Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં કિસાન ચોકમાં થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૮: જામનગરના કિસાન ચોક વિસ્તારમાં પાંચ વર્ષ પૂર્વે રિક્ષામાં ટેપ ધીમુ વગાડવાના મામલે એક યુવાનની હત્યા થઈ હતી. તે ગુન્હામાં ઝડપાયેલા આરોપી પૈકીના એક આરોપીનો છૂટકારો થયો છે.
જામનગરના કિસાનચોક વિસ્તારમાં ગઈ તા.૨૦-૩-૨૦ની રાત્રે રિક્ષામાં બેસી કેટલાક શખ્સો મોટા અવાજે ટેપ વગાડતા હતા. તેને ટેપ ધીમુ વગાડવાનું કહેવા જતા ઈસુફ આમદ ખફી નામના યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઘવાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના ભાણેજે અશ્વીન રામજીભાઈ સોલંકી ઉર્ફે બાડા સહિતના વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, બનાવને નજરે જોનાર કોઈ સાહેદ રેકર્ડ પર આવ્યો નથી અને અન્ય વ્યક્તિઓ પણ હોસ્ટાઈલ જાહેર થયા છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી અશ્વિન રામજીભાઈ સોલંકીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ, પરેશ નંદા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial