Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરે ભગવાન જગન્નાથજીના મનોહર શણગાર દર્શન

અષાઢી બીજના પાવન અવસરે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: અષાઢીબીજના પાવન દિવસે જામનગરના હ્ય્દયસમા વિસ્તારમાં સ્થિત સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે એક અલૌકિક દૃશ્ય જોવા મળ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીને અષાઢી બીજના શુભ અવસરે વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા, જેના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

કાશી વિશ્વનાથ મંદિર, જે શહેરના સૌથી જૂના અને આસ્થાના પ્રતીક સમાન મંદિરોમાંનું એક છે, ગઈકાલે જગન્નાથપુરીની યાદ અપાવે તે રીતે સજ્જ થયું હતું. ભગવાન શિવના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવી હતી. ખાસ કરીને ભગવાન જગન્નાથજીનો રથયાત્રા પહેલાનો આ શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અષાઢી બીજના શુભ દિવસે જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભગવાન જગન્નાથજીના સુંદર શણગારના દર્શનનો અનેરો મહિમા જોવા મળ્યો, જેણે શહેરના ભક્તિભાવમાં એક નવો રંગ પૂર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh