Advertisement
Author: નોબત સમાચાર

કૌભાંડ 'જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ' માં થયુ છે 'જેસીસી હોસ્પિટલ'માં નહીઃ પોલીસ ફરિયાદની તજવીજ

પ્રેસ કોન્ફરન્સમાં મેનેજીંગ ડાયરેકટરે કર્યો બચાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં સુમેર ક્લબ રોડ પર આવેલ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ડીયાક પ્રોસીજરમાં ગેરરીતી બદલ હોસ્પિટલને 'પીએમજેવાય મા' યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હોવા ઉપરાંત ૬ લાખનો દંડ તથા અહી નાં ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી રાજ્ય સરકાર દ્વારા જાહેર થતા આ પ્રકરણમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનાં હોદ્દેદારો તથા જેસીસી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સાથે મળી પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનાં મેનેજીંગ ડાયરેક્ટર ડો. કે.એચ.મારકણા દ્વારા સૌપ્રથમ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જેસીસી હોસ્પિટલ અને જેસીસી હાર્ટ  ઇન્સ્ટિટ્યૂટ બંને અલગ સંસ્થા છે. જેસીસી હોસ્પિટલ છેલ્લા લગભગ એક દાયકાથી વધુ સમયથી કાર્યરત છે અને ખાનગી હોસ્પિટલ તરીકે સારી પ્રતિષ્ઠા સંપાદિત કરેલ છે.  જ્યારે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એ છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત સંસ્થા છે અને તેમાં મહદ હિસ્સો ડો. પાર્શ્વ વોરા તથા તેનાં પરિવારજનોનો છે.

ડો.પાર્શ્વ વોરા અને તેના પરિવારજનોનો જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મોટો હિસ્સો હોવાથી સરકાર અને આરોગ્ય વિભાગમાં સંસ્થા સંબંધિત પ્રક્રિયાઓ ડો. પાર્શ્વ વોરા દ્વારા કરવામાં આવતી હોવાની તથા સંસ્થાનાં ઈમેઈલ વગેરેનું એક્સેસ પણ તેમની જ પાસે હોવાથી ગેરરીતી બદલ સરકાર દ્વારા ફટકારવામાં આવેલ પેનલ્ટી સહિતની બાબતોથી તેમણે મેનેજમેન્ટનાં અન્ય લોકોને અંધારામાં રાખ્યા હોવાનો દાવો હાલનાં મેનેજીંગ ડાયરેક્ટર ડો કે.એચ.મારકણા દ્વારા કરવામાં આવ્યો હતો.

જેસીસી હાર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં ડો. કે.એચ.મારકણા સહિતનાં હોદ્દેદારોએ પત્રકાર પરિષદમાં જણાવેલ કે તેઓને ડો. પાર્શ્વ વોરાની ગેરરીતીઓ નો અંદાજ આવતા ગત ઓગસ્ટ મહિનામાં જ તેમને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને તેને અનુસંધાને ડો. પાર્શ્વ વોરાએ મેનેજમેન્ટને માફી પત્ર પણ આપેલ છે.

આ બધા દાવાઓ સાથે ઇન્સ્ટિટ્યૂટનાં હાલનાં મેનેજનમેન્ટ દ્વારા  હવે આ પ્રકરણમાં ડો. પાર્શ્વ વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ઘોષણા કરી કાયદાકીય કાર્યવાહીની તજવીજ થઇ રહી હોવાની વાત કહેવામાં આવી છે.

આ તકે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનાં સેન્ટર હેડ ગિરીરાજસિંહ ઝાલા તથા જેસીસી હોસ્પિટલ સંલગ્ન ડો. નિકુંજ ચોવટીયા, ડો. તારક શાહ વગેરે પણ ઉપસ્થિત રહૃાા હતાં.

 આમ  આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં થયેલ ગેરરીતીનાં પગલે સમગ્ર પ્રકરણમાં ભળતા નામને લીધે જેસીસી હોસ્પિટલની છબિ ખરડાઈ હોવાનાં મુદ્દે પણ હોસ્પિટલનાં તબીબોમાં આક્રોશ છે અને હવે આ પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહીનાં મંડાણ થવાની સ્થિતિમાં સમગ્ર ઘટનાક્રમ તબીબી આલમમાં ચકચારી  બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh