Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જો જલભરાવ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી
ધ્રોલ તા. ૧૭: ધ્રોલમાં જોડીયા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. આ ઉપરાંત ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જાય છે અને રસ્તાની બંને સાઈડની દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. જેથી દર વર્ષે દુકાનદારોના માલ-સામાનને નુકસાન થાય છે. આ ઉપરાંત આ માર્ગ પરથી નીકળવામાં રાહદારીઓ અને નાના-મોટા વાહનોને ભારે મુશ્કેલી પડે છે. આ સમસ્ય અંગે અનેક વખત વેપારીઓ તથા સ્થાનિકોએ રજૂઆતો કરી છે.
આ માર્ગ નવો બનાવવા તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વેપારીઓએ આંદોલનની ચિમકી પણ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial