Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં રાષ્ટ્રપતિના આગમન નિમિત્તે
ખંભાળીયા તા. ૧૩: દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવ્યા, પણ તકેદારીના વધારે પડતા અતિરેકમાં સંલગ્ન તમામ રસ્તા, બજારો, દુકાનો તથા જગત મંદિર પણ બે કલાક સુધી લોકો માટે બંધ કરી દેવાતા લોકોએ છાપામાં રાષ્ટ્રપતિના ફોટા જોયા ત્યારે અહીં આવ્યાનું જાણ્યુ ંહતું.
અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવીદ આવેલા ત્યારે તેમણે લોકો તથા પત્રકારોનું અભિવાદન કરેલું, પણ જુનાગઢમાં રાષ્ટ્રપતિ સામાન્ય લોકોને મળેલા, જ્યારે અહીં તો પત્રકારોને પણ નહીં અને પત્રકારોએ પણ મંદિર નજીક રહેવાની મનાઈ, રસ્તા પરની ગાડીનો કાફલો નીકળે તેવું શૂટીંગ લઈ લેવાનું બાકી માહિતીખાતુ પીરસે તે પેપરને દેવાનું...!!.
જો કે, રાષ્ટ્રપતિની નાનકડી મુલાકાતમાં તંત્રની દોડધામ, રસ્તા નવા બનાવવા તથા વ્યવસ્થામાં બહારની દોડધામ કરવામાં પાંચેક કરોડનો ખાડો પડ્યાનું પણ કહેવાય છે. ત્યારે રાષ્ટ્રપતિ જેવા દેશના ટોચના વ્યક્તિ દ્વારકાની મુલાકાતે આવે અને લોકો તેમની ઝલક પણ ના લઈ શકે તેવી કડક સુરક્ષા વ્યવસ્થા ભારે ચર્ચાસ્પદ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial