Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીએ આત્મહત્યા કર્યાના બનાવમાં પતિ, સાસુના જામીન થયા મંજૂર

સુરજકરાડીમાં યુવતીએ કર્યાે હતો આપઘાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના એક યુવતીએ સુરજકરાડીમાં પોતાના સાસરે લગ્નના આઠ મહિના પછી ગળાફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા યુવતીના પિતાએ વેવાણ તથા જમાઈ સામે ત્રાસ આપી મરી જવા માટે મજબૂર કર્યાની ફરિયાદ કરી હતી. આ બંને આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના કિશોરભાઈ ભગવાનજી પરમાર નામના પ્રૌઢની પુત્રી કિંજલબેનના લગ્ન ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા ધ્રુવ ધર્મેન્દ્રભાઈ ફલ સાથે કરવામાં આવ્યા પછી કિંજલબેને લગ્નના આઠ મહિના વિત્યે પોતાના ઓરડામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે કિશોરભાઈ પરમારે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં જમાઈ ધ્રુવ ધર્મેન્દ્રભાઈ તેમજ સાસુ વર્ષાબેન ધર્મેન્દ્રભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ આક્ષેપ કર્યાે હતો કે, કિંજલબેનને પતિ તથા સાસુ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી જામનગરની જેલમાં મોકલી આપ્યા હતા. આ આરોપીઓએ જામીનમુક્ત થવા દ્વારકાની સેશન્સ કોર્ટમાં અરજી કરતા અદાલતે બંને આરોપીને જામીનમુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ જીતેન્દ્ર હિંડોચા, અભિષેક ધ્રુવ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh