Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે ખંભાળિયા વિસ્તારમાં
ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોની રાજ્ય સરકારમાંથી મંજુર થયેલ વિવિધ ત્રણ વિસ્તારોના ૧૪.૭૮ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો યોજાનાર છે.
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં સલાયા ચાર રસ્તા પાસે નેશનલ હાઈ-વેની હા૫ીવાડી હર્ષદપુરને જોડતા કેનાલ રોડનું લોકાર્પણ થશે. તા. ૧૩-ર-ર૦ર૬ ના બપોરે ત્રણ વાગ્યે અઢી કરોડના ખર્ચે બનેલા આ રસ્તાનું લોકાર્પણ હા૫ીવાડી શાળામાં થશે.
અન્ય કાર્યક્રમમાં સતવારા સમાજની વાડી બજાણા રોડ પાસેથી ભવનાથ મંદિર સુધીનો નવો બનનાર રોડનું ખાતમુહૂર્ત ભવનાથ મંદિરે સાંજે ૪-૩૦ વાગ્યે થશે, જેમાં ત્રણ કરોડના નવા રોડનું ખાતમુહૂર્ત થશે.
ત્રીજો કાર્યક્રમ ધરમપુર વિસ્તારમાં થશે, જેમાં સાંજે ૬ વાગ્યે ૯.ર૮ કરોડના ખર્ચે ખંભાળિયી આહિર સિંહણના વાઈડીંગ રોડનું ખાતમુહૂર્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial