Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબર ચોકડી પાસે મહિલાને લમધારી નખાયાઃ
જામનગર તા. ૮: જામનગરના બેડીમાં એક પ્રૌઢ ના ઘરમાં ઘૂસી સોમવારે રાત્રે ત્રણ શખ્સે બેઝબોલના ધોકા વડે હુમલો કર્યાે હતો. જ્યારે અંબર ચોકડી પાસે બાવરી વાસ નજીક એક મહિલા પર બે અજાણ્યા શખ્સ તથા એક મહિલાએ હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના બેડીમાં રહેતા ઈકબાલ સીદીકભાઈ બશર નામના વાઘેર પ્રૌઢ સોમવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા મજીદ ઈબ્રાહીમ સાંઘાણી, શબ્બીર ઈબ્રાહીમ, રમજુ ઉર્ફે રમઝાન સાંઘાણી નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ બેઝબોલના ધોકાથી હુમલો કરી ઈકબાલ તથા તેમના પત્ની અને પુત્રીને માર મારી ગાળો ભાંડી હતી અને ઈકબાલના પુત્રના ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના ગુલાબનગર નજીક નવનાલા પાસે ઝૂંપડામાં રહેતા વનીતાબેન દિલીપસિંહ પરમાર નામના મહિલા ગઈકાલે સાંજે અંબર ચોકડી પાસે હતા ત્યારે ત્યાં આવેલા બાવરીવાસમાં રહેતા ભૂરી ઉર્ફે સંગીતાબેન રાજુ નામદેવ નામના મહિલાએ ગાળો ભાંડ્યા પછી પ્લાસ્ટિકના પાઈપથી હુમલો કર્યાે હતો. જેમાં બે અજાણ્યા શખ્સ પણ જોડાયા હતા અને તેઓએ ઢીકાપાટુથી માર માર્યાે હતો. વનીતાબેને સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial