Advertisement
Author: નોબત સમાચાર

સરકારી જી.જી.હોસ્પિટલના કેન્સર વિભાગમાં રેડીએશન વિભાગ બંધ

નિયમિત ટ્રીટમેન્ટના દર્દીઓને ભારે પરેશાની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સાધન-સુવિધાઓથી સજ્જ કેન્સર વિભાગ છે. જેમાં રેડીએશન વિભાગ છેલ્લા એક અઠવાડિયાથી બંધ હોવાથી દર્દીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. કેન્સર વિભાગમાં નિયમિત રીતે રેડીએશન ટ્રીટમેન્ટ લેવા આવતા સૌરાષ્ટ્રભરના દર્દીઓ અત્યારે રામભરોસે જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જો આ ટ્રીટમેન્ટમાં નિર્ધારીત સમયાંતરે શેક લેવામાં ગેપ પડે તો શું હાલત થાય, તે હોસ્પિટલના ઉચ્ચ તબીબી અધિકારીઓના ધ્યાનમાં નથી ? અને દર્દીઓને શું તકલીફ પડે, દર્દીઓની પીડઅ અંગે તંત્રની બેદરકારી ચિંતાજનક છે. આ સ્થિતિમાં દાનવીર એ.જી.એન્ડ ચેરી.ટ્રસ્ટના જામનગરના પ્રદીપસિંહ રાઠોડે વ્હેલીતકે રેડીએશન વિભાગ ચાલુ કરવા અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh