Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વિશા શ્રીમાળી તપગચ્છ સંઘના ઉપક્રમે ચાતુર્માસ જ્ઞાનગંગાઃ
અર્ધ શેત્રુંજયનું બિરૂદ ધરાવતા જામનગરના વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘની પાઠશાળામાં પંન્યાસ ગીતાર્થરત્નવિજયજી મહારાજ સાહેબ, પંન્યાસ હિતાર્થવિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી કૃપારસ રત્નવિજયજી મહારાજ સાહેબ ઉપરાંત સાધ્વી શ્રી ચૈતન્ય રેખાશ્રીજી મહારાજ સાહેબ, સાધ્વી શ્રી તાત્વિકરેખાશ્રીજી મહારાજ સાહેબ અને સાધ્વી શ્રી ક્ષમાનિધિ રેખાશ્રીજી મહારાજ સાહેબની ચાતુર્માસ માટે પધરામણી થતા ગુરૂ ભગવંતોનું ભવ્ય સામૈયું યોજાયું હતું. શાલિભદ્ર એપોર્ટમેન્ટ, પંચેશ્વર ટાવર પાસેથી સામૈયું આરંભ થયું હતુ જે નગરનાં માર્ગો પર ફર્યુ હતું. ચાતુર્માસ દરમ્યાન સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૩૦ દૈનિક પ્રવચનો યોજાશે. ઉપરાંત રાત્રિ પ્રવચન, સામાયિક, આયંબિલ તપ સહિતનાં જૈન ધર્મ સંલગ્ન વિવિધ ધર્મકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial