Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના પુલો ચકાસવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગઃ બારીકાઈથી નિરીક્ષણ

મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે. આ અંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની છે. આથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલોના બાંધકામની ગુણવત્તા, ખાસ કરીને જળ સપાટીની નીચેના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તપાસ અભિયાનમાં આધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. પાણીની અંદર પુલના પાયા, સ્તંભો અને અન્ય માળખાકીય તત્ત્વોમાં કોઈ ક્ષતિ કે નબળાઈ છે કે કેમ, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ઈજનેરો અને ટેકનિશિયનોનો સમાવેશ થાય છે. અને આ ટીમો ઝડપભેર આ કામગીરી પૂર્ણ કરવા માટે કાર્યરત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh