Advertisement
Author: નોબત સમાચાર

પીપળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રારંભે ધ્વજાજીનું પૂજન

પાવન મહિનામાં ચાંદીના આભૂષણો સાથે વિશેષ દર્શન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧ માં આવેલ અતિપૌરાણિક અને સુપ્રસિદ્ધ ચાંદીથી મઢાયેલા પીપળેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૨૫-૭-૨૫, શ્રાવણ સુદ ૧ થી શરૃ થવા જઈ રહેલ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સવારે ૯ કલાકે ધ્વજાજી પૂજન તેમજ ચાંદીના તમામ આભૂષણોની શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવશે. આ ધ્વજાજી પૂજાના મુખ્ય યજમાન પદે સેતુલભાઈ એસ.વારીયા તેમજ તેમના પત્ની ફોરમબેન (ધૃતિબેન) તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહી પૂજા વિધિનો લાભ લેશે. આ ધાર્મિક કાર્યક્રમ સૂર્યનારાયણ મંદિરના પૂજારી દધીજી મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન મુજબ પૂજા કરાવવામાં આવશે. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ સાંજે ૬ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી આ ઉત્તમ પ્રકારના બનાવેલ તમામ ચાંદીના આભૂષણોના દર્શન શિવભક્તોને કરાવવામાં આવશે. આ ઉપરાંત આખા શ્રાવણ માસ દરમ્યાન બહેનો દ્વારા સોમવારે ૧૦૮ દિવડાઓની આરતી તેમજ ફૂલમંડળી દ્વારા મંદિરને ફૂલોનો શણગાર કરી મંદિરની શોભા વધારવામાં આવશે. આ તમામ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન આ જ વિસ્તારના શારડા ફોરેકસ પરિવારના મોભીઓ હરીઓમ ભાઈ શારડા તથા રામભાઈ શારડા તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. વધુ વિગતો માટે મંદિરના એડવોકેટ પાર્થ ડી. સામાણી (મો.૮૩૪૭૫ ૦૫૫૦૦), પ્રફુલભાઈ ચોકસી (મો.૯૯૨૪૧ ૨૮૪૦૧) તેમજ નંદનભાઈ ભટ્ટ (મો.૯૮૯૮૨ ૩૩૩૪૪)નો સંપર્ક કરવો તથા આ તમામ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફથી શિવભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh