Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ગંદકી ઉકરડાની સફાઈ થઈ શરૂ

પૂર્વ કારોબારી ચેરમેનની રજૂઆત ફળી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયામાં દીવાળીના તહેવારોના ટાંકણે જ ગંદકી તથા ઉકરડા તથા લોકો પોતાના ઘર તથા દુકાનો સાફ કરતા હોય, ગંદકી હોય, હાલના પાલિકા સફાઈ કોન્ટ્રાક્ટરના વાહનો, સાધનો, માણસો પહોંચી ના શકતા હોય, આ બાબતે પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી હિનાબેન આચાર્ય દ્વારા રજૂઆત ચીફ ઓફિસર રાહુલ કરમુરને કરતા તેમને ગંદકી-કચરાની તસ્વીરો સાથે જણાવતા ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા તુરંત જ એસઆઈ સંજય કરમુર તથા રાજપાર ગઢવીની ટીમને કામે લગાડીને દિવસ દરમિયાન તો સાફ-સફાઈ થાય પણ સાથોસાથ રાત્રે પણ નવથી એકાદ વાગ્યા સુધી સફાઈ ઝુંબેશ શરૂ કરતા થોડું ગંદકીનું વાતાવરણ ઘટ્યું છે.

તાજેતરમાં પાલિકાને સફાઈ માટે નાના ટ્રેક્ટર, ટીપર વાહનો, રિક્ષા વિગેરે લાખો રૂપિયાના અપાયા હોય, તથા દોઢ-બે માસથી આ વાહનો એમ જ પડ્યા હોય, કેમ કે સફાઈ તથા કચરા કલેકશનનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય, ત્રણ નવી ટીપર, ચાર રીક્ષા, પાલિકાના પણ કોન્ટ્રાક્ટરને ભાડા પર આપીને સફાઈ કાર્ય શરૂ કરાવતા રાત્રે ૧પ જેટલા વાહનો તથા વધુ માણસો રાખીને સફાઈ કાર્ય કરાવતા લોકોને દીવાળી પર રાહત થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh