Advertisement
Author: નોબત સમાચાર

નહેરૂનગરમાં સ્ટુડિયો ચલાવતા યુવાને અકળ કારણથી કરી લીધી આત્મહત્યા

સ્ટુડિયોમાં જ દોરી વડે ખાધો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ જામનગરની શંકરટેકરી સ્થિત નહેરૂનગરમાં સ્ટુડિયો ચલાવતા એક વિપ્ર યુવાને ગઈકાલે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તેઓના પિતાનું નિવેદન નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂનગરની શેરી નં.૯માં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગ ઉપરાંત સ્ટુડિયો ચલાવતા દિનેશભાઈ જયંતિભાઈ સોમેશ્વરા (ઉ.વ.૩૫) નામના વિપ્ર યુવાને ગઈકાલે બપોરે ક્રિષ્ના સ્ટુડિયોમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ યુવાને સ્ટુડિયોમાં છતમાં રહેલા પંખામાં દોરી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા જયંતિભાઈ નાથાભાઈ સોમેશ્વરાએ પોલીસને જાણ કરી છે. એએસઆઈ ટી.કે. જાડેજાએ મૃતદેહને પીએમ માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh