Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે છાંટા પડ્યા નથી'ને વીજળી ગઈ નથીઃ
જામનગર તા. ૫ઃ જામનગરનાં વરસાદના આગમનની સાથે વીજ ધાંધિયા પણ શરૂ થઈ ગયા છે. વર્ષાેથી આ મુશ્કેલી યથાવત રહી છે. તેનો આગામી વિસેક વર્ષ સુધી નિકાલ થઈ શકશે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. તેમાં પણ ગઈકાલે વીજ કંપનીના જ ચાલી રહેલા કામમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાઈ જતાં જેસીબીચાલકની બેદરકારીના કારણે જામનગરના કેટલાક વિસ્તારના નાગરિકો સાત-આઠ કલાક સુધી હેરાન પરેશાન થઈ ગયા હતા.
જામનગરમાં ચોમાસાના આગમન પછી વીજ કંપનીની નિંભરતા બહાર આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી કરી છે કે કેમ? તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ત્યારે થોડા છાંટા પડે ત્યાં જ વીજળી રાણી રીસાઈ જાય તે જૂની ઉક્તિ હજુ પણ પીજીવીસીએલ દ્વારા અમલી રાખવામાં આવી છે.
તે દરમિયાન ગઈકાલે ઈન્દિરા માર્ગ પર પીજીવીસીએલના ચાલી રહેલા કામ દરમિયાન જેસીબી દ્વારા કરાતી કાર્યવાહીમાં કેટલાક અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાઈ જતા જામનગરના દિગ્વિજય પ્લોટ, કિસાન ચોક તરફના માર્ગ, સત્યમ્ કોલોની તરફનો માર્ગ અને રણજીતનગર સહિતના વિસ્તારોમાં બપોરે અઢીએક વાગ્યે વીજળી ચાલી ગઈ હતી.
એક તરફ વરસાદનો બફારો અને બીજી તરફ વીજળી ન હોવાથી ઉપરોક્ત વિસ્તારમાં રહેતા સેંકડો નાગરિકો પરસેવે રેબઝેબ બની ગયા હતા. પીજીવીસીએલની ફરિયાદ શાખામાં ફરિયાદોનો ધોધ બોલ્યો હતો. જેના પગલે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.
તાત્કાલિક અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ રીપેર થઈ શકે તેમ ન હોવાથી થાંભલા પરના અન્ય કેબલોમાં જોડાણ આપી વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જેને રાત્રે દસ વાગ્યે સફળતા મળી હતી પરંતુ સાત-આઠ કલાક સુધી ઉપરોક્ત વિસ્તારના નાગરિકો હેરાન થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial