Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં
જામનગર તા. ૫ઃ પ્રતિ વર્ષે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને દૈનિક જીવનશૈલી સાથે વણી લેવામાં આવે તો તે અનેક રોગોમાં અકલ્પનીય પરિણામ આપે છે. યોગ એ આરોગ્યમય, શાંતિમય અને સકારાત્મક જીવનશૈલી તરફ એક મજબૂત પગલું છે. યોગથી થતા ફાયદાઓ અગણિત હોવાથી આ દિવસે સમગ્ર રાષ્ટ્રની સાથે દુનિયાભરમાં લોકો યોગમય બની જાય છે.
'એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય' માટે યોગની થીમ પર વિશ્વ યોગદિનના અનુસંધાને જામનગરના બી.એમ.સી.માં તેમજ દ્વારકામાં મંદીરની બાજુમાં આવેલ સુદામા સેતુમાં માહી ડેરીના કર્મચારીઓ માટે સામુહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોરબંદર જિલ્લા કચેરી, કુતિયાણા ચિલિંગ સેન્ટર તેમજ વડાલા હબ બી.એમ.સી.માં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લઈને વિવિધ યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ રોગોમાં કરાતા યોગનું સુંદર નિદર્શન કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. યોગના કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
માહી ડેરીની રાજકોટમાં આવેલ કોર્પોરેટ કચેરીના તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ વિવિધ જિલ્લા મથકો અને ગ્રામ્ય કક્ષાએ આવેલા બી.એમ.સી. કેન્દ્રો તેમજ એમ.પી.પી.માં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓએ યોગના કાર્યક્રમમાં જોડાઈને એક પૃથ્વી-એક સ્વાસ્થ્યની થીમ પર વિવિધ યોગ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial