Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વનકર્મીને લાકડીથી ફટકારી હડધૂત કરાયાઃ
જામનગર તા. ૨૯: જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રવિવારની રાત્રે એક યુવાન પર બે શખ્સે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી પાઈપ તથા બેઝબોલના ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. વન વિભાગના એક કર્મચારીએ ભૂપત આંબરડી ગામમાં વન વિભાગના પ્લોટેશનમાં ચરતી ભેંસોને બહાર કાઢવાનું કહેતા એક શખ્સે તેમના પર લાકડી વડે હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
જામનગરના ૫ંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી જયોત માલધારી હોટલ પાસે રવિવારે રાત્રે દોઢેક વાગ્યે પસાર થતા રાજેશ પ્રેમજીભાઈ બારૈયા નામના અંબાજીના ચોકમાં રહેતા ખવાસ યુવાનને રીયાઝ સુમરા તથા એક અજાણ્યા શખ્સે રોકી લઈ ઝઘડો કર્યાે હતો.
પંદરેક દિવસ પહેલાં નાગનાથ નાકા નજીક એક રેંકડી પર રાજેશ તથા રીયાઝ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી રવિવારે રાત્રે ઈલેકટ્રીક સ્કૂટર પર ધસી આવેલા આ શખ્સોએ રાજેશ પર પાઈપ તથા બેઝબોલના ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. સારવારમાં ખસેડાયેલા રાજેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતા અને વનવિભાગમાં નોકરી કરતા વલાભાઈ રામાભાઈ ખરા ગઈ બપોરે ભૂપત આંબરડી ગામ પાસે પેટ્રોલીંગ કરતા હતા ત્યારે વનવિભાગ દ્વારા કરવામાં આવેલા પ્લોટેશનમાં સંજય નથુભાઈ કંડોરીયાની ભેંસો ચરતી જોવા મળી હતી.
આ ભેંસોને ત્યાંથી બહાર કાઢવાનું વલાભાઈએ કહેતા ઉશ્કેરાયેલા સંજય કંડોરીયાએ ગાળો ભાંડ્યા પછી લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો અને વલાભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ફરજમાં રૂકાવટ કરી હતી. શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial