ચિરવિદાય

જામનગરઃ કારાભાઈ ગગુભાઈ જોગલ, તે કેશુભાઈ, મનીષભાઈ (તુલસી ટ્રાવેલ્સ)ના પિતાનું તા.  ૯-૨ના અવસાન થયું છે.તેમની પ્રાર્થનાસભા તા. ૧૩-૨ના શુક્રવારે સાંજે ૪ થી ૫ આહિર સમાજ,  સત્યમ કોલોની રોડ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. ગિરધરલાલ નારણદાસ પાબારીના પત્ની મંગળાબેન (ઉ.વ.૯૭) તે હરીભાઈ, સ્વ.  રસીકભાઈ, ઈશ્વરલાલ, શારદાબેન જગદીશકુમાર સવજાણી, ભારતીબેન ગીરીશકુમાર માવાણી,  નિર્મળાબેન ગુલાબરાય મજીઠીયાના માતાનું તા. ૧૨-૨ના અવસાન થયું છે. સદ્ગતનું  ઉઠમણું/પ્રાર્થનાસભા તા. ૧૩-૨ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવનીપાળ,  જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ સ્વ. જેન્તીલાલ મોહનલાલ ખેતાણી (ખેતાણી ટાઈલ્સવાળા)ના પત્ની ચંપાબેન (ઉ.વ.૮૪) તે  રસીકલાલ મોહનલાલ ખેતાણીના ભાભી, અશોકભાઈ, સતિષભાઈના માતા, ડો.શ્રીધર સતિષભાઈ  ખેતાણીના દાદીનું તા. ૧૨-૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૪-૨ના શનિવારે સાંજે  ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો  માટે રાખેલ છે.

જામનગર નિવાસી  ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ (વહેવારવાળા) નટવરલાલ જટાશંકર રાવલ  (નટુ મહારાજ)ના પત્ની કંંચનબેન (ઉ.વ.૭૮) તે પરેશભાઈ, ધર્મેશભાઈ (પ્રેસ ફોટોગ્રાફર), ઉષાબેન  વ્યાસના માતા, પૂજાબેન, ભાવનાબેન રાજેશકમાર વ્યાસના સાસુ, ઓમ, હર્ષ, જાનકી નંદા, નીશા  વ્યાસ, ભૂમિ બારડ, વૃષ્ટિના દાદી, દિલીપભાઈ દવે, રાજુભાઈ દવે કમળાબેન રાવલના બહેનનું તા.  ૧૧ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨-૨-૨૬ ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh