Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલ તુરંત ઈએમઆઈ નહીં ઘટેઃ ફૂગાવાનો ૪.ર%નો અંદાજ
મુંબઈ તા. ૬: આર.બી.આઈ.ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યા મુજબ રિઝર્વ બેંકે રેપોરેટ યથાવત્ રાખતા હાલતુરત ઈએમઆઈમાં કોઈ રાહત મળશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની આ જાહેરાત કરી છે.
કેન્દ્રિય બજેટ ર૦ર૬ અને તાજેતરના ભારત-અમેરિકા વેપાર કરાર પછી આ પહેલી નીતિ સમીક્ષા છે, જેના પર દલાલ સ્ટ્રીટ અને નાણાકીય જગત દ્વારા નજીકથી નજર રાખવામાં આવી છે. આરબીઆઈએ આ વખતે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને યથાવત્ સ્થિતિ જાળવીરાખી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે રેપોરેટ પ.રપ ટકા પર સ્થિર રહેશે. આ નિર્ણયને કારણે લોન વ્યાજ દર પણ યથાવત્ રહેશે, અને ગ્રાહકોને કોઈ રાહત મળશે નહીં.
દેશની અર્થવ્યવસ્થા અંગે સાંજય મલ્હોત્રાએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા અને વૃદ્ધિ હાલમાં મજબૂત સ્થિતિમાં છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ફૂગાવો નિયંત્રણમાં છે. આરબીઆઈ ગવર્નરે નાણાકીય વર્ષ ર૦ર૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ફૂગાવોનો અંદાજ ૩.૯ ટકાથી વધારીને ૪ ટકા કર્યો છે. દરમિયાનબીજા ત્રિમાસિક ગાળા માટે ફૂગાવાનો અંદાજ ૪ ટકાથી વધારીને ૪.ર ટકા કરવામાં આવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વર્ષ ર૭ના પહેલા અને બીજા ત્રિમાસિક ગાળા માટે ફૂગાવાનો અંદાજ વધારીને અનુક્રમે ૪ ટકા અને ૪.ર ટકા કર્યો છે, જે ફૂગાવામાં તીવ્ર ઘટાડાની અગાઉની અપેક્ષાઓથી અલગ થવાનો સંકેત આપે છે. આ ફેરફાર એમપીસીની ત્રણ દિવસીય નીતિ સમીક્ષાના અંતે આવ્યો છે, જેમાં કેન્દ્રિય બેંકે રેપોરેટ પ.રપ ટકા પર યથાવત્ રાખ્યો હતો. આ પગલું સૂચવે છે કે ફૂગાવાના અંદાજ અંગે વધુ સાવધ બની રહ્યું છે. ભલે તે વ્યાજ દરો પર સ્થિર વલણ જાળવી રાખે છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, તાજેતરના સોદાઓએ વૃદ્ધિનો અંદાજ સકારાત્મક રાખ્યો છે.
આરબીઆઈ ગવર્નરે તેમના નાણાકીય નીતિ ભાષણની શરૂઆત એમ કહીને કરી હતી કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન ડેટા સૂચવે છે કે દેશની આર્થિક વૃદ્ધિ ગતિ મજબૂત રહે છે. સ્થાનિક માગ અને આર્થિક પ્રવૃત્તિ સંબંધિત સૂચકાંકો હજુ પણ સારૂ પ્રદૃશન કરી રહ્યા છે. ગવર્નરના મતે વર્તમાન વૃદ્ધિ ગતિ ચાલુ રહેવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે બાહ્ય પડકારો છતાં નજીકના ગાળામાં ભારતીય અર્થતંત્ર માટે આરબીઆઈનો અંદાજ સકારાત્મક રહેશે.
ઉલ્લેખનિય છે કે, આરબીઆઈની નાણાકીય નીતિ બેઠક દર બે મહિને યોજાય છે. છેલ્લી બેઠક ડિસેમ્બર ર૦રપ માં યોજાઈ હતી. આ ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૬ ની પ્રથમ નાણાકીય નીતિ બેઠક છે. આગામી બેઠક એપ્રિલમાં યોજાશે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ટેરિફ યુદ્ધો વચ્ચે આર્થિક વિકાસને ટેકો આપવા માટે આરબીઆઈ સતત રેપોરેટમાં ઘટાડો કરી રહી છે. આ એમપીસી બેઠક એક નિર્ણાયક સમયે આવી રહી છે, કારણ કે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ઘણા મહત્ત્વપૂર્ણ વિકાસ ચાલી રહ્યા છે.
ભારતે તાજેતરમાં તેનું બજેટ રજૂ કર્યું છે અને ભારત-અમેરિકા વેપાર સોદો પૂૃણ કર્યો છે, જેની અર્થતંત્ર પર અસર થઈ શકે છે. આરબીઆઈના એક અહેવાલમાં પણ જણાવાયું હતું કે, આરબીઆઈ આ વખતે રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરે. અહેવાલમાં કહેવામાં આવ્યું છેકે, વૈશ્વિક અને સ્થાનિક જોખમો, વધતીજતી બોન્ડ ચીલ્ડ, રૂપિયાની અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઈ હાલ માટે સાવચેતીભર્યું વલણ અપનાવે તેવી શક્યતા છે. પરિણામે અગાઉની નીતિમાં છૂટછાટ છતાં આ વખતે વ્યાજ દરો યથાવત્ રહેવાની શક્યતા છે, તેવું જણાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial