Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રહેવા નહીં દેવાનું કહી ધમકી અપાઈઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં ગુરૃવારે બપોરે એક દંપતી પર બે મહિલા સહિત પાંચે ધોકા-પથ્થરથી હુમલો કરી માર માર્યાે હતો અને ત્યાં રહેવા નહીં દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં હાઉસીંગ બોર્ડ પાસે ગરબી ચોકમાં રહેતા ફીરોઝ કાસમભાઈ જખરા નામના યુવાન ગુરૃવારે બપોરે ધરારનગર-રમાં હતા ત્યારે તેઓએ પોતાના પત્નીને શું માથાકૂટ થઈ છે તેમ પૂછતા તેમના પર અસગર ખુરેશી, તોસીફ, રઝીયાબેન, સાયરાબેન, અકબર ખુરેશીએ હુમલો કર્યાે હતો.
આ વ્યક્તિઓએ ફીરોઝભાઈના ઘર પાસે આવી તેમના પર પાછળથી અસગરે ધોકો ફટકારી દીધો હતો અને તોસીફ, રઝીયાબેન, સાયરાબેને ત્યાં પડેલા પથ્થર ઉપાડી ફીરોઝભાઈ તથા તેમની પત્ની પર ઘા કર્યા હતા. આ વેળાએ અકબર ધોકો લઈને ધસી આવ્યો હતો. તેણે ફીરોઝભાઈને ધોકો ફટકારવા ઉપરાંત અસગરે ફીરોઝભાઈના પત્નીને પગમાં ધોકા ફટકાર્યા હતા. અહીં રહેવા નહીં દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફીરોઝભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે મહિલા સહિત પાંચેય સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial