Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૬: ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં નલ સે જલ તથા અમૃત-ર યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયેલ હોય, તેના અનુસંધાને ખંભાળીયામાં પાલિકા દ્વારા શરૂ થયેલા કામો પૂર્ણતાના આરે થવા આવ્યા છે.
ખંભાળીયા શહેરમાં નવી પાણીની લાઈનો નાખવા, શહેરમાં જ્યાં ઓછા ફોર્સ છે ત્યાં મોટી લાઈનો નાખવા, ઘી ડેમ પર પાણીની ઓવરહેડ ટેન્ક તથા અંડર હેડ ટેન્કનું રીપેરીંગ મરામત નજીકના વિસ્તારોમાં સી.સી. રોડ, પાણીની ટાંકી બનાવવી સહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતાં.
અગાઉ વરસો પહેલા ખંભાળીયામાં જુની લાઈન અને નવી લાઈન એમ બે પ્રકારની પાણી વ્યવસ્થા હતી. જેમાં કૂવા-બોર આધારિત ફૂલવાડી વોટર વર્કસમાં જુની લાઈનોમાંથી પાણી આપવામાં આવતું હતું. આ પાણી મોળું તથા ક્ષારવાળું હોવાની ફરિયાદો હતી.
હવે આ જુની લાઈનોમાં પણ ઘી ડેમમાંથી તથા ઘી-વોટરવર્કસમાંથી મીઠા પાણીનું વિતરણ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial