Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહિયાત વિકાસનો વરવો નમૂનો!
ખંભાળિયા તા. ૧૭ઃ જામનગર અને પોરબંદરને જોડતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર ચોમાસાના સમય પહેલા ત્રણ પુલો જર્જરીત ગણીને રાજ્ય સરકાર દ્વારા ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયા હતાં, તેમાં છ મહિના થવા છતાં પણ ના તો આ માર્ગો ભારે વાહનો માટે ખુલ્યા કે ના તો અહીં કંઈ ડ્રાવર્ઝન પણ બનાવાયા હોય, કોંગ્રેસ દ્વારા આમાં ભારત વિશ્વગુરુ ક્યાંથી બને તેવો કટાક્ષ કર્યો હતો તથા લોકોએ પણ રોષ પ્રગટ કર્યો હતો.
દ્વારકા જિલ્લાના મોડપર, મોટા કાલાવડ તથા બીલેશ્વર, પોરબંદર જિલ્લા આ ત્રણ સ્થળે છ-છ માસથી ભારે વાહનોને પ્રતિબંધ છે. નવાઈની વાત છે કે ડ્રાયવર્ઝનો પણ અહીં ના બનાવાતા અભ્યાસ માટે બસ જેવા વાહનોમાં રોજ આવ-જા કરતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની થતી હોય, દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા સરકાર પુલને પ્રતિબંધિત કરી ડાયવર્ઝન ના બનાવતા રોષ વ્યક્ત કરીને આમાં વિશ્વગુરુ ક્યાંથી બનાય? નો કટાક્ષ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial