Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચેક વર્ષ પહેલાં થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૨૪ઃ જામનગરના સુમેર કલબ રોડ પર નાસ્તો કરવા ગયેલા યુવાન પર સામુ જોવાની બાબતે પાંચેક વર્ષ પહેલાં છરીથી હુમલો કરાયો હતો. જેમાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુન્હાના મુખ્ય આરોપીએ આઠ દિવસના વચગાળાના જામીન માંગતા અદાલતે તે અરજી નકારી છે.
જામનગરના સુમેર કલબ રોડ પર ગઈ તા.૩૦-૧૧-૧૯ની રાત્રે નાસ્તો કરવા ગયેલા પ્રદીપસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ જાડેજા નામના મિત્રો પર સામુ જોવાની બાબતે જીતુ રાજુભાઈ મકવાણા નામના શખ્સે હુમલો કર્યા પછી પેટ્રોલ પંપ પાસે ઉભેલા આ યુવાનો પર જીતુ તથા અન્ય શખ્સોએ છરીથી હુમલો કર્યાે હતો.
ગંભીર ઈજા પામેલા પ્રદીપસિંહનું મૃત્યુ નિપજતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. તે પછી આરોપી જીતુ રાજુભાઈ મકવાણાએ પોતાના બહેનની સગાઈમાં જવા માટે આઠ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલોને ગ્રાહ્ય રાખી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial