Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષકોને બીએલઓની કામગીરી અંગે મહત્ત્વનો આદેશ
ખંભાળિયા તા. પઃ સમગ્ર રાજ્યમાં બી.એલ.ઓ.ની કામગીરીમાં માત્ર શિક્ષકોને વધુ કામગીરી સોંપાતા શાળાના વાતાવરણ કામને માઠી અસર થતી હોય, આ બાબતે વારંવાર રજૂઆતોના પગલે કેન્દ્રિય ચૂંટણી પંચ ભારત સરકાર દ્વારા રાજ્યના ચૂંટણી પંચને તથા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા જિલ્લા કલેક્ટરને ખાસ સૂચના પત્ર પાઠવાયો છે. જેનો અમલ કરવા વિવિધ શૈક્ષણિક-બીનશૈક્ષણિક મંડળો દ્વારા તેમના સદસ્યોને જાણ કરીને જણાવાયું છે.
ચૂંટણી પંચે જણાવેલ છે કે બી.એલ.ઓ.ની કામગીરીમાં શિક્ષકો ઉપરાંત તલાટી, મ.ભો.યો. પંચાયત કર્મચારી વિગેરે વિવિધ ૧ર કેડરમાંથી પણ કાર્યવાહીઓ મૂકવા, બી.એલ.ઓ.ની નિમણૂક માટે જિલ્લા તાલુકા શિક્ષણાધિકારીઓ પાસે સ્ટાફ માહિતી માંગવાની સાથે અન્ય પાસેની માંગણી તથા શિક્ષકોને બી.એલ.ઓ.માં ઓછામાં ઓછા લેવા ત્રણ વર્ષથી વધુ સમય કામગીરી કરનારાઓને બી.એલ.ઓ.માંથી મુક્ત કરવા તાકીદે કાર્યવાહી કરવા જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે શિક્ષકો-આચાર્યોમાં કેટલાક મહિલાકર્મીને બી.એલ.ઓ. બનાવીને એવો વિસ્તાર અપાતો કે જ્યાં દિવસે પણ જવા તેમણે પોતાના પતિ કે કુટુંબના કોઈ પુરુષ વ્યક્તિને લઈ જવો પડતો નહીં તો કામ થાય જ નહીં, પાછું રોજ ઓનલાઈન રિપોર્ટીંગ ફરજિયાત કરવાનું હોય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial