Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વધુ એક વખત તંત્ર દોડતું થયું'
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા-જામનગર રોડ પર રેલવે સ્ટેશનથી જામનગર જતા રસ્તા પર એક વર્ષથી વધુ સમયથી ઓવરબ્રિજનું કાર્ય શરૂ ન થવાના મુદ્દે અખબારી અહેવાલોના પગલે તંત્ર દોડ્યું છે. ટૂંક સમયમાં આ કાર્ય શરૂ થશે. રેલવે તંત્રએ તમામ મંજુરીઓ આપી દીધી છે.
રસ્તો બંધ થશે ડાયવર્ઝનનો પ્રશ્ન?
ખંભાળિયા-જામનગર રોડ પર ઓવરબ્રિજ બનાવવામાં લાંબો સમય થાય તેમ હોય, જેવું આ કામ શરૂ થશે કે તુરંત જ આ રસ્તો બંધ થશે. રાજ્ય સરકારના જી.યુ.ડી.એમ. વિભાગ દ્વારા ૩૮ કરોડના ખર્ચે આ કાર્ય થનાર હોય, ટૂંક સમયમાં જિલ્લા તંત્રને મળીને ડ્રાયવર્ઝન ક્યાંથી કાઢવું તેનું નક્કી થશે. હાલ આ રસ્તો બંધ હોય તો નાના વાહનો કાર-જીપ જેવા બેડિયાવાડી થઈને નવો રસ્તો બનેલો છે ત્યાંથી કલેક્ટર કચેરી થઈને જામનગર રોડ પહોંચી શકે અથવા તો જડેશ્વર પાસે અંડરબ્રિજમાં થઈને નીકળી શકે. બસ, ટ્રક કે મોટા વાહનોએ ફરજિયાત સલાયા ફાટકવાળા રસ્તા પર થઈને જ જામનગર નીકળવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial