Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર વોર્ડ નં.૧ માં પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવા માંગ

ધીમી ધારે અને ડહોળા પાણીથી રહેવાસીઓમાં નારાજગીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના વોર્ડ નં. ૧ વિસ્તારમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પરંતુ ધીમી ધારે અને ડહોળું પાણી વિતરણ થતું હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

જામનગરમાં વોર્ડ નં. ૧ ના રહેવાસી અને સામાજિક કાર્યકર અનવર સંઘારએ મેયર સમક્ષ રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યું છે કે વોર્ડ નંં. ૧ માં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ પાઈપલાઈનમાં પાણી ભરાતા જ ૧૫ મિનિટ થાય છે. ત્યાં સુધી તો નળની લાઈનમાં ફક્ત હવા જ નીકળતી રહે છે. અને અત્યંત ધીમી ધારે પાણી મળે છે. અને તે પણ ડહોળું પાણી મળે છે. અથવા તો ત્રુટક ત્રુટક પાણી આવે છે. આથી લોકોને પુરતું પાણી મળતું નથી. આથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અથવા તો જુની પદ્ધતિ મુજબ એકાંતરા ૪૫ મિનિટ પાણી વિતરણ કરવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh