Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારના ૪.૬૯ લાખ કર્મચારીઓ અને ૪.૮ર લાખ પેન્શનરોને ફેસ્ટીવલ ગિફ્ટ...!
ગાંધી નગર તા. ૮: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ આપી છે અને મોંઘવારી ભથ્થામાં જુલાઈ-ર૦રપથી કેન્દ્રના ધોરણે વધારો આપવાની જાહેરાત કરી છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૬૯ લાખ કર્મચારીઓ અને ૪.૮ર લાખ પેન્શનર્સને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવતની રકમ (એરિયર્સ) એક જ સપ્તાહમાં ચૂકવવામાં આવશે તેમ જાણવા મળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. ૧-જુલાઈ-ર૦રપ થી આપવાનો નિર્ણય કર્યો છે. તદ્નુસાર સાતમા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પ ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે, ૧-જુલાઈ-ર૦રપ થી ૩૦ સપ્ટેમ્બર-ર૦રપ સુધીની તફાવતની રકમ એક સપ્તાહમાં ચૂકવવામાં આવશે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયતના સેવાના તથા અન્ય એમ કુલ ૪.૬૯ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮ર લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે, પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહી, રાજય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ. ૪૮૩.ર૪ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ. ૧૯૩ર.૯ર કરોડની ચૂકવણી પગારભથ્થા - પેન્શન પેટે કરાશે. આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial