Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના લતીપર રોડ પર અકળ કારણથી યુવાનનું વિષ૫ાનઃ મૃત્યુ

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ધ્રોલના લતીપર રોડ પર ડાયવર્ઝન પાસે વસવાટ કરતા એક યુવાને દસેક દિવસ પહેલાં અગમ્ય કારણથી ઝેરી દવા પીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે.

ધ્રોલથી ટંકારા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા લતીપર રોડ પર ડાયવર્ઝન પાસે વસવાટ કરતા જયસુખભાઈ રવજીભાઈ વાઘેલા (ઉ.વ.ર૦) નામના યુવાને ગઈ તા.ર૧ની રાત્રે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી.

આ બાબતની જાણ થતાં પરિવારજનોએ જયસુખભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું તેમના મોટાભાઈ હરેશભાઈ વાઘેલાએ પોલીસમાં જાહેર કર્યું છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આત્મહત્યા અંગેનું કારણ જાણવા તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh