Advertisement
Author: નોબત સમાચાર

નવા બનતા મકાનમાંથી અજાણ્યા યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા પછી મૃત્યુ

મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના સ્વામી નારાયણનગરમાં નવા બનતા એક મકાનમાંથી ગઈકાલે બપોરે બેશુદ્ધ હાલતમાં એક યુવાન મળી આવ્યા પછી મૃત્યુ પામેલા જાહેર થયા હતા.  મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.

જામનગરના સ્વામી નારાયણનગરની શેરી નં.૧૦માં આવેલી શાળા નં.૪ર પાસે એક આસામીના મકાનનું બાંધકામ ચાલુ છે તે સ્થળે એક અજાણ્યા યુવાન બેભાન જેવી હાલતમાં પડયા હોવાની કોઈએ જાણ કરતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો દોડી ગયો હતો.

તે મકાનમાંથી અંદાજે પિસ્તાલીસેક વર્ષની વયના એક યુવાન બેશુદ્ધ જેવી હાલતમાં જોવા મળતા ૧૦૮ને જાણ કરાઈ હતી. ધસી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈનું નીવેદન નોંધી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh