Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પંથકમાં પતંગ-દોરાથી રર પક્ષી ઘાયલ

પતંગબાજોએ સંયમ રાખવા છતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગર શહેર સહિત આસપાાસના વિસ્તારમાં ગઈકાલે પતંગ અને દોરાના કારણે ૨ર પક્ષીઓ ઘાયલ થયા હતાં. તમામ પક્ષીઓને સારવાર અપાઈ હતી. પતંગબાજોએ ગઈકાલે સંયમ રાખતા એક પણ પક્ષીનું મૃત્યુ તો થયું નહીં, પરંતુ ૧૯ કબૂતર, ૧ કાગડો, ૧ કોયલ અને ૧ પોપટ ઘાયલ થયા હતાં. તે તમામને સારવાર આપવામાં આવી હતી. પતંગબાજોએ ગઈકાલે સંયમ રાખતા એક પણ પક્ષીના મૃત્યુના અહેવાલો મળ્યા નથી, પરંતુ સાવચેતી છતાં રર પંખી ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જામનગરની ઉત્સવપ્રેમી જનતા હવે મકરસંક્રાંતિના પતંગ મહોત્સવને પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે. ગઈકાલે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પતંગ અને દોરાના કારણે ૧૯ કબૂતર, એક કાગડો, એક કોયલ અને એક પોપટ સહિત કુલ રર પક્ષીઓ ઘાયલ થયા હતાં. જે તમામ પક્ષીઓને સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા તથા અન્ય એનજીઓ સંસ્થા વિગેરે દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત તૈયાર કરેલા હંગામી સારવાર કેન્દ્રમાં તમામ પક્ષીઓને તાકીદની સારવાર આપવામાં આવી હતી. ગઈકાલના સમગ્ર દિવસ દરમિયાન એક પણ પક્ષીના પતંગ-દોરાના કારણે મૃત્યુ નિપજ્યા હોય તેવા અહેવાલો હજુ સુધી પ્રાપ્ત થયા નથી, જે મુક પક્ષીઓ માટે સારી બાબત છે, પરંતુ આ દિશામાં હજુ વધુ જાગૃતિ રાખવાની જરૂર પણ જણાવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh