Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર પંથકમાં ઝાપટું: બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ

હાલારમાં કારતક મહિને અષાઢી માહોલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: હાલારમાં ફરી એક વખત વાતાવરણ પલટાયું છે, અને મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. જામજોધપુર પંથકમાં અમુક ગામડામાં કમોસમી વરસાદી ઝાપટું પણ વરસ્યું છે. બીજી તરફ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ ચઢાવી દેવાયું છે, અને માછીમારોને દરિયામાં નહીં જવા સૂચના આપવામાં આવી છે.

આમ તો ચોમાસાની વિદાઈ થઈ ચૂકી છે. શિયાળાનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે. દિવાળીના તહેવારો પણ પૂર્ણ થયા છે, ત્યારે બીજી તરફ વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. તે મુજબ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.

હાલારમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જો કે હજુ સુધી કોઈ ખાસ વરસાદ થયો નથી, પરંતુ જામજોધપુરના સડોદર પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું, જો કે સાવચેતી સ્વરૂપે બંદરો ઉપર ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

અત્યારે પણ વરસાદી માહોલ જળવાયો છે. વાતાવરણ વાદળછાયુ જોવા મળે છે. કમોસમી વરસાદ વરસી શકે છે, જો કે હાલ તો ક્યાંય વરસાદના વાવડ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh