Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્કમટેક્સને ચુનો ચોપડ્યાનો પ્રયાસઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરની નગર પ્રા.શિ. સમિતિ દ્વારા ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે શિક્ષકો અને પટ્ટાવાળાને ભરવાના ફોર્મ નં.૧૬ સમિતિની સીએ કંપની પાસે તૈયાર કરાવી ગઈકાલે આપવામાં આવ્યા હતા.
જેમાં સમિતિ તમામ કર્મચારીના સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજની તથા શિક્ષક મંડળીઓના કુલ વ્યાજની અને ડિવિડન્ડની આવક પગાર સિવાયની આવક તરીકે ફોર્મ નં.૧૬માં ગણતરીમાં નહીં લેવડાવી તમામ ભરવા પાત્ર ટેક્સની રકમ વાસ્તવિક રકમ કરતા ઓછી કરી દેવામાં આવી છે.
આમ જવાબદારો દ્વારા સરકારને ઈન્કમટેક્સમાં મોટી રકમનો ચુનો ચોપડવાનો ગેરકાયદે પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈન્કમટેક્સ માટે નવા વિકલ્પનું ટેક્સ માળખુ સ્વીકારેલા કર્મચારીના બેંક સેવિંગ્સ ખાતામાં જમા થતા કુલ વ્યાજની આવક પર ફરજીયાત ટેક્સ ચૂકવવાનો થાય તેવી કાયદાની જોગવાઈ હોવા છતાં તેના જૂના વિકલ્પના માળખામાં ૧૦ હજારથી વધારે બચત ખાતામાં બેંક વ્યાજ પર ઈન્કમ ટેક્સ ભરવાપાત્ર થાય છે. તેવી જોગવાઈ છતાં સીએ કંપની દ્વારા સેવિંગ્સ બેંક ખાતાઓના કુલ વ્યાજની આવક તથા શિક્ષક મંડળીના કુલ વ્યાજની આવક અને ડિવિડન્ડની આવક ક્યા કારણોસર કર્મચારીના ફોર્મ નં.૧૬માં દર્શાવીન નહી એવા સવાલો શિક્ષણ જગતમાં ઉઠવા પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial