Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીચેની કોર્ટનો આદેશ માન્ય રખાયોઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક આસામી દ્વારા સરકારી નોકરી કરતા પોતાના પુત્રના નામે લોન મેળવી એક જગ્યા ખરીદવામાં આવી હતી અને તેના પર બાંધકામ કરી વસવાટ કરવામાં આવતો હતો. તે જગ્યામાં પિતા તથા ભાઈઓનો હક્ક ન હોવાનું જણાવાતા અદાલતમાં પાર્ટીશનનો દાવો થયો હતો. તે દાવો અદાલતે મંજૂર કરતા અપીલ કરાઈ હતી. તે અપીલ રદ્દ થઈ છે.
જામનગરના બાવનજી મનજીભાઈ ધામેલીયા નામના આસામીની હડમતીયા ગામમાં ખેતીની જમીન આવેલી છે. તે પછી ક્રિષ્નાનગરમાં બાવનજીભાઈએ રહેણાંક બનાવવા પ્લોટ ખરીદવાનું નક્કી કરી પોતાના મિત્ર મગનલાલ કે જેઓ એસટી વિભાગમાં નોકરી કરે છે. તેમને લોન લેવાનું કહ્યું હતું અને લોન લીધા પછી મગનલાલ બાવનજીના નામથી પ્લોટ ખરીદવામાં આવ્યો હતો.
આ આસામીના અન્ય બે ભાઈ રતીલાલ તથા ધીરજલાલ અન્ય કામ કરતા હતા. હિન્દુ સંયુક્ત કુટુંબની આ જમીન પર બાંધકામ કરાયા પછી એક ભાગમાં મગનલાલ અને બીજા ભાગમાં તેમના પિતા બાવનજી અને રતીલાલ તથા ધીરજલાલ વસવાટ કરતા હતા. તે પછી મગનલાલે આ જગ્યામાં રહેવા માટે પિતા તથા ભાઈઓને મંજૂરી આપી છે પરંતુ હક્ક નથી તેમ કહેતા અદાલતમાં બાવનજી અને તેમના પુત્ર રતીલાલ, ધીરજલાલે પાર્ટીશન માટે દાવો કર્યાે હતો.
તે દાવો મંજૂર કરાતા મગનલાલ બાવનજીએ ઉપરની અદાલતમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં આ પ્લોટ પરનું બાંધકામ મગનલાલની આવકમાંથી કરાયું હોવાનો કોઈ પુરાવો નથી પરંતુ સંયુક્ત રીતે બાંધકામ થયું હોવાનું પુરવાર થાય છે તેમ ઠરાવી અદાલતે મગનલાલની અપીલ રદ્દ કરી છે. રતીલાલ બાવનજી તરફથી વકીલ અનિલ કોઠારી, રવિન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial