Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા હસ્તકના
જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા હસ્તકનો ગૌવંશનો ડબ્બો હાપામાં આવલો છે. આ ડબ્બાની અત્યંત દારૂણ સ્થિતિના કારણે દરરોજ પાંચ-સાત ગૌમાતા અને નવા જલ્મેલા ગૌવંશના મરણ થઈ રહ્યા હોવાનો ચાોંકાવનારો ખુલાસો જામનગરના પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના આજીવન સદસ્ય ચિંતન રાવલે એક નિવેદનમાં તસ્વીરોના પુરાવા સાથે રજૂ કર્યો છે.
તેમના જણાવ્યા પ્રમાણે આ ડબ્બામાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ છે. ગારો-કીચડ અને ખૂબ જ ગંદકી હોવાથી ગૌમાતાને પરેશાન કરતા જીવજંતુઓ ફેલાયેલા રહે છે. અહીં પશુ ડોક્ટરની ગેરહાજરી હોય છે. કર્મચારીઓની ઘોર બેદરકારી પણ જવાબદાર છે. ગર્ભસ્થ ગૌમાતા અને નાની જન્મેલા ગૌવંશ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. પીવાના પાણીના અવેડામાં દૂષિત અને ગંદા પાણી હોય છે.
આ ડબ્બામાં ગૌવંશના સંવધન અને જાળવણી માટે તમામ સુચારૂ વ્યવસ્થા-સુવિધા ઉપલબ્ધ કરાવી ગૌવંશનું યોગ્ય રક્ષણ કરવા તેમણે માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial