Advertisement
Author: નોબત સમાચાર

કામદારનું ચાલુ કામે અકસ્માતે મૃત્યુ નિપજતા વળતરનો વીમા કંપનીને હુકમ

કામદારો માટે પેઢી દ્વારા લેવામાં આવ્યો હતો નિર્ણયઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના પડાણા ગામમાં એક પેઢીમાં કામ કરતી વખતે એક શ્રમિકનંુ અકસ્માત થતાં મૃત્યુ નિપજ્યું હતું. તેના પરિવારને કામદાર વળતર ધારા હેઠળ વળતર ચૂકવી પેઢીએ કામદારોનો વીમો આપનાર પેઢી પાસેથી વળતર મેળવવા માગણી કરતા ઈન્કાર કરાયો હતો. આ બાબતની કરાયેલી ફરિયાદમાં ફોરમે વ્યાજ સાથે તે રકમ ચૂકવવા વીમ કંપનીને હુકમ કર્યાે છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા ગામમાં ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢીના પ્રોપરાઈટર ગોવુભા કાથડજી જાડેજાએ ગો-ડીજીટ જનરલ ઈન્સ. પાસેથી એમ્પલોઈઝ કમ્પેઈનસેશન પોલિસી મેળવી હતી.

ત્યારપછી આ પેઢીમાં કામ કરતા ક્રેઈન હેલ્પર આસીફરઝા સલીમ આલમ નામના કર્મચારીને કામ કરતી વખતે ગંભીર ઈજા થયા પછી સારવારમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પરિવારને કામદાર વળતર ધારા હેઠળ રૂ.૧૬ લાખ ૮૦ હજારનું વળતર ચૂકવવાનું હતું. તે રકમ લેબર કોર્ટમાં જમા કરાવી વીમા કંપની સમક્ષ કલેઈમ કરાયો હતો.

આ કલેઈમ વીમા કંપનીએ નામંજૂર કરતા તેની સામે જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં ફોરમે ઉપરોક્ત રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચના રૂ.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી પેઢી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh