Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ વર્મા સામે કેશકાંડની ફરિયાદ
નવીદિલ્હી તા. ૧૨: કેશ કાંડ મામલે એકશન માટે લોકસભાના અધ્યક્ષે જસ્ટીસ વર્મા વિરૂદ્ધ તપાસ માટે કમિટીની રચના કરી છે.
દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેશકાંડમાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ વર્મા વિરુદ્ધની ફરિયાદને ગંભીર માનીને આ મામલાની તપાસ માટે ૩ સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત કરી છે.
સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, 'ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસના મતે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. સાથે જ, ફરિયાદની પ્રકૃતિને જોતાં નિયમો અનુસાર પદ પરથી હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવાની જરૂર છે. આ પ્રસ્તાવને યોગ્ય માનીને મેં તેને મંજૂરી આપી છે અને પદ પરથી હટાવવાની વિનંતી પર સમિતિ બનાવી છે.'
આ સમિતિમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ કાયદાશાસ્ત્રી બી. વી. આચાર્ય એમ ત્રણ વરિષ્ઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial