Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેનના કેટલાક સ્ટેશનો માટે સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૯: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખા-શકૂર બસ્તી (દિલ્હી કેન્દ્ર પાસે) સ્પેશિયલ ટ્રેનના ઓખાથી રાજકોટ સુધી આવતા સ્ટેશનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નં. ૦૯પર૩ ઓખા-શકૂર બસ્તી સ્પેશિયલ ર૩ સપ્ટેમ્બરથી રપ નવેમ્બર, ર૦રપ સુધી દરેક મંગળવારે ઓખાથી ૧૦-૧૦ વાગે, દ્વારકા ૧૦-પ૧ વાગે, ખંભાળિયા ૧ર-૦ર વાગે, જામનગર ૧ર-પ૩ વાગે, હાપા ૧૩-ર૦ વાગે, રાજકોટ ૧૪-પ૦ વાગે અને શકૂર બસ્તી બીજા દિવસે સવારે ૧૦-૩પ વાગે પહોંચશે. તે જ રીતે પરત ફરતી ટ્રેન નં. ૦૯પર૪ શકૂર બસ્તી-ઓખા સ્પેશિયલ ર૪ સપ્ટેમ્બરથી ર૬ નવેમ્બર, ર૦રપ સુધી દરેક બુધવારે શકૂર બસ્તીથી બપોરે ૧૩-૧પ વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવ્સે સવારે ૭-પ૮ વાગે રાજકોટ, ૮-ર૩ વાગે હાપા, ૯-૩૭ વાગે જામનગર, ૧૦-રપ વાગે ખંભાળિયા, ૧૧-૩પ વાગે દ્વારકા અને બપોરે ૧૩ વાગે ઓખા પહોંચશે. ઉલ્લેખનિય છે કે, આ બન્ને ટ્રેનોના ઓખાથી રાજકોટ વચ્ચે આવેલા સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh