Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતા-પુત્ર ગઈકાલે બપોરે નદીએ ન્હાવા ગયા હતાઃ
જામનગર તા. ૨૦: ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયામાં વાડી વિસ્તારમાં રહેતા ખેત શ્રમિક પિતા-પુત્ર ગઈકાલે ઉંડ નદીમાં ન્હાવા માટે ગયા હતા જ્યાં પિતાનું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયા ગામમાં રાયધનભાઈ વીરાભાઈ ડાંગરની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ખેતશ્રમિક ભૂપેન્દ્રભાઈ મોતીયાભાઈ મેડા (ઉ.વ.૩૩) ગઈકાલે પોતાના પુત્ર વિશાલને સાથે લઈને ઉંડ નદીમાં ન્હાવા ગયા હતા. જ્યાં અકસ્માતે ભૂપેન્દ્રભાઈ નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તુરત જ તેમને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની અનિતાબેન ભૂપેન્દ્રભાઈ મેડાએ પોલીસમાં જાણ કરતા હે.કો. ડી.પી. વઘોરાએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial