Advertisement
Author: નોબત સમાચાર

છેતરપિંડીનો ભોગ બનેલા કોળી સમાજના ૨૬ લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

ખોટા પૂરાવા બતાવી બારોબાર જમીન વેચાણ કરનાર ટોળકી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં એક ટોળકીની છેતરપિંડીનો ભોગ બનેલા કોળી પરિવારના ૨૬ લોકોએ ન્યાયની માંગણી સાથે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. કોળી સેના ગુજરાતના જામનગરના પ્રમુખ જીતેશ શીંગાળાની આગેવાનીમાં જિલ્લા કલેકટરને પાઠવાયેલા આવેદનપત્રમાં રજૂઆત અને માંગણી કરતા જણાવ્યું કે આરોપી ટોળકી દ્વારા જમીનના ખોટા પૂરાવા બનાવી તેને બારોબાર વેચાણ કરી નાખવામાં આવ્યું હતુંં. છેતરપીંડી કરીને કોળી સમાજના ૨૬ લોકોને મકાન વેચવામાં આવ્યા પછી ખરીદનારાઓને જાણ થઈ કે આ મકાન ગેરકાયદે છે અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આથી, આ પરિવારો રસ્તે રઝળતા થઈ ગયા છે. આથી છેતરપિંડી આચરનારાઓ સામે પગલાં લેવામાં આવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh