Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં યોજાયો વિનામૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૯ઃ ખંભાળિયાની માનવ સેવા સમિતિ દ્વારા લલીતાબેન પ્રેમજીભાઈ હોસ્પિટલમાં વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પનું ઉદ્ઘાટન પત્રકાર કુંજનભાઈ રાડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારીએ સૌનું સ્વાગત કર્યું હતું. પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી, કુંજનભાઈ રાડીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

સંસ્થાના ટ્રસ્ટી વિમલભાઈ સાયાણી, યોગેશભાઈ મોટાણી અને સુંદરજીભાઈ સુરેલીયાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી વ્યવસ્થા સંભાળી હતી. કેમ્પમાં ૪૦ દર્દીઓને તપાસી દીવા, ટીપા, સારવાર આપવામાં આવી હતી. તેમજ ૧૩ દર્દીને ઓપરેશનની જરૃર જણાતા તે જ દિવસે બસ દ્વારા રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ લઈ જઈ બીજે દિવસે ઓપરેશન કરી પરત લઈ આપવામાં આવશે. આભાર દર્શન સંસ્થાના રામભાઈ નકુમે કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh