ડિસ્પ્લે બોર્ડ, ખુરશીઓ, ફર્નિચર કે છાંયડો કરવા ઊભી કરાતી છાજલીઓ-છત્રીઓ વગેરેની પણ જાહેર વ્યવસ્થાઓ, ટ્રાફિક અને અવર-જવર જેવી સુવિધાઓ ખોરવવામાં વરવી ભૂમિકા જણાશે.

સ્ટ્રીટ વેન્ડર્સની ચોક્કસ વ્યાખ્યા જનમાનસમાં તો "ફેરિયાઓ" એવી હોય છે અને ફેરી કરીને ગુજરાન ચલાવતા લોકો કોઈ એક ચોકકસ સ્થળે નહીં, પરંતુ હરતા-ફરતા છૂટક નાનો-મોટો વ્યવસાય કરતા હોય છે. શાકભાજી, ફળો, વાસણ કપડાં કે કટલરીનો સામાન લઈને એક સ્થળેથી બીજા સ્થળે લારી લઈને કે ખભે ચડાવીને અથવા મહિલાઓ માથા પર રાખીને વેચવા નીકળે, તેવું મુળભૂત ચિત્ર સ્ટ્રીટ વેન્ડસ્નું હતું. પરંતુ હવે કોઈ ચોક્કસ સ્થળે કાયમી ધોરણે રેંકડી, ગલ્લો કે ફર્નિચર ગોઠવીને નાની નાની હાટડીઓ ઊભી થાય છે, આ પ્રકારના સ્ટ્રીટ વેન્ડર્સ માટે વોર્ડવાર કોઈ ચોક્કસ સ્થળ નક્કી કરીને ત્યાં જ ચોક્કસ જગ્યા ફાળવવાનો વિકલ્પ પણ પાલિકા-મહાપાલિકાઓ પાસે રહેતો હોય છે, અને તે પ્રકારના પ્રયોગો પણ થવા લાગ્યા છે.

આ અનિવાર્ય સમસ્યામાંથી વચલો રસ્તો કાઢીને કોઈની આજીવિકા પણ ઝુંટવાઈ જાય નહીં, અને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તે માટે સૌ કોઈએ જાગૃત થવું પડે તેમ છે. હમણાંથી નાની વેન, છોટા હાથી કે રિક્ષામાં જ રોડ પર નાની નાની દુકાનો ખોલીને ઊભા રહી જતાં વ્યવસાયિકોને સ્ટ્રીટ વેન્ડર ગણવા કે નહીં ? તે નવો પ્રશ્ન પણ ઊભો થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૫ી.પી.પી. મોડેલમાં "પ્રાઈવેટ"ને પ્રાયોરિટી ? જામ્યુકોના બજેટમાં પણ ખાનગીકરણની જોગવાઈ ? ક્યો મુદ્દો બન્યો "ટોક ઓફ ધ ટાઉન" ?

                                                                                                                                                                                                      

આધુનિક યુગને અનુરૂપ અને જેનઝેડની અપેક્ષાઓ મુજબ ઈન્ફ્રાસ્ટ્રકચર, સુવિધાઓ અને વ્યવસ્થાઓનો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ થાય, અને  તેમાં જનસહયોગ કે લોકભાગીદારીનો અભિગમ અપનાવાય, તો તેમાં કાંઈ ખોટું નથી અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટીશિપેશન (પી.પી.પી.)નું મોડેલ અપનાવીને આ પ્રકારના ઘણાં વિકાસ, નગર સુશોભન અને પરિવહન, પ્રવાસન અને પબ્લિક પ્રોટેકશનના કામો થયા પણ છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ થશે. જયારે વિકાસકામોમાં જનસહયોગની વાત થઈ હતી અને વીસેક વર્ષ પહેલાં વિકાસ પ્રક્રિયામાં જનસહભાગિતા એટલે કે પબ્લિક કો-ઓર્ડિનેશન તથા પબ્લિક પાર્ટનરશીપનો કોન્સેપ્ટ અપનાવાયો હતો, ત્યારે એવું લોજિક હતું કે લોકોનો વિકાસ પ્રક્રિયા તથા એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રે સહયોગ લેવાથી અને લોકોને તેમાં સહભાગી બનાવવાથી લોકોમાં વિકાસના કામોમાં પોતીકાપણાંની ભાવના રહે છે. અને પબ્લિક અસ્કયામતો અને સુવિધાઓની યોગ્ય જાળવણીમાં પણ લોકો જાગૃત રહેશે. આ કોન્સેપ્ટ કેટલાક અંશે સફળ પણ થયો અને લોકો, તંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મળીને કામો ગણવત્તાવાળા નિર્માણ થાય, તેનો યોગ્ય નિભાવ અને દેખરેખ થાય, તથા તેને નુકસાન કે બગાડ ન થાય, તેનું ધ્યાન રાખવા લાગ્યા હતા.

સમયની સાથે આ કોન્સેપ્ટમાં "પ્રાઈવેટ" શબ્દ જોડાયો. પબ્લિક કો-ઓર્ડિનેશન તથા પબ્લિક પાર્ટિશીપેશનમાં "પ્રાઈવેટ" શબ્દ ઉમેરાયો અને તેમાંથી જ ઉદ્ભવ્યો નવો "પબ્લિક-પ્રાઈવેટ પાર્ટિશિપેશન" કોન્સેપ્ટ એટલે કે પીપીપી મોડેલ !

ઘણાં લોકો પબ્લિક-પ્રાઈવેટ પાર્ટિશિપેશનનું અર્થઘટન જાહેર અકસ્માયતો અને સેવાઓમાં ખાનગી ક્ષેત્રની સહભાગિતા તથા વિકાસ કામોમાં ખાનગી ક્ષેત્રના સહભાગી તરીકે કરે છે, તો ઘણાં લોકો આ કોન્સેપ્ટ દાયકાઓ પહેલાંથી અલગ સ્વરૂપે મોજુદ હોવાનો દાવો પણ કરે છે. આ શબ્દપ્રયોગનું અર્થઘટન ભલે જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય, પરંતુ ધીમે ધીમે પીપીપી મોડેલમાં "પ્રાઈવેટ" સેકટર હાવી થઈ ગયું અને "પબ્લિક" હાંસિયામાં ધકેલાઈ ગઈ હોવાનો આભાસ પણ ઊભો થવા લાગ્યો હતો.

ગુજરાત પછી આખા દેશમાં આ પીપીપી મોેડેલ વ્યાપી ગયું. આ મોડેલ કેટલું સફળ રહ્યું અને કેટલું નિષ્ફળ ગયું, તે ચર્ચાનો વિષય બની શકે છે, પરંતુ નાના ગામડાની મુળભૂત સુવિધાઓથી લઈને દેશના મેગા પ્રોજેકટો સુધી આ મોડેલ સ્વીકૃત બન્યું છે અને કેન્દ્ર સરકારના જ નહીં, વિવિધ પક્ષો દ્વારા શાસિત રાજ્ય સરકારોમાં પણ આ મોડેલ કોઈને કોઈ સ્વરૂપે અમલમાં જ છે, અને આ કોન્સેપ્ટ હેઠળ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા પણ આ મોડેલ અપનાવાઈ રહ્યું છે, જેમાં ગુજરાત, હાલારના બંને જિલ્લા અને જામનગર શહેરનો પણ સમાવેશ થાય છે. આ મોેડેલની ખૂબીઓ અને ખામીઓ સિક્કાની બે બાજુ જેવી છે, અને બંને બાજુઓને ધ્યાને લેવી પણ અત્યંત જરૂરી છે.

ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાં પીપીપી મોડેલ અથવા જાહેર-ખાનગી ભાગીદારીના ફાયદા અને ગેરફાયદાની હંમેશાં ચર્ચા થતી રહે છે. આ મોડેલ હેઠળ પ્રાઈવેટ સેકટર ઈન્વેસ્ટમેન્ટ કરે છે, અને સરકાર નિયમન અને અમલ કરે છે. ખાનગી કંપનીઓ સાથે આ માટે કરાર કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ નિર્માણ થયા પછી અથવા પ્રોજેકટ પૂરો થયા પછી સંપત્તિ સરકારને સોંપી શકાય છે. હવે તો કેટલીક સેવાઓ અને ડિજિટલ વ્યવસ્થાઓ પણ પીપીપી મોડેલથી ચલાવાઈ રહી છે. ગુજરાતમાં પ્રારંભમાં જ "સ્કોપ" જીકેએસ (ગુજરાત નોલેજ સોસાયટી) તથા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પીપીપી મોડેલની પહેલ થઈ હતી.

કેન્દ્ર સરકાર વી.જી. ફંડના માધ્યમથી સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટસ માટે નિયત પ્રમાણમાં નાણાકીય સહાય પૂરી પાડે છે. આ મોડેલના અમલીકરણના અનુભવે આ મોડેલના ફાયદા-ગેરફાયદાઓ અંગે ભિન્ન-ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે અને કેટલાક પ્રોજેકટોમાં ખાનગી ક્ષેત્રનો વધુ ફાયદો થતો હોવાની ચર્ચા પણ થતી રહે છે.

જામનગરમાં પણ પીપીપી મોડેલ અંતર્ગત કેટલીક માળખાકીય સુવિધાઓ, પ્રાથમિક જરૂરિયાતો અને જનલક્ષી સેવા-સગવડોના કામો થયા છે, જે પૈકી કેટલાક કામોમાં વિલંબ પણ થયો હશે અને વિવાદો પણ સર્જાયા હશે, પરંતુ "સત્તા સામે શાણપણ નકામું" તે કહેવત મુજબ અંતે તો શાસકો જ અને તંત્રોનું જ ધાર્યું થયું હશે.

હમણાંથી નગરના કેટલાક મુખ્ય સર્કલોનો પીપીપી મોડેલથી વિકાસ કરવાની વાતો થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં કરાયેલા કેટલાક વિકાસના કામોના નવીનીકરણ કે પછી ખાનગી ક્ષેત્રના માધાંતાઓના સહયોગથી નવી સુવિધાઓ કરવા માટે પીપીપી મોડેલનો વિકલ્પ અપનાવાશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

હાલારમાં બજેટની મોસમ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બજેટ રજૂ થઈ રહ્યા છે. સંસદમાં તો બજેટ રજૂ થયા પછી બખેડો ઊભો થયો અને કેટલાક દિવસો બરબાદ થયા પછી ગઈકાલે બજેટને લઈને થોડી ચર્ચા થઈ હતી. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર પણ ૧૬મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે, જયારે જામનગર મહાનગરપાલિકાનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરીને જનરલ બોર્ડને સોંપ્યું છે.

જામ્યુકોના બજેટના ઘણાં પ્રતિભાવો સામે આવ્યા છે, અને વિવિધ મુદ્દે અભિપ્રાયો પણ અપાઈ રહ્યા છે. આ પૈકીનો એક મુદ્દો હવે રસ્તાનું ખાનગીકરણ થવાનું છે કે પછી પીપીપી મોડેલ હેઠળ કેટલાક માર્ગોને મનઘડંત રીતે મોડિફાઈ કરવાની ઉઠેલી આશંકાઓનો પણ છે, અને આ આશંકાઓની સાથે પવિત્ર સ્થળો પણ સંકળાયેલા હોવાથી ગઈકાલથી આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.

જામ્યુકોના બજેટમાં બાલા હનુમાન, સત્યનારાયણ મંદિર વગેરેને સાંકળતા રસ્તાને અસર કરે અથવા જાહેર રસ્તાનું ખાનગીકરણ કરવાની હિલચાલ થતી હોય, તેવી જે આશંકારો ઊભી થઈ હતી. તેની જ ચર્ચા ગઈકાલથી થઈ રહી હતી. કોઈપણ પ્રકારના ખાનગીકરણ કે રસ્તો પ્રતિબંધિત થાય કે વાહન-વ્યવહાર અવરોધતો હોય, તેવા વિકાસકામો કરતા પહેલા સંબંધિત સ્ટેક હોલ્ડર્સ (હિતધારકો) ને વિશ્વાસમાં લેવા જોઈએ. આ અંગે જો કોઈ ધાર્મિક સંસ્થા, જાગૃત નાગરિક કે મંદિરના સંચાલક કે પૂજારી દ્વારા કોઈ સૂચન કે રજૂઆત થઈ રહી હોય, તો તેને લક્ષ્યમાં લઈને જ આગળ વધવું જોઈએ, તથા શક્ય હોય ત્યાં સુધી કોઈ માર્ગોનું ખાનગીકરણ થાય કે પીપીપી મોડેલ અપનાવાય તેવા પ્રોજેકટો નિવારવા જોઈએ, તેવા સ્થાનિક જનમતને અવગણવા જેવો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં ૫ણ ટ્રમ્પવાળી...? તેલ પાઈને એરંડીયુ કે હવેલી લેવા જતાં ગુજરાત ખોયું...? શાણપણ કે સિયાસત, સસ્પેન્સ...!!

                                                                                                                                                                                                      

હિન્દીમાં એક કહેવત છે કે, "આયે થે હરિભજન કો, ઓટન ગયે કપાસ" અથવા "કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી' જેવી ગુજરાતી કહેવત કે પછી "તેલ પાઈને એરંડિયુ કાઢવું" જેવા મહાવરાને અનુરૂપ કહી શકાય તેવા તાજેતરના કેટલાક ઘટનાક્રમો જોતા એવું લાગે છે કે, આ પ્રકારની રણનીતિ અપનાવીને જનતાને ગૂમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કાંઈપણ ગૂમાવ્યા વિના "વાહવાહી" મેળવવાની દલાતરવાડીની વાર્તા જેવા નાટકો ભજવાઈ રહ્યાં છે.

ભારતને સૌથી મોટી લોકશાહી અને અમેરિકાને સૌથી જૂનું અર્વાચીન લોકતંત્ર ગણાવીને બન્ને દેશોને એકબીજાના સહયોગી ગણાવવાની શરૂઆત તો આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછી વર્ષ-૧૯૯૦ થી ર૦૧૦ ના દાયકાઓ દરમિયાન જ થઈ ગઈ હતી, અને એ દરમિયાન વાજપેયી અને મનમોહનસિંહની સરકારો સત્તામાં રહી હતી, અને મોદી સરકાર રચાયા પછી તો ભારત અને અમેરિકાની સહયોગિતા તો ગાઢ બની જ હતી, પરંતુ ટ્રમ્પ-મોદીની દોસ્તી એટલી પ્રગાઢ બની હતી કે, એક સમયે બન્નેએ એકબીજા માટે બન્ને દેશોના પ્લેટફોર્મ પરથી ખૂલ્લેઆમ ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.

ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્ર૫તિ તરીકે ચૂંટાયા પછી તેમણે જે કાંઈ મનઘડત નિર્ણયો લીધા તે આપણે જાણીએ જ છીએ અને તેમાં ભારત પર પહેલા રપ ટકા રેસિપ્રોકલ ટેરિફ અને પછી રશિયા પાસેેથી ક્રૂડ ખરીદવાના દંડ સ્વરૂપે બીજો રપ ટકા ટેરિફ ઝીંક્યો, તે પણ જાણીતી વાત જ છે. હવે અમેરિકાએ માત્ર ૧૮ ટકા રેસિપ્રોકલ ટેરિફ લેવાની તથા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ લગાવાયેલો વધારાનો રપ ટકા ટેરિફ તદ્દન નાબૂદ કરવાનો નિર્ણય લીધા પછી ભારત પર લગાવાયેલા પ૦ ટકા ટેરિફ પછી ભારતના નિકાસકારો પાસેથી વસુલાયેલો રૂ।. ૪૦ હજાર કરોડ જેવો ટેરિફ પરત કરવાની પણ જાહેરાત કરી છે, જેથી ભારતના નિકાસકારોને રાહત થઈ છે.

આ રાહત મોદી-ટ્રમ્પની મિત્રતાને આભારી હોવાનો દાવો પણ ભારતમાં અમેરિકાના રાજદૂતે કર્યો છે, અને વાહવાહી થઈ રહી છે, પરંતુ હકીકતે કોને કેટલો ફાયદો થયો કે નુકસાન થયું, તેની ખબર તો હવે જ પડશે, વાસ્તવમાં ટ્રમ્પે પહેલાં જંગી ટેરિફ ઝીંક્યો, અને પછી પાછો ખેંચ્યો, તેની સાથે-સાથે કેટલીક શરતો રાખી હોવાથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ક્યાંક "હવેલી લેવા જતા ગુજરાત ખોયું" એ કહેવત જેવો ઘાટ તો સર્જાયો નથી ને...? આ કારણે જ ઘણાં વિશ્લેષકો આ ઘટનાક્રમ પછી ટ્રમ્પે "તેલ પાઈને એરંડીયુ કાઢવા" જેવી ચાલાકીભરી ધૂર્તતા કરી હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે, તો ઘણાં લોકો હિન્દી કહેવત "આયે થે હરિ ભજન કો, ઔર ઓટન ગયે કપાસ" જેવો ઘાટ સર્જાયો હોવાનું તારણ કાઢી રહ્યાં છે. ભારત સરકાર માટે કહેવત "કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી" જેવી સ્થિતિ હોવાનો વ્યંગ પણ થઈ રહ્યો છે.

હકીકતે પહેલા પ૦ ટકા રેસિપ્રોકલ અને દંડાત્મક ટેરિફ લાદ્યો અને પછીથી એકંદર ૩ર ટકાની રાહત આપી, એમાં કોઈ નવી નવાઈ નથી, કારણ કે અમેરિકાને પણ ફાયદો થાય તેવી આ ડીલ છે અને હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના નામે રપ ટકા દંડાત્મક ટેરિફ ફરીથી લાદવાની તલવાર તો લટકી જ રહી છે ને...? તેવા તારણો પણ નીકળી રહ્યાં છે.

આ તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાંથી ૯.૧૦ કરોડના કરવેરા રદ્દ કરવાના અહેવાલો પણ આવ્યા છે. હકીકતે મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં સૂચવાતા કરવેરામાં ઘણી વખત ફેરફાર કે કાપકૂપ થતી જ હોય છે, પરંતુ આખેઆખી નવા કરવેરા અથવા કરવેરામાં વધારાની દરખાસ્ત જ નામંજૂર કરવા પાછળ નજીકના સમયમાં આવી રહેલી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જ કારણભૂત છે, જે ઓપન સિક્રેટ છે.

ટ્રમ્પે જેવી રીતે ટેરિફ લાદીને પાછો ખેંચ્યો, તેવી જ રીતે જામ્યુકો.ના તંત્ર તથા શાસન બોડી દ્વારા પણ કાંઈક એવું જ નાટક ભજવાયું છે, તેવો વ્યંગ થઈ રહ્યો છે. જો કે, ટ્રમ્પે કેટલોક ટેરિફ લાદીને વસુલાત કર્યા પછી પાછી આપવાનો નિર્ણય લીધો છે, જ્યારે જામ્યુકો.એ કરવેરા લાદવાની તલવાર ઉગામીને પછી મ્યાન કરી દીધી છે, તેનો મતલબ એવો પણ થાય કે ટ્રમ્પે જેવી રીતે પહેલાં રપ ટકા અને પછીથી પણ રપ ટકા ટેરિફ લાદ્યો, તેવી જ રીતે કદાચ ચૂંટણીઓ પછી પુનઃ સત્તા મળે તો બાકીના પાંચ વર્ષમાં તો કરવેરા બમણાં પણ વધારી જ શકાશે ને...? તેવી કૂનેહભરી રણનીતિ પણ અપનાવાઈ હોય શકે છે. જો કે, કરવેરા ભરવા એ પ્રત્યેક નગરવાસીની ફરજ છે, તો તેની સામે નગરજનોને માનભેર તમામ સુવિધાઓ આપવાનું પણ જામ્યુકો.ના શાસકો, તંત્રો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કર્તવ્ય છે, આ જવાબદારી કેવી અને કેટલી નિભાવાઈ રહી છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને...?

જામનગરના નગરજનો જામ્યુકો.ની સેવાઓથી કેટલા સંતુષ્ટ છે...? નગરમાં વિકાસ અને લોકકલ્યાણના કામો તથા મૂળભૂત જરૂરિયાતો અને સેવાઓને લઈને નગરજનોના કેવા પ્રતિભાવો છે અને ખાસ કરીને કેટલીક અમરપટ્ટો લખાવીને આવી હોય તેવી કેટલીક સમસ્યાઓના નિવારણને લઈને જામ્યુકો.નું પરફોર્મન્સ છેલ્લા પાંચ વર્ષમાં કેવું રહ્યું...? તેનો સર્વે કરવા જેવો છે. આ સર્વેક્ષણમાં કોઈપણ તારણો નીકળી શકે છે અને તે પ્રમાણે ચૂંટણીની તૈયારીઓ પણ થઈ શકે છે. ખાસ કરીને શહેરની ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, આવારા કૂતરા, ગરીબો, મધ્યમવર્ગીય પરિવારોને મદદ, મનપાને લગતા રોજિંદા સરકારી કે દાખલા, પ્રમાણપત્રો, વસુલાત, બીલ પેમેન્ટ વિગેરે દરમિયાન જાન્યુકો.ના તંત્રનો વ્યવહાર વિગેરે મુદ્દે જનપ્રતિભાવો કેવા છે, તેનો તટસ્થ સર્વે કરવા જેવો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વચગાળાનો માર્ગ... 'સમાધાન' કે છટકબારી ?

                                                                                                                                                                                                      

પ્રાચીનકાળથી કોઈપણ વિવાદ, યુદ્ધ કે સંઘર્ષ માટે વચગાળાનો માર્ગ કે સમાધાનનો માર્ગ શોધીને ઘર્ષણ ટાળવાના પ્રયાસો થતા રહ્યા છે, અને રાજા-રજવાડાના સમાજમાં સમાધાન માટે વિષ્ટિકારો અથવા શાંતિદૂતો મોકલવામાં આવતા હતા અને તેઓને દુશ્મન દેશ તરફથી પણ સુરક્ષાકવચ પૂરૃં પાડવામાં આવતા હતા. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલા પાંડવો તરફથી ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો સાથે સમાધાનનો પ્રસ્તાવ લઈને ગયા હતા અને  ધૃતરાષ્ટ્ર સમક્ષ પાંડવો માટે પાંચ ગામ માંગ્યા, પરંતુ દૂર્યોધને પાંચ તસુ પણ જમીન આપવાની ના પાડી દીધી, ને પછી મહાભારત સર્જાયું હતું. તેવી જ રીતે રામાયણકાળમાં ભગવાન શ્રીરામ તરફથી અંગદ શાંતિદૂત થઈને રાવણ પાસે ગયા હતા અને સીતામાતાને સન્માનપૂર્વક પરત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાવણ ઘમંડમાં હતો, અને તેનો વિનાશકાળ નજીક હતો, તેથી તે માન્યો નહીં અને લંકામાં રામ-રાવણનું યુદ્ધ થયું અને રાવણ હણાયો.

આ બંને દૃષ્ટાંતો વચગાળાના માર્ગ અને સમાધાનકારી રસ્તો કાઢવાની પ્રક્રિયાની અગત્યતા સમજાવે છે. કોઈપણ  વિવાદ કે સંઘર્ષો બે પક્ષો કે બેથી વધુ પક્ષો વચ્ચે મતભેદોના કારણે શરૂ થઈને મનભેદો સુધી પહોંચી ગયા પછી સર્જાતા હોય છે અને મોટાભાગે વિનાશકારી પરિણામો લાવતા હોય છે, અથવા શરમજનક શરણાગતિ સ્વીકારવા મજબૂર થવું પડતુ હોય છે અને એ પ્રકારના ઘણાં દૃષ્ટાંતો આપણા પ્રાચીન ઈતિહાસ તથા દેશ દુનિયાની હિસ્ટ્રીમાં મોજુદ છે, છતાં હજુ આપણે તેની પાસેથી કાંઈજ શીખ્યા નથી. આજે પણ દેશ-દુનિયામાં એવા ઘણાં રાવણો અને દૂર્યોધનો અટ્ટહાસ્ય કરી રહ્યા છે, જેને શાંતિદૂતોના પ્રસ્તાવો સ્વીકાર્ય નથી અને તેઓ અત્યારે પોતાને ભલે અજેય કે સર્વશક્તિશાળી માનતા હોય, પરંતુ અંતે તો તેને દુષ્પરિણામો ભોગવવા જ પડતા હોય છે.

ઘણાં લોકો વચગાળાનો માર્ગ કે સમાધાનને જવાબદારીમાંથી છટકવાની યુક્તિ માનતા હોય છે, પરંતુ દરેક કિસ્સામાં એવું હોતું નથી. કેટલાક વચલા રસ્તા બંને પક્ષોને સમજાવીને થતા હોય છે અને બંને તરફ સ્વીકૃત હોય છે, જ્યારે ઘણી વખત તે યુક્તિપૂર્વકની છટકબારી પણ હોય છે. આથી વચલા માર્ગને સમજદારી ગણવી કે ચાલાકીપૂર્વકની ચતુરાઈ ગણવી. તેના માપદંડો દરેક કિસ્સા માટે અલગ-અલગ હોય છે.

ટ્રમ્પ ટેરિફના તોફાન વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પણ એક રીતે "વચગાળાનો રસ્તો" જ છે, અને પહેલા ગોળ-ગોળ વાતો થયા પછી મોદી સરકારના મંત્રીએ (પિયુષ ગોયલે) કેટલીક વિગતો સ્પષ્ટ કરી છે. આ ટ્રેડ ડીલના ફાયદા-ગેરફાયદાની વ્યાપક ચર્ચા થઈ રહી છે અને મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. હવે આ ટ્રેડ ડીલને "વચગાળા"નો રસ્તો જણાવાઈ રહ્યો છે. ભારત સરકાર સત્તાવાર રીતે જે કાંઈ કહી રહી છે, તેમાં અને ટ્રમ્પ સરકારના દાવાઓમાં ઘણો તફાવત હોવાથી ભારતમાં ભ્રમ અને આશંકાઓનો માહોલ છે અને રશિયા પાસેથી ખરેખર ભારત ક્રૂડ ખરીદવાનું તદ્દન બંધ કરી દેશે કે પછી તેવું નહીં થાય તો અમેરિકા ફરીથી ૨૫ ટકા વધારાનો ટેરિફ લગાવી દેશે, તે સ્પષ્ટ થતું નહીં હોવાથી આ વચગાળાનો રસ્તો ખરેખર સમાધાન અને રાષ્ટ્રહિતનો નિવડશે કે પછી ચતુરાઈપૂર્વકની છટકબારી હશે, તે ભાવિના ગર્ભમાં છુપાયેલું છે, અને વૈશ્વિક સમીકરણોની ઉથલ-પાથલમાં ૧૪૦ કરોડ ભારતીયોના હિતોનું રક્ષણ કરાયું છે, કે ગીરો મુકાયા છે. તે ભવિષ્યમાં ખબર પડશે...જસ્ટ વેઈટ એન્ડ વોચ...

દુનિયાભરના દેશો સામે ટેરિફ અને સૈન્ય તાકાતનો ડર દેખાડીને મનઘડંત હરકતો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ સ્વયં શાંતિદૂત બનવા થનગની રહ્યા છે, જે તેઓના બેવડા ધોરણો તો દર્શાવે જ છે, પરંતુ 'નોબેલ' નહીં મળ્યા પછી અમેરિકાએ હવે ઈરાન સામે આંખ લાલ કરી છે, તો ઈરાને પણ ખાંડા ખખડાવ્યા છે.

આ જ ટ્રમ્પે તાજેતરમાં "બોર્ડ ઓફ પીસ" નામની નવી ઈન્ટરનેશનલ પહેલ કરીને યુનોને સમાંતર તથા પોતાના વર્ચસ્વવાળી "શાંતિ" વ્યવસ્થા શરૂ કરી છે. આ બોર્ડની પ્રથમ બેઠક ૧૯મી ફેબ્રુઆરીના વોશિંગ્ટન ડી.સી.માં યોજાવાની છે. આ સંસ્થા આમ તો ઈઝરાયલ-ગાઝા સંઘર્ષના નિવારણ અને ગાઝાના પુનઃ નિર્માણના હેતુ માટે રચાઈ હોવાનું જાહેર કરાયું છે. હવે આ શાંતિદૂત બનેલા ટ્રમ્પને કોઈપણ રીતે પ્રાચીનકાળમાં આપણાં શાંતિદૂતો સાથે સરખાવી શકાય તેમ નથી. હકીકતે "કહીં પે નિગાહે...કહીં પે નિશાના"ની નીતિ અપનાવતા ટ્રમ્પે આ વચગાળાનો માર્ગ નહીં પણ વર્ચસ્વનો માર્ગ અપનાવ્યો છે.

"વચગાળાનો માર્ગ" વૈધાનિક પણ છે અને શાંતિપથ પણ છે. આપણાં દેશમાં વિલંબિત ન્યાય અને કેસોના ભરાવાની સમસ્યા હળવી કરવા લેવાઈ રહેલા વિવિધ કદમોમાં લોક અદાલતો અગ્રતાક્રમે છે અને તેમાં સમાધાનો થતા બંને પક્ષો સંતુષ્ટ થાય છે અને અપીલો નહીં થતા ભવિષ્યના કેસોનું નિવારણ પણ થાય છે, તેથી આ વચગાળાનો માર્ગ કાનૂને પણ સ્વીકાર્યો છે, પરંતુ તેનું સ્વરૂપ અલગ છે. આ જ રીતે "લવાદ"ની વ્યવસ્થા પણ "વચગાળાનો માર્ગ" જ છે, અને તેનો ઉપયોગ વિવાદોના સમાધાનકારી ઉકેલ માટે થાય છે, પરંતુ રાજનૈતિક, કુટનૈતિક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં "વચગાળાના માર્ગ"નો ઉપયોગ ઘણી વખત "વ્યૂહાત્મક" હોય છે, જેનો અત્યારે મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.

ઘણી વખત સામાજિક, પારિવારિક કે પડોશના ઝઘડાઓ કે મિલકત-સંપત્તિના દાવાઓમાં પણ વચગાળાનો માર્ગ રામબાણ ઈલાજ કે શાંતિકારક સર્વસ્વીકૃત સમાધાનનો સફળ ઉપાય બની જતો હોય છે, જ્યારે ઘણી વખત આ પ્રકારના ઉપાયના સ્વરૂપમાં જ દગાબાજી કે ચાલબાજી પણ છુપાયેલી હોય છે, અને આ જ પ્રકારે અન્ય કોઈપણ પ્રકારના "વચલા રસ્તા" માં આવી જ સંભાવનાઓ રહેતી હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે ક્યારેય વચગાળાનો માર્ગ કાઢવો જ નહીં...હકીકતે ચાલબાજી હોય તો વચગાળાનો માર્ગ સમજી વિચારીને અપનાવવો જોઈએ, પરંતુ ધુત્કારવો ન જોઈએ...બાકી તો ટ્રમ્પ જાણે અને તેના મિત્રો જાણે... જસ્ટ વેઈટ એન્ડ વોચ...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સોશ્યલ મીડિયા-ઈન્ટરનેટના ફાયદા અને ભયસ્થાનો... ભારતમાં સગીરો માટે આંશિક અથવા પૂર્ણ પ્રતિબંધનું વિચારાશે ?

                                                                                                                                                                                                      

થોડા દિવસો પહેલા ત્રણ કિશોરીઓએ નવમા માળેથી કૂદીને કરેલી આત્મહત્યા પાછળ ઓનલાઈન ગેઈમ જવાબદાર હતી, તેવું બહાર આવ્યા પછી ઓનલાઈન ગેઈમીંગ-ગેમ્બલીંગ અને સોશ્યલ મીડિયાની આડઅસરોની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ છે અને માતા-પિતા અને પરિવારો માટે સતત જાગૃત રહેવાની જરૂર પણ જણાવાઈ રહી છે, કારણ કે હવે આ બદી એટલી બધી વ્યાપક બની રહી છે કે થોડીક ચૂક, બેદરકારી કે ઉદારતાથી આપેલી છૂટછાટ ભારે પડી શકે છે.

ગાઝિયાબાદની એ કમનસીબ ઘટનામાં ૧૨ થી ૧૬ વર્ષની કિશોરીઓને કોરિયન કલ્ચરનો ક્રેઝ લાગુ પડયો હતો, તેવી હકીકત બહાર આવ્યા પછી તો આ મુદ્દો માત્ર સંતાનોના માતા-પિતા કે પરિવાર જ નહીં, પરંતુ સમાજ અને સરકારે પણ આ અંગે ચિંતા, ચિંતન અને પરવાહ કરવાની જરૂર છે. આ પ્રકારની હરકતોને માનસિક બીમારીની શ્રેણીમાં ગણીને આરોગ્ય વિભાગ તથા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મુદ્દો વિવિધ દેશો સાથે ચર્ચા-પરામર્શ કરીને કોઈ એવો ઉકેલ કાઢવાની જરૂર છે કે જેથી સોશ્યલ મીડિયાનો સુદપયોગ તો સુનિશ્ચિત કરી જ શકાય, પરંતુ તેનો દુરૂપયોગથી અચાનક લોકોને વેઠવી પડતી આફતોથી બચાવી શકાય અને બાળકો, કિશોર-કિશોરીઓ અને જેનઝેડના વયજૂથોમાં આ મુદ્દે વ્યાપક જાગૃતિ ફેલાવી શકાય.

ઈન્ટરનેટની સુવિધાએ દુનિયાને ગામડુ (ગ્લોબલ વિલેજ)બનાવી દીધું છે અને હથેળીના પંજામાં આખી દુનિયા મોબાઈલ સેલફોનમાં ઈન્ટરનેટના માધ્યમથી તથા અદ્યતન સંચાર તકનીક (ટેકનોલોજી)થી મૂકાઈ ગઈ છે, ત્યારે ઈન્ટરનેટના થતા દુરૂપયોગનો મુદ્દો સોશ્યલ મીડિયાના દુરૂપયોગ કરતાંયે ઘણો જ ભયાનક, ખતરનાક અને ખોફનાક છે.

ઈન્ટરનેટના માધ્યમથી જ સાયબર ફ્રોડની સમસ્યાઓ વધી છે. ઓનલાઈન ગેઈમીંગ, ઈન્ટરનેશનલ ફ્રોડ, એકાઉન્ટ હેકીંગ અને ડેટા ચોરીના કારણે ઈન્ટરનેટ વાપરનારા તો પરેશાન છે જ, પરંતુ ઈન્ટરનેટ આધારિત સેવાઓ ખોરવાઈ જાય કે સર્વર ઠપ્પ થઈ જાય ત્યારે ગરીબ-સામાન્ય જનતા પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હેરાન-પરેશાન થતી હોય છે.

આ પ્રકારની વાતો સાંભળીએ અને વ્યાપક ચર્ચાઓ થાય, ત્યારે બધો જ વાંક સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઢોળીને કદાચ આપણે અર્ધસત્ય બોલી રહ્યા છીએ અથવા પોતાને જ છેતરી રહ્યા છીએ, તેવું પણ કહી શકાય, કારણ કે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા જો ઉપયોગી ન જ હોય તો, મોટા મોટા ઉદ્યોગપતિઓ, સરકારો અને દેશ-દુનિયાના બુદ્ધિજીવીઓએ તેનો વ્યાપ વધાર્યો જ ન હોત. હકીકત એ છે કે ઈન્ટરનેટ અને તેના આધારિત સોશ્યલ મીડિયા સહિતની અદ્યતન ટેકનોલોજી તથા સુવિધાઓ આજે રોજીંદી જીવનશૈલીનું અનિવાર્ય અંગ બની ગઈ છે અને થોડી મિનિટો માટે આ ઈન્ટરનેટ અટવાઈ જાય, તો દુનિયાભરમાં હલચલ મચી જાય છે અને મોટા ભાગની સેવાઓ ખોરવાઈ જતી હોય છે.

સોશ્યલ મીડિયાના વિવિધ સ્વરૂપોના માધ્યમથી અત્યારે એજ્યુકેશન અને સંદેશા વ્યવહાર ઘણાંજ સરળ અને ઝડપી બન્યા છે, તો રોજીંદા ઘરેલુ વ્યવહારોથી માંડીને માર્કેટીંગ, ટ્રાન્પોર્ટેશન, ટ્રાવેલીંગ, બિઝનેસ, પારિવારિક કે સામાજિક પ્રસંગો, ધાર્મિક આયોજનો તથા ઉત્સવો-તહેવારોની ઉજવણી જેવા તમામ ક્ષેત્રોમાં ઈન્ટરનેટ આધારિત સેવાઓ, ઈ-મેઈલ, વેબસાઈટ્સ તથા ખાસ કરીને સોશ્યલ મીડિયાનો સકારાત્મક અને ફળદાયી ઉપયોગ થઈ જ રહ્યો છે. સરકારી વહીવટ, પત્ર-વ્યવહાર, પરિપત્રો તથા હવે તો અદાલતી અને કાનૂની કાર્યવાહી, પોલીસ કાર્યવાહી તથા બેંકીંગ સેવાઓ માટે પણ ઈન્ટરનેટ આધારિત સેવાઓ હવે બુનિયાદી જરૂરિયાત બની ગઈ છે અને તેમાં સતત થતું રહેતું અપડેટ તથા વિસ્તૃતિકરણ આપણી બધાની રોજ-બ-રોજની જિંદગીને વધુ સુવિધાજનક પણ બનાવી રહ્યું છે.

જેવી રીતે લોઢામાંથી કૃષિ ઓજાર પણ બની શકે અને ઘાતક હથિયારો પણ બની શકે, અગ્નિથી અન્ન પણ રાંધી શકાય અને એ જ આગથી મોટી મોટી ઈમારતો પણ ભસ્મીભૂત થઈ શકે, તેવી જ રીતે ઈન્ટરનેટ અને તેના આધારિત સોશ્યલ મીડિયા સહિતની સેવાઓનો સારા હેતુઓ માટે અને સમજદારીપૂર્વક ઉપયોગ થાય, તે પણ આપણાં જ હાથમાં છે અને તેનો દુરૂપયોગ ન થાય અથવા તેનો ઈરાદાપૂર્વક ગુનાહિત ઉદૃેશ્યો માટે દુરૂપયોગ કરતા તત્ત્વોને અટકાવવા કડક કાનૂનોની વાસ્તવમાં અસરકારક અમલવારી થાય, તે પણ સમાજ અને સરકારના જ હાથમાં છે, આ ઉપયોગી સુવિધાઓનો બહુહેતુક સદુપયોગ વધતો રહે, અને નેગેટિવ કે ખંડનાત્મક ઉપયોગ ઘટતો રહે, તે માટે સહિયારા પ્રયાસોની જરૂર છે.

આજે સેટેલાઈટ આધારિત સંદેશા-વ્યવહાર, ટેકનોલોજી તથા ઈન્ટરનેટના નેટવર્કના કારણે પૃથ્વીના કોઈપણ ભાગમાં હવાના દબાણમાં વધઘટ થઈ હોય, ચક્રવાત ઉદ્ભવ્યો હોય કે કુદરતી સિસ્ટમમાં ફેરફાર થઈ રહ્યો હોય, તો તરત જ ખબર પડી જાય છે અને જરૂરી રાહત-બચાવ તથા આગમચેતીના કદમ ત્વરીત ઉઠાવી શકાય છે. કુદરતી આફતો પછી થયેલા નુકસાનના અંદાજો કાઢી શકાય છે. દરિયામાં અટવાયેલા વહાણો કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરો-વિમાનોની દુર્ગમ વિસ્તારોમાં શોધખોળ ઝડપથી કરી શકાય છે, જરૂરી ચેતવણીઓ તત્કાળ જન-જન સુધી પહોંચાડી શકાય છે. હવે તો વિવિધ પ્રેસ-મીડિયાની એપ્સ તથા વેબસાઈટ્સ, સરકારી વિભાગો-તંત્રોની વેબસાઈટસ અને એપ્સ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વેબસાઈટ્સ અને એપ્સ, હવામાન વિભાગની વેબસાઈટસ તથા સચેત જેવી જુદી જુદી એપ્સ દ્વારા સોશ્યલ મીડિયા દ્વારા તથા ઈ-પેપર્સ, સંદેશાવ્યવહારની એપ્સ દ્વારા લોકોને તત્કાળ સાવચેત કરવાની વ્યવસ્થા થાય છે, જે ઈન્ટરનેટની વ્યવસ્થાને જ આભારી છે. સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલરૂમમાંથી નિરીક્ષણ હોય, સંસદની કાર્યવાહીનું જિવંત પ્રસારણ હોય કે પછી યુદ્ધના સમયમાં અવકાશી સંરક્ષણની વ્યવસ્થાઓ હોય, તેમાં ઈન્ટરનેટ આધારિત અદ્યતન ટેકનોલોજી ઘણી જ ઉપયોગી થઈ રહી છે.

આથી સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટની સુવિધાઓ પર દોષનું ઠીકડુ ફોડવાના બદલે આપણે અને આપણો પરિવાર-સંતાનો દ્વારા આ સુવિધાઓનો દુરૂપયોગ થતો અટકાવીએ, તે અત્યંત જરૂરી છે. હા, દુનિયાના કેટલાક દેશોની જેમ ભારતમાં સગીરો માટે સોશ્યલ મીડિયા સ્પેસ આંશિક કે પૂર્ણ પ્રતિબંધ માટે કાયદો બનાવવાનું વિચારી શકાય ખરૃં....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મોંઘવારી ભથ્થુ મરજીયાત નહીં, ફરજીયાત છેઃ 'સુપ્રિમ' ચૂકાદાની થશે દૂરગામી અસરો

                                                                                                                                                                                                      

સુપ્રિમકોર્ટમાં એસઆઈઆરના મુદ્દે વકીલની ભૂમિકામાં મમતા બેનર્જીએ ધારદાર દલીલો કરીને કોઈ મુખ્યમંત્રી પદે રહેલા વર્તમાન મુખ્યમંત્રી દ્વારા વકીલાત કરવાનું અભૂતપૂર્વ દૃષ્ટાંત બેસાડ્યા પછી માત્ર રાજકીય જ નહીં, કાનૂની ક્ષેત્રો તથા બાર કાઉન્સિલના વર્તુળોમાં પણ તેની ચર્ચા થઈ રહી હતી. એ દલીલો પછી સુપ્રિમકોર્ટે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે અને સોમવારે તેની સુનાવણી થવાની છે.

બીજી તરફ ભારતીય ચૂંટણીપંચે પણ સુપ્રિમકોર્ટમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની કામગીરીમાં પશ્ચિમ બંગાળમાં સતત રાષ્ટ્રીય હસ્તક્ષેપના કારણે ચૂંટણી અધિકારીઓ પોતાની બંધારણીય ફરજો બજાવી શકતા નથી, તે પ્રકારનું એફિડેવિટ રજૂ કર્યુ છે. ચૂંટણીપંચે દલીલો કરી છે કે, દેશના બીજા કેટલાક રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ છે અને ચાલી પણ રહી છે, પરંતુ પ.બંગાળમાં ચૂંટણીપંચે નિમેલા અધિકારીઓ સામે ધાકધમકી, હિંસા અને અડચણો ઊભી થવાની સંખ્યાબંધ ઘટનાઓ બની છે અને ઘણી વખત તો ચૂંટણીપંચના અધિકારીઓનો જીવ પણ જોખમમાં મૂકાયો હતો, આ પરિસ્થિતિ પર અંકુશ રાખવામાં ત્યાંની રાજય સરકાર નિષ્ફળ ગઈ છે, અને ઉલટાની ચૂંટણીપંચ સામે જ અવાજ ઉઠાવી રહી છે, જે ગેરબંધારણીય છે, અને ચૂંટણીપંચને બંધારણીય રક્ષણ મળી રહ્યું નથી.

બિહાર સરકારે એસઆઈઆરની બંધારણીય કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કર્યો હોવાનો આક્ષેપ ત્યાંનો વિરોધપક્ષ પણ કરી રહ્યો છે, તો બીજી તરફ આ કાર્યવાહીને જ બિહાર સરકારે ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો છે. હવે આ સમગ્ર વિવાદનો દડો સુપ્રિમકોર્ટના મેદાનમાં છે, એટલે કે, આ વિવાદ અંગે બન્ને પક્ષોને સાંભળીને સુપ્રિમકોર્ટ અંતિમ ફેંસલો કેવો સંભળાવે છે, તેના પર આખા દેશની નજર મંડાયેલી રહેવાની છે.

આ વિવાદ તો હજુ સુપ્રિમકોર્ટમાં પેન્ડીંગ છે અને સોમવારે તેની વધુ સુનાવણી થવાની છે, પરંતુ પ.બંગાળ સરકારને એક અન્ય કેસમાં ઝટકો આપ્યો છે. આ ઝટકો મમતા સરકારને પ.બંગાળની રાજય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના મુદ્દે લાગ્યો છે, પરંતુ તેની દૂરગામી અને દેશવ્યાપી અવસરો થવાની છે, કારણ કે મોંઘવારી ભથ્થાનો મુદ્દો દેશભરની રાજય સરકારે તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ સ્પર્શે છે અને સુપ્રિમકોર્ટના આ ચૂકાદા પછી તેની અસર આ તમામ કર્મચારીઓના હિતોના રક્ષણ માટે હકારાત્મક થવાની છે અને ઉપયોગી નીવડવાની છે.

સુપ્રિમકોર્ટમાં પ.બંગાળની સરકારે નાણાકીય સ્થિતિ નબળી હોવાથી ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થુ ચૂકવવું શક્ય નથી, તેમ જણાવ્યું હતું.

પ.બંગાળ સરકારે રાજય સરકારના કર્મચારીઓ સંબંધિત લીધેલા આ નિર્ણયને ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મોંઘવારી ભથ્થુ એ કર્મચારીઓનો વૈદ્યાનિક અધિકાર છે અને તેની ચૂકવણી મરજીયાત કે વૈકલ્પિક નથી, પરંતુ ફરજીયાત છે. સુપ્રિમકોર્ટ પ.બંગાળ સરકારે વર્ષ-ર૦૦૯ થી ર૦૧૯ સુધીનું બાકી મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો કમ-સે-કમ રપ ટકા એરિયર્સ ચૂકવી દેવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો છે, જે દેશભરના સરકારી કર્મચારી માટે ટોક ઓફ ધ નેશનનો મુદ્દો બન્યા છે.

સુપ્રિમકોર્ટે આ ઐતિહાસિક નિર્ણય આપ્યો, તેના કારણે કોલકતા હાઈકોર્ટ સહિત વિવિધ ઉચ્ચ અદાલતોએ આ પ્રકારની અપીલોમાં આ જ પ્રકારના જે ચૂકાદાઓ આપ્યા છે, તેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે.

આ સુનાવણી દરમિયાન સુપ્રિમકોર્ટે મુખ્ય ૧૩ જેટલા કાનૂની પ્રશ્નો પર વિચાર કર્યો હતો અને કર્મચારીઓ મંડળો તરફથી થયેલી રજૂઆતો તથા હાઈકોર્ટના ફેંસલાઓની પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન "રોપા" ના નિયમો તરીકે ઓળખાતા બંધારણીય જોગવાઈઓ હેઠળ રાજય સરકારના કર્મચારીઓના હિતો તથા કલમ-૩૦૯ હેઠળ રાજય સરકારની સત્તાઓ વિગેરે મુદ્દે વિવિધ વ્યાખ્યાઓ તથા અર્થઘટનો સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યા હતાં અને કર્મચારીઓના લિજિટિમેટ એક્સપેકટેશન સહિતના મુદ્દાઓની વિગતવાર છણાવટ કરીને નિષ્કર્ષ આપ્યો હતો.

અદાલતે ઠરાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થુ કોઈ સ્થિર રકમ નથી. પરંતુ તે મહામૂલ્યવૃદ્ધિ (મોંઘવારી) મુજબ બદલાય છે. પ.બંગાળની સરકારે ડી.એ. (મોંઘવારી ભથ્થા) ના નિયમોમાં કરેલા ફેરફારોને મનસ્વી અને તરંગી ગણાવીને કર્મચારીઓની યોગ્ય માંગણીઓને કોઈ નક્કર કારણ વગર તોડી (કચડી) નાંખી હોવાના તીખા શબ્દપ્રયોગો વાપરીને અદાલતે રાજય સરકારના અભિગમની આકરી ટીકા પણ કરી હોવાની ચર્ચા વચ્ચે હવે પ.બંગાળ સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નહીં હોવાના તારણો પણ તજજ્ઞો કાઢી રહ્યાં છે.

સુપ્રિમકોર્ટે પ.બંગાળ સરકારની કાર્યશૈલી તથા હાઈકોર્ટના આદેશો પછી પણ અક્કડ વલણ અપનાવવાના વલણ પછી કર્મચારીઓને તબક્કાવાર એરિયર્સ ચૂકવવાની પ્રક્રિયા પણ સુપ્રિમકોર્ટની જ દેખરેખ હેઠળ થાય તેવી વ્યવસ્થા કરી છે અને તે માટે સુપ્રિમકોર્ટના નિવૃત્ત જ્જના નેતૃત્વમાં હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશો અને કેગના વરિષ્ઠ અધિકારીઓની એક વિશેષ સમિતિની રચના પણ કરી દીધી છે, જેથી રાજય સરકાર વધુ મનમાની કરી નહીં શકે.

સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો માત્ર પ.બંગાળ જ નહીં, પરંતુ દેશભરના સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ પુરવાર થશે, કારણ કે, આ ચૂકાદો એ સ્પષ્ટ કરે છે કે, મોંઘવારી ભથ્થાના નીતિ નિર્ધારણ અને ચૂકવણીમાં "કોઈપણ" સરકાર મનમાની કરી શકે નહીં.

ઘણી વખત રાજય સરકારો અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે ત્યારે તેઓ દ્વારા "કર્મચારીઓને ભેટ" કે "બક્ષિસ" જેવા શબ્દપ્રયોગો થતા હોય છે, તે શબ્દપ્રયોગો કરનારાઓને પણ સંદેશ છે કે, મોંઘવારી ભથ્થુ કોઈ ભેટ-સોગાત, બક્ષિસ કે ખેરાત નથી, પરંતુ કર્મચારીઓનો વૈધાનિક અધિકાર છે.

જો કે, આ ચૂકાદા પછી જન સામાન્યમાં કેટલાક પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે. સરકારી કર્મચારીઓને વૈદ્યાનિક અધિકાર તરીકે મોંઘવારી ભથ્થુ ચૂકવાતું રહે તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, કારણ કે સરકારી કર્મચારીઓ પણ દેશની જનતાનો જ હિસ્સો છે, પરંતુ વધતી મોંઘવારીની જેટલી અસર સરકારી કર્મચારીઓને થાય છે, તેટલી જ અન્ય લોકોને પણ થાય છે અને ગરીબ તથા નિમ્ન - મધ્યમવર્ગોને સૌથી વધુ સંઘર્ષમય આર્થિક અસરો થતી હોય છે, તેનું શું...?

જો કે, સરકાર દ્વારા ચલાવાઈ રહેલી કેટલીક યોજનાઓ, અપાતી સબસીડીઓ તથા ડીબીટીથી અપાતા લાભોનો ઉલ્લેખ કરીને સરકારી તંત્રો બચાવ કરી શકે છે, પરંતુ હકીકતે મોંઘવારી તથા બેરોજગારીમાં પિસાતી સામાન્ય ગરીબ-નિમ્ન-મધ્યમવર્ગીય જનતા માટે પણ કોઈ રાહતરૂપ નિયમિત મિકેનિઝમ ઉભું કરવું જોઈએ, તેવો જનમત અવગણી શકાય નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંસદના શોરબકોર વચ્ચે સોનુ, ચાંદી, શેરબજારમાં ઉતાર-ચઢાવ... સીતારમણ, અંબાણી અને તજજ્ઞો શું કહે છે ?

                                                                                                                                                                                                      

સુપ્રિમકોર્ટમાં મમતા બેનર્જીએ એસઆઈઆરના મુદ્દે વકીલ બનીને કરેલી ધારદાર દલીલો પછી સુપ્રિમકોર્ટને નોટિસ, સંસદમાં શરમજનક દૃશ્યો અને વાદ વિવાદો તથા નગરથી નેશન સુધી કેટલાક મોટા માણસોની જેલયાત્રાના અહેવાલો વચ્ચે પણ સોનુ, ચાંદી અને શેરબજારમાં હમણાંથી થતા રહેતા અસાધારણ ઉતાર-ચઢાવની ચર્ચા અને વ્યાપાર-ઉદ્યોગ તથા રાજકીય ક્ષેત્રોમાંથી તદ્વિષયક આવી રહેલા અભિપ્રાયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, તથા સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલા મંતવ્યને કેન્દ્રમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાંથી પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોનાના ભાવોમાં અણકલ્પ્ય અને અસાધારણ ઉતાર-ચઢાવ પાછળ "ગ્લોબલ અનસર્ટેનિટી" અથવા વૈશ્વિક અનિશ્ચિતતાઓને જવાબદાર ગણાવી છે. ગ્લોબલ માર્કેટમાં સતત બદલાતી રહેતી આર્થિક સ્થિતિ તથા ભૌગોલિક-રાજકીય અને કૂટનૈતિક પ્રવાહો તરફ સંકેત કરતા નાણામંત્રીએ કહ્યું છે કે ઈન્વેસ્ટરોનો કેટલાક દેશોની કરન્સી (ચલણ) પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હોવાથી તેની સીધી અસર ગ્લોબલ ગોલ્ડ માર્કેટ પર પડી રહી છે., કારણ કે જનસામાન્ય ધારણા મુજબ સોનામાં થતું ઈન્વેસ્ટમેન્ટ સુરક્ષિત છે, જયારે પેપર કરન્સી એટલે કે રૂપિયો, પાઉન્ડ, ડોલર વગેરે જુદા જુદા દેશોની કાગળની કરન્સી (ચલણ)માંથી લોકોને વિશ્વાસ ડગમગી રહ્યો છે. રોકાણકારો સોનામાં મૂડી રોકાણને "સેઈફ હેવન" માનતા હોવાથી મોટા પાયે મૂડી રોકાણ સોનામાં કરે છે, ત્યારે ભાવો ઉછળે છે, પરંતુ જયારે નફો મેળવવા માટે એકસાથે પ્રોફિટ બુકીંગ થવા લાગે છે, અથવા વેચવાલી વધે છે, ત્યારે ભાવો તૂટે છે. આ સાયકલ હમણાંથી મોટા માર્જીન અથવા મોટા ગાબડાં પાડી રહી છે અને તેજ ગતિથી ફરી રહી છે. અને તેમાંજ સામાન્ય ગ્રાહકો, રોજીંદી જરૂરિયાતો કે પ્રસંગો માટે ખરીદી કરતી સામાન્ય જનતા પણ અટવાયા કરતી હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત થતો હોય છે.

છેલ્લા એક અઠવાડિયામાં વૈશ્વિક બજારની અસરો, ભારત સરકારનું બજેટ, વૈશ્વિક અશાંતિનો પ્રભાવ તથા ટ્રમ્પ ટેરિફની તઘલખી જાહેરાતોના કારણે ભારતીય અને ગ્લોબલ માર્કેટોમાં થયેલી ઉથલ-પાથલો દરમ્યાન સોના-ચાંદીના ભાવો રોકેટ ગતિથી આસમાનને આંબી ગયા પછી તેટલી જ સ્પીડથી જમીન પર પછડાયા તેથી ઊંચા ભાવે રોકાણ કરનાર ઈન્વેસ્ટરો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ગઈ, પરંતુ લગ્ન પ્રસંગો જેવી સામાજિક-પારિવારિક ઉજવણીઓ માટે સોનુ-ચાંદી ખરીદવાનું બાકી હતું તેઓને ટ્રમ્પ ટેરિફના ૧૮ ટકાની જાહેરાત પછી પછડાયેલા ગ્લોબલ અને નેશનલ માર્કેટના કારણે રાહત પણ થઈ છે.

બીજી તરફ નેશનલ-ઈન્ટરનેશનલ પ્રેસ-મીડિયામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું સોના-ચાંદીમાં ઈન્વેસ્ટમેન્ટને લઈને અપાયેલું મંતવ્ય આજે અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યું છે.

મુકેશ અંબાણીએ જિયોની બ્લેકરોક પહેલની ચર્ચા કરતી વખતે આપણાં દેશમાં ગયા વર્ષે સોના-ચાંદીની થયેલી જંગી આયાતનો આંકાડાઓ સાથે ઉલ્લેખ કરતા કહ્યું કે ગતવર્ષે ૬૦ બિલિયન ડોલર સોનાની ભારતે આયાત કરી છે, જયારે ૧૦ થી ૧૫ બિલિયન ડોલર ચાંદીની પણ આયાત કરી છે, જેમાં ઈન્વેસ્ટરોએ મોટા પાયે રોકાણ કર્યું છે.

મુકેશ અંબાણીના અભિપ્રાય મુજબ સોના-ચાંદીમાં થતું મૂડી રોકાણ સુરક્ષિત તો છે, પરંતુ (વ્યક્તિગત, પારિવારિક કે રાષ્ટ્રીય) વૃદ્ધિ કે વિકાસને વેગ આપતું નથી, અને સીધા ઉત્પાદનમાં વધારો કરતુ નથી.

આપણે ભારતીયો બચત કરવામાં માનીએ છીએ, પરંતુ સોના-ચાંદીમાં મૂડી રોકાણ કરવાના બદલે જો આ બચત મૂડી બજારોમાં નાખવામાં આવે તો માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી કે વિવિધ કંપનીઓમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટ થકી વ્યાપાર-ઉદ્યોગ, વ્યવસાયોને વેગ મળે, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થાય, નોકરી-રોજગારીની તકો વધે, અને રોકારણકારોની સંપત્તિમાં વધારો થતો જણાય. ટૂંકમાં નાણાનો પ્રવાહ વહેતો રહે તે પ્રકારે બચત કરવી જોઈએ.

અંબાણીનું મંતવ્ય એવું હતું કે બચત કે મૂડી તિજોરીઓમાં સંગ્રહ કરીને રાખવાથી અથવા સોના-ચાંદી જેવી ધાતુઓમાં ઈન્વેસ્ટ કરીને રાખવાથી તે 'સ્થિર' થઈ જાય છે અને પ્રોડક્ટિવ રહેતી નથી, પરંતુ જો શેરબજારના માધ્યમથી ઈન્વેસ્ટમેન્ટ કરીને અર્થવ્યવસ્થાની સાયકલમાં રોકવામાં આવે તો તેના કારણે બહુહેતુક ફાયદાઓ થઈ શકે છે. તેમણે કહ્યું કે કિંમતી ધાતુઓ મૂલ્ય જાળવી રાખી શકે છે, જ્યારે શેરબજારમાં રોકાણ કરાયેલા (સમજદારીપૂર્વક) નાણા રિયલ એસ્ટેટ (સાચી સંપત્તિ)નું નિર્માણ કરી શકે છે.

તેમણે ભારતીય ઈકોનોમિને ફળ આપતા વૃક્ષ સાથે સરખાવીને કહ્યું કે ભારત લાંબા ગાળે આઠ થી દસ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરીને તેને ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે.

જયારે કિંમતી ધાતુઓની વાત આવે ત્યારે, રેર અર્થ માટે ફાંકા મારતા ટ્રમ્પદાદા અને જીનપીંગ અંકલ પણ યાદ આવી જ જાય. રેર અર્થ અથવા કિંમતી ખનિજોની ગ્લોબલ સપ્લાય પર ચીનનું વર્ચસ્વ હોવાથી ચીન સામે ટ્રમ્પે મોરચો માંડ્યો છે એન વોશિંગ્ટનમાં ભારત સહિત ૫૦ દેશોની કોન્ફરન્સ બોલાવીને આ મુદ્દે ચીનની પકડ ઢીલી કરવાની દિશામાં કદમ માંડ્યું, ત્યાં જ ચબરાક ચીને ચાલ બદલી અને શાણપણભર્યો પ્રત્યાઘાત આપ્યો. યુરોપિયન યુનિયન અને અમેરિકાના પ્રસ્તાવનો ઉલ્લેખ કરીને ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિશ્વમાં ક્રિટિકલ મિનરલ ઈન્ડસ્ટ્રીયલ અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા સંયુક્ત રીતે તેને સુરક્ષિત રાખવાના પ્રયાસો જરૂરી છે. વિશ્વના દેશોએ માર્કેટ ઈકોનોમિના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂર છે, અને પરસ્પર સંવાદ વધારવાની જરૂર છે.

સોનુ-ચાંદી, શેરમાર્કેટ અને રેર અર્થના વિષયો પર થતી ચર્ચા, અભિપ્રાયો તથા પ્રવર્તમાન પ્રવાહોને લઈને તદ્વિષયક તજજ્ઞો, માર્કેટીંગ સેકટર તથા જન-સામાન્યના બુદ્ધિજીવી વર્ગમાંથી પ્રતિ-પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે, જેનો નિચોડ એવો નીકળે છે કે નાણામંત્રીના સોના-ચાંદીના ભાવોના ઉતાર-ચઢાવ અંગેનો અભિપ્રાય ભલે તથ્યપૂર્ણ હોય, તો પણ પ્રવર્તમાન પ્રવાહોમાં દેશનો સામાન્ય નાગરિક અટવાઈ ન જાય અને ભારતીય કરન્સી તથા અર્થતંત્રમાં ભારતીયો તથા લોકલ-ગ્લોબલ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ જળવાઈ રહે, તેની જવાબદારી તો સરકારની જ ગણાય.

રેર અર્થને લઈને ચીન ભલે હવે ડાહી ડાહી વાતો કરે, પરંતુ અત્યાર સુધી સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરનાર ચીનનો જરાયે ભરોસો કરી શકાય તેમ નથી, તેવી જ રીતે અમેરિકાએ ભલે પ૦ દેશોની બેઠક બોલાવીને આ મુદ્દે ચીનને પડકાર્યું હોય, પરંતુ ભારતે તેમાં સહયોગ અને સમર્થન પણ સમજી વિચારીને કરવું જોઈએ, અને ચીન સામે અમેરિકા ભારતના ખભે રાખીને બંધુક ન ફોડે, તેની સાવચેતી રાખવી પડે તેમ છે.

બીજી તરફ એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે કે માત્રને માત્ર શેરબજારમાં જ રોકાણ કે બચત કરવી જોઈએ અને વેન્ડિંગ કે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાથી તદ્દન દૂર રહેવું જોઈએ, તેવું તો કહી શકાય નહીં, પરંતુ એવું કહી શકાય કે બચત અથવા ઈન્વેસ્ટમેન્ટ પૂરેપૂરી સમજદારી સાથે અને વ્યક્તિગત તથા દેશનો વિકાસ થાય, તેવી રીતે "પ્રોડકટીવ" હોવું જોઈએ, ગેમ્બલીંગની જેમ પણ ન હોવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સાથે એપસ્ટિન ફાઈલ્સનું કનેક્શન ? સંયુક્ત કિસાન મોરચો નારાજ કેમ ?

                                                                                                                                                                                                      

દેશની રાજનીતિમાં કેટલાક શબ્દો અને વાક્યો રૂઢીપ્રયોગો અને કહેવતોની જેમ વપરાતા હોય છે, પરંતુ તેમાંથી પક્ષો અને નેતાઓ પોતે બોધપાઠ લેતા હોતા નથી અને તેથી આ પ્રકારના વાક્યપ્રયોગો ઘણી વખત રિવર્સ થઈને બૂમરેંગ પૂરવાર થતા હોય છે. ઘણાં નેતાઓ-પક્ષો કેટલીક વખત એવું બોલી નાખતા હોય છે, જેના કારણે પાર્ટીની છબિ ઝંખવાતી હોય છે અને વ્યક્તિગત છાપને પણ નુકસાન થતુ હોય છે એટલે જ કહેવાય છે ને કે, થુંકયુ ગળી શકાતુ નથી અને બોલાયેલા શબ્દોની અસરો પાછી ખેંચી શકાતી નથી કે ભૂસી શકાતી નથી.

રાજનીતિમાં તો "અભી બોલા અભી ફોક" જેવી હરકતો વધી રહી છે એન પોતાના જ નિવેદનો ફેરવી તોળવા, યુ-ટર્ન લેવો કે પછી તેમના નિવેદનનું અર્થઘટન જ અધુરૃં કે ખોટું કર્યુું હોવાનો બચાવ કરવાની તો જાણે ફેશન આવી ગઈ હોય તેમ જણાય છે. પહેલા તો જિલ્લા કે બહુ બહુ તો પ્રદેશ કક્ષાના કેટલાક જ નેતાઓ આવું કરતા જોવા મળતા હતા, પરંતુ હવે તો રાષ્ટ્રીય કક્ષાના જ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ, મોટા મોટા દેશોના વડાઓ અને પોતાને મહાસત્તા ગણાવતા અમેરિકા જેવા શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ કક્ષાના નેતા પણ હવે ગોળ ગોળ નિવેદનો કરતા હોય છે અથવા સાચા-ખોટા દાવાઓ કરતા હોય છે, કે પછી પોતે જ કરેલું નિવેદન ફેરવી તોળતા જોવા મળે છે.

અત્યારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ ફેરવી તોળવાના ગ્લોબલ એક્સપર્ટ ગણાય છે અને એટલે જ તેમણે ભારતનો ટેરિફ ઘટાડયો હોવાના નિવેદન સાથે જે કાંઈ કહ્યું છે, તેનો કોઈ ભરોસો કરતું નહોતું, પરંતુ ભારત સરકાર અને વ્હાઈટ હાઉસ તરફથી કેટલીક ચોખવટો થઈ અને પિયુષ ગોયલે કેટલીક સ્પષ્ટતાઓ કરી તેમ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી તદૃન બંધ કરી દેવાની બાબતે ગઈકાલે રાત સુધી ગુંચવણ પ્રવર્તતી હતી. આમ, પણ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આખી દુનિયા માટે વિશ્વસનિય નેતા રહ્યા નથી. એ જુદી વાત છે કે ટેરિફ ઘટાડયા પછી ઘણાં લોકોને ટ્રમ્પ "શાંતિદૂત" જેવા લાગ્યા હશે !

સંસદમાં અધ્યક્ષ પર કાગળો ફેંક્યા પછી આઠ સાંસદો સસ્પેન્ડ થયા છે. એ પહેલાં ગઈકાલે સંસદમાં વિવિધ મુદ્દે હોબાળો થયા પછી રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારે પ્રેસરમાં છે અને દેશહિત સાથે બાંધછોડ કરી રહ્યા છે, અને ગભરાયેલા છે, ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પોતાની છબિ ખરડાતી અટકાવવા મોદીએ માન્ય રાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી "કોમ્પ્રોમાઈઝડ"છે. કરોડોના ખર્ચે બનાવેલી ઈમેજનો ફુગ્ગો ફુટવાની તૈયારીમાં છે. ભારત-અમેરિકાની ટ્રેડ ડીલમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોની મહેનત વેચી નાખી છે. તેમણે દેશ વેચી નાખ્યો, તેથી મને બોલવામાં રોકવામાં આવી રહ્યો છે."

રાહુલ ગાંધી આટલેથી અટક્યા નહીં, પરંતુ તેમણે ઉમેર્યું કે "જે લોકોએ મોદીની ઈમેજ બનાવી છે, તેઓ જ એ ઈમેજને ખંડિત કરી રહ્યા છે. અમેરિકામાં અદાણી પર કેસ ચાલી રહ્યો છે, અને એપસ્ટિન ફાઈલ્સમાં હજુ ઘણી જાણકારી જાહેર થઈ નથી. આ બે "પ્રેસર પોઈન્ટ" છે, જેના કારણે વડાપ્રધાન મોદી પર પ્રેસર છે."

રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલ્સનો જે આક્ષેપ કર્યો છે, તે ગંભીર ગણાય અને આ મુદ્દે અત્યારે ગ્લોબલ ટોક નો વિષય છે. એપસ્ટિન ફાઈલ્સમાં તો વિશ્વના ઘણાં દિગ્ગજોના નામ છે, અને તેમાં નામ હોવાની ચર્ચાના કારણે રાહુલ ગાંધીએ પછેડીમાં બાંધીને પાંચશેરી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે. રાહુલ ગાંધીના આ નિવેદન પછી કેન્દ્રીય મંત્રીઓ તથા એનડીએના નેતાઓ પણ વિપક્ષ પર વળતા પ્રહારો કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે યૌન શોષણના અપરાધી જેફરી એપસ્ટિન સાથે સંકળાયેલા ૩૦ લાખથી વધુ પેઈજના દસ્તાવેજો સાર્વજનિક થયા છે, જેમાં દુનિયાની દિગ્ગજ હસ્તીઓના નામ હોવાની ચર્ચા છે. એવું કહેવાય છે કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૧૭ની ઈઝરાયલની યાત્રાને એપસ્ટિન સાથે સાંકળીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે કોઈ ઈ-મેઈલને સાંકળતા આ અહેવાલોમાં કોઈ તથ્ય જ નહીં હોવાનું જણાવીને ધરમૂળથી પાયા વિહોણી પ્રકારની ચર્ચાને નિરર્થક ગણાવી હતી. વડાપ્રધાને સત્તાવાર પ્રવાસ કર્યો હોય, તેને સાંકળીને તદૃન વાહીયાત વાતો વહેતી થઈ હોવાનું જણાવી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ કથિત ઈ-મેઈલની તમામ વાતોને બકવાસ ગણાવીને તેને રદિયો આપ્યો હતો.

કોંગ્રેસના પ્રવક્તાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો હતો કે જેફરી એપસ્ટિન પાસેથી કયા પ્રકારની સલાહ લેવામાં આવી હતી ? જેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડયા હતા. સરકાર તરફથી સત્તાવાર રદિયો આપ્યા પછી પણ આ મુદ્દો રાજધાની દિલ્હીમાં ચર્ચાસ્પદ રહ્યો હતો.

હવે રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફના મુદ્દે થયેલી ડીલ સાથે સાંકળીને તેમાં એપસ્ટિન ફાઈલ્સનો કથિત ઉલ્લેખ કર્યા પછી આ મુદ્દો ફરીથી ગરમાયો છે...

આ તરફ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પછી પૂરેપૂરી સ્પષ્ટતા તથા વિગતવાર માહિતી ભારત સરકારે અધિકૃત રીતે જાહેર કરી નહીં હોવાથી બટકબોલા ટ્રમ્પે જે કાંઈ કહ્યું છે, તેને ધ્યાને લઈને ખેડૂતો અને પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, તો ત્રણ કૃષિ કાયદાનું આંદોલન ચલાવનાર ખેડૂત સંગઠનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકાર જેને ઐતિહાસિક ડીલ ગણાવે છે, અને અર્થતંત્ર માટે ગેમ-ચેઈન્જ ગણાવી રહી છે, તથા આ ડીલમાં ખેડૂતો-પશુપાલકોના હિતો સુરક્ષિત રહેશે, તેવો દાવો કરી રહી છે, તેના પર સંયુક્ત કિસાન મોરચાએ ઘેરી આશંકાઓ વ્યક્ત કરી છે.

વર્ષ ૨૦૨૦-૨૧માં મોદી સરકારને ઘુંટણીયે પાડનાર સંયુકત કિસાન મોરચા સહિતના ખેડૂત સંગઠનોમાંથી તિવ્ર પ્રત્યાઘાતો મુજબ મોદી સરકારે અમેરિકન વસ્તુઓ પર શૂન્ય ટકા આયાત ડ્યુટી મંજુર કરીને સ્થાનિક ખેડૂતોના હિતો જોખમમાં મુકયા છે. અમેરિકા જંગી સબસીડી સાથે ભારતીય બજારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની બજારો અમેરિકાના કૃષિ ઉત્પાદનોનું ડમ્પીંગ કરશે, જેથી ભારતના ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળે...વગેરે...વગેરે...

હવે ભારત અને અમેરિકાના સૂચિત સંયુક્ત નિવેદન તથા આખી ડીલની તલસ્પર્શી વિગતો સત્તાવાર રીતે જાહેર થાય, તેની જ રાહ જોવાઈ રહી છે, અને આ મુદ્દો સડકથી સાંસદ સુધી પડઘાઈ રહ્યો છે, ખેડૂત સંગઠનો પણ સામ્રાજ્યવાદી અમેરિકન રાષ્ટ્રપતિ સામે વડાપ્રધાન અને ભારત સરકાર ઝુકી ગઈ હોવાના આક્ષેપો કરવા લાગ્યા છે, ત્યારે હવે સત્તાવાર ઘોષણા તથા વિગતવાર પારદર્શક રીતે ડીલની વિગતો જાહેર થાય, તેની જ રાહ જોવી રહી..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટ્રમ્પે ટેરિફ ઘટાડયો, કૌન જીતા...કૌન હારા ? શેરબજારમાં પ્રારંભે જ ઉભરો, વિપક્ષનો વ્યંગ- ટ્રમ્પ નિર્ભરતા !

                                                                                                                                                                                                      

આજે શેરમાર્કેટ ખુલતા જ ઉભરો આવ્યો અને સેન્સેકસ નિફટીમાં જબરો ઉછાળો આવ્યો. ગઈકાલે હજુ બજેટના પ્રત્યાઘાતો આવી રહ્યા હતા અને બજેટની જોગવાઈઓ સમજવાનો પ્રયાસ થઈ જ રહ્યો હતો, ત્યાં જ સંસદમાં બજેટસત્રના પ્રારંભે જ રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર લોકસભામાં ચર્ચા દરમ્યાન વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક એવો મુદ્દો ઉઠાવ્યો કે સરકાર હચમચી ગઈ, અને ટ્રેઝરી બેન્ચ પરથી આ મુદ્દા સામે જબરદસ્ત વિરોઘ થતાં ગૃહમાં હોબાળો સર્જાયો. આ કારણે વારંવાર ગૃહ મોકુફ રહ્યું અને ગૃહની કામગીરી ચાલી નહીં તેથી બીજા દિવસ સુધી ગૃહ મોકુફીની જાહેરાત થઈ ગઈ. જો કે, રાજ્યસભાની કાર્યવાહી દિવસભર ચાલી.

રાહુલ ગાંધીએ ચીનની સેના ભારતમાં ઘુસી હતી, તેવું પૂર્વ સેનાધ્યક્ષનું કથિત અને અપ્રકાશિત પુસ્તકના આધારે કહ્યું હોવાનો દાવો કરીને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે વાંધો ઉઠાવ્યો અને એવી ચોખવટ થઈ કે રાહુલ ગાંધી કોઈ મેગેઝિનના આધારે આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા, તો ગૃહમંત્રી અમીત શાહે મેગઝિનને આધારભૂત કેવી રીતે ગણી શકાય ? તેવો સવાલ ઉઠાવ્યો. લોકસભાના અધ્યક્ષે સેનાની ટીકા થાય, તેવી વાત ન થાય, અને રાષ્ટ્રપતિના ભાષણ પર જ વાત થવી જોઈએ, તેવો આગ્રહ રાખ્યો હતો પરંતુ ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.

સંસદની આ ઘટનાની ચર્ચાએ બજેટમાં થયેલી જોગવાઈઓ કે બજેટની ખૂબી-ખામીઓની ચર્ચાને પાછળ છોડી દીધી હતી અને ગઈકાલે સાંજ સુધી સંસદમાં થયેલી કાર્યવાહી અને ખાસ કરીને લોકસભામાં રાહુલ ગાંધીની સટાસટીની ચર્ચા થતી રહી હતી. પરંતુ બજેટની જેમ સાંજ થતા શરૂ થયેલી આ ચર્ચાને પણ એક બ્રેકીંગ ન્યુઝે પાછળ છોડી દીધી હતી, અને તે બ્રેકીંગ ન્યુઝ એ હતા કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થયા પછી, વધારાનો ટ્રમ્પ ટેરિફ ૨૫ ટકાના બદલે ૧૮ ટકા જ રહેશે.

એવી જાહેરાત થઈ કે એક મહત્ત્વપૂર્ણ ટ્રેડ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે ફાયનલ થઈ ગઈ છે. આ બ્રેકીંગ ન્યુઝ આવ્યા પછી તેને કન્ફર્મ કરવામાં વાર લાગી હતી. અને ખુદ વડાપ્રધાને આ અંગેના સંકેતો આપ્યા પછી આ અહેવાલો માત્ર ટોક ઓફ ધ નેશન નહીં, પરંતુ ગ્લોબલ ટોકનો મુદ્દો બની ગયા હતા અને પ્રાદેશિક અને નેશનલ જ નહીં, પરંતુ દુનિયાભરની વિદેશી ન્યુઝ ચેનલોએ પણ આ અહેવાલને અગ્રીમતાથી પ્રસારિત કર્યા હતા, અને તે પણ ટેલિવિઝન ટોકીંગનો વિષય પણ બન્યા હતા. તે પછી મોડી રાત સુધીમાં આ અહેવાલો સોશ્યલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયા હતા.

જો કે, ગઈકાલે જયારે એવું જાહેર થયું કે ભારત પરનો ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરી દીધો છે, ત્યારે અસમંજસ પણ ઊભી થઈ હતી, કારણ કે ભારત પર ટ્રમ્પે કુલ ૫૦ ટકા ટેરિફ લાદ્યો હતો, તેમાં ૨૫ ટકા રેસિપ્રોકલ ટેરિફ તથા ૨૫ ટકા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ વધારાના ૨૫ ટકા ટેરિફનો સમાવેશ થતો હતો. ગઈકાલે જે પહેલા જાહેરાત થઈ તે ૨૫ના બદલે ૧૮ ટકાની થઈ, એટલે કે ૭ ટકાનો ટેરિફ ઘટાડાયો અને ૪૩ ટકા ટેરિફ રહ્યો, તેવું પ્રારંભિક રીતે સમજાયુ હતું. જો કે, આ રીતે વલણ બદલાયા પછી ભારત અને અમેરિકા વચ્ચે તંગદિલી ઘટશે, તેવી આશા ફળીભૂત થતી જણાતી હતી. પરંતુ ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ પછી ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ચોખવટ કરી હતી કે કુલ ૫૦ ટકા ટેરિફ હતો, તે ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે.

રશિયા પાસેથી ભારત ક્રૂડની ખરીદી નહીં કરે, તેવી શરત રખાઈ હતી. એ ઉપરાંત ટ્રમ્પે સ્વયં પણ એવો સંકેત આપ્યો કે હજુ ભારત-અમેરિકા વચ્ચે શૂન્ય ટેરિફનું લક્ષ્ય છે, અને સર્જિયો ગોરે પણ એવું કહ્યું કે હજુ પણ એક શાનદાર ડીલ થવાની છે, તેનો અર્થ એવો થાય કે ભારત-અમેરિકા વચ્ચે બગડેલા સંબંધો ફરીથી પહેલા જેવા ગાઢ-પ્રગાઢ થશે. જો કે, ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવા તથા અમેરિકા-વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ખરીદશે, તેવો દાવો કર્યો છે, તેના સંદર્ભે કદાચ મોદી સરકાર પર પણ ટિપ્પણીઓ થઈ રહી છે, અને કોંગી નેતા જયરામ રમેશે કહ્યું છે કે ટ્રમ્પ સામે મોદી ઢીલા પડી ગયા છે, અને મોદી સરકાર "ટ્રમ્પ નિર્ભર" છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જનતા વતી ટ્રમ્પનો આભાર માન્યો, તો ટ્રમ્પે ભારત પ્રત્યે કૂણું વલણ દાખવ્યું અને મોદીને મિત્ર ગણાવીને ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી, બંનેએ પરસ્પર પ્રશંસા કરી,અને ૫૦૦ બિલિયન ડોલરના ભારતીય વ્યાપારનો કોણીએ ગોળ ચોંટાડ્યો, તે બધા મુદ્દાઓને સાંકળતા એવું કહી શકાય કે અંતે ટ્રમ્પે ઝુકવું પડયું છે.

ભારતની યુરોપિયન કન્ટ્રીઝ સાથે કરેલી તાજી ડીલ તથા (રશિયાને વિશ્વાસમાં લઈને) વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ખરીદવા તથા અન્ય દેશો સાથે વ્યાપાર વધારવાના પ્રયાસો તથા બ્રિક્સના દેશો વચ્ચે પરસ્પરના ચલણમાં જ વ્યાપાર કરીને અમેરિકન ડોલરને અગવણવાનો વ્યૂહ અપનાવ્યો, તેની અસરો પડી હોય તેવું જણાય છે. જો કે, ગત મધ્યરાત્રિ પછી પણ ટેરિફના ઘટાડાના અર્થઘટન અંગે કન્ફ્યુઝનની સ્થિતિ યથાવત રહી હતી, જે આજે સવારે કાંઈક અંશે સ્પષ્ટ થઈ હતી.

સંસદ ચાલુ હોવાથી ટ્રમ્પ ટેરિફમાં ઘટાડાના મુદ્દે સંસદમાં સરકાર સ્પષ્ટ અને વિગતે માહિતી આપશે, તેવી ધારણા હતી અને આ મુદ્દો સંસદ સંકુલમાં પડઘાશે, તે નક્કી જણાતુ હતું, અને તે પછી આજે સંસદમાં જે કાંઈ બની રહયું છે તે આપણી સામે જ છે.

આજે સવારે સંસદમાં મોદી સરકાર વિરૂદ્ધ નારેબાજીના કારણે લોકસભા બપોર સુધી ચાલી શકી નહોતી. પરંતુ બપોરે ૧૨ વાગ્યા પછી બંને ગૃહોમાં ચર્ચા શરૂ થઈ હતી, તે દરમ્યાન ટ્રમ્પ ટેરિફના ઘટાડાનો મુદ્દો સંસદ સંકુલમાં પડઘાતો રહ્યો હતો. વિરોધપક્ષોએ રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવાની તથા ૫૦૦ બિલિયનના વ્યાપારની શરત અંગે આલોચના કરતા મોદી સરકાર અમેરિકા સાથે થયેલી ડીલની તમામ વિગતો સત્તાવાર રીતે જાહેર કરે તેવી માંગણી ઉઠાવી હતી. વિપક્ષી નેતાઓએ મોદી ટ્રમ્પ સામે ઝુકી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા, અને ભારત સાથેની ડીલની જાહેરાત અમેરિકાએ કરી, તે અંગે વ્યંગબાણો છોડયા હતા, તો અખિલેશ યાદવે ભારતની કૃષિ બજાર અમેરિકા માટે ખોલી નાખી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે. આજે સવારે એનડીએના સંસદીય દળને સંબોધતા વડાપ્રધાને આ ડીલ દેશ માટે હિતકારી હોવાનો ઉલ્લેખ કર્યો પરંતુ ડીલની વિગતવાર વાત કરી નહીં. તે પછી વિપક્ષી નેતાઓ વડાપ્રધાન મોદી પર તડાપીટ બોલાવી રહ્યા છે. આજે મોડી રાત્રે અમેરિકાના સમકક્ષ સાથે ભારતના કેન્દ્રીય મંત્રીની વાટાઘાટો પછી જ આ ડીલ અંગે વિગતવાર જાહેરાત થશે, તેવી ધારણા વચ્ચે સરકાર કદાચ બજેટસત્ર ચાલુ હોવાથી સંસદમાં જ આ અંગે નિવેદન આપે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, જોઈએ...શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાથીની વાર્તા જેવા પ્રત્યાઘાતો, નિર્મલા સીતારમણનું બજેટ... વિપક્ષના પ્રહારો,વિશ્લેષકોના મંતવ્યો,

                                                                                                                                                                                                      

પહેલી ફેબ્રુઆરીના દિવસે રવિવાર હોવાથી ગઈકાલે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક નાણાકીય બજેટ રજૂ કર્યું. બજેટનું વાચન (પ્રસ્તૂતિ) હજુ થઈ જ રહી હતી કે શેરબજાર તરત જ પછડાયું, અને તે પછી દિવસભર રિકવર જ થયું નહોતું.

બજેટની પ્રસ્તૂતિ પછી વિરોધપક્ષોએ આ બજેટને નિરાશાજનક, ખાલી ડબ્બા જેવું, હમ્પ્ટી-ડમ્પ્ટી, જનવિરોધી અને બોગસ ગણાવ્યુ, તો વડાપ્રધાને આ બજેટને વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યની બુનિયાદ જેવું ગણાવ્યું. એનડીએના અન્ય નેતાઓએ આ બજેટને આગામી ૨૫ વર્ષનો રોડમેપ, ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં નિર્ણાયક કદમ, સુધારાઓ અને અપેક્ષાઓની પૂર્તિ કરતુ કદમ, ગરીબ, મહિલા, યુવા, ખેડૂત ઉપરાંત પશુપાલન પર ભાર મુકતુ અને તમામ વર્ગોને સમાવી લેતુ બજેટ ગણાવ્યુ, એટલેે એવું કહી શકાય કે રાજનેતાઓએ આપેલા પ્રત્યાઘાતો તદૃન તટસ્થ કે આખા બજેટનો અભ્યાસ કરતા પહેલા જ અંતિમ અભિપ્રાયો આપી દીધા હોય તેમ લાગે છે, જો કે, રાહુલ ગાંધીએ પોતાનો અંતિમ અભિપ્રાય સંસદમાં રજૂ કરશે, તેમ પણ કહ્યું અને પ્રાથમિક  દૃષ્ટિએ બજેટને ખોખલુ પણ ગણાવ્યું.

બજેટ રજૂ થયા પછી સાંજ થતા થતા થોડો-ઘણો અભ્યાસ કર્યા પછીના જે પ્રતિભાવો-પ્રત્યાઘાતો આવવા લાગ્યા, તે ચોક્કસ આંકડાઓ, દૃષ્ટાંતો, આર્થિક સર્વેક્ષણ સાથેની સરખામણી, અગાઉના બજેટો તથા વિવિધ સેકટરોમાં થયેલી જોગવાઈઓ તથા બજેટની ત્વરીત અને દૂરગામી અસરોની ચર્ચા પણ થવા લાગી હતી. ગઈકાલે મોડીરાત્રે ન્યુઝ ચેનલોમાં બજેટને થોડું-ઘણું સમજ્યા પછી પણ નેતાગણના આખરી અભિપ્રાયો તો પોતપોતાની પાર્ટીલાઈનને અનુરૂપ જ રહ્યા, પરંતુ તટસ્થ રીતે અભ્યાસ કરીને અભિપ્રાયો તથા તારણો કેટલાક જાણીતા અર્થશાસ્ત્રીઓએ સચોટ રીતે રજૂ કર્યા અને સરકાર તથા નેતાગણને દર્પણ પણ દેખાડયું.

એક તરફ નેતાઓ અને નિષ્ણાતો બજેટ અંગે જુદા જુદા એન્ગલ્સથી અભિપ્રાયો આપી રહ્યા હતા, ત્યારે સામાન્ય જનતાની દૃષ્ટિએ આ બજેટ પછી શું મોંઘુ થશે, અને શું સસ્તુ થશે, તેની કુતૂહલ સાથે વાટ જોવાતી હતી. એક જમાનો એવો પણ હતો કે જયારે કેન્દ્રીય બજેટ રજૂ થાય ત્યારે "આકાશવાણી"ના સમાચાર સાંભળવા લોકો રેડિયો કાને માંડીને બેસતા, તો જયારે સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ થતું તે જમાનામાં બીજા દિવસે સવારના અખબારોમાં આખા બજેટનું વિગતવાર વિવરણ પ્રસિદ્ધ થતું હતુ અને અખબારો ચપોચપ વેચાઈ જતા હતા. તે પછી ઘણાં દિવસો સુધી અખબારોમાં પ્રત્યાઘાતો અને અભિપ્રાયો છપાતા હતા. ઘણાં અખબારો બજેટ રજૂ થયા પછી સાંજના સમયે "વધારો" પણ બહાર પાડતા હતા, અને સવાર-બપોર(સાંધ્ય)ના દૈનિકોની જબરદસ્ત માંગ રહેતી હતી. મહત્ત્વપૂર્ણ બ્રેકિંગ ન્યુઝ હોય ત્યારે તે સમયે "નોબત" સહિતના સાંધ્ય દૈનિકો પણ "વધારો" બહાર પાડતા હતા.

આજે યુગ બદલાયો છે અને બજેટની લાઈવ પ્રસ્તૂતિ આપણે જોઈ શકીએ છીએ. આ કારણે આપણે બજેટને પૂરેપૂરૃં સમજીએ તે પહેલા જ અધકચરા પ્રતિભાવો, ટીકા અથવા વાહવાહી અને પૂર્વ નિર્ધારિત મંતવ્યો, કોમેન્ટોનો પ્રવાહ શરૂ થઈ જાય છે. શાસક પક્ષના નેતાઓ અને સમર્થક વિભૂતિઓ બજેટની વાહવાહી કરે છે, જ્યારે વિપક્ષો તથા તેના સમર્થક તજજ્ઞો બજેટની ટીકા કરે છે, પરંતુ સામાન્ય જનતાને જે જાણવુ હોય છે, તે ભાગ્યે જ સમજાતુ હોય છે.

જો કે, જીએસટી કાઉન્સિલ અમલી બન્યા પછી ૯૦ ટકા કરવેરાનો નિર્ણય પ્રતિવર્ષ અને જરૂર પડયે સમયાંતરે મળતી જીએસટી કાઉન્સ્લિની બેઠકમાં લેવાતા હોય છે, અને એ કાઉન્સિલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના નાણામંત્રીઓ સામેલ હોય છે. આ કારણે હજુ પણ કેન્દ્ર સરકાર હસ્તક જે કરવેરા લાદવાની સત્તાઓ છે, તેની જ ઈન્તેજારી રહેતી હોય છે, તેથી ગઈકાલે જે બજેટ રજૂ થયું, તેમાં સામાન્ય જનતાને કેટલો તત્કાળ ફાયદો થયો અથવા કઈ અપેક્ષા સંતોષાઈ નહીં, તેની ચર્ચા તત્કાળ વ્યાપકપણે અને તથ્યો સાથે પૂરેપૂરી થઈ રહી હોય, તેમ જણાતુ નથી. જો કે, બીજા દિવસે આ તમામ વિગતોની ચર્ચા થવા લાગે છે.

પહેલાના જમાનામાં શું સસ્તુ થશે, અને શું મોંઘુ થશે, તેની લાંબી યાદી થતી હતી, પરંતુ હવે થોડીક જ ચીજવસ્તુઓની કિંમતો પર કેન્દ્રીય બજેટની અસર થતી હોય છે.

ગઈકાલના બજેટમાં થયેલી જોગવાઈઓ મુજબ એપ્રિલ-૨૦૨૬ થી કેન્સર અને સુગરની ૧૭ દવાઓ, ડિજિટલ ગેજેટ્સ, કપડા, લેધર આઈટમ્સ અને સિન્થેટિક ફૂટવેર, માઈક્રોવેવ ઓવન, મિશ્ર સીએનજી, સોલાર, ગ્લાસ અને ઈલેકટ્રીક વ્હીકલ્સ, વિદેશ પ્રવાસ અને વિમાનનું ઈંધણ વગેરે સસ્તા થશે. તે ઉપરાંત ૭ જેટલી ગંભીર દવાઓ તથા વિમાનના સ્પેરપાર્ટસ પણ સસ્તા થશે. જો કે, મોજશોખની શરાબ અને સિગારેટ જેવી ચીજવસ્તુઓ મોંઘી થશે. તે ઉપરાંત ખનિજ પદાર્થો અને સ્ક્રેપ મોંઘા થશે. બ્રાસ સ્ક્રેપના વેચાણ પર ૧ ટકા ટીડીએસ નાબૂદ કરવાના બદલે ડબલ કરી દેવાયો છે. પરંતુ નાના ઉદ્યોગો માટે વિશેષ સવલતો જાહેર થઈ છે, તેવા મિશ્ર પ્રારંભિક પ્રત્યાઘાતો આવી રહ્યા છે.

ઉડતી નજરે બજેટને જોઈએ તો બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે કરાયેલી જંગી ફાળવણી "ઓપરેશન સિંદૂર" હજુ ચાલુ હોવાથી થઈ હોવાની સંભાવનાઓ તથા દેશની ફરતે પડોશી દેશો સાથેની સરહદોનું રક્ષણ કરવાના ઉદૃેશ્યથી આવું થયું હોઈ શકે છે. ઈન્કમ ટેકસના સ્લેબ યથાવત રખાયા છે, એટલે કે રૂ।. ૧૨ લાખની આવક સુધી ઈન્કમટેકસ નહીં,લાગે. જો કે, સ્ટાન્ડર્ડ ડિડકશન હજુ વધુ વધારવાની અપેક્ષા નાણામંત્રીએ સંતોષી નહીં હોવાથી નોકરિયાત-મધ્યમવર્ગ થોડો નિરાશ થયો હશે.

બજેટમાં ગુજરાત-પાકિસ્તાન વચ્ચે જળ અને જમીન સરહદની રક્ષામાં રૂ।. ૫૨૬૬ કરોડની ફાળવણી ઉપરાંત દેશમાં ૭ હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત થઈ, સુરતથી પ.બંગાળ સુધી માલગાડીનો વિશેષ ટ્રેક શરૂ કરવાની ઘોષણા થઈ. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના વિકાસ, શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ, દીકરીઓ માટે જિલ્લા ના મથકે હોસ્ટેલ્સ, નવા ૩ આયુર્વેદ એઈમ્સ, સી-માર્ટસ યોજના, ખેલો ઈન્ડિયા મિશનનું વિસ્તૃતિકરણ ટેકસની સિસ્ટમમાં સરળતા, બૌદ્ધ સરકીટ, જામનગરમાં નિર્માણાધીન ડબલ્યુએચઓ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરમાં પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય, પશુપાલન ક્ષેત્રે વધુ પ્રોત્સાહનો, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય, ડેટા સેન્ટરો પર કરમૂક્તિ અને ઓરેન્જ ઈકોનોમિની જાહેરાતોને પણ પ્રો-પબ્લિક ગણવામાં આવે છે. જયારે, રેર અર્થ કોરિડોરની જાહેરાત ચૂંટણીલક્ષી ગણાય છે.

બીજી તરફ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્રમ્પ ટેરિફ, ઈન્વેસ્ટરોની મુંઝવણ, ભારતમાંથી રોકાણ ઘટવાની શરૂઆત, એમએસએમઈની હાલત, બેરોજગારી અને શહેરી વિસ્તારોમાં કથળતી સુવિધાઓ અંગે બજેટમાં કાંઈ નથી, તેવું જણાવ્યું, તો મમતા બેનર્જી, અખિલેશ યાદવ, શશિ થરૂર, શત્રુઘ્ન સિંહા, મલવિંદર સિંહ સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તથા પ્રાદેશિક જિલ્લા કક્ષાના નેતાઓએ પણ બજેટની જુદા જુદા એંગલથી આલોચના કરી છે. પરંતુ "તમને શું લાગે છે ?"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રવર્તમાન પ્રવાહોના પરિપ્રેક્ષ્યમાં, અચલપદ માટે અપરમાતાના આભારી ધ્રુવની કથા...

                                                                                                                                                                                                      

આપણાં પ્રાચીન શાસ્ત્રો-ગ્રન્થોમાં ઘણી એવી કથાઓ છે, જે સાંપ્રત સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે અને રાજનૈતિક અને રણનૈતિક આંટીઘુંટીઓને સમજવા અને ઉકેલવામાં મદદરૂપ થાય તેમ છે, એટલું જ નહીં કેટલી કથાઓ ગૂઢાર્થમાં છે, જેનો મર્મ સમજવો પડે. જો એ ગૂઢાર્થનું મૂળ હાર્દ સમજાઈ જાય,તો સાંપ્રત સમયની કેટલીક ગૂઢ અને ગુંચવાયેલી સમસ્યાઓને ઉકેલવાની ચાવી પણ તેમાંથી જ મળી શકે છે. કેટલાક રહસ્યો તથા તેના ઘટસ્ફોટની કથાઓ ઘણું શિખવનારી હોય છે, તો કેટલીક કથાઓ પ્રવર્તમાન વૈશ્વિક પ્રવાહોના સંદર્ભમાં એકદમ બંધબેસતી આવે છે.

એક એવી જ કથામાં ધ્રુવ તપસ્ચર્યા કરીને અચલપદ પામ્યો, તે પછી જ્યારે જંગલમાંથી પાછો આવ્યો, ત્યારે તે સૌપ્રથમ પોતાની સગી માતા કે પિતાને પ્રણામ કરતા પહેલા પોતાની એ જ અપરમાતા (સાવકી માતા)ને પગે લાગ્યો, જેમણે પોતાના પુત્રના મોહમાં તથા રાજાપરનું વર્ચસ્વ તથા રાજવારસાની લાલચમાં ધ્રુવને રાજા અને ધ્રુવના પિતાના ખોળામાં બેસતો અટકાવીને ધ્રુવને જંગલમાં મોકલી દીધો હતો. ધ્રુવે કહ્યું હતું કે જો તેમની અપરમાં એ તેમને જંગલમાં ન મોકલ્યો હોત, તો આજે તે અચલપદ ન પામ્યો હોત, અને તપશ્ચર્યા કરવાનો માર્ગ મળ્યો જ ન હોત. આ રીતે ધ્રુવે સકારાત્મક અભિગમ અને હકારાત્મક વિચારધારા (પોઝિટિવ થિન્કીંગ)નો પ્રેરણાદાયી પરિચય પણ આપ્યો હતો.

આજે પણ જે વૈશ્વિક પ્રવાહો ચાલી રહ્યા છે અને પરસ્પર દુશ્મનાવટ ધરાવતા દેશો અથવા સરહદી કે અન્ય વિવાદો અથવા મતભેદો ધરાવતા દેશો નજીક આવી રહ્યા છે અને ચીન, રશિયા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા બ્રિકસ સંગઠનો દ્વારા અમેરિકન ડોલરનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે, વ્યાપાર, ઉદ્યોગ અને સંરક્ષણ ક્ષેત્રમાં સમીકરણો બદલી રહ્યા છે, અને ટ્રમ્પ ટેરિફને કાઉન્ટર કરવા નવા નવા કરારો થઈ રહ્યા છે, તેનો યશ પણ બાકીના વિશ્વએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ આપવો જોઈએ, કારણ કે ધ્રુવની અપરમાતાની જેમ જો ટ્રમ્પે ટેરિફ તથા અન્ય મનસ્વી નિર્ણયો લીધા ન હોત તો આ તમામ દેશો વચ્ચે નજદીકી વધી ન હોત અને તંગદિલી ઘટી ન હોત. આ બધું ટ્રમ્પની તુમાખીને જ આભારી ગણાય ને ?

આવું જ કાંઈક આપણા દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ બની રહ્યું છે. એક તરફ તો ચૂંટણીપંચની એસઆઈઆરની પ્રક્રિયા સામે વિપક્ષો આગબબૂલા છે અને જામનગરમાં કોંગ્રેસે હાલારના ૬૮ હજાર નામો મતદારયાદીમાંથી હટાવવાના આક્ષેપ સાથે ધગધગતી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેવી જ રીતે દેશભરમાં કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી રહ્યા છે, એટલું જ નહીં, આ બધું ભાજપના ઈશારે જ થઈ રહ્યું હોવાના સણસણતા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.

તે ઉપરાંત યુજીસીના નવા નિયમો પર સુપ્રિમકોર્ટે સ્ટે આપ્યા પછી આ મુદ્દે કેન્દ્ર સરકાર બેકફૂટ પર ભલે જણાતી હોય, પરંતુ હકીકતમાં તો આ પ્રક્રિયાની બુનિયાદ જ ખોખલી હતી અને યુજીસીના નવા નિયમો બનાવાયા જ એવી રીતે હતા કે પ્રથમ દૃષ્ટિએ જ તે શંકાસ્પદ જણાય અને તે કોઈને કોઈ પ્લેટફોર્મ પર પહોંચીને પટકાઈ જાય, અને તેનો વાસ્તવિક અમલ થતો જ અટકી જાય, (આ મુદ્દે હમામમેં સબ નંગે હૈ...ની કહેવત મુજબ બધા પક્ષોની મૂકસંમતિની આશંકાઓ પણ ઉઠી રહી છે)

એસઆઈઆર અને યુજીસીના મુદ્દાઓ ઉપરાંત શંકરાચાર્યજીના ગંગાસ્નાન સહિતના એવા મુદ્દા ઉઠયા કે જેથી તાજેતરની ચૂંટણીઓ પછી વેરવિખેર જણાતા વિપક્ષો ફરીથી એકજૂથ થવા લાગ્યા છે અને લોકસભાની  ચૂંટણી પહેલા જેવી રીતે "ઈન્ડિયા" ગઠબંધન રચાયુ હતું, તેવી જ રીતે ફરીથી વિરોધપક્ષો એકજૂથ થઈને મોદી સરકાર સામે મોરચો માંડે...આ એકજૂથતા માટે ધ્રુવની જેમ કઈ અપરમાતાને યશ આપવો જોઈએ, તે કહેવાની જરૂર ખરી ?

ગુજરાતમાં પણ એક અલગ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહેલી જોવા મળે છે, અને રાજ્ય સરકારમાં ગૂપચૂપ અને આયોજનપૂર્વક સત્તાનું હસ્તાંતર થઈ રહ્યું હોય, તેવી જ હીલચાલ થઈ રહેલી જોવા મળે છે, અને પ્રદેશ કક્ષાના અંતરંગ વર્તુળોમાં થતી ગૂસપૂસ આ સ્થિતિને વર્ષ ૨૦૧૫માં આનંદીબેન પટેલની સરકારના સમયગાળાના માહોલ સાથે સાંકળી રહી છે. રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ હતા, તે સમયે જેવી રીતે "સુપર સી.એમ."ની ચર્ચા થતી હતી, તેવી જ રીતે રાજ્યમાં ફરીથી સુપર સી.એમ. ની ચર્ચાઓ થવા લાગી છે. અને રાજ્ય સરકારના વહીવટમાં કોનું કેટલું ચાલે છે અને કોનું કેટલું ઉપજે છે, તેની વ્યંગાત્મક વાતો પણ વહેતી થઈ રહી છે. આ સ્થિતિ ઊભી થઈ, તે માટે પણ ધ્રુવની જેમ કઈ અપરમાતાને યશ આપવો જોઈએ, તે વિચારવું તો જોઈએ જ ને ?

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ।. ૧૮૬૦ કરોડનું બજેટ મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડીંગ કમિટીને સુપ્રત કર્યું છે અને હવે કમિટી તેમાં સુધારા-વધારા કરીને જનરલ બોર્ડમાં મૂકશે. પહેલેથી થતું આવ્યું છે, તેમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપાતી સેવાઓ પરના કરવેરામાં નવેક કરોડ રૂપિયાનો કુલ વધારો સૂચવાયો છે, તેમાં સ્ટેન્ડીંગ કમિટી કાપ મૂકશે અને કેટલાક સૂચિત વધારા રદ કરશે. આ વખતે પ્રોપર્ટી ટેકસમાં કમિશનરે વધારો સૂચવ્યો નથી, પરંતુ ગટર, પાણી, કચરા કલેકશન વગેરે સેવાઓ પર વધારો સૂચવ્યો છે, અને તેમાં સ્ટેન્ડીંગ કમિટી કાપ મૂકશે, તે પણ નક્કી જ છે., જો આ વખતે આ બજેટમાં રાહત મળે અને ફૂલગુલાબી અંતિમ બજેટ રજૂ થાય, તો સમજવું કે ધ્રુવની અપરમાતાની જેમ નગરજનોને "ચૂંટણીમાતા"ના આશીર્વાદ મળ્યા છે !!

આવતીકાલે કેન્દ્રનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે, ત્યારે બજેટમાં ક્યા કયા સેકટરો, વર્ગો અને પ્રદેશોને કેવી અને રાહતો મળી શકે છે, તેની અટકળો થઈ રહી છે, પરંતુ તે પહેલાં જ શેરબજારની જેમ સોના-ચાંદીની માર્કેટમાં પણ જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે, તેની પાછળ વૈશ્વિક પરિબળોને વધુ જવાબદાર ગણાવાઈ રહ્યા છે, ભારત માટે ડોલર સામે રૂપિયો વધુને વધુ ઘસાઈ રહ્યો છે અને પછડાઈ રહ્યો છે, તે ચિંતાનો વિષય છે.

સોના-ચાંદી પર બજેટમાં આયાત ડ્યુટી ઘટવાની સંભાવનાઓ સહિતના પરિબળોના કારણે ગઈકાલે માર્કેટમાં કડાકો બોલ્યો, અને આજે અન્ય અપેક્ષાઓની સામે સંભાવનાઓ અને સંકેતોની અસરો પણ જોવા મળશે. દેશભરમાંથી વિવિધ અપેક્ષાઓ સામે આવી રહી છે. મોરબીના સિરામીક સેકટર ઉપરાંત જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ પણ સ્પેશિયલ રાહત પેકેજની ઘોષણા કેન્દ્રીય નાણા બજેટમાં થાય, તેવી અપેક્ષા રાખી રહ્યું છે. તે ઉપરાંત કેપિટલ ગેઈનની વસુલાત તથા ટીડીએસને લઈને પણ આશાવાદી છે.

આશા રાખીએ કે નિર્મલાબેન દેશની સામાન્ય જનતાને "પણ" લક્ષ્યમાં રાખીને આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરે..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગ્લોબલ ઈકોનોમિ, ટ્રેડ અને માર્કેટીંગનો ખેલ... આર્થિક વિકાસની દોટમાં આમ આદમી ભૂલાઈ ન જાય, તે જોજો...

                                                                                                                                                                                                      

અત્યારે આખી દુનિયામાં અજંપો, અનિશ્ચિતતાઓ અને અવિશ્વાસનો માહોલ છે, અને ગ્લોબલ માર્કેટ ગોટે ચડી ગયું હોય તેમ જણાય છે. શેરબજારમાં થતા ઉતાર-ચઢાવના કારણે રાતોરાત ઈન્ડોનેશિયાના એક ઉદ્યોગપતિને અબજો ડોલરનો ફટકો પડયો હોવાના અહેવાલો હોય કે સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા પછી થયેલો ઘટાડો હોય, કે પછી ડોલર સામે રૂપિયો નબળો પડયો હોય, આ બધા દૃષ્ટાંતો દુનિયાની ડામાડોળ દશા દર્શાવે છે. અમેરિકન ડોલર જ્યારે નબળો પડે, ત્યારે સામાન્ય રીતે રૂપિયો મજબૂત થાય, પરંતુ ગઈકાલે અમેરિકન ડોલર તૂટવા છતાં રૂપિયો વધુ તૂટયો, જેના કારણે ફુગાવો વધુ ઝડપથી વધવાની સંભાવનાઓ વધી ગઈ છે અને આવું થવાના કારણોની ચર્ચા થવા લાગી.

ફોરેન એકસચેઈન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો જયારે ૯૨ની સપાટીએ પહોંચ્યો, એટલે કે એક અમેરિકન ડોલર સામે રૂ।. ૯૨નો ભાવ પહોંચ્યો, ત્યારે નવો ઈતિહાસ સર્જાયો અને તે પછી નહીંવત સુધારો થયો, પરંતુ આ સ્થિતિ ભારત અને એશિયન બજારોને ડામાડોળ કરનારી નિવડી. એ પછી આવું થવાના કારણોની ચર્ચા પણ થવા લાગી.

હકીકતે અમેરિકાની ફેડરલ રિઝર્વે એટલે કે ત્યાંની રિઝર્વ બેંકે વ્યાજદરમાં અપેક્ષા મુજબનો ઘટાડો કર્યો નહીં. અને યથાવત રાખ્યા, તેની સીધી અસર વિશ્વની અન્ય કરન્સીઓ પર પણ થઈ. આ કારણે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટી ગયો, અને તેની અસર ફોરેન એક્સચેઈન્જ પર થઈ.

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડના ભાવોમાં આવેલી તેજીના કારણે પણ ભારતમાં રૂપિયો પ્રેસરમાં આવ્યો હોવાનું તારણ ગ્લોબલ માર્કેટના તજજ્ઞો કાઢી રહ્યા છે. મુંબઈ શેરમાર્કેટમાં તેજીના કારણે રૂપિયો વધુ તૂટતા અટકયો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આમ છતાં આ બંને પરિબળોના કારણે ગ્લોબલ માર્કેટના પ્રવાહોની સીધી વિપરીત અસરો જોવા મળી રહી છે.

અમેરિકાની એચ.બી. વિણની કડક બનેલી નીતિ, વૈશ્વિક અશાંતિ અને આર્થિક ક્ષેત્રની અનિશ્ચિતતાઓના કારણે અમેરિકામાં જોબ માર્કેટ તથા ફુગાવાની અસરો હેઠળ નજીકના ભવિષ્યમાં પણ ફેડરલ રિઝર્વ વ્યાજદરો ઘડાડે, તેવી સંભાવનાઓ ઓછી હોવાના સંકેતો પણ અમેરિકન ઈકોનોમિસ્ટો આપી રહ્યા છે.

વિશ્વમાં કરન્સીના ભાવોમાં હાલમાં જબરી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ડોલર સ્વીસ કરન્સી સામે પટકાયો અને લગભગ એક દાયકાના ઈતિહાસમાં પહેલી વખત તળિયે પહોંચ્યો, તેવી જ રીતે ડોલર સામે બ્રિટિશ પાઉન્ડના ભાવો સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યા છે., જયારે ઓસ્ટ્રેલિયાનો ડોલર પણ છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વખત અમેરિકન ડોલર સામે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ન્યુઝીલેન્ડના ડોલરે પણ ચાલુ વર્ષે પહેલી વખત અમેરિકન ડોલર સામે તેજી દેખાડી છે, જ્યારે ચાઈનીઝ કરન્સી તથા યુરોપિયન કરન્સી યુરો પણ ડોલર સામે તેજીમાં રહ્યા હતા, પરંતુ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે પ્રારંભમાં નબળો પડીને પછી ગઈકાલે થોડો સુધર્યો હતો, અને તેની પાછળ ભારતીય અર્થનીતિ, રાજનીતિ, કૂટનીતિ અને વૈશ્વિક સ્પર્ધાની મક્કમ રણનીતિ જેવા પરિબળો હોવાના મિશ્ર મંતવ્યો સાથેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

ગઈકાલે ભારતમાં સોના-ચાંદીના ભાવો રેકર્ડબ્રેક સપાટીએ પહચ્યા, તેની પાછળ પણ ગ્લોબલ માર્કેટના ઉતાર-ચઢાવ અને કરન્સી માર્કેટની અનિશ્ચિતતાઓના કારણે અસુરક્ષાની સામાન્ય જનતાની ભાવના તેમજ સોના-ચાંદીને સુરક્ષીત એસેટ્સ માનવાના જનમાનસની અવધારણાઓ હોવાનું માનવામાં આવે છે. જો કે, પહેલા રેકર્ડબ્રેક સ્થિતિએ પહોંચ્યા પછી સોનાના ભાવોમાં ૪ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદી પણ ૬ ટકા જેટલી તૂટી હતી. ગઈ મોડી રાત્રે આ પ્રકારનો બદલાવ અમેરિકન ડોલરની નબળાઈની ભારતીય માર્કેટ સુધી મોડેથી પહોંચેલી અસરો ઉપરાંત સોના-ચાંદીના ભાવો જ્યારે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા, ત્યારે અચાનક વેચવાલીમાં વધારો થયો, તેના કારણે આવ્યો હોવાનું પણ કહેવાય છે. આ બંને કિંમતી ધાતુઓમાં જ્યારે સર્વોચ્ચ સપાટીએ ભાવ પહોંચ્યા ત્યારે ઊભી થયેલી નફાકારક સ્થિતિનો લાભ માર્કેટના ખેલાડીઓ તથા સોના-ચાંદીના વૈશ્વિક વેપારીઓએ ઉઠાવ્યો હોવાના તારણો પણ નીકળે છે. તે ઉપરાંત સામાન્ય જનતાના ઉચ્ચ મધ્યમવર્ગો બચત તરીકે સોના-ચાંદીની ખરીદી શેરમાર્કેટની અનિશ્ચિતતાના કારણે ઈન્વેસ્ટમેન્ટના વિકલ્પના સ્વરૂપમાં કરી રહ્યા હોય, તેઓએ પણ નફાકારક સ્થિતિમાં વેચાણ કર્યું હોય, તેવી અસરોના કારણે પણ મોડી રાતે સોના-ચાંદીના ભાવોમાં ચાર-છ ટકાનો કડાકો બોલ્યો હોય, તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે.

આ સ્થિતિ ભારતની સામાન્ય જનતાને અકળાવનારી છે. કારણ કે, આવું જ રહ્યું તો મોંધવારી વધુ વધશે. એવું કહેવાય છે કે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર વધતા ટ્રમ્પ ટેરિફના કારણે ઊભી થયેલી સ્થિતિ સામે લડી શકાશે અને વ્યાપારની સાથે સાથે પૂરક રોજગારીની તકો પણ વધશે. એવું પણ કહેવાય છે કે ટૂંક સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે પણ એક ઐતિહાસિક ટ્રેડ ડીલ થશે. જો એવું થશે તો પણ તેના પરિણામો હવે આવતા નાણાકીય વર્ષ સુધીમાં જ આવશે, તેથી ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ના છેલ્લા ક્વાર્ટરમાં તો સ્થિતિ પડકારરૂપ જ રહેવાની છે, અને જનતા અનિશ્ચિતતાઓના આંધીમાં અટવાતી જ રહેવાની છે.

ગઈકાલે ભારતીય શેરમાર્કેટમાં પ્રારંભિક કડાકા પછી ઝડપી રિકવરી સાથે તેજી જોવા મળી, તેની પાછળ નાણામંત્રીએ સંસદમાં રજૂ કરેલા ઈકોનોમિક સર્વેની સકારાત્મક પ્રતિક્રિયાઓ તથા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ માટેનો અપેક્ષિત આશાવાદની અસરો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને અમેરિકાની રિઝર્વ બેંકે વ્યાજદરો યથાવત રાખ્યા પછી પણ ભારતીય શેરમાર્કેટમાં તેજી જળવાઈ રહી તેને સારો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે.

આજે પણ ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો જોવા મળ્યો હતો અને મેટલ સેકટર ચર્ચામાં રહ્યું છે, અને ખુલતી બજારે ગ્લોબલ અસરો જોવા મળી રહી છે. અને બપોર સુધીનો ઉતાર-ચઢાવ માર્કેટની અનિશ્ચિતતાઓ દર્શાવે છે. જો કે, સવારે સોના-ચાંદીનો ચળકાટ જળવાઈ રહ્યો હતો તે પછી બપોર સુધીની સ્થિતિ આપણી સામે જ છે, અને બજાર તૂટી છે.

બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રને લઈને આશાવાદી સંકેતો ઈકોનોમિકલ સર્વેમાં દર્શાવાયા છે. વર્ષ ૨૦૨૬-૨૭માં અર્થતંત્રનો આર્થિક વૃદ્ધિનો દર અંદાજ ૬.૮ ટકાથી ૭.૨ ટકા મૂકાયો છે. એવું પણ જણાવાયુ છે કે આગામી વર્ષના આર્થિક દરના આ અંદાજોથી વૃદ્ધિ દર વધી પણ શકે છે.

આ અંદાજો ટ્રમ્પ ટેરિફ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલની સ્થિતિ તથા તાજેતરમાં થયેલા યુરોપિયન સંગઠનો સાથેના કરારોની અસરો પડે, તે પહેલાના છે, તેથી જો ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જાય અને "મધર ઓફ ડીલ" ગણીને યુરોપિયન યુનિયન સાથેની વ્યાપાર સમજૂતિની અમલવારી થાય, તથા ટ્રમ્પ ટેરિફ ઘટે, તો આ અંદાજો કરતા વૃદ્ધિદર ઘણો વધી શકે છે, તેવો આશાવાદ પણ દર્શાવાઈ રહ્યો છે.

અર્થતંત્ર અને આર્થિક વૃદ્ધિદરની આ બાબતો ભલે સામાન્ય જનતાને સરળતાથી સમજાતી ન હોય કે વ્યાપાર-ઉદ્યોગ તથા સેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સુધી મર્યાદિત જણાતી હોય, પરંતુ હકીકત એ છે કે આ તમામ સામાન્ય બાબતોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો સામાન્ય જનતાને પણ થતી જ હોય છે, તેથી જ શાસન-પ્રશાસન અને ખાસ કરીને કેન્દ્ર સરકારે સામાન્ય જનતાના હિતો તથા સુખાકારીને ધ્યાને લઈને જ આર્થિક નિર્ણયો લેવા જોઈએ અને રણનીતિ ઘડવી જોઈએ. દેશની આર્થિક સ્થિતિ સુદૃઢ હોય, તો તેનો લાભ જનતાને થાય, તે નિર્વિવાદ હકીકત છે, પરંતુ દેશની આર્થિક વિકાસની દોટમાં ગરીબો વધુ ગરીબ થતા જાય અને અમીરો વધુ અમીર થતા જાય, તેવું તો ન જ થવું જોઈએ ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કોણ ઉડે છે હવામાં ? કોણ બાંધે છે હવાઈ કિલ્લા ? નગરથી નેશન સુધીની નવાજૂની...

                                                                                                                                                                                                      

હાલારમાં હિમાલયની હિમવર્ષાની અસર પડી રહી હોય તેવી કડકડતી ઠંડી પડી રહી છે અને તેની માઠી અસરો જનજીવન પર પણ પડી રહી છે. બીજી તરફ ગઈકાલે બારામતીમાં પ્લેન ક્રેશ થતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન અને તે દુર્ઘટનાના કારણે છવાયેલા શોક તથા મમતા બેનર્જી અને અખીલેશ યાદવ સહિતના વિપક્ષના નેતાઓએ ઉઠાવેલી આશંકાઓ અને સુપ્રિમકોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માંગણીની તરફેણ અને વિરોધના અભિપ્રાયો-પ્રત્યાઘાતોની ચર્ચા મીડિયા-સોશ્યલ મીડિયામાં જોરશોરથી થઈ રહી છે, અને એ બધા વચ્ચે ગઈકાલે ટી-૨૦માં ત્રણ વિજય મેળવ્યા પછી ચોથી મેચ ભારતીય ક્રિકેટ ટીમ હારી કેમ ગઈ, તેના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ કોલંબિયામાં પણ પ્લેન ક્રેશમાં ત્યાંના સાંસદ સહિત ૧૫ લોકોના જીવ ગયા હોવાના ગમખ્વાર અહેવાલોએ હવાઈ સેવા સામે પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધું છે.

ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થયા પછી હવે લોકોની નજર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર મંડાયેલી છે, ત્યારે કયાંક સહકારી સંસ્થાઓની જેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ કોઈ કારણ બતાવીને પાછળ, તો ઠેલી નહીં દેવાય ને ? તેવા સવાલો ઉઠી રહ્યા છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને જ જામનગરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ ફટાફટ વિવિધ વિકાસકામો, પ્રોજેકટો તથા વહીવટી અને તાંત્રિક ખર્ચાઓને મંજુરી આપી હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની હતી. બીજી તરફ હજુ એસઆઈઆરની પ્રક્રિયા પૂરી થઈ નથી અને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ નથી, ત્યાં ફોર્મ નં. ૭ ના સામૂહિક પેંતરાની ફરિયાદો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ઉઠી રહી હોવાથી આ વિવાદ શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. આ કારણે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછળ ઠેલાઈ શકે છે, તેવા અનુમાનોને બળ મળે છે. જો એવું થાય તો મુદ્દત પૂરી થઈ જતી હોય તેવી પંચાયતો-પાલિકા-મહાનગરપાલિકાઓમાં ફરી એકવાર વહીવટદારો નિમાય અને કામચલાઉ અમલદારશાહી સ્થપાય, તેવી શક્યતાઓ પણ રહેતી હોવાથી આ મુદ્દે વિપક્ષો જ નહીં, શાસક પક્ષના નેતાઓ-કાર્યકરોમાં પણ અજંપો ઉઠે એ સ્વાભાવિક છે, જો કે, આ બધા માત્ર અનુમાનો છે અને વહીવટી તંત્રમાં એવી કોઈ હિલચાલ જોવા મળી રહી નથી, પરંતુ રાજયમાં વધી રહેલી એન્ટી-ઈન્કમ્બન્સી તથા શાસકપક્ષમાં વધી રહેલા આંતરિક અસંતોષને જોતા હવે સમજદારીપૂર્વકનું જોખમ ઉઠાવવું કે પછી ચૂંટણીઓ પાછળ ઠેલવી તેની વિચારણા કરીને જ આગળની રણનીતિ ઘડાશે તેમ જણાય છે.

આમ, તો એસઆઈઆરની સઘળી પ્રક્રિયા રાજ્ય અને કેન્દ્ર ચૂંટણીપંચ દ્વારા થતી હોવાથી ચૂંટણીઓનું સમયપત્રક તૈયાર કરવાની જવાબદારી પણ ચૂંટણીપંચની જ રહેતી હોવાથી સરકારને સીધી રીતે કોઈ લેવા-દેવા હોતી નથી, પરંતુ સંલગ્ન વ્યવસ્થાઓ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, પરીક્ષાઓ, તહેવારો, મોસમ, લગ્નગાળો અને ભૌગોલિક સ્થિતિ વગેરે તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ માટેનું ટાઈમ-ટેબલ નક્કી થતું હોવાથી સરકાર અને ચૂંટણીપંચ વચ્ચે તાલમેલ અને સંકલન થવું પણ જરૂરી હોય છે અને સરકારી તંત્રો જ ચૂંટણીપંચની ફરજો પણ બજાવતું હોવાથી મૂળભૂત ફરજો અને સરકારી કામો વગેરેનું પણ ધ્યાન રાખવું પડતુ હોય છે. આ કારણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અત્યારે તો માત્ર અટકળો જ કરી શકાય, બાકી તો "ઉપરી"ની ઈચ્છા બળવાન !

જામનગર ભાજપમાં ગઈકાલે ધમધમાટ જોવા મળ્યો હતો અને પ્રેસ-મીડિયામાં પણ શહેર ભાજપની નવી ટીમની ચર્ચા વ્યાપક રીતે થઈ રહી હતી. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ પ્રદેશ હાઈ કમાન્ડ સાથે પરામર્શ કરીને ગઈકાલે ૪૨ સભ્યોની શહેર ભાજપની નવી ટીમ જાહેર કરી હતી, જેમાં કેટલીક મહત્ત્વની પોષ્ટ પર હોદ્દેદારો રિપિટ કરાયા હતા, તો કેટલાક નવા ચહેરાઓ પણ ઉમેરાયા હોવાની ચર્ચા હતી.

શહેર ભાજપ પ્રમુખે મંત્રીઓ, મહામંત્રીઓ, ઉપપ્રમુખો, સોશ્યલ મીડિયા, આઈ-ટી, અને મીડિયા ઈન્ચાર્જ વગેરે હોદ્દાઓ પર કેટલાક હોદ્દેદારો રિપિટ કર્યા છે, તો કેટલાક નવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ, મહિલા, કિસાન, અનુસૂચિત જાતિ, લઘુમતિ વગેરે મોરચાઓના હોદ્દેદારોની નિમણૂકો પણ કરી છે અને તેનો આ નવી ટીમમાં સમાવેશ થયો હોવાનું જાહેર થયું છે. આ નવી ટીમની જવાબદારી હવે મહાનગરપાલિકાની આગામી ચૂંટણી જીતાડવાની રહેશે.

આ નવી ટીમની જાહેરાત થતાં જ ગઈકાલે શહેર ભાજપમાં ધમધમાટ જોવા મળી રહ્યો હતો, અને આ નવી ટીમ પણ આગામી ચૂંટણીઓના સમીકરણો તથા કાર્યકર્તાઓના આંતરિક સંકલનને ધ્યાનમાં રાખીને જ બનાવાઈ હોવાની ચર્ચા પણ થઈ રહી હતી, તો અંતરંગ વર્તુળોમાં કાંઈક અલગ જ પ્રકારની ચર્ચા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે.

જે હોય તે ખરૃં, પરંતુ હવે ગુજરાતમાં પ્રદેશકક્ષાએ જગદીશ પંચાલની નવી ટીમથી લઈને જિલ્લા-શહેરોની સંગઠન શક્તિની પણ પરીક્ષા થવાની છે, કારણ કે આ વખતે ભાજપ માટે પંચાયત, પાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણી જીતવી એ સીધા ચઢાણ જેવી હશે અને સરળ નહીં હોય, તેવા તારણો નીકળી રહ્યા છે અને કેટલાક જિલ્લાઓમાં રાજ્ય-રાષ્ટ્રીયકક્ષાની રાજનીતિના અસંતુષ્ટો ગૂપ્ત રીતે અત્યંત સક્રિય છે, અને તેઓને અનુકૂળ "ગોઠવણ" નહીં થાય તો ખરે ટાણે બળવો કરવા કે પક્ષમાં રહીને જ તાકાત કરવાના મૂડમાં હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

ગઈકાલે એવી ચર્ચા પણ હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પબુભા માણેકના ધર્મોત્સવમાં હાજરી આપવા જ્યારે દ્વારકા આવશે, ત્યારે તેની સમક્ષ હાલારના કેટલાક મહત્તમ મુદ્દા તથા પ્રશ્નો તો રજૂ થશે જ, સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને પણ કોઈને કોઈ ચર્ચા તો જરૂર થશે જ, તે પછી સાંજે આપણે જાણવા મળશે કે હકીકતે આ મુલાકાત દરમ્યાન કોઈ પોલિટિકલ ચર્ચા થઈ હતી કે નહીં ?

બીજી તરફ સરકારી કાર્યક્રમોથી પ્રજા પણ કંટાળી ગઈ છે, કારણ કે માત્રને માત્ર સરકારી પ્રચાર જ થઈ રહ્યો હોવાથી કેટલાક નિયમિત રીતે યોજાતા સરકારી કાર્યક્રમો, સમિતિઓની મિટિંગો, ગ્રામસભાઓ વગેરેમાં લોકો જતા જ નથી, તેવા પ્રત્યાઘાતો રાજ્યના તલાટી મહામંડળોમાં પણ પડ્યા છે, તલાટી મંડળે સરકાર સમક્ષ માંગણી કરી છે કે ગામડાઓમાં વર્ષમાં માત્ર બે વખત જ ગ્રામસભા યોજાવી જોઈએ, કારણ કે ગ્રામસભામાં ગ્રામજનો જ આવતા નથી. ઘણી જગ્યાઓ ખાલી જ છે અને ગ્રામસભાઓનો એજન્ડા માત્ર સરકારની વાહવાહી માટે જ હોય અને તેમાં ગ્રામજનોના પ્રશ્નો કે સમસ્યાઓ ઉકેલાતા ન હોય, તથા જવાબદાર અધિકારીઓ જ આવતા ન હોય તો તેનો અર્થ શું ?

આ પ્રકારનો અસંતોષ અને નારાજગી પ્રવર્તતી હોય, ત્યારે તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થવાની જ છે અને આ કારણે કદાચ વર્ષ ૨૦૧૫ જેવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પણ આવી શકે છે, તેથી હવામાં ઉડવાની જરૂર નથી, તેવા કટાક્ષો હવે વિપક્ષના નેતાઓ પણ કરવા લાગ્યા છે.

એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજયને લઈને ભાજપે હવામાં ઉડવાની જરૂર નથી, તેવા કટાક્ષો થઈ રહ્યા છે, તો બીજી તરફ સુપ્રિમકોર્ટે કેટલીક રાજ્ય સરકારોને રખડતા આવારા કૂતરાઓના મુદ્દે આડે હાથ લીધી છે. સુપ્રિમકોર્ટે આ મુદ્દે નિમેલા વકીલમિત્રની કેફિયત સાંભળ્યા પછી સુપ્રિમકોર્ટની બેચે કહ્યું છે કે રખડતા કૂતરાઓના મુદ્દે કોઈપણ રાજયોએ પૂરતા કદમ ઉઠાવ્યા નથી અને ખસીકરણ સહિતના મુદ્દે હવાઈ કિલ્લાઓ બાંધી રહ્યા છે. આસામ સિવાય (ગુજરાત સહિત) કોઈપણ રાજયે કૂતરા કરડવાના બનાવોના ડેટા જ આપ્યા નથી, તેથી રાજ્યોના તંત્રોને સુપ્રિમકોર્ટે તતડાવ્યા હતા.

ગુજરાતમાં પણ આવારા કૂતરાઓ અને રખડતા ઢોરના કાયમી ત્રાસનો મુદ્દો ચૂંટણીઓ માટે નિર્ણાયક અને વિપક્ષો માટે પ્રચારનું મુખ્ય ઓજાર બની શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સૌરાષ્ટ્રથી સંસદ સુધી, એસઆઈઆરના મુદ્દે શોર, વિપક્ષો ઘેરશે સરકારને, વિવિધ વિવાદોનો ઉઠશે વંટોળ..?

                                                                                                                                                                                                      

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે, અને પ્રથમ દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણની પરંપરા છે, અને આવતીકાલે સંસદમાં આર્થિક સર્વે રજૂ થશે અને પહેલી ફેબ્રુઆરીના કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, તેમ જાહેર થયું છે, ત્યારે આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે.

હકીકતે પરંપરા મુજબ કેન્દ્ર સરકારે બજેટસત્ર શરૂ થાય, તે પહેલા ગઈકાલે એક ઓલ પાર્ટી મિટિંગ યોજાઈ હતી. આ સર્વપક્ષીય બેઠકમાં ૪૦ જેટલા પક્ષોના ૫૦થી વધુ નેતાઓ હાજર રહ્યા હતા. અને "પ્રથમ ગ્રાસે મક્ષિકા" ની કહેવત મુજબ ગઈકાલે જ સરકાર અને વિપક્ષો વચ્ચે ઘેરા મતભેદો જોવા મળ્યા હતા.

હકીકતે વિરોક્ષપક્ષોએ બજેટસત્ર દરમ્યાન મનરેગાના સ્થાને લાગુ કરાયેલા જી-રામ-જી કાનૂન તથા એસઆઈઆરના મુદ્દે સંસદમાં ફરીથી વિસ્તૃત ચર્ચા કરવાની માંગણી ઉઠાવી હતી, પરંતુ સરકારે નનૈયો ભણી દેતા વિપક્ષો ગિન્નાયા છે.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ આ મુદ્દે સંસદમાં પૂરેપૂરી ચર્ચા થઈ ગઈ, અને કાનૂન બની ગયો, પછી હવે રિવર્સ ગીયર પડી શકે તેમ નહીં હોવાનું જણાવી બજેટસત્રમાં માત્ર બજેટની જ ચર્ચા કરવાની પરંપરાનું પાલન કરવા અને રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ દરમ્યાન વિપક્ષોને વિવિધ મુદ્દે બોલવાની છૂટ મળવાની હોવાથી તે સમયે પોતાની વાત રજૂ કરવી જોઈએ, તેવી સલાહ વિપક્ષોને આપીને હોબાળા નહીં કરવા કે ગૃહમાંથી ભાગી નહીં જવાની ટકોર પણ કરી હતી.

હકીકતમાં વિપક્ષો દ્વારા હોબાળો થાય અને બજેટસત્ર દરમ્યાન વિવાદાસ્પદ મુદ્દાઓ ઉછળે, અને તેની આડમાં અન્ય મહત્ત્વપૂર્ણ તથ્યો તથા નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટી જાય, તો સરકારને પણ દોડવું હોય અને ઢાળ મળી જશે અને હમણાંથી વિકસાવાયેલી સિક્રેટ સિસ્ટમ મુજબ હંગામા વચ્ચે પણ મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો અને બીલો સરકાર પસાર કરાવતી રહેશે, અને બજેટની જોગવાઈઓને બદલે બબાલ તથા વિવાદોના મુદ્દા ચર્ચાતા રહેશે તેવું પણ ઘણાં વિશ્લેષકો માને છે, જ્યારે ઘણાં રાજકીય પંડિતો એસઆઈઆર અને જી-રામ-જીના મુદ્દાઓ ફરીથી ઉછાળવાની સાથે સાથે પ્રવર્તમાન અન્ય મુદ્દાઓ પણ સંસદમાં વિસ્તૃત રીતે ચર્ચાય, અને તેમાં યુજીસી તથા બબ્બે શંકરાચાર્યોના અભિપ્રાયો-મંતવ્યોનો પણ સમાવેશ થાય, તે જરૂરી માને છે.

સંસદમાં એસઆઈઆર અને જી-રામ-જી કાયદાની ચર્ચા ફરીથી શરૂ થાય કે ન થાય, પરંતુ હવે બંને મુદ્દા જનસંસદમાં જરૂર ચર્ચાવા લાગ્યા છે. અને એસઆઈઆરની પ્રક્રિયાના મુદ્દે ખુદ મોદી સરકારે ક્ષોભમાં મુકાવું પડે, તેવી ઘટના ગુજરાતના સૌરાષ્ટ્રમાં બની છે, અને તેના પડઘા પણ સંસદમાં પડશે, તે નક્કી જણાય છે.

બન્યું એવું કે કેન્દ્ર સરકારે ૨૬ જાન્યુઆરીના દેશના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર હસ્તીઓને પણ પુરસ્કારો આપવાની જાહેરાત કરી હતી, જેમાં જૂનાગઢના મશહુર તબલાવાદક હાજી કાસમભાઈ, જેઓ "હાજી રમકડું" ના નામથી લોક્પ્રિય છે, તેઓને મદ્મશ્રીનું સન્માન આપવાની જાહેરાત પણ થઈ હતી.

આ "પદ્મશ્રી" હાજી કાસમ (હાજી રમકડું) નું નામ જ મતદાર યાદીમાંથી હટાવવવાની અરજી ભાજપના જ કોર્પોરેટરે કરતા જે હોબાળો મચ્યો છે, તે જોતા આ સ્થિતિ ભાજપના ટોચના નેતૃત્વમાં ક્ષોભજનક જણાય છે. કારણ કે "હાજી રમકડું" ના નામથી આ તબલાવાદક ભજન, સંતવાણી, કવ્વાલી, ગઝલ વગેરેમાં પોતાની આગવી સ્ટાઈલથી તબલાવાદન અને ઢોલક વગાડે છે અને હજારો સ્ટેજ પ્રોગ્રામો તથા અન્ય કાર્યક્રમો કર્યા છે. કલાક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર આ કલાકારે કોમી એકતાનું પણ અનોખુ યોગદાન આપ્યું છે, અને ગાયોના લાભાર્થે સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા છે. કેન્દ્ર સરકારે હજુ હમણાં જ તેને "પદ્મશ્રી" જાહેર કર્યા અને શાસક પક્ષના જ કોર્પોરેટરે તેનો મતદાનનો અધિકાર પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે, તેવો સણસણતો આક્ષેપ કરતા કોંગ્રેસે કહ્યું છે કે આ જુઠ્ઠાણાની પરાકાષ્ટા છે.

કોગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ ગોલમાલની પરાકાષ્ટા છે, અને જો હાજી રમકડું જેવી હસ્તી સાથે આવો ખેલ થતો હોય તો સામાન્ય નાગરિકો સાથે શું થતું હશે ?

જો કે, વિવાદ વધતા અરજદાર કોર્પોરેટરે હાજી રમકડું પ્રત્યે સન્માન અને આદર બતાવીને માત્ર તેઓની સરનેઈમ (અટક) અલગ-અલગ હોવાથી સુધારણા કરવાની વાત કરીને વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે તીર કમાનમાંથી છૂટી ગયું છે અને આ કારણે ભાજપની લીડરશીપ ફિક્સમાં મૂકાઈ ગઈ હોય તેવું લાગે છે, અને આ સંદર્ભે આજે પણ જે કાંઈ થઈ રહ્યું છે અને નિવેદનો આવી રહ્યા છે, તે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ જ છે ને ?

આ પ્રકારના અભિદ્રાવ્ય સાથે અને આ દૃષ્ટાંત સાથે આ મુદ્દો સંસદમાં રજૂ કરીને એસઆઈઆરના મુદ્દે પુનઃ ચર્ચા કરવાની માંગણી વિપક્ષના સાંસદો ગૃહમાં ઉઠાવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

સંસદમાં બીજો એક મુદ્દો યુ.જી.સી.ના નવા નિયમોનો પણ ગુંજવાનો છે. ઉત્તરપ્રદેશની યોગી સરકાર સામે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજીના અપમાનના મુદ્દે પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે અન્ય એક મુદ્દે એક બીજા ધર્માચાર્ય મેદાનમાં આવ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેર કરાયેલા "ઈક્વિટી રૂલ્સ-૨૦૨૬" ને લઈને દેશભરમાંજ જનાક્રોશ પ્રગટી રહ્યો છે, ત્યારે અયોધ્યાની તપસ્વી છાવણીના પીઠાધિશ્વર જગદ્ગુરૂ પરમહંસ આચાર્યે યુજીસીનો કાયદો પાછો ખેંચવા અથવા તેમને ઈચ્છામૃત્યુની પરવાનગી આપવાની માંગણી કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આ કાયદાનો દુરૂપયોગ નહીં થાય, અને સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળની આ વ્યવસ્થા હેઠળ કોઈ ભેદભાવ નહીં થાય, તેવી ખાતરી આપી છે. જેના સંદર્ભે પણ સંસદમાં પડઘા પડવાના છે.

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારની નીતિઓની તરફેણ અને વિરોધમાં એક-એક અધિકારીના રાજીનામા પછી બ્યુરોક્રેટસના રાજનીતિકરણનો મુદ્દો પણ બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બન્યો છે. જો કે, આ મુદ્દે લગભગ તમામ રાજકીય પક્ષોમાં પૂર્વ બ્યુરોક્રેટસ સામેલ હોવાથી તેના પડઘા સંસદમાં કેવા અને કેટલા પડે છે, તે જોવાનું રહે છે.

હવે આજ થી સંસદમાં હોબાળા, દેકારા-પડકારા અને સંસદ સંકુલમાં વિરોધ-પ્રદર્શનોની આશંકાઓ વચ્ચે એવો આશાવાદ પણ એવો સેવાઈ રહ્યો છે કે સરકાર કેટલાક મુદ્દે વ્યૂહાત્મક પીછેહઠ કરી શકે છે અને યુજીસી-હાજી રમકડુંના સંદર્ભે ઊભા થયેલા વિવાદો તથા ધર્માચાર્યો સાથે સમાધાનની નીતિ અપનાવી શકે છે, પરંતુ તે માટે ઉભય પક્ષે ઈગો છોડીને દેશહિતને જ પ્રાધાન્ય આપવું પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જણ ગણ મન અધિનાયક જય હે... વંદે માતરમ્...વંદે માતરમ્... પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યા થી છવાયો દેશભક્તિનો માહોલ...

                                                                                                                                                                                                      

આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યું છે, અને શાળા-મહાશાળાઓ-સંસ્થાઓથી લઈને દરેક જિલ્લા-તાલુકા-ગામ-શહેરો અને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય નારાઓ તથા દેશભક્તિના ગીતોની ગુંજ સંભળાઈ રહી છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિદેશી અતિથિઓ તથા દેશના ગણમાન્ય નેતાગણ, કેન્દ્રીય મંત્રીમંડળો, જનપ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થયું અને વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ થઈ, દેશની સેનાની ત્રણેય પાંખો તથા સુરક્ષાદળોની પરેડ તથા સાંસ્કૃતિક અને ઓપરેશન સિંદૂર સહિતના સ્મરણો તાજા કરતા કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યુ.

આજે પ્રજાસત્તાક પરેડમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિવસ પરેડમાં મુખ્ય અતિથિઓ ઉપરાંત દેશના સર્વોચ્ચ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે રાષ્ટ્રગીત વંદે માતરમ્ની થીમ રાખવામાં આવી છે અને આ ગીતની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઉજવાઈ રહી છે. "જન ગણ મન"ના રાષ્ટ્રગાન તથા દેશભક્તિના ગીત-સંગીતથી ગગન ગુંજી રહ્યું છે, ત્યારે આપણા ગામ-વોર્ડ-નગર-તાલુકા અને જિલ્લામાં ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક પર્વ તથા સંલગ્ન સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે દેશભરમાં રાષ્ટ્રનું ગૌરવ અને દેશપ્રેમનો એક અનોખો માહોલ પણ ખડો થઈ ગયો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો લહેરાવ્યા પછી કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં વિવિધતામાં એકતા અને બહુરંગી પરંપરાઓ, ભવ્ય-દિવ્ય સંસ્કૃતિઓ તથા આપણાં દેશના જાંબાઝોના શોર્ય-વીરતાની સાથે સાથે દેશના વિકાસ અને કર્તવ્યપથની આગેકૂચના પણ ગૌરવપ્રદ દર્શન થયા હતા. આ પરેડ માત્ર ને માત્ર પ્રજાસત્તાક પર્વની ઉજવણીની મુખ્ય પ્રવૃત્તિ જ નહીં, પરંતુ આપણાં દેશની બહુર્મુખી ગરિમાને પણ દ્યૌતક કરી રહી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગુ ઉદ્બોધન કર્યું. આપણાં દેશની લોકતાંત્રિક પરંપરા અને બંધારણીય જોગવાઈઓને અનુરૂપ તૈયાર થતા આ પ્રવચનમાં પ્રવર્તમાન કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવાય અને પ્રશંસા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ ગઈકાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગા પ્રવચનમાં કેટલાક દેશહિત, રાષ્ટ્રીય ગૌરવ અને નાગરિકોની ગરિમા વધારતા કેટલાક મુદ્દાઓ પણ સામેલ હતા. તેણીએ રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ગૌરવ અને તેના સમગ્ર ઈતિહાસનું પણ વર્ણન કર્યું. તેણીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝને પણ યાદ કર્યા. રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્ત્વ સમજાવ્યું. દેશના વિકસતા અર્થતંત્ર, એક રાષ્ટ્ર, એક બજારનો સિદ્ધાંત અને મહિલાઓની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદારીની વાત પણ કરી. તેણીએ સ્વદેશી પર ભાર મૂકી આત્મનિર્ભર ભારતની વાત કરી. રાષ્ટ્રપતિએ દેશના ખેડૂતો, તબીબો, નર્સો, સફાઈમિત્રો, શિક્ષકો, શ્રમિકો, એન્જિનિયરો, કલાકારો, શિલ્પકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, વિશેષજ્ઞો, દેશનું રક્ષણ કરતા સેનાના જવાનો અને આંતરિક અને બાહ્ય સુરક્ષા સંભાળતા તમામ સુરક્ષાદળો તથા સંલગ્ન તંત્રો, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓ, એનઆરઆઈ, મહિલાઓ, યુવાવર્ગ, દેશની દીકરીઓની સિદ્ધિઓ, મતદારો, ખેલાડીઓ, આરોગ્ય કર્મીઓ, ગ્રામ્ય કર્મીઓ, અર્થશાસ્ત્રીઓ, દેશની વિવિધતાઓ, ભાષાઓ, વિવિધ સંસ્કૃતિઓ સહિતના અનેક વિષયોને આવરી લીધા હતા. આ ઉપરાંતથી પદમ પુરસ્કારોની જાહેરાત પણ થઈ.

પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભાંશુ શુકલાને "અશોકચક્ર" સહિત સશસ્ત્રદળોના ૭૦ જવાનોને શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, તો બે જવાનોને કીર્તિચક્ર પણ આપાશે, તેવું જાહેર થયું હતું.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેેન્ડ સામેની ટી-૨૦ મેચમાં ધમાકેદાર વિજય મેળવીને ક્રિકેટ રસીયાઓ અને દેશવાસીઓને જાણે કે પ્રજાસત્તાક પર્વની ભેટ આપી દીધી.

ગઈકાલેની મેચનો વિજય સામાન્ય નહીં, પણ અસાધારણ હતો. બૂમ...બૂમ...બૂમરાહની કમાલ અને બોલીંગના પ્રહાર સામે ન્યુઝીલેન્ડની ટીમ માંડ દોઢસોના સ્કોરને વટાવી શકી. તેથી કહી શકાય કે ભારતીય બોલરોના બુલડોઝરે ન્યુઝીલેન્ડની વિકેટ ઈનિંગને કચડી નાખી, તે પછી ભારતીય બેટધરોએ તો ચોક્કા-છક્કા વરસાવીને ન્યુઝીલેન્ડના બોલરોને ધોઈ જ નાખ્યા. માત્ર ૧૦ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને ટીમ ઈન્ડિયાએ માત્ર મેચ નહીં, પણ પાંચ મેચોમાંથી ત્રણ મેચ જીતીને શ્રેણી પણ જીતી લીધી છે.

ગઈકાલે ભારતીય બેટધરોની ધમાકેદાર બેટીંગ પણ જોવાલાયક હતી અને તેમાં પણ અભિષેક શર્માની ફટકાબાજી તથા કપ્તાન સૂર્યકુમાર યાદવનું પાછું આવેલું ફોર્મ જોઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તો ખુશખુશાલ થઈ જ ગયા હતા, પરંતુ પ્રતિસ્પર્ધી ન્યુઝીલેન્ડની ટીમ પણ પ્રભાવિત થયેલી જણાતી હતી.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગા સંબોધન અને ટી-૨૦માં ભારતના વિજયથી ફેલાયેલા આનંદના માહોલ વચ્ચે રાજકીય ક્ષેત્રેથી પણ એક એવા બ્રેકીંગ ન્યૂઝ આવ્યા, જેથી પ્રજાસત્તાક પર્વે જ રાજકીય ક્ષેત્રે અચંબા સાથેની હલચલ મચાવી દીધી છે.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જ વિખ્યાત ભારતીય -અંગ્રેજ (બ્રિટિશ) પત્રકાર માર્ક ટુલીના નિધનના સમાચાર આવ્યા, જેઓએ આઝાદી કાળથી બીબીસી માટે ભારતમાં પત્રકારિત્વ કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ લાલુ પ્રસાદ યાદવના પરિવારનો ડખ્ખો સામે આવ્યા. રાષ્ટ્રીય જનતાદળના કાર્યવાહક પ્રમુખપદે તેજસ્વી યાદવની ઘોષણા થતા જ તેની બહેનને જ તેજસ્વીએ લાલુ પ્રસાદ યાદવની વિચારધારા તથા રાજકીય વારસાનો દ્રોહ કર્યો હોય, તેવી આક્રોશપૂર્ણ ભાવના વ્યક્ત કરીને તેજસ્વી યાદવના કારણે આરજેડી ખોટા હાથોમાં ચાલ્યું ગયું હોવાના આક્ષેપો કર્યા, તો કેટલાક નેતાઓએ કહ્યું કે લાલુ યુગનો અંત આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ આરજેડીનો સાથ છોડી દેવાની માંગણી બળવતર બની રહી હોવાથી ગણતંત્રના દિવસે જ એક ગણરાજ્યના એક અગ્રીમ હરોળના રાજકીય પક્ષમાં આવેલો બિખરાવ (ભાગલા)ની ચર્ચા થઈ રહી છે.

ગઈકાલે રાત્રે જામનગરમાં જેવી રીતે મુખ્ય સંકુલો, સરકારી અને સંસ્થાકીય ઈમારતો તથા બજારો રોશનીથી ઝળહળી, તેવી જ રીતે આપણો દેશ પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ ઝગમગી ઉઠ્યો હતો, તો મંદિરોમાં તિરંગી રોશનીએ દેશની ગરિમા વધારી હતી. દરિયાની વચ્ચે જઈને, દૂર્ગમ પહાડોની ટોચે પહોંચીને તથા ઘનઘોર જંગલોની વચ્ચે પણ આજે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થઈ રહી છે, અને આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજ-તિરંગો લહેરાઈ રહ્યો છે.

નોબત કાર્યાલય અને માધવાણી પરિવાર, "નોબત" સાથે સંકળાયેલા તમામ લોકો, વાચકો, તથા ફોલોઅર્સ સહિત તમામ દેશવાસીઓ અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વસંત પંચમી પછી હવે, પ્રજાસત્તાક પર્વ આવી રહ્યું છે ત્યારે, વિવાદો ટાળી

                                                                                                                                                                                                      

ગઈકાલે ભારતે ઉપરા ઉપર બીજી ટી-૨૦ ક્રિકેટ મેચ જીતી લીધા પછી પાંચ ટી-૨૦ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૦થી આગળ હોવાથી ક્રિકેટ રસીયાઓ તથા દેશપ્રેમીઓને ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં થયેલ હારની કળ વળી ગઈ હશે. અને આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે આ મેચનો વિજય જો શ્રેણી વિજયમાં બદલાઈ જાય, તો તે "ટોનિક"નું કામ કરશે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવનું ફોર્મ પાછુું આવ્યું અને ઈશાન કિશન તથા શિવમ્ દુબેની ફટકાબાજી પછી ટીમ ઈન્ડિયા જૂસ્સામાં હશે.

બીજી તરફ આગામી વર્લ્ડકપની બુનિયાદ મજબૂત બનાવવામાં આ શ્રેણીમાં ખેલાડીઓ પર થતા પ્રયોગો સફળ થતા ટીમ મેનેજમેન્ટ, સિલેકટરો અને બીસીસીઆઈ પણ ખુશ હશે.

ખેલ જગતમાં જેમ ક્રિકેટની ચર્ચા સૌથી વધુ થતી હોય છે, તેવી જ રીતે રાજનીતિમાં સૌથી વધુ ચર્ચા વિવાદાસ્પદ નિવેદનો, આંતરિક ડખ્ખા, ટાંટિયાખેંચ અને સત્તાની સાઠમારીની સૌથી વધુ ચર્ચા થતી હોય છે, તો બીજી તરફ પરસ્પર તીખા-તમતમતા નિવેદનો આપતા રાજનેતાઓ વચ્ચે પણ એક પ્રકારની ગોઠવણ હોય છે. સામાન્ય જનતા પણ હવે સમજી ગઈ કે વાકચાતુર્ય અને ડ્રામેટિકલ ગોકિરાં કરતા રહેતા નેતાઓ એકબીજાના હિતો અને એજન્ડાઓને આગળ વધારતા હોય છે. નેતાગણની સ્વાર્થી ગૂપ્ત મિલીભગતને રાજકીય એખલાસ અને ખેલદિલી ભરી રાજનીતિના રૂડાં-રૂપાળા આભૂષણો પહેરાવી દેવાતા હોય છે.

આપણે વસંત પંચમીની ઉજવણી કરી અને હવે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નગરોમાં ઠેર-ઠેર વિશેષ પ્રકારની સાફસફાઈ થઈ રહી છે, અને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ આન-બાન-શાાનથી પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. વસંત પંચમીની ઉજવણીના ભાગરૂપે માતા સરસ્વતીનું પૂજન થાય છે અને પ્રજાસત્તાક પર્વે ભારતમાતાનો જયઘોષ થાય છે.

આપણાં દેશમાં માતૃભક્તિ અને નારીશક્તિ પ્રત્યેનો આદર અને પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં વસુધૈવ કુટુંબકમ્ ની ઉત્કૃષ્ટ અને ઉદાર ભાવના છે, તે આ ઉજવણીઓથી પૂરવાર થાય છે આપણો દેશ વિવિધતામાં એકતાનું વિશ્વવિખ્યાત દૃષ્ટાંત છે અને આપણાં દેશમાં દંભ ફરેબ અને ભેદભાવને કોઈ સ્થાન નથી, તે આપણાં બંધારણમાંજ પ્રતિબિંબિત થાય છે.

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના પૂજનની સાથે સાથે વિદ્યા આપનારા ગુરૂજનોનું પણ સન્માન કરવામાં આવે છે.

શિક્ષકો, પ્રાધ્યાપકો અને સનાતન સંસ્કૃતિ મુજબનો ધર્મ-સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા હોય, તેઓ તેઓના ગુરૂજનો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરે છે. અને વસંત પંચમી તથા ગુરૂ પૂર્ણિમાના દિવસે આ તમામ ગુરૂજનોનું સન્માન કરીને તેના આશીર્વાદ મેળવવામાં આવતા હોય છે.

આ પ્રકારની સર્વસમાવેશી સંસ્કૃતિ ધરાવતા આપણાં દેશમાં જ્યારે જ્યારે સંતો-ધર્મગુરૂઓની અવગણના, અપમાન કે અનાદર થાય છે, ત્યારે ત્યારે સમગ્ર સંત સમાજ એકજૂથ થઈ જાય છે. ખાસ કરીને રાજસત્તા સાથે કોઈપણ કારણે મતભેદો થાય કે સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે ત્યારે જનભાવનાઓ હંમેશાં સત્ય, નિષ્ઠા અને આપણી પરંપરાગત સંસ્કૃતિ તથા આદર્શોની સાથે રહેતી હોય છે.

ટૂંકમાં, આપણા દેશની જનતા એટલી પૂખ્ત અને સમજદાર છે કે તેને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સ્થિતિને સમજતા સારી રીતે આવડે છે.

દૃષ્ટાંત તરીકે ગયા રવિવારે તા. ૧૮મી જાન્યુઆરીના દિવસે સવારે મૌની અમાવસ્યા હતી અને માઘમેળો ચાલી રહ્યો હતો, તે સમયે સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી અને ત્યાંના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો.

આ વિવાદ અંગે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અંગે દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સહિતના સંત-મહંતોએ જે પ્રતિક્રિયાઓ આપી છે, તે જોતા યોગી સરકાર ઘેરાઈ રહી હોય, તેમ જણાય છે. તો આ મુદ્દે ઉત્તરપ્રદેશની સરકારમાં જ આંતરિક વિરોધાભાસ હોય, તેવો આભાસ પણ લોકોને થઈ રહ્યો છે.

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ નાગપુરની ધર્મસભામાં આ પ્રકરણનો ઉલ્લેખ કર્યો, તો વૃંદાવનના સંત સમાજે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવડાવવાની માંગ ઉઠાવી. શંકરાચાર્યની સાથે સાધુ સંતોના કેટલાક સંગઠનોએ હરિદ્વારમાં ધરણાં કર્યા, તો અખાડાના અધ્યક્ષે તંત્ર માફી માંગે, તેવી માંગણી ઉઠાવી છે. આ ઉપરાંત યોગગુરૂ બાબા રામદેવ, મહામંડલેશ્વર રામદાસ મહારાજ, સ્વામી અતુલ કૃષ્ણદાસ મહારાજ, સંત ફલાહારી બાબા વિગેરે પણ વિવિધ પ્રત્યાઘાતો આપ્યા છે, કેટલાક પ્રખ્યાત કથાવાચકોએ પણ આ મુદ્દે પ્રત્યાઘાતો આપ્યા છે. આ બધા પ્રત્યાઘાતોનું તારણ એવું જ નીકળે છે કે જે કાંઈ બન્યુ છે, તે દૂર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય હતું અને હવે આ વિવાદનો સન્માનજનક અને સર્વસ્વીકૃત અંત લાવવાની જવાબદારી ઉત્તરપ્રદેશ સરકાર તથા સંત સમાજે ઉઠાવવી જોઈએ., અને જગદગુરૂ શંકરાચાર્ય ધરણાં છોડે, અને બધાનું માન-સન્માન જળવાઈ રહે તેવો ઉકેલ કાઢવો જોઈએ.

એક તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે, સંત અને સન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી કોઈ મોટું હોતું નથી, પરંતુ કેટલાક "કપટી" લોકો સનાતન ધર્મને  નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે, તો ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજી ત્રિવેણી સંગમમાં ગંગા સ્નાન કરીને વિવાદનો અંત લાવે તેવી વાત કરી રહ્યા છે, તેથી એવું કહી શકાય કે યોગી સરકારમાં જ સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી મહારાજના મુદ્દે મત-મતાંતરો છે, અથવા આ પ્રકારના નિવેદનો કરીને યોગી સરકાર ચાલાકી પૂર્વક દૂધ અને દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કરી રહી હોઈ શકે છે...અખિલેશ યાદવે શંકરાચાર્યના અપમાનને તમામ સનાતનીઓનું અપમાન ગણાવ્યું, ત્યારે કેટલાક નેતાઓએ તેને તેમની સરકારનો ભૂતકાળ યાદ કરાવ્યો. આ બધા વચ્ચે યોગી સરકાર આ મુદ્દે બેકફૂટ પર આવેલી જણાય છે.

તાજા અહેવાલો મુજબ શંકરાચાર્ય સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજીની ધરણાં દરમ્યાન તબિયત બગડી છે. આ વિવાદે જોર પકડતા અને સંતો-મહંતો-ધર્માચાર્યોના પ્રત્યાઘાતો આવ્યા પછી ઉભય પક્ષે બાંધછોડ કરીને અને જેની ભૂલ હોય, તેમણે ભૂલ સ્વીકારીને અથવા સમગ્ર વિવાદનો સર્વસ્વીકૃત હલ શોધવા મધ્યસ્થી કરીને ઉકેલ લાવવો જોઈએ, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે. આ વિવાદ સમાવવા સત્તારૂઢ યોગી સરકારે પહેલ કરીને વધુ સંનિષ્ઠ પ્રયાસો કરવા પડે તેમ છે,અને ઉભય પક્ષે કાનૂની તથા અદાલતી કાર્યવાહીના સંદર્ભે થતા કથિત નિવેદનો અટકાવીને સંતો અને સત્તા વચ્ચેનો સંભવિત સંઘર્ષ ટાળવો જોઈએ, તેવા જનપ્રતિભાવો પણ સંભળાઈ રહ્યા છે, અને એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે આપણી સંસ્કૃતિ અને દેશભક્તિને જોડતા પર્વોની ઉજવણી સમયે આ પ્રકારના વિવાદો ટાળીને રાજધર્મ તથા નાગરિક ધર્મ બજાવવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બોર્ડ ઓફ પીસ એટલે શું ? ટ્રમ્પ આખરે ઈચ્છે જ છે શું ? તેલનો ખેલ કે નકલી નોબેલ ? અમેરિકા ફર્સ્ટ કે પરિવાર ફર્સ્ટ ?

                                                                                                                                                                                                      

જામનગરમાં આમઆદમી પાર્ટી દ્વારા એસઆઈઆરની પ્રક્રિયામાં ગરબડને લઈને કલેકટરને આવેદનપત્ર અપાઈ રહ્યું છે, તો કોંગ્રેસે શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજીના અપમાનના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ભાજપ દ્વારા કોઈ ને કોઈ જાહેર કાર્યક્રમો તો યોજાતા જ રહે છે, પરંતુ શહેર-તાલુકા-જિલ્લા ભાજપમાં પણ કાંઈક આંતરિક  હિલચાલ થઈ રહી હોય તેમ જણાય છે. જિલ્લા અને રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીમાં ગુજરાતના તંત્રો વ્યસ્ત છે, તો દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, અને રાબેતા મુજબની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. આ ઘટનાક્રમો વચ્ચે યુરોપિયન ચીફ ગેસ્ટના આગમનના સંદર્ભે પણ તડામાર તૈયારીઓ વિશેષ સ્વરૂપે ચાલી રહી છે, જે ધ્યાનાકર્ષક છે.

એવું કહેવાય છે કે યુરોપના દેશોએ એકજૂથતા બતાવતા ટ્રમ્પ ઢીલાઢફ પડી ગયા અને ગ્રીનલેન્ડ પર આક્રમણ નહીં કરવાનું જાહેર કર્યું, અને ગ્રીનલેન્ડની તરફેણ કરનારા યુરોપના દેશો પર પહેલી ફેબ્રુઆરીથી ઝીંકેલો જંગી ટેરિફ પણ અટકાવી દીધો છે. આ સાથે ટ્રમ્પે ભારત સાથે પણ મહત્ત્વપૂર્ણ ટ્રેડ ડીલના સંકેતો આપ્યા છે, જેને ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે આવકાર્યા છે, તેથી ભારતના બિઝનેસ સેકટરમાં એક અકળાવનારું કુતૂહલ અને આશંકાઓ સાથેનો આશાવાદ પણ જાગ્યો છે.

ટ્રમ્પના માત્ર ટેરિફ જ નહીં, પરંતુ શાંતિના પુરસ્કારનું સપનું, વેનેઝુએલાના રાષ્ટ્રપતિની તેમના પત્ની સાથે ધરપકડ (અથવા અપહરણ) અને ગ્રીનલેન્ડને લઈને ધાકધમકીભરી ભાષાશૈલી પછી સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે ટ્રમ્પ ઈચ્છે છે શું ? ટ્રમ્પે પોતાને જ તાનાશાહ જેવા ગણાવ્યા, તેનો મતલબ શું ?

 વેનેઝુએલાને નિયંત્રણમાં લઈને ત્યાંના તેલક્ષેત્ર (કુદરતી ક્રૂડના ભંડારો) પર કબ્જો જમાવવો અને ક્રૂડ ઉત્પાદક દેશોને સામ, દામ, દંડ, ભેદ અજમાવીને પણ પોતાના (અમેરિકાના) ઈશારે નચાવવાના ટ્રમ્પના પ્રયાસોએ પૂરવાર કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેલનો ખેલ કરી રહ્યા છે અને તેલ (ક્રૂડ) ના ભંડારો પર વર્ચસ્વ જમાવીને તથા દુનિયાના વ્યાપારને ટેરિફનું શસ્ત્ર ઉગામીને અમેરિકાના અર્થતંત્રને વધુ મજબૂત કરવા તથા અમેરિકન ટ્રેડ વધારવામાં ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી રહ્યા હોય, તેવો આભાસ પણ થાય છે.

જે વ્યક્તિ પોતાને શાંતિના નોબેલ પારિતોષિકના હક્કદાર જાહેર કરે અને જ્યારે આ સન્માન ન મળે, ત્યારે તેઓ એવું કહે કે તેઓને હવે શાંતિમાં રસ નથી. તે પછી ઈરાન પર હૂમલાની તૈયારીઓ કરાવે, ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા શક્તિ પ્રદર્શનની વાતો કરે અને બીજા દેશોના સાર્વભૌમત્વની અવગણના કરે તથા મન ફાવે તેવી ધમકીઓ આપતા રહે, તેના પર કોઈને ય વિશ્વાસ ન રહે, તે સ્વાભાવિક છે અને આ પ્રકારનું તદૃન બે જવાબદાર વલણ તથા વિચિત્ર વર્તન પછી મિત્રો તથા મિત્રદેશો પણ દૂર ભાગે, તેમાં કાંઈ નવું નથી. પરંતુ ટ્રમ્પની આ ચતુરાઈ અને અલગ જ પ્રકારની વિદેશનીતિ પછી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે એક નોબેલ વિજેતા મહિલાએ પોતાનો નોબેલનો શાંતિ પુરસ્કાર બક્ષીસ આપવાની વાત કર્યા પછી હવે ટ્રમ્પ શાંતિ પુરસ્કાર નહીં પરંતુ વિશ્વમાં અંધાધૂંધી, અવિશ્વાસ તથા અનિશ્ચિતતાનો નકલી પુરસ્કાર લેવાને લાયક બની રહ્યા છે.

અત્યારે નકલી યુગમાં કદાચ વિદેશનીતિઓમાં પણ નકલ થવા લાગી છે અને વિશ્વ અનેક ગ્રુપોમાં વહેચાવા લાગ્યું છે. ત્યારે એવો સવાલ ફરીથી ઉઠવા લાગ્યો છે કે ક્યાંક વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો ધકેલાઈ રહ્યું નથી ને ?

યુએઈમાં રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષિય વાટાઘાટો આજથી શરૂ થઈ છે, તેથી આવતીકાલ સુધીમાં તેના સકારાત્મક પરિણામો આવે અને યુદ્ધ વિરામ થાય, તેવા આશાસ્પદ સાથે આશંકાઓ પણ ઊભી થવા લાગી છે. આમ છતાં આખી દુનિયા રશિયા-યુક્રેનનું યુદ્ધ થંભી જાય, તેવું ઈચ્છે જ છે, કારણ કે ટ્રમ્પે આ યુદ્ધના નામે જ ટેરિફાતંક સાથે દુનિયામાં ઉથલપાથલ મચાવી દીધી છે.

આજે ટ્રમ્પના ટેરિફની સાથે તેની ગ્રીનલેન્ડ પર આધિપત્ય જમાવવાની તેની ઘેલછાની ચર્ચા વચ્ચે અમેરિકાના પરંપરાગત હરિફ (હવે દુશ્મન) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડેન્માર્કની પણ ટીકા કરી અને આ પ્રકરણમાં પોતાને કોઈ રસ નહીં હોવાનું કહીને સૌને  અચંબિત કરી દીધા છે. રશિયાએ આવું કરીને યુરોપના દેશોને અને ખાસ કરીને નાટોના મેમ્બર્સને ચોંકાવી દીધા છે, તેમાં પણ પુતિને ગ્રીનલેન્ડનું જે મૂલ્ય દર્શાવ્યું તે ઘણું જ સૂચક છે.

બીજી તરફ દાવોસમાં ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની જાહેરાત કર્યા પછી ટ્રમ્પે હાંકેલી ડંફાસોને પણ ગંભીરતાથી વિચારવી જ પડે તેમ છે. હમાસ વિરોધી કદમ ઉઠાવવા તથા ઈઝરાયેલને પ્રોટેકટ કરવા ટ્રમ્પની આ ચાલબાજીમાં પાકિસ્તાન તો સપડાયુ જ છે, પરંતુ કેટલાક અન્ય દેશોની સ્થિતિ પણ કફોડી જ થવાની છે.

ગાઝા શાંતિ બોર્ડ અથવા બોર્ડ ઓફ પીસને યુનો હેઠળની યુએનએસસીને સાઈડલાઈન કરવાની ટ્રમ્પની તરકીબમાં પણ નાણાભંડોળ એકઠું કરવાની ચાલબાજી પછી ટ્રમ્પ હવે વિશ્વના સૌથી ધૂની અને અવિશ્વસનિય નેતા બની ગયા છે.

ગાઝા શાંતિ સ્થાપનાના પ્રયાસો પાછળ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ નહીં, પણ પરિવાર ફર્સ્ટની ગૂપ્ત એન ભ્રષ્ટ પરંતુ આયોજનપૂર્વકની ચાલાકીભરી રણનીતિ હોવાની પણ ચર્ચા થવા લાગી છે, અને ગાઝાપટ્ટીમાં દરિયાકિનારે કરોડો ડોલરના ખર્ચે પ્રોજેકટ સનરાઈઝર અંતર્ગત વોટરફ્રન્ટ એક્ટિવિટી ઊભી કરવાના જેરેડ કુશ્નરને ફાયદો કરાવવા આ આખી કવાયત વિશ્વ શાંતિના નામે ટ્રમ્પ કરી રહ્યા હોવાની ગુસપુસ પણ વૈશ્વિક વર્તુળોમાં થઈ રહી છે, અને જેરેડ કુશ્નર ટ્રમ્પના જમાઈરાજા હોવાથી "પરિવાર ફર્સ્ટ"ના કટાક્ષો પણ થઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નવા આયોજનો જરૂરી, પણ

                                                                                                                                                                                                      

જામનગરમાં ખોડીયાર કોલોનીનો દિગ્જામ સર્કલ સુધીનો રસ્તો સિક્સ લાઈન થવાનો છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે, તેવો દાવો કરાયો છે, જો જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે, તેવી જ સુવિધાઓ સાથે જો ગુણવત્તા સભર નવીનીકરણ, આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થશે, તો કદાચ ટ્રાફિક સમસ્યા હળવી પણ થાય, પરંતુ તે પહેલા ઘણાં પાસાઓનો વિચાર પણ કરવો પડે તેમ છે.

જો કે, આ પ્રકારના ડેવલપમેન્ટની જરૂર છે જ, અને એવું ઈચ્છિયે આ જ પ્રકારના આયોજનો થતા રહે, પરંતુ લોકો એવું કહે છે કે નવા આયોજનોનો અમલ કરતા પહેલા પહેલાના અધુરા કે લટકી પડેલા કામો પૂરા કરવા જોઈએ અથવા નવા કામોની સાથે સાથે અગાઉના કામો પણ સંપન્ન થાય, તેની દરકાર કરવી જોઈએ., અન્યથા આ પ્રકારના આયોજનો અને તેની પબ્લિસિટી માત્ર સ્ટંટ જેવા જ લાગે અને તંત્રો તથા શાસકોની નિયત અથવા તો આવડત પર નગરજનોને આશંકા ઉપજે, તે સ્વાભાવિક છે.

જામનગરની ફરતે જે વર્તમાન રીંગરોડ છે, તેના વિસ્તૃતિકરણને વર્ષો લાગી ગયા, છતાં હજુ પણ કામ અધુરૃં જ છે. કામની શરૂઆત થયા પછી કેટલાક સ્થળે રોડની બંને તરફના કાયમી અને હંગામી પ્રકારના દબાણો દૂર કરાયા અને તે પછી જુદા જુદા વિકાસ કામો માટે ખોદકામો થતા રહ્યા અને ફરી ડામર પાથરીને સડકો બનાવાતી રહી, પરંતુ તે રીંગરોડનું કામ ચાલતુ જ રહ્યું...ચાલતુ જ રહ્યું અને હજુ પણ ચાલી જ રહ્યું છે...

જામનગર જેવી સ્થિતિ હાલારના અન્ય શહેરોની પણ છે...ખંભાળીયાની ઘી નદીની ગાંડી વેલ એટલી જીદ્દી છે કે તેને ત્રિપલ એન્જિનની સરકાર કે પછી ત્રિપલ એન્જિનની ભ્રષ્ટાચારની જમાત પણ હટાવી શકી નથી. ખંભાળીયામાં ઈમારતો વધી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધ્યું નથી, અદ્યતન એપાર્ટમેન્ટો તથા આધુનિક સુવિધાઓ સાથેના રહેણાંક વિસ્તારો વધ્યા છે, પરંતુ તેને સંબંધિત માળખાકિય સુવિધાઓ વધી રહી નથી. સંચાર અને ઈનટરનેટ આધારિત ડિજિટલ સેવાઓ વિકસી રહી છે, પરંતુ નગરની મોટા ભાગની બેંકીંગ અને ટપાલ સેવાઓને લઈને અવાર નવાર ફરિયાદો ઉઠતી જ રહે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો તેને વર્ષો વીતી ગયા, પરંતુ આ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં જિલ્લા મથક જેવી સુવિધાઓ તો ઠીક, એક નિયોજીત નગર જેવી સુવિધાઓ પણ પૂરેપૂરી વિકસી શકી નથી. નગરમાંથી સરકારી કચેરીઓ બહાર ખસેડાઈ અને ગીચ શહેરમાંથી સરકારી બાબુઓ પોતે હવા-ઉજાસવાળા ખુલ્લા સંકુલો બનાવીને ત્યાં કચેરીઓ લઈ ગયા, પરંતુ મૂળ ખંભાળીયાને એવુંને એવું જ છોડી દીધું. આ જિલ્લો નવો બન્યો ત્યારે જિલ્લાનું મુખ્ય મથક ખંભાળીયા રાખવું કે દ્વારકા રાખવું તેની ખેંચતાણ થઈ હતી, હજુ પણ સચિવાલયના કેટલાક વિભાગો કદાચ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નામ મુજબ દ્વારકાને પાટનગર માનીને કયાંક ગફલત કરતા હોય, તેવા અહેવાલો એ સૂચવે છે કે સરકારમાં કેવું લોલંલોલ ચાલે છે...

દેવભૂમિ દ્વારકા જિલ્લો થયો અને તેનું પાટનગર (હેડ કવાર્ટર) જામ-ખંભાળીયા રહેશે, તેવું જાહેર થયા પછી ખંભાળીયામાં તમામ જિલ્લા કચેરીઓ તબક્કાવાર કાર્યરત થવી જોઈતી હતી. પરંતુ વર્ષો વિત્યા પછી પણ હજુ ઘણી કચેરીઓ કાં તો જામનગરથી ચલાવાઈ રહી છે, અથવા તો હજુ બંને જિલ્લાઓ વચ્ચે તંત્રો અટવાયા કરે છે. દૃષ્ટાંત તરીકે હજુ ખંભાળીયામાં ગ્રાહક સુરક્ષાની જિલ્લાકક્ષાની કચેરી કે લેબર કોર્ટ પણ હજુ મળી નથી, તેથી એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે ખંભાળીયાને જિલ્લાનું મથક ભલે બનાવાયુ હોય, પરંતુ જિલ્લા મથક જેવું ગણીને તેનો વિકાસ થયો નથી. એવી આલોચના પણ સંભળાઈ કે ત્રિપલ એન્જિનની સરકારે શ્રમિકો અને ગરીબોની સુવિધાઓ માટે ગ્રાહક સુરક્ષા કે લેબર કોર્ટની માંગણીઓ કે રજૂઆતો સાંભળતી નથી, જ્યારે મોટા માથાઓ કે મોટી કંપનીઓની અનુકૂળતા માટે મેગા વિકાસ પ્રોજેકટો ઊભા કરવામાં કોઈએ "રજૂઆત" પણ કરવી પડતી નથી !

યાત્રાધામ દ્વારકા વિશ્વ વિખ્યાત યાત્રાનું ધામ હોવાથી દ્વારકા મંડળના ધાર્મિક પર્યટન સ્થળોનો વિકાસ થાય છે, પરંતુ એ જ તાલુકાઓ ગામડાઓની મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષાતી નહીં હોવાની રાવ પણ ઉઠતી રહે છે. હાલારની અન્ય નગરપાલિકાઓમાં પણ આવી જ સ્થિતિ છે, એટલે જ કહી શકાય કે... "કહાની હર શહર કી...કહાની હર ગાંવ કી"

ગઈકાલે જ ખંભાળીયાની નગરપાલિકાના વોર્ડોની નવરચનાના સમાચાર આવ્યા હતા, અને નવા સીમાંકન મુજબ વર્ગીકરણ પણ જાહેર થયું હતું, ખંભાળીયાની નગરપાલિકાનો કાગળ પર તો ગ્રેડ વધી ગયો, પરંતુ એ નો એ જ સ્ટાફ અને એ ની એ જ સુવિધાઓથી કામ ગબડાવાઈ રહ્યું હોય, તો એ પ્રકારના અપગ્રેડેશનનો શું ફાયદો ? એ પ્રકારના પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક જ છે ને ?

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેટલાક વિસ્તારોને કાનૂની કાર્યવાહી માટે જિલ્લા કક્ષાની સુવિધાઓ ખંભાળીયા હતી, તે બરાબર હતું, પરંતુ તેને દ્વારકા ખસેડાઈ, તે પણ અણઆવડતનું જ દૃષ્ટાંત જ છે ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મધર ઓફ ઓલ ડીલ્સ... સમજદારી પૂર્વકનું રિસ્ક...? પ્રજાસત્તાક પર્વે ઐતિહાસિક ઘોષણા ?

                                                                                                                                                                                                      

આ વખતે પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાની દિલ્હીમાં થનારી ઉજવણી દરમ્યાન ધ્વજવંદન અને પરેડના કાર્યક્રમોમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ વોન ડેર લેયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા વિદેશી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાના છે. તેઓ પ્રજાસત્તાક દિનના આગળના દિવસે જ ભારતમાં આવી જવાના છે અને ત્રણેક દિવસ ભારતમાં રોકાવાના છે. આ પ્રવાસ ટ્રમ્પના ટેરિફાતંક સામે પ્રતિકાર કરવાની રણનીતિ ઘડવા અને યુરોપના દેશો સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાય છે, અને આ દરમ્યાન લેવાનારા નિર્ણયો, વાટાઘાટો અને થનારા કરારો પણ દૂરગામી અને વૈશ્વિક પ્રભાવ પાડનારા હશે, તેવા વૈશ્વિક ચર્ચાના તારણો નીકળી રહ્યા છે. જો કે, ફ્રાન્સે ગાઝા શાંતિબોર્ડમાં જોડાવાનો ઈન્કાર કરીને ટ્રમ્પને માપમાં રહેવાની શિખામણ આપ્યા પછી પણ અમેરિકાના રાષ્ટ્રપતિએ કેનેડાને પણ અમેરિકાનું ગણાવ્યું છે. અત્યારે ટ્રમ્પનું મુખ ગ્રીનલેન્ડ તરફ છે અને ગ્રીનલેન્ડને હડપવા તેની ખૂલ્લેઆમ દાદાગીરી સામે વિશ્વના કેટલાક દેશો એકજૂથ થઈને અવાજ ઉઠાવી શકે છે. જો કે, આ મુદ્દે રશિયાએ "નરોવા, કુંજરોવા" જેવી નીતિ અપનાવી લેતા હવે ગ્રીનલેન્ડ મુદ્દે એશિયા અને યુરોપના દેશોના વલણ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનો જોતા તે હવે "શાંતિદૂત" બનવા માંગતા નથી, અને વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ જેવા દેશો હડપી લઈને અથવા ત્યાં અમેરિકાની કઠપૂતલી સરકારો બેસાડીને ટ્રમ્પ સામ્રાજ્યવાદી તથા વિસ્તારવાદી રણનીતિ તરફ આગળ વધી રહ્યા છે, તે જોતાં એક વધુ લોકતાંત્રિક તાનાશાહીનું સ્વરૂપ તેઓ ધારણ કરી રહ્યા હોય, તેમ જણાય છે. રશિયા સાથેની મિત્રતાના કારણે ટ્રમ્પ ભારતના "જાની દુશ્મન" બની ગયા હોય, તેવા કદમ પણ ઉઠાવી રહ્યા હોવાથી હવે ભારત માટે પણ બિનજરૂરી પરંપરા જાળવી રાખીને વર્તમાન ગુંચવાયેલી વૈશ્વિક રાજનીતિમાં હાલ તુરંત ટેરિફાતંક સાથે લડવા માટે કોઈ મજબૂત વિકલ્પ, ખાસ કરીને આર્થિક અને વ્યાપારિક (ઈકોનોમિ એન્ડ ટ્રેડ) માટે શોધવો પડે તેમ છે. તેવામાં ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપના દેશો અને અમેરિકા (ટ્રમ્પ) વચ્ચેના પ્રવર્તમાન મતભેદોના કારણે દોડવું હતુ ને ઢાળ મળ્યો છે, જેનો ભારતે મહત્તમ ફાયદો ઉઠાવવો જોઈએ, તેવો અભિપ્રાય વૈશ્વિક અને આર્થિક પ્રવાહોના રાજનૈતિક અને કુટનૈતિક ગ્લોબલ વિશ્લેષકોના તારણો પણ સામે આવી રહ્યા છે. તેવા સમયે આ યુરોપિયન અતિથિઓનો ત્રણ દિવસનો ભારત પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ મનાય છે.

આ સંદર્ભે નેશનલ-ઈન્ટરનેશનલ મીડિયામાં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે. જેમાં ટ્રમ્પના ટેરિફ સામે ભારત-ચીન-રશિયા-(બંને) કોરિયા વગેરે દેશો એકજૂથ રચે તેવી સંભાવના, બ્રિક્સના દેશો દ્વારા અમેરિકન ડોલરની સામે એક મજબૂત વૈશ્વિક ચલણ અમલી બનાવવાની દિશામાં આગેકદમ, વૈકલ્પિક માર્કેટોની શોધ અને ખાસ કરીને ટેરિફાતંક ને કાઉન્ટર કરવા એક વૈશ્વિક સમજૂતિ કરવાના વિકલ્પો ચર્ચાઈ રહ્યા છે, અને તેમાં જ ડબલ્યુઈએફ અર્થાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં કરાયેલી એક જાહેરાતને ટાંકવામાં આવી રહી છે.

યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની એન્યુલ મિટિંગ (એજીએમ)માં જણાવ્યું હતું કે ભારત અને ઈ.યુ. એક ઐતિહાસિક વ્યાપાર કરવા જઈ રહ્યા છે, અને આ ડીલ થઈ જશે તો યુરોપ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર (ઈન્ડિયન માર્કેટ) સાથે જોડાઈ જશે.

વૈશ્વિક વિશ્લેષકો આ ટ્રેડ ડીલને ટ્રમ્પના ટેરિફાતંકનો તોડ કાઢવા ઉપરાંત મહાસત્તા સામે એક આર્થિક તાકાત ઊભી કરવાનો પ્રયાસ માની રહ્યા છે. ભારત અને ઈ.યુ. વચ્ચેની આ ફ્રી ટ્રેડડીલ થાય તો ભારતીય બજાર સાથે યુરોપના દેશોના બજારો પરસ્પર જોડાઈ જાય, અને દુનિયાના કુલ જીડીપીનો ૨૫ ટકા હિસ્સો બની જાય.

આ ફ્રી ટ્રેડ ડીલ બંને માર્કેટો (ભારત અને યુરોપના દેશોની બજારો) માટે ગેમ ચેન્જર પૂરવાર થઈ શકે છે. એજીએમમાં ઉર્સુલા વોન ડેર લેયેને "અમે ફ્રી ટ્રેડ સમજૂતિની ખૂબ નજીક છીએ અને થોડું કામ બાકી છે" તેવા શબ્દપ્રયોગો કર્યા હોવાથી એવું જણાય છે કે હજુ ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દે સંપૂર્ણ સહમતિ સધાઈ નહીં હોય, આ કારણે કદાચ આ ઘોષણાની પુષ્ટિ હાલ તુરંત નહીં થાય, પરંતુ "મધર ઓફ ઓલ ડીલ્સ" ગણાવાતી આ સમજૂતિની જાહેરાત કદાચ પ્રજાસત્તાક પર્વે કોઈ સંયુક્ત કાર્યક્રમ કે પ્રેસ કોન્ફરન્સમાં થઈ શકે છે.

આ "મધર ઓફ ઓલ ડીલ્સ" થઈ જશે તો તે ટ્રમ્પ માટે ઝટકા સમાન હશે. ઈ.યુ.ની પ્રેસિડેન્ટે પોતાના ભાષણમાં કહ્યું હતું કે યુરોપે ઊર્જા, સંરક્ષણ, ડિજિટલ સેકટર અને રો-મટિરિયલ્સના સેકટર્સમાં ઝડપી કદમ ઉઠાવ્યા છે અને હવે તેને કાયમી ફેરફાર (પરમેનેન્ટ ચેઈન્જ)માં બદલાવાનો સમય આવી ગયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ટેકનોલોજી સ્પર્ધા, ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પણ ઈ.યુ.ની પ્રાયોરિટી છે. આ પ્રસ્તાવ (ટ્રેડ ડીલ) બંને પક્ષે ગાઢ સહયોગને મજબૂત અને સક્ષમ બનાવશે અને ઈન્ડિયન કંપનીઓને ઈ.યુ.ના સિક્યોરિટી એકશન ફોર યુરોપ કાર્યક્રમ સાથે પણ જોડાશે.

અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે પુરોગામી મનમોહન સરકારે પણ વર્ષ ૨૦૦૪ની ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેની રણનૈતિક ભાગીદારીને આગળ વધારી હતી અને હવે બાજપેયી-મનમોહન સરકારોની યુરોપીય વિદેશ નીતિ તથા વ્યાપાર નીતિને એક નવું સ્વરૂપ મળવા જઈ રહ્યું છે. જો આ ટ્રેડ ડીલ થઈ જશે, તો ભારત અને યુરોપના ૨૦૦ કરોડ લોકોનું એક સહિયારું માર્કેટ ઊભું થશે. જો ભારત અને યુરોપ સિવાયના અન્ય જે દેશો ટેરિફાતંકથી પીડિત છે, તેઓ પણ આ માર્કેટમાં જોડાઈ જશે, તો અમેરિકન ડોલરના વિકલ્પે વૈશ્વિક ચલણ અસરકારક રીતે પરસ્પર નાણાકીય વ્યવહારોનું માધ્યમ બનશે, તો તે મહાસત્તા માટે પડકારરૂપ હશે.

જો કે, ટ્રમ્પની પણ આ હિલચાલ તથા બદલી રહેલા સમીકરણો પર નજર હશે, અને તેઓ પલટીબાજ તરીકે પણ પ્રચલીત થયા છે, ત્યારે આ "મધર ઓફ ઓલ ડીલ્સ" પછી તેઓ કૂણાં પણ પડી શકે છે.

આ તરફ ટ્રમ્પની ટેરિફ નીતિ સામે ભારતના રાજકીય પક્ષો પણ પ્રત્યાઘાતો આપતા હોય છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટકી પડયા પછી વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તડાપીટ બોલાવી રહ્યા છે. જુલાઈમાં જ્યારે ૨૬ ટકા ટેરિફની મુદ્દત પૂરી થતી હતી, ત્યારે પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પિયુષ ગોયલ ગમે તે કહે, મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ઝુકી જશે. તે પછી જ્યારે ટ્રમ્પે ૫૦ ટકા ટેરિફ કર્યો અને યુરોપને પણ ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અનુરોધ કર્યો હતો, ત્યારે પણ મોદી સરકારની વિદેશનીતિ તથા વ્યાપારનીતિ સામે સવાલો ઉઠ્યા હતા.

વૈશ્વિક રાજકીય વર્તુળો અને ડિપ્લોમેટ્સના વર્તુળો તથા પ્રેસ-મીડિયામાં યુરોપિયન દેશો અને ભારત વચ્ચેની પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે મત-મતાંતરો પ્રવર્તે અને આ ટ્રેડ ડીલને એક સમજદારીપૂર્વકનું જોખમ પણ ગણાવાઈ રહ્યું છે. જોઈએ, શું થાય છે તે..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ત્રિ૫લ એન્જિનની સરકારો પર નકલી ત્રિપલ એન્જિનો ભારે પડી રહ્યા છે...? નીતિન નબિન સામેના પડકારો અને પ્રાયોરિટી

                                                                                                                                                                                                      

આપણે આપણાં નગર કે જિલ્લામાં માર્ગો પર ખાડાઓ કે તૂટેલા જોખમી પુલોની ફરિયાદો કરતા રહીએ છીએ અને તદ્વિષયક ચર્ચાઓ પણ થતી રહે છે, પરંતુ આ સમસ્યાઓથી રાજ્યનું પાટનગર કે દેશની રાજધાનીના આજુબાજુના વિસ્તારો પણ બાકાત નથી અને અમદાવાદમાં પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) તો દેશભરમાં કૂખ્યાત છે.

શનિવારે દેશની રાજધાની દિલ્હીથી ચાલીસેક કિલોમીટર દૂર આવેલા ગ્રેટર નોઈડામાં એક આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનું એક નિર્માણાધિન ઈમારતના બેસમેન્ટમાં ઊંડા ખાડામાં તેમની કાર પડી જતા મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં સ્થાનિક તંત્રોની લાપરવાહી અને બચાવની કામગીરી હાથ ધરવાના આક્ષેપો થયા પછી આ મુદ્દો ગરમાયો હતો અને તેના પડઘા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી દેશની રાજધાની દિલ્હી સુધી પડયા હતા. ગ્રેટર નોઈડા દેશની રાજધાની દિલ્હીથી નજીક છે, પરંતુ તુ ઉત્તરપ્રદેશનું શહેર છે અને યુ.પી.-દિલ્હી બોર્ડર નજીક આવેલું છે. આ કારણે આ દુર્ઘટનાની ગુંજ બંને રાજધાનીઓમાં સંભળાયા પછી તેની ચર્ચા ત્રણ દિવસથી પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં પણ થઈ રહી છે, અને જવબાદાર તંત્રો પર માછલાં ધોવાઈ રહ્યા છે. આ પ્રકારની દેશભરમાં બનેલી તાજેતરની અન્ય ઘટનાઓ તથા બિલ્ડરો-કોન્ટ્રાકટરો-તંત્રો અને શાસકો-પ્રશાસકોની ભ્રષ્ટ મીલીભગતની આશંકા તથા ઉગ્ર જનાક્રોશને પડઘાવતી આ ચર્ચાઓ આજે દેશવ્યાપી ચિંતાનું કારણ પણ બની હતી.

હકીકતે ગ્રેટર નોઈડાના સેકટર-૧૫૦ પાસે એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું, તેની નજીક પાણીથી ભરેલો ઊંડો ખાડો હતો. ગુરૂગ્રામથી પરત ફરી રહેલા એક સોફટવેર એન્જિનિયર ગાઢ ધુમ્મસ વચ્ચે આ ખાડામાં કાર સાથે ખાબક્યા હતા અને તે પછી બચાવ કામગીરી શરૂ થઈ હતી., આ કવાયત છતાં એ આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનો જીવ બચાવી શકાયો નહીં, અને પાંચેક કલાક પછી તેને બહાર કઢાયો ત્યારે તેનું નિધન થઈ ચૂક્યું હતું. સ્થાનિકોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ સર્વિસ રોડ પર રિફલેકટર નહોતા અને ખાડાને કોર્ડન કરીને ઢાંકવામાં આવ્યો નહોતો કે ચેતવણીના રિફલેકટર્સ સાથેના બોર્ડ મુકાયા નહોતા. પોલીસે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સામે એફઆઈઆર ફાડી હતી. તે પછી  જનાક્રોશ સાથે વિરોધ-પ્રદર્શન પણ થયુું હતું.

એવું કહેવાય છે કે નોઈડાના તંત્રે લાપરવાહીના દોષિત ઠરાવીને એક જુનિયર એન્જિનિયરને નોકરીમાંથી બરખાસ્ત કર્યો હતો અને હવે તપાસ ચાલી રહી છે, તથા એસ.આઈ.ટી.ની રચના થઈ છે, તો તંત્રો જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે.

આ તરફ હાલાર અને સૌરાષ્ટ્ર સહિતના ઘણાં સ્થળે પણ કોઈને કોઈ કારણે માર્ગ અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો અવાર-નવાર આવતા હોય છે, તેથી ગ્રેટર નોઈડાની આ ઘટનાનું દૃષ્ટાંત એ દર્શાવે છે કે દેશની રાજધાનીની નજીક જ જો આ પ્રકારની લાપરવાહીથી લોકોના જીવ જતા હોય તો દેશના દૂર-સુદૂરના અને સરહદી, દુર્ગમ કે પહાડી વિસ્તારોની કેવી દશા થતી હશે ?

આપણાં જામનગરની જ વાત કરીએ તો કોરોનાકાળ પહેલાના સમયથી નગરમાં કોઈને કોઈ વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે. અને ખોદકામ જે વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે અને તે ખોદકામ જે વિકાસના કામ કે સુવિધાઓની સુધારણા કે વિસ્તૃતિકરણ માટે થયું હોય, તે વિકાસકામ સંપન્ન થઈ જાય, તે પછી એ ખોદકામ સમથળ કરીને તેના પુનઃ પાકી સડક બનાવવામાં ઘણો લાંબો સમય વ્યતીત થતો હોય છે., આ કારણે ઉબડ-ખાબડ રીતે બૂરાયેલા ખાડાઓમાં નાખેલી અણીયાળી કાંકરીઓ કે મગરની પીઠ જેવી સપાટીના કારણે વાહનચાલકો સહિત તમામ લોકો પરેશાન થતા રહે છે. અને ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.

કેટલાક સ્થળે જુદા-જુદા કામે બે-ત્રણ વખત સડકો ખોદાયા અને બુરાયા પછી તેના પરથી પસાર થવું પડકારરૂપ બની જતું હોય છે, અને તેમાં પણ ચોમાસા પછી પણ માવઠાનો વરસાદ પડતા થયેલા તે સમયના કાદવ-કીચડ પછી હવે તો તે સુકાઈ જતા ખેડાયેલા ખેતર જેવા માર્ગો થઈ જાય છે, જેના પરથી ચાલવું કે વાહન ચલાવવું પણ ઘણું જ મુશ્કેલ હોય છે, આ તમામ સમસ્યાઓ જાણતા સંબંધિત તંત્રોએ કામો ચાલતા હોય ત્યારે પણ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, અને કામ પૂરૃં થયા પછી સારી સડકોનું પુનઃ નિર્માણ થાય, તેની તકેદારી રાખવી જ જોઈએ, પછી ભલે તે શેરી-ગલીના માર્ગો હોય, શહેરના આંતરિક માર્ગો હોય, રીંગ રોડ હોય કે પછી ધોરીમાર્ગો હોય...

રાજ્યમાં અત્યારે પાલિકા-મહાપાલિકાઓ, પંચાયતો, રાજ્ય સરકાર અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોય, ત્રિપલ એન્જિનની સરકાર હોવાનું ગૌરવ લેવામાં આવી રહ્યું છે, ત્યારે આ અવસરનો પ્રજાલક્ષી ઉપયોગ કરીને લોકોપયોગી કામો ગુણવત્તાસભર અને સમયોચિત રીતે સંપન્ન થાય, લોકોને નડતરરૂપ બને નહીં, તેવી રીતે કામો થાય અને લોટ, પાણીને લાકડાના બદલે મજબૂત માળખાકિય સુવિધાઓ ઊભી થાય, તેવો અભિગમ રાખવો જોઈએ, તેના બદલે ભ્રષ્ટ નેતાઓ, કોન્ટ્રાકટરો અને સંબંધિત અધિકારીઓના નકલી ત્રિપલ એન્જિનો ધમધમવા લાગ્યા હોય અને નબળા વિકાસકામો કરીને ખાનીગી તિજોરીઓ ભરવાના કારસા રચાયા હોય ત્યારે લોકોને મૂળ ત્રિપલ એન્જિનો પર આ ડુપ્લીકેટ ત્રિપલ એન્જિનો ભારે તો પડી રહ્યા નથી ને ? તેવો સવાલ ઉઠે એ સ્વાભાવિક છે.

ત્રિપલ એન્જિનોની સરકાર ધરાવતા ભારતીય જનતા પક્ષને આજે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે, અને હવે નીતિન નબિન લાંબી ઈનિંગ રમવાના છે, ત્યારે તેમની પણ ટોપ પ્રાયોરિટી સંગઠનના આંતરિક ખટરાગના ખાડાઓ બુરવા તથા નકલી ત્રિપલ એન્જિનને અંકુશમાં રાખીને સરકારોને "માપ"માં રાખવાની જ હશે, અને એ પ્રાયોરિટી જ તેમના માટે પડકારરૂપ બની શકે છે.

વિકાસના કામો થતા હોય, ત્યારે લોકોને પણ થોડી અગવડ પડે અને રોજીંદા જીવનને અસર થાય, તે સ્વાભાવિક છે, અને તેમાં સહયોગ આપવો તે એક નાગરિક તરીકે આપણી બધાની પણ મૂળભૂત ફરજ છે, પરંતુ જ્યારે કામો શરૂ થવામાં વિલંબ થાય, ચાલી રહેલા કામો મંથન (ધીમી) ગતિથી ચાલે અને એ કામો દરમ્યાન લોકોને વધારે પડતી હાડમારી ભોગવવી પડતી હોય અને ફિલ્ડ પર કામ કરતા પેટા કોન્ટ્રાકટરો અને તેના કર્મચારીઓનો જનતા સાથેનો વ્યવહાર યોગ્ય ન હોય, તો તેને નકલી ત્રિપલ એન્જિનની જ બલિહારી માનવી પડે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

છી...છી... આ દ્રાક્ષ તો "ખાટી" છે... ન જાણ્યુ જાનકી નાથે, સવારે શું થવાનું છે...

                                                                                                                                                                                                      

ગઈકાલે ટીમ ઈન્ડિયાએ વન-ડે મેચ તો હારી, પણ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ વન-ડે મેચોની શ્રેણી તો ગુમાવી...જો કે, હાર જીત તો ચાલ્યા કરે, ફાઈટ સારી આપી, વિરાટ કોહલીની સદી કાબિલે દાદ હતી, તેવા શબ્દપ્રયોગો સાથે ભારતીય ફેન્સ મન મનાવતા જોવા મળ્યા. કાંઈક એવું જ અન્ય ક્ષેત્રોમાં પણ થઈ રહ્યું છે, અને કેટલાક લોકો પોતાના પરાજય અને પડતીનું પણ મહિમાગાન કરતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતીમાં તમાચો પોતાને જ મારીને પોતાનો જ ગાલ લાલ રાખવાની કહેવતની જેમ જ કેટલાક લોકો આત્મશ્લાધા અર્થાત પોતાની જ પ્રશંસા (કરાવવા)માં માહીર હોય છે અને પોતાની પ્રશંસા કરાવતા કરાવતા પોતે ફેલાવેલા ભ્રમના પોતે જ ભોગ બની જતા હોય છે, અને પોતાનું ધાર્યું થાય નહીં, ત્યારે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવું કહીને પોતાની જાતને જ છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ પ્રકારની શખ્સિયતો આપણા ગામડાઓના ગોંદરે તથા શહેરોના મિનારાઓથી લઈને વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસ સુધી મળી શકે છે અને હમણાંથી તેની વ્યાપક ચર્ચાઓ પણ ગામડાથી ગ્લોબલ સુધી વ્યાપક રીતે થઈ રહી છે.

જામનગર નજીક ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું મોટા ભાગનું કામ પૂરૃં થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ પહેલા તેનું ઉદ્ઘાટન કરી શકે છે, તેવી વાતો વહેતી થઈ છે. જામનગર નજીક આવેલી રિલાયન્સ, નયારા, એસ્સાર જેવી જાયન્ટ કંપનીઓ, જામનગરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ, બ્રાસ-બાંધણી અને બાંધકામ-ઉદ્યોગના ક્ષેત્રે જામનગરની ખ્યાતિ તથા રજવાડી નગર જામનગરની વ્યૂહાત્મક અગત્યતાના કારણે જામનગરનું નામ વૈશ્વિક કક્ષાએ ચમકવા લાગ્યું છે, તે ખરૃં, પરંતુ એ જ જામનગરને મચ્છરથી મૂક્ત, રખડતા ઢોર તથા આવારા કૂતરાઓથી મૂક્તિ અને ફૂટપાથો-માર્ગો પરના દબાણોથી મૂક્ત નહીં કરાય, તો અન્ય સિદ્ધિઓની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ ઊભી નહીં થાય ?

જ્યાં સુધી નગરની ગંદકી, ગટર અને પ્રાથમિક સુવિધાઓને લઈને ઉઠતી ફરિયાદોનું કાયમી ધોરણે નિવારણ થાય નહીં, ત્યાં સુધી વિશાળ વિકાસ સંકુલો, ફલાય ઓવર બ્રિજો કે ઝળહળતા રિવર ફ્રન્ટોનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગામડાના માર્ગો તથા નગરના આંતરિક માર્ગોની દૂર્દશા સંપૂર્ણપણે દૂર થાય નહીં, ત્યાં સુધી વિકાસના માચડાઓ ખડકીને વિકાસની હરણફાળ ભરી હોવાની ડંફાસો મારવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગરીબી, મોંઘવારી, બેરોજગારીની સમસ્યાઓ ઉકેલાય નહીં, ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસ કે આર્થિક સદ્ધરતાના બણગા ફૂંકવાનો કોઈ મતલબ નથી, એ પ્રકારના પોલિટિકલ ડાયલોગ્સ આપણે બધા આઝાદી પછી આજ પર્યંત સાંભળતા આવ્યા છીએ, પણ કોઈ ફરક પડ્યો છે ખરો ?

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કાંઈક એવું જ બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ તથા રોજેરોજ ચિત્ર-વિચિત્ર નિવેદનો, જાહેરાતો અને હરકતો કરીને ભલે હાસ્યાસ્પદ બની રહ્યા હોય, પરંતુ તેની પાસે વિશ્વના સૌથી જૂના લોકતાંત્રિક સદ્ધર મહાસત્તા ગણાતા દેશની સત્તા છે અને એટલે જ વિશ્વના દેશો અત્યારે તેની ઉટપટાંગ વાતોને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જ્યારે અન્ય દેશોના સાર્વભૌમત્વ કે આત્મસન્માનની દૃષ્ટિએ જોખમ જણાય, ત્યારે ઘેરા પ્રત્યાઘાતો પણ પડતા હોય છે. ઈરાન સામે ઉગામેલું યુદ્ધનું શસ્ત્ર ટ્રમ્પે જ્યારે મ્યાન કરવું પડયું, ત્યારે તેમણે કરેલો બચાવ પોતાના ગાલે જ તમાચો મારીને ચહેરો લાલ રાખવા જેવો જ છે ને ? હકીકતે ખાડીના ત્રણ-ચાર દેશોના પ્રેસરમાં આવીને ટ્રમ્પે ઈરાન સામે ઉગામેલું શસ્ત્ર મ્યાન કરવું પડયું હોવાના વૈશ્વિક વિશ્લેષકોના તારણોમાં પણ દમ છે અને ટ્રમ્પ આપણે કદાચ  માનીએ છીએ એવા ચક્રમવૃત્તિના પણ નથી, માત્ર તેમણે વલણ જ બદલ્યું છે, તેવી દલીલો કરનારા પણ મોજુદ છે...!

જો કે, ટ્રમ્પે પોતાના પગ પર કૂહાડો માર્યો હતો અને યુરોપ તથા નાટો અંગે પણ હાંસી ઉડાવતા નિવેદનો કર્યા હતા, પરંતુ ગ્રીનલેન્ડના મુદ્દે જ્યારે યુરોપના દેશો એકજૂથ થઈ ગયા, તે પછી ટ્રમ્પ ઢીલા પડયા હોય તેમ જણાય છે, તેથી જો બાકીનું વિશ્વ એકજૂથ થઈ જાય, તો ટ્રમ્પને પણ મિયાઉં...મિયાઉં..કરતી મીંદડી બની જવું પડે, તે હકીકત યુરોપની એકજૂથતાએ પૂરવાર કરી દીધી છે, ઈરાનના મુદ્દે યુદ્ધના બણગાં ફૂક્યા પછી મજબૂરીમાં ઢીલા પડી ગયેલા ટ્રમ્પે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" જેવા કેટલાક હાસ્યાસ્પદ નિવેદનો કર્યા હતા. હવે ટ્રમ્પે ભારતને વિશ્વકક્ષાની શાંતિ સમિતિમાં સામેલ કરવાનો દાવ અજમાવ્યો, તેની પાછળ પણ યુએઈ સાથે ભારતનો ઘરોબો છે. આજે જ યુએઈના રાષ્ટ્રપતિ ભારતમાં છે, તે સૂચક છે.

જયારે બેફામ નિવેદનબાજી થતી હોય ત્યારે ટ્રમ્પ જેવા આપણાં દેશના કેટલાક મોટા નેતાઓની આ પ્રકારની સમાન બણગાંબાજી યાદ આવી જાય, અને ક્યારેક ધાર્યું થયું ન હોય, ચૂંટણીમાં હાર-જીત થઈ હોય કે પછી કોઈએ ચેલેન્જ ફેંકી હોય, પરંતુ તે ઝીલી શકાય તેમ ન હોય, ત્યારે થતા કેટલાક ટ્રમ્પ ટાઈપ નિવેદનો પણ યાદ આવી જાય...

દૃષ્ટાંત તરીકે મહારાષ્ટ્રના એક નેતાએ પોતાના પરાજયને પણ ગરિમામય ગણાવીને પ્રતિસ્પર્ધી પક્ષો પર પ્રહારો કર્યા, ત્યારે પણ "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવી કહેવત યાદ આવી જાય. મધ્યપ્રદેશના કોઈ ધારાસભ્યે મહિલાઓ અંગે આપેલા બેજવાબદાર નિવેદન પછી અને જનાક્રોશ ઊભો થયા પછી તેઓની સ્થાનિક નેતાગીરીની ચૂપકીદી હોય કે મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહારો હોય, આ તમામ ઘટનાક્રમો પણ પોતાના ગાલે તમાચો મારીને પણ ગાલ લાલ રાખવાના પ્રયાસો જેવા જ જણાય છે.

ગુજરાતમાં પણ બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રે મળેલી સિદ્ધિઓના ગુણગાન ગવાઈ રહ્યા છે, અને ખેતી તથા ઘરવપરાશ માટે પૂરતો વીજપૂરવઠો અપાઈ રહ્યો હોવાના દાવાઓ છતાં તદ્વિષયક ફરિયાદો ઉઠતી જ રહી છે, ત્યારે સરપ્લસ પ્રોડકશન કે ઉર્જા વિકાસના ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે. ખરૃં ને ?

જામનગર શહેર માટે સારા સમાચાર આવ્યા અને ૧૩૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કોઈ લોજિસ્ટિક પ્લાન વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં જામ્યુકોએ રજૂ કર્યો છે, જેમાં ડબલ રીંગરોડ, માઈક્રો ડિલિવરી હબ અને લોજિસ્ટિક પાર્કો તથા રાજય સરકાર દ્વારા નગરને  ૯૦૦ જેટલા ઈલેકટ્રીક વાહનોની ફાળવણીની જોગવાઈ હોવાનું જોરશોરથી ચર્ચાયું અને ગુણગાન ગવાયા, પરંતુ પછી ખબર પડી કે આ પ્લાન તો વર્ષ ૨૦૪૭ સુધીનો છે, તેથી કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે પહેલા નગરની મૂળભૂત અને કાયમી સમસ્યાઓ તો દૂર કરો, કારણ કે ન જાણ્યુ જાનકીનાથે, સવારે શું થવાનું છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેન્દ્ર-રાજ્ય સરકારોના બજેટોમાં સામાન્ય જનતાની સમસ્યાઓના નિવારણ તથા અપેક્ષાઓ સંતોષતી જોગવાઈઓ થશે ખરી ?

                                                                                                                                                                                                      

મહારાષ્ટ્રમાં ઝળહળતા વિજય પછી ભારતીય જનતા પક્ષ હવે ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ફરીથી જવલંત વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે એ નક્કી છે, પરંતુ ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સહિતના શહેરી તથા પંચાયતી વિસ્તારોમાં ઘણાં સ્થળે જનતાની નારાજગી અને અસંતોષના કારણે ઊભી થયેલી એન્ટી ઈન્કમ્બન્સી તથા કોંગ્રેસની મજબૂત તૈયારીઓ ઉપરાંત આમઆદમી પાર્ટીનું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પૂરી તાકાતથી લડી લેવાનું વલણ ભાજપ સામે પડકારો ઊભા કરશે તે પણ નકકી છે.

આ એન્ટી ઈન્કમ્બન્સી અને વિપક્ષોનો પડકાર ઝીલવા ભાજપ દ્વારા સંગઠનની વ્યૂહરચના તો ઘડાઈ જ ગઈ હશે, પરંતુ હવે કદાચ રાજ્ય સરકારના આ વખતે રજૂ થનારા બજેટમાં પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે કોઈ નવતર યોજનાઓ, પ્રોજેકટો અને ફંડ-ફાળવણી તો થશે જ, તેની સાથે સાથે મતદારોને લલચાવવા કોઈ "રેવડી" વહેંચવાની યોજના પણ અમલમાં મૂકાઈ શકે છે. બજેટમાં જ આ પ્રકારની જોગવાઈઓ થઈ જાય, પછી બરાબર ચૂંટણી નજીક આવે તેવા સમયે જ લોભામણી યોજનાઓ અમલી બનાવીને બિહારની જેમ ચોક્કસ મતદારોને રીઝવવા કે આકર્ષવાના પ્રયાસો થઈ શકે છે, કારણ કે બજેટમાં જોગવાઈ થઈ હોય, તેવી યોજનાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગવા લાગે તેવા સમયે પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થાય, અને આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં ચાલાકીપૂર્વક અમલમાં મૂકીને મતદારોની નારાજગી દૂર કરવાનું સરળ બની જતુ હોય છે.

આ વખતે ઐતિહાસિક ઘટના એ બનવાની છે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્ર સરકારનું બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, જેથી કદાચ શેરબજાર પણ રવિવારે ચાલુ રહેશે. આ કારણે કેન્દ્રીય બજેટની સીધી અસરો દેશ-દુનિયાના શેરમાર્કેટમાં પણ તે જ દિવસે પણ થઈ શકે છે. કારણ કે, આપણા શેરમાર્કેટના રિએક્શન મોટા ભાગે બીજા દિવસ સુધી વિશ્વના શેરમાર્કેટોમાં આવતા હોય છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી રાજ્યોના બજેટો પણ તબક્કાવાર રજૂ થશે, કારણ કે ઘણી કેન્દ્રીય યોજનાઓની અસરો રાજ્યોના બજેટ પર પડતી હોય છે, તો ઘણી યોજનાઓ રાજ્યો અને કેન્દ્ર સરકારોની સંયુક્ત હોય છે. કેન્દ્રીય બજેટ અને રાજ્યોના અંદાજપત્રોમાં જીએસટી કાઉન્સીલ રચાયા પછી હવે કરવેરાની વધઘટનું એટલું બધું મહત્ત્વ રહ્યું નથી, તેમ છતાં વેટ અને મહેસુલ ક્ષેત્ર સહિત કેટલાક રાજ્યોના કરવેરા તથા કેન્દ્રના પેટ્રોલ, ડીઝલ વગેરે પરના જેટલા કરવેરા જીએસટી અંતર્ગત આવરી લેવાયા નથી, તેમાં થતા ફેરફારોની અસર રાજ્યોમાં બજેટ પર થતી હોય છે.

ગઈકાલે જ જાહેર થયું છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૬મી ફેબ્રુઆરીથી શરૃ થશે, અને ૨૫મી માર્ચ સુધી ચાલશે. સત્રના પ્રારંભે પરંપરાગત રીતે વિધાનસભામાં રાજ્યપાલનું અભિભાષણ થશે. તે પછી તે જ સમગગાળામાં સત્ર દરમ્યાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ થશે. કુલ ૨૩ દિવસ સુધી ચાલનારા આ સત્ર દરમ્યાન ૨૬ બેઠકો યોજાશે. આ દરમ્યાન રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ સહિતના સાત જેટલા નવા વિધેયકો રજૂ કરી શકે છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ધારાસભ્યો રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો તથા કેટલાક કૌભાંડો તથા મનરેગાના બદલાયેલા નામ તથા યુસીસીના મુદ્દે ચર્ચા માંગશે અને ગૃહમાં હોબાળો સર્જાશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે.

આ વર્ષે બજેટનું કદ ગયા વર્ષ કરતા ૧૫ ટકા જેટલું વધારીને અંદાજે ચાર લાખ કરોડ જેટલું થઈ શકે છે. રાજ્યના આર્થિક ક્ષેત્ર તથા બજારક્ષેત્રના જાણકારોના મંતવ્યો મુજબ આ વખતે રાજ્ય સરકાર કદાચ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે કોઈ નવી યોજના જાહેર કરે કે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી જમા થતી કેટલીક યોજનાકીય સહાયમાં વધારો કરે, તેવી સંભાવનાઓ પણ છે.

સચિવાલયમાં ચર્ચાતી સંભાવનાઓ મુજબ રાજ્ય સરકાર આ વખતે મહિલાઓ તથા ખેડૂત-ખેતમજુરો, અસંગઠિત ક્ષેત્રો તથા રાજ્યના કર્મચારીઓ માટે પણ કેટલીક નાની જાહેરાતો બજેટમાં કરી શકે છે અને એટલા  માટે જ ૧૫ ટકાથી વધુનો વધારો બજેટના કદમાં થઈ શકે છે.

આ વખતે બજેટ સત્રની તારીખો અને સમયગાળો નક્કી કરવાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય સરકારની કેબિનેટમાં વર્તમાન બજેટ, ખર્ચ અને નવી યોજનાઓ અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. એવું કહેવાય છે કે ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણ-આરોગ્ય ઉપરાંત કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને વળતર અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે પણ વિસ્તૃત સમીક્ષા સાથે ચર્ચા-પરામર્શ થયો હોય અને તે બજેટમાં સ્ટ્રીટ વેન્ડર્સની સમસ્યાઓ, રખડતા ઢોર-આવારા કૂતરાઓ પર અંકુશ તથા ગ્રામ્ય-શહેરી માર્ગોના નવીનીકરણ અને વિસ્તૃતિકરણની જરૃર પર ભાર મૂકાયો હોય, તેવી મજબૂત સંભાવનાઓ છે અને તમામ કવાયતનો પ્રભાવ અને અસરો રાજ્યના બજેટ પર પડશે, તે નકકી જણાય છે.

વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષના ગુજરાતના ગત બજેટમાં નવા કરવેરા નખાયા નહોતા પરંતુ ૧૪૮ કરોડ રૃપિયાની કર રાહત જાહેર કરાઈ હતી, તે ઉપરાંત વિકસિત ગુજરાત કોષની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. રાજ્યના ૧૫ જિલ્લાઓના ૩૩૮ ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૃા. ૨૦૦ કરોડ ફાળવાયા હતા. હવે આ વર્ષે ગુજરાત સરકાર તરફથી નાણામંત્રી કનુભાઈ દેસાઈના બજેટમાં કેવી જોગવાઈઓ હશે અને કેટલી નવી યોજનાઓ જાહેર થશે, તેની અટકળો થઈ રહી છે.

રાજ્ય સરકાર રાજ્યના ગરીબમાં ગરીબથી લઈને તમામ વર્ગો, તમામ વયજૂથના નાગરિકો, તમામ વિસ્તારો તથા સામાન્ય જનતાથી લઈને તટસ્થ તજજ્ઞો સહિતના મંતવ્યો-અભિપ્રાયો મેળવીને તમામ સમસ્યાઓ ઘટાડનારૃં અને ખોબલે ખોબલે મતો આપીને પ્રચંડ બહુમતી આપનાર રાજ્યની જનતાની અપેક્ષાઓ સંતોષનારું બજેટ તૈયાર કરશે, તેવી અપેક્ષા રાખીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૨૧મી સદીના ૨૬મા વર્ષના પ્રારંભે વૈશ્વિક ઉલટફેર... મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-પરિણામોના સૂચિતાર્થો...

                                                                                                                                                                                                      

મકરસંક્રાંતિ પછી ધીમે ધીમે ઠંડી ઘટવા લાગે છે, અને દિવસ થોડો મોટો થતો જતો હોય છે. જાન્યુઆરી મહિનો નવા ઈસ્વીસનના પ્રારંભે આવતો હોવાથી આ મહિનો ૨૧મી સદીના ૨૬મા વર્ષનો પ્રથમ મહિનો ગણાય, અને ૨૧મી સદીના ૨૫ વર્ષ પૂરા થયેલા ગણાય. ૨૧મી સદીનું આ બીજું ક્વાર્ટર (ત્રિમાસિક ગાળો) પણ શરૂ થયું ગણાય.  આ ક્વાર્ટરના પ્રારંભે જ કાંઈ ઘટનાક્રમો બની રહ્યા છે, તે પૈકી કેટલાક ઘટનાક્રમો અકલ્પનિય, અણધાર્યા, આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ છે.

આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પછી તેની મત ગણતરી થઈ રહી છે, અને લીડ તથા પરિણામો જાહેર થઈ રહ્યા છે તેમાં સૌથી વધુ મુંબઈ મહાનગરપાલિકા, બોમ્બે કોર્પોરેશન અથવા બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી) પર સૌની નજર મંડાયેલી છે. ગઈકાલે બી.એમ.સી.ની ચૂંટણીઓના એકઝીટ પોલમાં કેટલાક અનુમાનો ત્રિશંકુ સ્થિતિ દર્શાવતા હતા, જ્યારે કેટલાક એકઝીટ પોલ્સમાં ભાજપ-શિવસેના (શિંદે)ના ગઠબંધનનો પરચમ લહેરાશે તેવા તારણો બતાવાયા હતા. તે પછી આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ પરિણામો આવ્યા પછી વિવિધ રાજકીય પક્ષો તેનું મનોમંથન કરશે. અને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પછી મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિ તથા રાષ્ટ્રીય રાજનીતિ ઉપરાંત પડોશી રાજ્યો ગુજરાત અને કર્ણાટકની ભાવિ રાજનીતિ પર પણ પરોક્ષ અસરો પડી શકે છે.

વર્ષ ૧૯૯૬થી બી.એમ.સી.ની સત્તા કાં તો શિવસેના પાસે હતી અથવા તો બીએમસી-ભાજપ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડયા પછી શિવસેનાએ સત્તામાં મુખ્ય ભાગીદારી કરી હતી. હવે સમીકરણો બદલાયા છે અને શિવસેનાના બે ફાડિયા થયા પછી ઠાકરે બ્રધર્સ એક તરફ છે, અને બીજી તરફ શિવસેના (શિંદે) નું ગઠબંધન છે. ગઈકાલથી જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ચૂંટણી પ્રક્રિયાની ગરબડ અંગે ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા અને ચૂંટણીપંચ તેનો જવાબ આપી રહ્યું હતું. હવે આજે પરિણામો આવ્યા પછીના વિપક્ષોના સંગઠીત પ્રત્યાઘાતો આવશે, તે નક્કી છે.

આજે પ્રારંભથી જ બીએમસી ઉપરાંત મોટાભાગની મહાનગરપાલિકાઓમાં પણ ભાજપ-શિંદેની મહાયુતિનો પરચમ લહેરાયા પછી સંજય રાઉત, ઠાકરે બ્રધર્સ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી પ્રક્રિયા અંગે આક્ષેપો ફરીથી દોહરાવીને બીએમસીના કમિશનર પરિણામો પહેલા જ મહાયુતિઓને મળવા ગયા હોવાના કથિત આક્ષેપો કરીને આચાર સંહિતાનો ઉલાળીયો કરાયો હોવાના નિવેદનો કર્યા હતા.

આજે પ્રારંભમાં બીએમસીમાં ભાજપ-શિંદે ગઠબંધન અને મહાવિકાસ અઘાડી પૈકીના ઠાકરે બંધુઓ સાથેના ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જણાતી હતી પરંતુ બપોર થતાં થતાં ચિત્ર બદલાવા લાગ્યું હતું

આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને પરિણામો પછી મહારાષ્ટ્રની તર્જ પર અન્ય રાજયોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાશે, તેમ જણાઈ રહ્યું છે.

આજે મધ્યાન્હમાં આવેલા વલણો (પરિણામોની લીડ) મુજબ નાગપુરમાં ભાજપની પ્રચંડ જીત, નાસિક-ઠાણેમાં ભાજપના ગઠબંધનો તો નવી મુંબઈ, મીરા ભાઈદરમાં કાંટે કી ટક્કર, લાતૂર માલેગાંવ, જલગાંવમાં વિપક્ષી ગઠબંધનની લીડ જોવા મળી રહી છે, તો મુંબઈ (બીએમસી)માં દાયકાઓ પછી શિવસેના (ઠાકરે) ના વળતા પાણી થતાં જોવા મળી રહ્યા છે. આ વખતે મહાવિકાસ અઘાડી અને મહાયુતિ બંને ગઠબંધનોના રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાંચ જેટલા અલગ-અલગ ગઠબંધનો બનાવ્યા હતા. અને જુદી જુદી મહાનગરપાલિકાઓમાં અલગ-અલગ ગઠબંધને ચૂંટણી લડી હતી.

ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે, અને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તેમ જણાઈ રહ્યું છે.

આજે મહારાષ્ટ્રમાં આવી રહેલા વલણો જોતાં મહારાષ્ટ્રમાં ભાષાવાદ તથા ભેદભાવની રાજનીતિને ત્યાંની જનતાએ નકારી છે અને ગુજરાતીઓ તથા ઉત્તર ભારતીયોનો વિરોધ કરવાનું ઠાકરે બ્રધર્સને ભારે પડી ગયું હોય તેમ જણાય છે. બીજી તરફ કોંગ્રેસ, ઠાકરે બ્રધર્સ, એનસીપી (શરદ પવાર) વગેરેએ જુદા જુદા ગઠબંધનો રચીને ચૂંટણી લડતા તેનો ફાયદો પણ ભાજપ-શિંદેના ગઠબંધનને મળ્યો હોય તેમ જણાય છે. આ ચૂંટણીઓમાં કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ જ મુદ્દાઓ પર લડાશે કે નવા મુદ્દાઓ ઉમેરાશે તે જોવું રહ્યું.

સ્થાનિક રાજનીતિ ઉપરાંત રાષ્ટ્રીય રાજનીતિમાં પણ હલચલ મચી છે. સુપ્રિમકોર્ટે ગઈકાલે મમતા બેનર્જીની સરકારને નોટિસ ફટકાર્યા પછી ત્યાંનુ ભાજપ ગેલમાં છે, તો કર્ણાટકમાં કોંગ્રેસ આંતરિક વિખવાદોથી ઉપર ઉઠીને એકજૂથ થવાની દિશામાં આગળ વધી રહેલી જણાય છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન જાળવી રાખશે કે "એકલા ચલો રે" ની નીતિ અપનાવશે, તેની ચર્ચા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી ફરીથી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ તામિલનાડૂ, કેરલ અને તેલંગાણા સહિતના દક્ષિણ ભારતમાં પોતાની હાજરી નોંધાવવા ભરચક્ક પ્રયાસો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી ફરીથી ત્યાં ગઠબંધનમાં સ્થાનિક પક્ષોને સામેલ કરવાની રણનીતિ અપનાવી રહેલી જણાય છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી વધુ ચર્ચા ટ્રમ્પના રોજે રોજના નિર્ણયો તથા ટેરિફ અને યુદ્ધ નીતિ તથા વિદેશનીતિની થઈ રહી છે. અમેરિકા પર પણ હવે ચીન જેવી સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી નીતિ અપનાવવાનો આરોપ લાગી રહ્યો છે. ઈરાને સામૂહિક ફાંસી માટેનો નિર્ણય મોકૂફ રાખ્યા પછી ટ્રમ્પ ઢીલા પડી ગયા અને ઈરાનને ચેતવણી આપીને હાલ સુધી હૂમલો કરવાનું માંડી વાળ્યું હોવાના અહેવાલો છતાં ટ્રમ્પનો કાંઈ ભરોસો નહીં, તેવા પ્રત્યાઘાતો સાથે તેની આલોચના થઈ રહી છે. ઈરાન સાથે આંખો બતાવ્યા પછી ટ્રમ્પે ઢીલું વલણ અપનાવ્યુ તેની પાછળ અમેરિકાના મિત્ર દેશો ગણાતા કેટલાક ખાડીના રાષ્ટ્રો તથા યુએઈ, કતાર વગેરે પણ અમેરિકાની વિરૂદ્ધમાં જઈ રહ્યા હોવાનું કારણ પણ જણાવાઈ રહ્યું છે.

ભારતે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે, તો અમેરિકાએ તદૃન તાજા નિર્ણયમાં વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. આજે જ પાકિસ્તાનને ઝટકો લાગે, તેવો ટ્રમ્પનો નિર્ણય પણ ચર્ચાના આકડે ચડયો છે.

જામનગર અને હાલારમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હલચલ થવા લાગી છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમઆદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો પ્રદેશ હાઈકમાન્ડના નિર્દેશોની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે.

આમ, વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ સ્થાનિક કક્ષાથી માંડીને પ્રદેશ, દેશ અને દુનિયામાં જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, જે સંઘર્ષમય તથા અસાધારણ છે, અને તેમાંથી જ શાંતિ અને સ્થિરતાનો કોઈ માર્ગ નીકળશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખેલ, પતંગોત્સવ અને સેવાકાર્યોનો ત્રિવેણી સંગમ... સાવચેતી છતાં સર્જાઈ કરૂણાંતિકાઓ...

                                                                                                                                                                                                      

ગઈકાલે મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ ગયું. જામનગર સહિત ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વે હર્ષોલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા અને પતંગ રસિયાઓએ પતંગો ઉડાડવાની મજા માણી. જો કે, પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કેટલાક લોકોનો જીવ ગયો, તો કેટલાક પંખીઓ પણ ઘાયલ થયા. સતત અપાતી વોર્નિંગ, તંત્રોની ગાઈડલાઈન્સ અને પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી અપાતી ચેતવણીઓ છતાં આ પ્રકારની ઘટનાઓ તદ્દન અટકતી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે, અને આત્મ ચિંતનનો વિષય છે.

કેટલાક સ્થળે વીજ કરંટ તો કોઈ સ્થળે છત પરથી પડી જવાની ઘટનાઓ બની. કેટલાક સ્થળે પતંગ ઉડાડવા, કાપવા કે દેકારો કરવાના કારણે તકરારો પણ થઈ. નાની-મોટી તકરારો કેટલાક સ્થળે મારામારી અને જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ અને હત્યાના બનાવો પણ બન્યા. આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણી મૂળભૂત સંસ્કૃતિને અનુરૂપ નથી. આપણે પરસ્પર સ્નેહ, પ્રેમ, આદર અને સહનશીલતા રાખીને તહેવારો ઉજવતા રહેવા જોઈએ, ખરૃં ને ?

આજે પણ વાસી મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. મકરસંક્રાંતિ પર્વ સાત ધાનનો "ખીચડો" આપણાં પ્રદેશની પરંપરાગત વિશેષતા છે, અને તેને પાછળ ઋતુગત પોષણનો કોઈ સાયન્ટિફિક દૃષ્ટિકોણ પણ હોઈ શકે છે. હજુ પણ પતંગ ઉડાડતી વખતે સાવધાન રહેવાની અપીલો કરવામાં આવી રહી છે.

જો કે, ગઈકાલે ભારતના ક્રિકેટ રસિયાઓની મકરસંક્રાંતિ તો મોજભરી રહી હશે, પરંતુ રાજકોટના મેદાનમાં જે રીતે ન્યુઝીલેન્ડની ટીમ સાથે ભારતીય ટીમ હારી ગઈ, તે ઘણું જ નિરાશાજનક હતું...રોહિત શર્મા અને કોહલી, ગીલ સહિતના બેટધરોને ન્યુઝીલેન્ડના બોલરોએ એવા તો નિયંત્રણમાં રાખ્યા હતા કે એક સમયે  એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સાવ સસ્તામાં આઉટ થઈ જશે, પરંતુ કે.એલ.રાહુલે સદી ફટકારતા ભારતીય ટીમ કાંઈક સન્માનજનક સ્કોર પર પહોંચી હતી. જો કે, ભારતીય બોલરોની નિષ્ફળતાના કારણે ટીમ ઈન્ડિયા શરમજનક રીતે હારી ગઈ અને કે.એલ.રાહુલની સદી એળે ગઈ.

રમત-ગમત હોય કે રાજકારણ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા કરે, પરંતુ જ્યારે ક્રિકેટ જેવી રમતમાં કેટલીક વખત "લક" પણ કામ કરતા હોય તેવું લાગે. રાજકોટની ગઈકાલની રમતમાં નસીબ કદાચ ન્યુઝીલેન્ડની તરફેણમાં હતું, તેવું પણ ઘણાં ક્રિકેટ રસિયાઓ કહે છે, તેની સામે  ઘણાં દુભાયેલા કે નિરાશ થયેલા ક્રિકેટ રસિયાઓ એવું પણ કહે છે કે એ તો બધી મન મનાવવાની વાતો છે, બાકી ભારતીય ટીમના કહેવાતા દિગ્ગજો કાગળ પર દોરેલા સિંહ જેવા જ પૂરવાર થયા છે. પહેલી વન-ડે માંડ માંડ જીત્યા, તેમાં પણ કે.એલ.રાહુલે છેલ્લે સુધી ચતુરાઈ પૂર્વક રમીને ભારતને જીત અપાવી હતી, તો ગઈકાલની મેચમાં પણ કે.એલ.રાહુલ સિવાયના મોટાભાગના બેટધરો તદ્દન નિષ્ફળ ગયા, તેથી કહી શકાય કે પહેલી બંને મેચો ન્યુઝીલેન્ડ અને કે.એલ.રાહુલ વચ્ચેની જ સ્પર્ધા હોય, તેવું ચિત્ર ઉપસ્યું છે.

જો કે, ટીમ ઈન્ડિયા પાસે હજુ શાખ બચાવવાની તક છે. ૧૮મી જાન્યુઆરીના દિવસે ત્રીજી વન-ડે ફાયનલ જેવી હશે, અને તેમાં ભારતીય ટીમ નહીં જીતે, તો વર્તમાન ટીમના ઘણાં ચહેરાઓ બદલી જશે, તે નક્કી છે. ક્રિકેટ રસિયાઓ રાજકોટની મેચમાં ભારતના ટોચના બેટધરો અને બોલરો નિષ્ફળ રહ્યા અને જેની "હોમ-પીચ" હતી, તેમણે પણ નિરાશ કર્યા હોવાની ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ બધા દિવસો સરખા નથી હોતા તેવું કહીને ઘણાં ક્રિકેટ રસિયાઓ ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના નિષ્ફળ ગયેલા બેટધરો, બોલરો અને ઓલરાઉન્ડરો "કમાલ" કરી બતાવશે, તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

જો કે, તટસ્થ રીતે ક્રિકેટની રમતને નિહાળતા વિશ્લેષકો ગઈકાલે જે રીતે બે ખેલાડીઓએ સદી ફટકારી અને બંને ટીમોના ખેલાડીઓએ જે રીતે સુંદર ફિલ્ડીંગ કરીને પોતાની ટીમ માટે પોતાની તમામ તાકાત અજમાવી દીધી, તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

જો કે, રાજકોટમાં આ વખતે ખંઢેરી સ્ટેડિયમ કદાચ હાઉસફૂલ થયું નહીં, તેનું કારણ મકરસંક્રાંતિના શુભ દિને યોજાયેલા કેટલાક શુભ પ્રસંગો અને પરંપરાગત રીતે ધાર્મિક સ્થળો પર થતી ઉજવણીઓ વગેરે હોઈ શકે. મકરસંક્રાંતિનું પર્વ સૌરાષ્ટ્રમાં પૂર્વ-નિર્ધારિત અને પૂર્વ આયોજિત હોય છે અને તેની રાહ ઘણાં લોકો લાંબા સમયથી જોતા હોય છે. તેથી સ્ટેડિયમ પૂરેપૂરૃં ભરાયુ નહીં હોવા છતાં પ્રેક્ષકોની સંખ્યા સારી હતી. એવું કહેવાય છે. જો કે, ભારતની બોલીંગ નિષ્ફળ ગયા પછી ધીમે ધીમે પ્રેક્ષકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા અને પતંગોત્સવમાં જોડાવા લાગ્યા હતા. તો ઘણાં ક્રિકેટ રસિયા પતંગ પ્રેમીઓએ છત પર જ પતંગ ઉડાડતા ઉડાડતા ક્રિકેટ મેચનું જિવંત પ્રસારણ નિહાળી શકાય, તેવી વ્યવસ્થા કરીને બંને પ્રકારની મોજ માણી હતી.

જામનગર સહિત હાલારમાં પણ મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાયુ અને પતંગ ઉડાડતા ઉડાડતા વન-ડે મેચની મોબાઈલ સેલફોન પર આવતા જિવંત પ્રસારણનો ઓડિયો ચાલુ રાખીને તેની મોજ માણી, ત્યારે ભૂતકાળમાં રેડિયો પર અપાતી રનીંગ કોમેન્ટ્રીની યાદ પણ તાજી થઈ ગઈ હતી.

બીજી તરફ સરકારી 'પતંગોત્સવો'ના અહેવાલો પણ અગ્રીમ હરોળમાં રહ્યા હતા. કાઈટ ફેસ્ટિવલનું પહેલેથી વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતુ અને તે પછી મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ ગઈકાલે જ જ્યાં જ્યાં પતંગો ઉડાડયા, ત્યાં ત્યાં મીડિયાવાળા પહોંચ્યા હતા, અને "બાઈટ" લીધી હતી. તેવી જ રીતે સેલિબ્રિટીઝ તથા સામાન્ય જનતાના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.

ગઈકાલે નભમાં પતંગો અને વાતાવરણમાં કર્ણપ્રિય ગીત-સંગીતથી છવાયા હતા, તો "કાપ્યો છે" ના હર્ષનાદો સાથે પતંગ ઉડાડવાની તંદુરસ્ત સ્પર્ધાઓ પણ થઈ હતી. લોકોએ પરંપરાગત જીંજરા, બોર, ચિક્કી, શેરડી, મમરાના લાડવા, તલસાંકરી વગેરેની જહેમત માણી હતી, તો આ જ પ્રકારે ચીજવસ્તુઓનું દાન કરીને તથા મંદિરોમાં ધરાવીને પુણ્ય પણ કમાયુ હતું. ગૌશાળા-પાંજરાપોળમાં ગાયોને લાડુ અને ધાસચારો ખવડાવાયા હતા, તો સેવાભાવી સંસ્થાઓ તથા તંત્ર દ્વારા ઘાયલ પંખીઓને સારવાર માટે કરાયેલી વ્યવસ્થાઓ પણ ખૂબ જ ઉપયોગી બની હતી. કેટલાક સ્થળે ગરીબ પરિવારોને પતંગ-ફીરકી તથા ખાણીપીણીની ચીજવસ્તુઓનું વિતરણ પણ થયું હતું. કેટલાક સ્થળે રક્તદાન કેમ્પ, વિવિધ રોગ નિદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, લેબોરેટરી કેમ્પ વગેરે પણ યોજાયા હતા. તેથી એવું કહી શકાય કે ખેલ, પતંગ અને સેવાકાર્યોનો જાણે ત્રિવેણી સંગમ રચાયો હતો !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગામડાઓ તૂટી રહ્યા છે, ત્યારે પંચાલ-પાટીદાર સમાજોની ચિંતાઓનું મંથન અને મંતવ્યો...

                                                                                                                                                                                                      

ગુજરાતમાં ફરી એક વખત પાટીદાર આંદોલનની ચર્ચા છેડાઈ ગઈ છે, અને આ કારણે, હાલમાં ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં આ અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે પણ પ્રતિક્રિયા આપતા રાજયમાં પાટીદાર સમાજને પછાતવર્ગમાં સમાવવાનો એક દાયકાથી વધુ જુનો મુદ્દો ફરીથી છંછેડાયો છે, અને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓ પર પણ અસર પડી શકે છે. કદાચ, આ મુદ્દો ફરીથી સપાટી પર આવવાનું કારણ પણ "રાજકીય" જ હોઈ શકે છે. એક પાટીદાર ઉદ્યોગપતિએ આ મુદ્દો કદાચ સામાજિક દૃષ્ટિએ ઉઠાવ્યો હોય કે પછી અજાણતામાં પોતાનો દૃષ્ટિકોણ ઉઠાવી દીધો હોય તો પણ રાજકારણીઓની જમાત હવે આ મુદ્દો વધુ ને વધુ ચગાવશે, તે પણ હકીકત છે !

આ મુદ્દો છેડાયા પછી એક વધુ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે વિવિધ કારણે કેટલાક સમાજોની શહેરો તરફ વધતી દોટના કારણે ગામડાઓમાં તે સમાજોની ઘટી રહેલી વસતિની ચિંતાઓ પણ હવે સપાટી પર આવવા લાગી છે, અને તેના કારણે રાજ્યની તથા દેશની જ્ઞાતિ-જાતિ આધારિત વસતિ ગણતરીનો મુદ્દો પણ ફરીથી વેગ પકડવા લાગ્યો છે.

હકીકતે ગુજરાતમાં પંચાલ સમાજ બીજું સંતાન લાવનાર એટલે કે જે દંપતીને ત્યાં બીજા સંતાનનો જન્મ થાય, તેવા દંપતીને રૂ।. ૨૫ હજાર આપવાની જાહેરાતના અહેવાલો પછી રાજ્યમાં પંચાલ સમાજની ઘટી રહેલી વસતિની વાત કરી હતી. એ પછી હાલના ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન ચલાવીને આનંદીબેન પટેલની સરકારને હચમચાવી નાખનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદારોને ગામડાઓને ધબકતા રાખવા અને ગામડાઓનું અસ્તિત્વ બચાવવા પર ભાર મુકતુ નિવેદન તો કર્યું પણ સાથે સાથે તેમણે શહેરોમાં રહેતા પાટીદારોને તેમનું ચૂંટણીકાર્ડ ગામડાઓનું જ રાખવાની અપીલ કરી હોવાના અહેવાલો પછી એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. અને ગામડાઓમાં પાટીદાર સમાજની વસતિ પણ ઘટી રહી હોવાનો મુદ્દો છેડાઈ ગયો છે.

મીડિયા અહેવાલો મુજબ રાજ્યના સામાજિક માળખામાં થતા ફેરફારો તથા જ્ઞાતિ-સમાજ આધારિત જનસંખ્યાના મુદ્દે પાટીદાર અને પંચાલ સમાજની ચિંતાઓની સરખામણી તથા બંને દૃષ્ટિકોણ વચ્ચેના તફાવતની ચર્ચામાંથી શહેરીકરણના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે, અને તેના કારણે ગામડાઓમાં ઝડપથી બદલાઈ રહેલા સામાજિક સમિકરણો તથા તેના આર્થિક અને પારિવારિક અસરોની ગહન ચર્ચા અને સામાજિક અને ગ્રામ્ય કક્ષાએ મનોમંથન શરૂ થઈ ગયું છે. હાર્દિક પટેલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ તેમણે કહ્યું કે આજે આપણે શહેરો તરફ દોટ મૂકી રહ્યા છીએ, તેથી ગામડાઓમાં સમાજની વસતિ ઓછી થઈ રહી છે, જે આવનારા સમય માટે જોખમના સંકેતો છે. અમદાવાદ કે અમેરિકામાં સ્થાયી થનાર પાટીદાર પરિવારોને તથા તેઓના સંતાનોના ચૂંટણીકાર્ડ ગામડાઓના જ રાખવાની અપીલ કરવામાં આવી છે. આજે આ સામાન્ય લાગતી વાત દસ વર્ષ પછી ગામડાઓની સ્થિતિ બદલાશે, ત્યારે આ વાતની ગંભીરતા સમજાશે, તેમ જણાવીને ગામડાઓના અસ્તિત્વને ટકાવી રાખવા ગામડાઓમાં જ સામાજિક પ્રસંગો તથા સમૂહ લગ્નો યોજવાની અપીલ પણ કરવામાં આવી હતી.

આ મુદ્દો ચર્ચાની એરણે ચડતા વિશ્લેષકોના તારણો મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની વસતિ ઘટાડાની આ ચિંતા સમાન જણાય છે. પરંતુ બંને ચિંતાઓમાં મૂળભૂત તફાવત છે. અને તેના સંદર્ભે જ પાટીદાર આંદોલન અને તેની ફલશ્રુતિઓ અંગે પણ ચર્ચા થઈ રહી છે. હાર્દિક પટેલનું મંતવ્ય એવું છે કે પાટીદાર આંદોલનના કારણે જ બિન અનામત વર્ગોને પણ ૧૦ ટકા અનામત મળી છે અને અન્ય રાહતો તથા પ્રોત્સાહનો પણ મળ્યા છે., તેથી અનામત વિરોધી આંદોલનના મુદ્દાને આગળ ધરીને પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ જવાનો છે, વગેરે...વગેરે...

હકીકતે પંચાલ સમાજની ચિંતા એવી છે કે એક જ સંતાન રાખવાનો ટ્રેન્ડ પંચાલ સમાજમાં વધી રહ્યો હોવાથી વસતિ ઘટી રહી છે, તેથી વસતિ વધારવા, સમતુલન જાળવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા દંપતીઓને બીજુ સંતાન લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જયારે પાટીદાર અનામત, ઈડબલ્યુસી અથવા આર્થિક પછાત બિન અનામત વર્ગો માટે ૧૦ ટકા અનામત અને વર્તમાન સમયમાં શહેરીકરણ વધતા ગામડાઓમાં ઘટી રહેલી પાટીદાર સમાજની વસતિનો ઉલ્લેખ કરીને ગામડાઓ ભાંગી રહ્યા હોવાની થઈ રહેલી તર્કબદ્ધ દલીલો વચ્ચે મૂળભૂત તફાવત છે. પંચાલ સમાજમાં તો સમાજની ઘટી રહેલી વસતિની ચિંતા જ હોય તેમ જણાય છે, પરંતુ ગામડાઓ ભાંગી રહ્યા હોવાના તર્ક પાછળ કદાચ બહુહેતુક દૃષ્ટિકોણ હોઈ શકે છે, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.

એ હકીકત છે કે ગામડાઓ ભાંગી રહ્યા છે અને દેશનું અર્થકારણ ગામડાઓ પર વધુ નિર્ભર હોવાથી ગામડાઓ બચાવવા માટે શહેરો તરફ દોટ ઘટાડવાના અસકારક ઉપાયો કરવા જોઈએ, પરંતુ ગામડાઓમાંથી શહેરો તરફ કોઈ એક સમાજ કે સમુદાય નહીં, પરંતુ તમામ સમાજો-સમુદાયોના પરિવારો દોટ મૂકી રહ્યા છે, અને તે અટકાવવાના પ્રયાસોમાં ગ્રામ્યકક્ષાએ ભૌતિક, શૈક્ષણિક અને માળખાકિય સુવિધાઓ વિકસાવવા તથા તમામ સમાજોમાં જનજાગૃતિ ફેલાવવી જેવા ઉપાયો કરવા જ જોઈએ, અને પંચાલ સમાજની જેમ મંથન તમામ સમાજોમાં થાય, અને ગામડાઓમાંથી શહેરો તરફની દોટ ઘટે તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલને ટાંકીને આ મુદ્દે બહુહેતુક દૃષ્ટિકોણ હોવાની વાતને પણ સમર્થન મળી રહ્યું છે.

તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની ચિંતા તથા ગામડાઓ ભાંગતા અટકાવવાની જરૂરિયાત હોવાની તમામ ચિંતાઓ વાજબી છે, અને ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલ થતી હોય અને તેથી ગામડાઓનું મહત્ત્વ જળવાઈ રહેતું હોય, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ આ ચિંતાની પાછળ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓનું ગણિત પણ હોઈ શકે છે, તેથી જ કહે છે કે "કહીં પે નિગાહેં...કહીં પે નિશાના..."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રોમીયો-જુલિયેટ ક્લોઝ અંગે

                                                                                                                                                                                                      

આ વખતે કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીને રવિવારે રજૂ થવાનું છે, અને તે પછી બે તબક્કામાં બજેટ સત્રનો આરંભ થશે. પહેલા સત્રમાં વૈધાનિક અને સંવૈધાનિક પ્રક્રિયાઓ પૂરી કરીને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરશે, અને સંલગ્ન  ટૂંકી ચર્ચા થશે અને તે પછી બીજા તબક્કામાં બજેટ પર વિસ્તૃત ચર્ચા થશે. આ દરમ્યાન વિપક્ષો દ્વારા એસઆઈઆર, બાંગલાદેશ, ટ્રમ્પ ટેરિફ સહિતના મુદ્દાઓ તો ઉઠાવાશે જ, પરંતુ હવે તેમાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉમેરાઈ શકે છે.

હકીકતે સુપ્રિમકોર્ટે પોકસોના કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાના ઉપાયો પર વિચાર કરવાના નિર્દેશો કેન્દ્ર સરકારને આપ્યા હતા. એક સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે એડવાઈઝ અથવા ભલામણના સ્વરૂપમાં આપેલા આ નિર્દેશો પછી કેન્દ્ર સરકારે આ દિશામાં વિચારવું પડે તેમ જ છે અને આ મુદ્દે તત્કાળ ચર્ચા કરી સંસદ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરવો જ પડે તેવા સંજોગો ઊભા થઈ ગયા છે. એક કેસના ચૂકાદાની નકલ કેન્દ્રીય કાયદા સચિવને આપવાનો નિર્દેશ જ્યારે સુપ્રિમકોર્ટે કર્યો હોય, ત્યારે આ મુદ્દાની ગંભીરતા વધી જાય છે, અને આ પ્રકારના સંવેદનશીલ મુદ્દે સિક્કાની બંને બાજુ જોવી પડે તેમ હોવાથી સંસદમાં પણ આ અંગે વિસ્તૃત અને તર્કબદ્ધ તંદુરસ્ત ચર્ચા થાય અને સર્વસંમત નિર્ણય લેેવાય તે પણ એટલું જ જરૂરી છે.

આપણાં દેશમાં શારીરિક શોષણ અને વિકૃત હરકતોથી બાળકોને બચાવવા "પોસ્કો" નામનો કાયદો બનાવાયો છે. જેનું ફૂલફોર્મ "પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨" થાય છે. આ કાયદો યુપીએ સરકારના શાસનમાં ઘડાયો હતો અને તે સમયે પણ આ કાયદાને લઈને સંવેદનશીલતા અને ગંભીરતાથી વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

સુપ્રિમકોર્ટમાં પોસ્કોના એક કિસ્સામાં અલ્હાબાદ હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દરમ્યાન આપેલા પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવાના નિર્દેશો તથા સંલગ્ન સૂચનાઓને હાઈકોર્ટના સત્તાક્ષેત્ર (અધિકારક્ષેત્ર)થી આગળ વધીને આપી હોવાનું ઠરાવી રદબાતલ કર્યા હતા, પરંતુ તેની સાથે સાથે સુપ્રિમકોર્ટે પોસ્કો અધિનિયમના વધતા જતા દુરૂપયોગ અંગે લાલબત્તી ધરીને કેન્દ્ર સરકારને આ મુદ્દે વિચારવાની તથા "રોમિયો-જુલિયેટ ક્લોઝ" લાવવાની દિશામાં વિચારણા કરવાના જે નિર્દેશો આપ્યા છે, તે પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.

સુપ્રિમકોર્ટે કહ્યું છે કે પોકસોનો કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઈરાદાની ફલશ્રુતિ છે, પરંતુ ઘણાં કિસ્સાઓમાં આ કાયદાનો હથિયાર તરીકે દુરૂપયોગ થાય છે, જે યોગ્ય નથી. અદાલતે કહ્યું છે કે ટીનેજર્સ (કિશોરો) વચ્ચે પરસ્પર સંપૂર્ણ સંમતિથી સંબંધો બંધાયા હોય, પરંતુ તેમાં પરિવારજનો સહમત ન હોય, ત્યારે તેને બાળકોનું જાતિય શોષણ કે શારીરિક સતામણી ગણીને પોસ્કો જેવા અત્યંત કડક કાયદા હેઠળ કાર્યવાહી કે ફરિયાદ કરવી યોગ્ય નથી. આ રીતે પવિત્ર કાયદાનો દુરૂપયોગ થતો હોવાથી આવા કિસ્સામાં રાહત આપવા માટે સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને રોમિયો-જુલિયેટ ક્લોઝ લાવવાની હિમાયત કરી છે. અદાલતે કહ્યું છે કે આ સારા ઉદ્દેશ્ય સાથેના અત્યંત પવિત્ર કાયદાનો ઘણી વખત બદલો લેવા માટે કે અંગત દુશ્મનાવટ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તે યોગ્ય નથી.

અદાલતે કહ્યું છે કે જો રોમિયો-જુલિયેટ ક્લોઝ ઉમેરવામાં આવશે, તો પ્રેમ પાંગર્યા પછી પરસ્પર સહમતિથી બંધાયેલા સંબંધો પછી પોસ્કોમાં ફરતા તરૂણોને કાયદાકીય કઠોરતાથી બચાવી શકાશે. અને પવિત્ર કાયદાનો મલિન ઈરાદાથી થતો દુરૂપયોગ અટકાવી શકાશે. આ ફેંસલો લેતા પહેલા પીઠે એવું અવલોકન પણ કર્યું હતું કે દેશભરમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જ્યાં યુવતીની ઉંમર ઇરાદાપૂર્વક ૧૮ વર્ષથી ઓછી હોવાનું દેખાડીને પોસ્કોની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાની યુક્તિ અજમાવાઈ હોય.

અદાલતે કહ્યું છે કે એક તરફ એવા લાચાર બાળકો હોય છે, જેઓને વાસ્તવમાં પોકસો જેવા કાયદાના રક્ષણની જરૂર તો હોય છે, પરંતુ તેઓ ડર, ગરીબી, સામાજિક કલંક જેવા કારણે ન્યાય વ્યવસ્થા સુધી પહોંચી શકતા નથી, પરંતુ બીજી તરફ કેટલાક પહોંચેલા લોકો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સંસાધનોના દમ પર આ કડક કાયદાનો પોતાના ફાયદા માટે દુરૂપયોગ કરતા હોય છે. આવું થતુ અટકાવવા રોમિયો-જુલિયેટ ક્લોઝની ભલામણ કરતા અદાલતે વિશ્વના અનેક દેશોમાં આ ક્લોઝ અમલમાં છે, તેમ ભારતમાં પણ આ જોગવાઈ કરવા કેન્દ્ર સરકારને જે સૂચન કર્યું છે, તે જોતા હવે આ મુદ્દે દડો કેન્દ્ર સરકારના મેદાનમાં છે, અને જો કેન્દ્ર સરકાર આ ભલામણ પ્રત્યે તત્કાળ ધ્યાન નહીં આપે, તો વિરોધપક્ષો આ મુદ્દો હાથોહાથ ઉપાડી લેશે, તે નક્કી છે.

હવે સવાલ એ થાય છે કે કોઈ ફિલ્મના નામ જેવો રોમિયો-જુલિયેટ ક્લોઝ હકીકતે  છે શું ? આ વિધિના ઘણાં દેશોમાં અમલમાં મૂકાયેલી એવી કાયદાકીય જોગવાઈ છે, જેમાં કિશોરવયે પરસ્પર સંમતિથી બનેલા સંબંધોને પોકસો જેવા જાતિય અપરાધોની શ્રેણીથી અલગ રાખે છે. ઉંમરના થોડા-ઘણાં તફાવતના કારણે પોકસો જેવા અત્યંત કડક કાયદામાં મલિન ઈરાદાથી કે બિનજરૂરી રીતે કિશોરોને ધકેલાતા અટકાવવા આ પ્રકારની જોગવાઈ જાતિય અપરાધોના સંદર્ભે ઘણાં દેશોએ કાનૂની રીતે કરી છે., જેને અનુસરવા સુપ્રિમકોર્ટે કરેલું સૂચન રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

જો કે, દેશમાં કેટલીક અદાલતોએ પોતાની વિવેકબુદ્ધિની સત્તા હેઠળ આ પ્રકારના કેસોમાં ઉદારતા બતાવી હોવાના પ્રતિભાવો પણ સામે આવ્યા છે. કેટલીક સુનાવણીઓમાં આ મુદ્દો ચર્ચાયો છે, તો કેટલાક કિસ્સાઓમાં ૧૮ વર્ષના છોકરા સાથે ૧૭ વર્ષની છોકરીના પોતાની પરસ્પર સંમતિથી સ્થપાયેલા સંબંધોના મુદ્દે અતિરિક્ત ઉદાર વલણ અપનાવાયુ હોવાના પણ કેટલાક દૃષ્ટાંતો ચર્ચાતા હોય છે. પરંતુ સુપ્રિમકોર્ટે પોસ્કો કાયદામાં જ સંશોધન કરીને કેટલાક અન્ય દેશોમાં અમલી બનેલા રોમિયો-જુલિયેટ ક્લોઝ ઉમેરવાનું જે સૂચન કર્યું છે, તે અંગે હવે કેન્દ્ર સરકાર, વિપક્ષો અને સમાજ તથા સંસ્થાઓ કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મકરસંક્રાંતિની મોજ જરૂર માણીએ પણ માનવતા ન ભૂલીએ... ઉપદેશની સાથે અમલ પણ કરવો પડે...

                                                                                                                                                                                                      

મકરસંક્રાંતિ નજીક આવી રહી છે અને માર્કેટમાં પતંગ, દોરી, ખાણીપીણીની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો નીકળી રહ્યા છે. સિઝનલ ફળો, જીંજરા અને ગોળમાંથી બનતી તલસાંકરી, પુસ્તાપાક, તલ-મમરાના લાડુ, રેવડી, ગુબીજ, ખજુરપાક, દારિયાપાક સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે સાતધાનનો ખીચડો બનાવવાનો પણ રિવાજ છે. શિયાળાની ઋતુમાં કોઈપણ ઉજવણીમાં ભજીયાપાર્ટી અને ગાંઠિયા-જલેબીની મહેફિલો તો સૌરાષ્ટ્રમાં યોજાતી જ હોય છે ને ?

મકરસંક્રાંતિ એટલે પતંગોત્સવનો તહેવાર...હવે તો સરકારો પણ પતંગોત્સવો ઉજવવા લાગી છે અને પતંગોત્સવને હવે ગ્લોબલ ઈવેન્ટ બનાવી દીધો હોવાથી તંત્રો પણ પતંગોત્સવો માટે ઘણાં જ એક્ટિવ રહેતા હોય છે. તાલુકા કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી કાઈટ ફેસ્ટિવલના આયોજનો માટે સ્પેશિયલ બેઠકો યોજાતી જ રહે છે, પરંતુ તેની સાથે સાથે દર વર્ષે નવા નવા આયામો જોડાતા રહે છે. હવે તો પતંગોત્સવો પણ અન્ય પ્રોડકટો તથા વિષયોના માર્કેટીંગનું માધ્યમ પણ બન્યા છે. પતંગોત્સવ એ રોજગારીની વિપુલ તકો પણ ઊભી કરી છે. અને ઘણાં સામાન્ય અને ગરીબ પરિવારોને પતંગોત્સવોના કારણે આર્થિક ઉત્તેજન પણ મળ્યું છે, તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.

બીજી તરફ મકરસંક્રાંતિના તહેવારોમાં પશુ-પંખીઓ માટે જ નહીં, આપણાં બધા માટે પણ પતંગની દોરથી ઈજાગ્રસ્ત થવાનો ખતરો મંડરાતો રહેતો હોય છે, અને ઘણાં બાઈક સવારો કે સાયકલ સવારોએ પતંગની દોરથી ગળુ કપાઈ જતાં જીવ ગુમાવ્યો હોય, તેવા પણ દૃષ્ટાંતો છે. તે ઉપરાંત ઊંંચાઈ પર  ઊભીને પતંગ ઉડાડતા ઉડાડતા કે કોઈ ની "કટી પતંગ" મેળવવા જતા ઊંચાઈએથી પડી જવાથી પણ ઘણાં લોકો ઈજાગ્રસ્ત થાય છે, અને જીવનું પણ જોખમ રહે છે. આ તમામ જોખમો હોવાથી પતંગ ઉડાડવા જ ન જોઈએ, તેવું તો કહેવું તો યોગ્ય જ નથી, પરંતુ આ પ્રકારની ઘટનાઓ બનતી જ અટકાવવા જરૂરી જાગૃતિ રાખવા લોકોને સાવચેત અને પ્રશિક્ષિત તો કરી જ શકીએ છીએ ને ?

થોડા સમયથી કેટલાક સ્થળે પોલીસતંત્ર દ્વારા દ્વીચક્રી વાહનોમાં દોર વિરોધી તારની રીંગ લગાવવાની પહેલ કરી છે, જેને સ્ટ્રીંગ પ્રોટેક્ટર પણ કહે છે, તે ઉપરાંત બાઈકર્સને ગળામાં દોર રક્ષક બેલ્ટ પણ બાંધવામાં આવી રહ્યા છે. આ એક યોગ્ય પહેલ છે અને આ કારણે લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે. મકરસંક્રાંતિના પર્વે પગપાળા નીકળતી વખતે પણ આ પ્રકારના સેઈફગાર્ડનો ઉપયોગ કરવામાં આવે, તે ઈચ્છનિય છે. બીજી તરફ સૌથી વધુ જવાબદારી પતંગ ઉડાડનારાઓની પણ ગણાય કારણ કે કોઈને પણ ઈજા ન પહોંચે તેવી રીતે પતંગ ઉડાડવાની જાગૃતિ રાખવાની માનવીય ફરજ તો બજાવવી જ જોઈએ ને ?

આ તો થઈ માનવની એટલે કે આપણાં સૌના રક્ષણની વાત...પરંતુ પતંગની દોરીથી ઘણી વખત સડક પર જતા પશુઓને પણ હાનિ કે ઈજા પહોંચતી હોય છે, તે અંગે પણ સ્વયં પતંગબાજો જ વધુ જવાબદાર ગણાય., આ જોખમોને હળવાશથી લેવાના બદલે એવી રીતે વિચારવુ જોઈએ કે જો પતંગની દોરીથી આપણું કોઈ સ્વજન કે આપણા પાલતુ પશુઓને ઈજા થાય, ત્યારે આપણે કેવી રીતે વિચારીએ ? કેવી રીતે "રિએકટ" કરીએ અને તેવા સમયે આપણને સૌથી વધુ કેવી લાગણી જન્મે, તેની કલ્પના કરીએ તો પણ પતંગ ઉડાડતી વખતે આપણે આ પ્રકારની સાવચેતી તો જરૂર રાખીએ જ...

હવે કરીએ ગગન વિહાર કરતા કે વૃક્ષોની આજુબાજુ કલરવ કરતા નિર્દોષ માસુમ પંખીડાઓની વાત... પંખીઓ જ સૌથી વધુ પતંગબાજીની દોરનો ભોગ બનતા હોય છે, અને દર વર્ષે આ અંગે તંત્રો, સમાજ અને સંગઠનો (એનજીઓઝ) દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરતા હોય છે. અ વર્ષે પણ આ જ પ્રકારે કરૂણા અભિયાન, વિશેષ ટીમો તથા સારવાર કેન્દ્રોની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ પંખીઓને ઓછામાં ઓછું નુકસાન પહોંચે, તેવી સાવધાની રાખીએ છીએ ખરા ?

જો કે, જાહેરનામાઓ અને ગાઈડલાઈન્સ બહાર પડે છે, તંત્રો પરિપત્રો કાઢે છે, અને પંખીઓના ગગન વિહારના સમયે પતંગ નહીં ઉડાડવાની ચોક્કસ ટાઈમટેબલ સાથેની સૂચનાઓ પણ અપાતી હોય છે, પરંતુ શું આપણે તેનું ચૂસ્ત પાલન કરવા તૈયાર છીએ ખરા ? આપણે આપણી જાત (આત્મા)ને જ આ સવાલનો જવાબ પુછવાની જરૂર છે. જે કોઈપણ વ્યક્તિ દિલ પર હાથ રાખીને કહી શકે કે તે આ પ્રકારની સાવચેતી રાખે છે, અને તેમના પરિવાર, મિત્રોને પણ પંખીઓને નુકસાન ન થાય, તેનું ધ્યાન રાખવા સમજાવે છે, તે જ સાચો જીવદયાપ્રેમી ગણાય...ખરૃં ને ?

પતંગબાજી પણ હવે સસ્તી રહી નથી. સામાન્ય પતંગ અને દોરનો એક પરિવારનો જ ખર્ચ બાળક દીઠ સેંકડો અને પરિવાર દીઠ હજારોમાં પહોંચે તેવા ભાવો છે અને તેની સાથે ગીત-સંગીત, ખાણી-પીણી તથા ટેરેસ પર જ લંચ-ડીનર કે મહેફીલ કરવાનો તોતીંગ ખર્ચ તો હવે ગરીબો કે નિમ્ન મધ્યમવર્ગોના પરિવારોને પોષાય તેમ જ નથી. આમ, છતાં ઉછી ઉધારાના નાણાં મેળવીને પણ જયારે આ પરિવારો મકરસંક્રાંતિ ઉજવતા હોય છે, ત્યારે થોડી દયા ભાવના, જીવદયા અને સાવધાની રાખીને કોઈપણ જીવ કે માનવીને ઈજા પહોંચે જ નહીં, તેટલું  તો આપણે બધા કરી જ શકીએ ને ?

એવું પણ નથી કે આપણે પતંગોત્સવ ઉજવીએ જ નહીં કે મોજ-મજા કરીએ જ નહીં, પરંતુ શક્ય તેટલી વધુ સતર્કતા, પરસ્પર સહયોગ અને સાંમજસ્ય દાખવીને થોડી જાગૃતિ રાખીએ અને માત્ર આદર્શ વાતોના વડા કરીને કે જાહેરનામા-ગાઈડલાઈન્સ જાહેર કરીને તથા ઉપદેશ આપીને નહીં, પરંતુ આપણાંથી જ જરૂરી જાગૃતિની શરૂઆત કરવી જોઈએ, અન્યથા આપણા જેવા દંભી કોઈ નહીં હોય...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh